સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ૩૦ બેડના અધતન ડાયાલિસિસ સેન્ટર સહિત નવી સુવિધાઓનું લોકાર્પણ

મેડિકલ અને સર્જિકલ ICUની ક્ષમતા બમણી કરાઈ; ઓર્ગન ડોનેશન માટે આઇસોલેશન ICU અને અપગ્રેડેડ ઇમરજન્સી વિભાગ શરૂ સુરત સુરત નવી સિવિલ હોસ્પિટલ અને સરકારી તબીબી મહાવિદ્યાલય ખાતે દર્દીઓને વધુ સુદૃઢ અને આધુનિક આરોગ્યસેવાઓ ઉપલબ્ધ કરાવવાના હેતુથી વિવિધ નવીનતમ સુવિધાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે અને આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાની પ્રેરક ઉપસ્થિતિમાં…

સુરત નવી સિવિલ હોસ્પિટલની ઐતિહાસિક સિદ્ધિ: ૧૦૦મું સફળ કેડેવર અંગદાન સંપન્ન

સ્વ. ભલાભાઈ હળપતિના પરિવારના માનવતાવાદી નિર્ણયથી ત્રણ જરૂરિયાતમંદ દર્દીઓને મળ્યું નવજીવન; આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ પરિવારને પાઠવી સાંત્વના સુરત શ્રાવણ માસના પવિત્ર સોમવાર અને એકાદશીના અવસરે સુરત નવી સિવિલ હોસ્પિટલના અંગદાન અભિયાનમાં એક અત્યંત ગૌરવવંતી અને ઐતિહાસિક સિદ્ધિ નોંધાઈ છે. હોસ્પિટલ દ્વારા અત્યાર સુધીમાં કુલ ૧૦૦ સફળ કેડેવર અંગદાન કરવામાં આવ્યા છે, જે રાજ્યમાં અંગદાન…

સુરત સિવિલ ડોક્ટર આત્મહત્યા કેસમાં 24 કલાકમાં તપાસ પૂર્ણ, 4 સીનિયર ડોક્ટર સસ્પેન્ડ

રેગિંગ અને માનસિક ત્રાસની પુષ્ટિ બાદ આરોગ્ય વિભાગની કડક કાર્યવાહી; HOD સહિત સંબંધિત ટીચિંગ સ્ટાફને શો-કોઝ નોટિસ સુરત: સુરત નવી સિવિલ હોસ્પિટલમાં પ્રથમ વર્ષના રેસિડેન્ટ ડોક્ટરે આત્મહત્યા કર્યાની દુઃખદ ઘટનાને રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ અત્યંત ગંભીરતાથી લીધી છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મંત્રીએ તાત્કાલિક તપાસના આદેશ આપ્યા હતા. વિશેષ તપાસ કમિટીએ સતત કામગીરી…

સુરત નવી સિવિલમાં 96મું સફળ અંગદાન: ઓડિશાના યુવકના હૃદય, લીવર અને બે કિડનીથી ચાર દર્દીઓને નવજીવન

દેશમાં પ્રથમ વખત વંદે ભારત એક્સપ્રેસ મારફતે હૃદયનાં ટ્રાન્સપ્લાન્ટ માટે પરિવહન; સુરતથી અમદાવાદ માત્ર અઢી કલાકમાં પહોંચ્યું હૃદય સુરત સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં વધુ એક સફળ અંગદાન થકી માનવતાનું અનોખું ઉદાહરણ સામે આવ્યું છે. ઓડિશાના 36 વર્ષીય મિથુન લક્ષ્મણભાઈ સ્વૈનને બ્રેઈનડેડ જાહેર કર્યા બાદ તેમના પરિવારજનોએ હૃદય, લીવર અને બે કિડનીનું દાન કરવાની સંમતિ આપી…

નવસારીના ગણદેવામાં કરુણ ઘટના: ટેમ્પો વીજ વાયરને અડી જતાં 10 લોકોને કરંટ લાગ્યો, 3 યુવાનનાં કમકમાટીભર્યા મોત

ગણદેવીનવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ગણદેવા ગામે હટવાડા ફળિયામાં બનેલી એક ગોઝારી ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફેલાવી દીધું છે. રસ્તા પર પડેલા જીવંત વીજતારના સંપર્કમાં એક ટેમ્પો આવતા મોટો અકસ્માત સર્જાયો હતો, જેમાં ત્રણ યુવાનોના ઘટનાસ્થળે જ પ્રાણ પંખેરૂ ઉડી ગયા હતા જ્યારે અન્ય ઈજાગ્રસ્તો સારવાર હેઠળ છે. કેવી રીતે સર્જાઈ આ દુર્ઘટના?પ્રાપ્ત વિગતો અનુસાર,…