ગુજરાતમાં રક્તપિત્તના કેસોમાં સતત ઘટાડો, નાબૂદીના તમામ કાર્યક્રમો સફળ: આરોગ્ય મંત્રી
આદિવાસી વિસ્તારોમાં સઘન સ્ક્રીનિંગથી વહેલી તકે દર્દીઓની ઓળખ અને સારવાર; રક્તપિત્તગ્રસ્તોને સરકાર દ્વારા વિવિધ સહાય ગાંધીનગર: ગુજરાતમાં રક્તપિત્ત નાબૂદી માટે રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલા તમામ કાર્યક્રમો સંપૂર્ણપણે સફળ રહ્યા છે અને તેના પરિણામે રાજ્યમાં રક્તપિત્તના દર્દીઓની સંખ્યામાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં જ્યાં રક્તપિત્તના કેસો નોંધાયા છે, ત્યાં સઘન…
