ગુજરાતમાં ચાંદીપુરા વાયરસને લઈને સરકાર એલર્ટ, આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાની સમીક્ષા બેઠક

રાજ્યમાં 63 શંકાસ્પદ કેસ નોંધાયા, 12 દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ; અસરગ્રસ્ત વિસ્તારોમાં હેલ્થ સ્ક્રીનિંગ અને ડસ્ટિંગ અભિયાન તેજ ગાંધીનગર: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના વધતા શંકાસ્પદ કેસોને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર સંપૂર્ણપણે સતર્ક બની છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાની અધ્યક્ષતામાં યોજાયેલી ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠકમાં રાજ્યની વર્તમાન સ્થિતિ, વાયરસના સંક્રમણની સ્થિતિ, સારવારની તૈયારીઓ અને નિયંત્રણ માટે લેવામાં આવેલા પગલાઓની…

હીરામણિ પ્રાયમરી સ્કૂલ (અંગ્રેજી માધ્યમ)માં વિદ્યાર્થી કાઉન્સિલનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો

અમદાવાદ હીરામણિ પ્રાયમરી સ્કૂલ (અંગ્રેજી માધ્યમ) ખાતે શૈક્ષણિક વર્ષ 2026-27 માટે સ્ટૂડન્ટ કાઉન્સિલના સભ્યોનો શપથ ગ્રહણ સમારોહ ઉત્સાહભેર યોજાયો. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ જવાબદારી, શિસ્ત અને નેતૃત્વના મૂલ્યોને જીવનમાં ઉતારવાનો સંકલ્પ કર્યો. આ શપથ ગ્રહણ સમારોહમાં અશોકા, સરદાર, ટેગોર અને વિવેકાનંદ હાઉસના કુલ 40 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. વિદ્યાર્થી પરિષદમાં હેડ બોય, હેડ ગર્લ, કો-હેડ બોય,…

હીરામણિ પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ)માં વર્ષ 2026-27 માટે વિદ્યાર્થી પરિષદનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો

અમદાવાદ હીરામણિ પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ) ખાતે શૈક્ષણિક વર્ષ 2026-27 માટે નવનિયુક્ત વિદ્યાર્થી પરિષદના સભ્યોનો શપથ ગ્રહણ સમારોહ ઉત્સાહભેર યોજાયો. કાર્યક્રમમાં શાળાના આચાર્ય, શિક્ષકગણ, વિદ્યાર્થીઓ તેમજ વાલીઓની ઉપસ્થિતિમાં વિદ્યાર્થી નેતાઓએ નિષ્ઠાપૂર્વક પોતાની જવાબદારીઓ નિભાવવાનો સંકલ્પ લીધો. આ પ્રસંગે શાળામાં વિદ્યાર્થી મંડળની રચના કરવામાં આવી. વિદ્યાર્થી મંડળની રચનાનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં શિસ્ત, નિયમિતતા, જવાબદારીની ભાવના, સહકાર,…

‘ભગત-ભુવા નહીં, સીધા હોસ્પિટલ જાઓ’: આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ આશા વર્કરોને આપ્યો જનજાગૃતિનો સંદેશ

સુરતના ઓરણા ગામના PHC ખાતે આશા વર્કરો સાથે સંવાદ; વરસાદી ઋતુમાં સાપ-વીંછી કરડવાના કેસમાં અંધશ્રદ્ધા છોડીને તાત્કાલિક સારવાર લેવા અપીલ સુરત સુરત જિલ્લાના ઓરણા ગામ સ્થિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) ખાતે રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ આશા વર્કર બહેનો સાથે વિશેષ આરોગ્ય જાગૃતિ સત્ર યોજ્યું હતું. આ દરમિયાન તેમણે વરસાદી ઋતુમાં વધતા સાપ અને વીંછી…

આરોગ્ય પ્રધાન પ્રફુલ પાનસેરિયાનું કામરેજના ઓરણા PHC પર ઓચિંતું નિરીક્ષણ, સ્વચ્છતા અને કામગીરીથી થયા પ્રભાવિત

દવાઓનો સ્ટોક, આરોગ્ય સેવાઓ અને સ્વચ્છતાની કરી સમીક્ષા; ઉત્તમ કામગીરી બદલ સમગ્ર સ્ટાફનું કર્યું સન્માન સુરત રાજ્યના આરોગ્ય પ્રધાન પ્રફુલ પાનસેરિયાએ શનિવારે સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ઓરણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC)ની ઓચિંતી મુલાકાત લઈને આરોગ્ય સેવાઓની સમીક્ષા કરી હતી. નિરીક્ષણ દરમિયાન તેમણે દવાઓનો સ્ટોક, સ્વચ્છતા અને સ્ટાફની કામગીરીનું ઝીણવટભર્યું મૂલ્યાંકન કર્યું હતું. દવાઓના સ્ટોક અને…

સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની સપાટીમાં વધારો, 24 કલાકમાં 34 સેન્ટીમીટરનો ઉછાળો

ડેમની સપાટી 127.23 મીટરે પહોંચી, કુલ સંગ્રહ ક્ષમતા 66.46 ટકા; કેનાલમાં 14,832 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે રાજપીપળા સરદાર સરોવર નર્મદા ડેમમાં વરસાદના કારણે પાણીની આવક યથાવત રહેતાં જળસંગ્રહમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. શુક્રવારે સવારે 9 વાગ્યાની સ્થિતિ મુજબ ડેમની જળસપાટી 127.23 મીટરે પહોંચી છે, જે છેલ્લા 24 કલાકમાં 34 સેન્ટીમીટરનો વધારો દર્શાવે છે….

હીરામણિ પ્રાથમિક શાળામાં ઉત્સાહભેર યોજાઈ રથયાત્રા, વિદ્યાર્થીઓએ ‘જય જગન્નાથ’ના જયઘોષ સાથે સર્જ્યો ભક્તિમય માહોલ

ભગવાન જગન્નાથ, સુભદ્રા અને બલભદ્રના સ્વનિર્મિત મોડલ સાથે શાળા કેમ્પસમાં નીકળી રથયાત્રા; સ્કેટિંગ, કરતબો અને પ્રસાદ વિતરણથી ઉજવણી બની યાદગાર અમદાવાદ હીરામણિ પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ) ખાતે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નિમિત્તે ભક્તિ, પરંપરા અને સર્જનાત્મકતાનો અનોખો સમન્વય જોવા મળ્યો. શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાના હાથે તૈયાર કરેલા ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રના…

હીરામણિ પ્રાયમરી સ્કૂલમાં રથયાત્રાની અનોખી ઉજવણી: બાળકોએ વેસ્ટ વસ્તુઓમાંથી બનાવ્યા શાનદાર 3D રથ

ભૂલકાંઓની સર્જનાત્મકતા ખીલી: ધોરણ 1 થી 7 ના વિદ્યાર્થીઓ માટે કલર પૂરણી, 2D નમૂના અને 3D રથ મેકિંગ જેવી વિવિધ રચનાત્મક સ્પર્ધાઓ યોજાઈ અમદાવાદ: પવિત્ર અને ઐતિહાસિક તહેવાર એવા રથયાત્રાના પર્વ નિમિત્તે અમદાવાદની જાણીતી હીરામણિ પ્રાયમરી સ્કૂલ (અંગ્રેજી માધ્યમ) ખાતે એક અનોખી ઉજવણી કરવામાં આવી હતી. શાળાના વિદ્યાર્થીઓ શૈક્ષણિક પ્રવૃત્તિઓની સાથે-સાથે તહેવારોના સાંસ્કૃતિક મહત્વને સમજે…

હીરામણિ સ્કૂલના કેમ્પસમાં ગુંજ્યા ‘જય રણછોડ’ના નારા: કે.જી. વિભાગના ભૂલકાંઓએ હોંશે-હોંશે યોજી રથયાત્રા

બાળકોમાં ધાર્મિક સંસ્કારોનું સિંચન કરવા અને સર્જનાત્મકતા ખીલવવા શિક્ષકો અને નાનકડા ભૂલકાંઓએ સાથે મળીને સુંદર રથ તૈયાર કર્યો; સમગ્ર વિશ્વની સુખાકારી માટે પ્રાર્થના કરી અમદાવાદ: અષાઢી બીજના પવિત્ર પર્વ અને જગતના નાથ ભગવાન જગન્નાથની ઐતિહાસિક રથયાત્રા નિમિત્તે અમદાવાદની જાણીતી હીરામણિ સ્કૂલના કે.જી. વિભાગ (ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ)ના ભૂલકાંઓ દ્વારા શાળા કેમ્પસમાં જ સુંદર રથયાત્રાનું આયોજન…

સોલા સિવિલ હોસ્પિટલમાં આધુનિક આરોગ્ય સેવાઓનો વધારો

આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાના હસ્તે નવા 128-સ્લાઇસ સીટી-સ્કેન, હાઈ-એન્ડ સોનોગ્રાફી મશીન અને કોક્લીયર ઇમ્પ્લાન્ટ મોડ્યુલર ઓટીનું લોકાર્પણ અમદાવાદ: રાજ્યના આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાના હસ્તે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં નવનિર્મિત 128-સ્લાઇસ સીટી-સ્કેન મશીન, હાઈ-એન્ડ સોનોગ્રાફી મશીન તેમજ કોક્લીયર ઇમ્પ્લાન્ટ મોડ્યુલર ઓપરેશન થિયેટર (ઓટી)નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ નવી સુવિધાઓ શરૂ થતાં દર્દીઓને વધુ ઝડપી, આધુનિક અને ગુણવત્તાસભર…

હીરામણિ પ્રાથમિક શાળામાં ‘રથયાત્રા મોડલ બનાવવાની સ્પર્ધા’ યોજાઈ

વિદ્યાર્થીઓએ ઇકો-ફ્રેન્ડલી રથો અને ભગવાન જગન્નાથ, બલભદ્ર-સુભદ્રાના આકર્ષક મોડેલ બનાવી સર્જનાત્મકતાનો પરિચય આપ્યો અમદાવાદ: હીરામણિ પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ)માં ધોરણ 5થી 7ના વિદ્યાર્થીઓ માટે “રથયાત્રા મોડલ બનાવવાની સ્પર્ધા”નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહ અને ઉમંગ સાથે ભાગ લઈ પર્યાવરણમૈત્રી (ઇકો-ફ્રેન્ડલી) સામગ્રીમાંથી સુંદર, કલાત્મક અને આકર્ષક રથોના મોડેલ તૈયાર કર્યા હતા. વિદ્યાર્થીઓની કૃતિઓએ…

ગુજરાતના NCC કેડેટ મનુજ કુમાર આંતરરાષ્ટ્રીય મંચ પર ઝળક્યા

કિર્ગિઝ પ્રજાસત્તાકમાં યોજાનારા પ્રતિષ્ઠિત યુથ એક્સચેન્જ પ્રોગ્રામ-2026 માટે પસંદગી, ગુજરાત NCC માટે ગૌરવની ક્ષણ અમદાવાદનેશનલ કેડેટ કોર્પ્સ (NCC) નિદેશાલય ગુજરાત માટે ગૌરવની ક્ષણ સર્જાઈ છે. અમદાવાદની ‘1 ગુજરાત NCC બટાલિયન’ના કેડેટ મનુજ કુમારની પ્રતિષ્ઠિત યુથ એક્સચેન્જ પ્રોગ્રામ (YEP)-2026 માટે પસંદગી થઈ છે. તેઓ કિર્ગિઝ પ્રજાસત્તાકમાં યોજાનારા આ આંતરરાષ્ટ્રીય કાર્યક્રમમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. તેમની પસંદગીથી ગુજરાત…

ખોલવડ-ભાદા વિસ્તારમાં રૂ. 84 કરોડના ખર્ચે GETCOનું નવું સબ સ્ટેશન બનશે

વધતી વસતી અને ઉદ્યોગોને મળશે ગુણવત્તાયુક્ત વીજ પુરવઠો, 24 હજાર ચોરસ મીટર જમીન પર કામગીરી શરૂ કામરેજકામરેજ વિધાનસભા ક્ષેત્રના ખોલવડ-ભાદા વિસ્તારમાં વધતી રહેણાંક વસાહતો અને ઔદ્યોગિક વિકાસને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે વીજ માળખાને વધુ મજબૂત બનાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. પ્રિલીમીનરી ટી.પી. સ્કીમ નં. 47 હેઠળ રિઝર્વેશન નં. R-22 ખાતે 24 હજાર ચોરસ મીટર જમીન…

સરદાર સરોવર નર્મદા ડેમમાં 65.37 ટકા જળસંગ્રહ

સાંજે 5 વાગ્યાના અપડેટ મુજબ ડેમની સપાટી 126.78 મીટર; કેનાલમાં 14,790 ક્યુસેક પાણી છોડાયું નર્મદા: સરદાર સરોવર નર્મદા ડેમની આજે સાંજે 5 વાગ્યાની સ્થિતિ મુજબ ડેમમાં કુલ 65.37 ટકા જળસંગ્રહ નોંધાયો છે. ડેમની હાલની જળ સપાટી 126.78 મીટર પર પહોંચી છે, જ્યારે ડેમની મહત્તમ જળ સપાટી 138.68 મીટર છે. ડેમમાં 6783.88 MCM પાણીનો સંગ્રહ નર્મદા…

મંગલદીપ વિદ્યાલય, રાણીપ ખાતે વિદ્યાર્થીઓનો હરિત સંકલ્પ

વૃક્ષારોપણ કાર્યક્રમ-2026 અંતર્ગત વિદ્યાર્થીઓએ પર્યાવરણ સંરક્ષણનો આપ્યો પ્રેરણાદાયી સંદેશ અમદાવાદ: મંગલદીપ વિદ્યાલય, રાણીપ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ-2026નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ વિવિધ પ્રકારના વૃક્ષોનું વાવેતર કર્યું અને હરિયાળા તેમજ સ્વચ્છ પર્યાવરણના નિર્માણ માટે પોતાનો સંકલ્પ વ્યક્ત કર્યો. વિદ્યાર્થીઓએ લીધો હરિત પર્યાવરણનો સંકલ્પ કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ શિક્ષકોના માર્ગદર્શન હેઠળ શાળા પરિસર અને…

ભાડજમાં ‘5 મિલિયન ટ્રી પ્રોજેક્ટ’ અંતર્ગત 30 હજારથી વધુ વૃક્ષોનું વાવેતર

BAPSના 1,100થી વધુ સ્વયંસેવકોની હરિત પહેલ; કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં યોજાયો ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમ અમદાવાદ અમદાવાદના ભાડજ ખાતે રવિવારે ‘5 મિલિયન ટ્રી પ્રોજેક્ટ’ અંતર્ગત વિશાળ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. સવારે 8થી 12 વાગ્યા દરમિયાન યોજાયેલા આ અભિયાનમાં ભારતના કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં BAPS સ્વામિનારાયણ સંસ્થાના 1,100થી વધુ સ્વયંસેવકોએ ઉત્સાહપૂર્વક ભાગ…

રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ 21 ટ્રોફી અને સર્ટિફિકેટનો અનોખો વિક્રમ

કેમલ આર્ટ કોન્ટેસ્ટમાં હીરામણિ સ્કૂલના વિદ્યાર્થીઓનો દેશવ્યાપી દબદબો; રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે ઝળહળતી સિદ્ધિ અમદાવાદ હીરામણિ સ્કૂલના વિદ્યાર્થીઓએ કેમલ આર્ટ કોન્ટેસ્ટની રાષ્ટ્રીય કક્ષાની ચિત્ર સ્પર્ધામાં શાનદાર પ્રદર્શન કરીને શાળા તેમજ ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ કુલ 21 ટ્રોફી અને સર્ટિફિકેટ પ્રાપ્ત કરીને હીરામણિ સ્કૂલ શૈક્ષણિક વર્ષ 2025-26 દરમિયાન સમગ્ર દેશમાં આ અનોખી…

રાજસ્થાનના 6 વર્ષીય બાળકમાં ચાંદીપુરા વાયરસની પુષ્ટિ, સારવાર દરમિયાન મોત થયું

હિંમતનગરની GMERS હોસ્પિટલમાં દાખલ કરાયેલા બાળકનો લેબોરેટરી રિપોર્ટ પોઝિટિવ; રાજસ્થાનના સ્ટેટ સર્વેલન્સ ઓફિસરને તાત્કાલિક જાણ કરાઈ ગાંધીનગર ચાંદીપુરા વાયરસ (CHPV)નો એક પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્ય તંત્ર સતર્ક બન્યું છે. રાજસ્થાનના 6 વર્ષીય બાળકમાં ચાંદીપુરા વાયરસની લેબોરેટરી તપાસમાં પુષ્ટિ થઈ છે. બાળકને ગંભીર હાલતમાં ગુજરાતની હિંમતનગર સ્થિત GMERS હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં…

સરથાણા જકાતનાકા પાસે પાણીમાં બે યુવકો તણાયા: એકનો મૃતદેહ મળ્યો, બીજા માટે યુદ્ધના ધોરણે શોધખોળ

રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાએ ઘટનાસ્થળની મુલાકાત લઈ બચાવ કામગીરીની સમીક્ષા કરી સુરત: સુરતના કામરેજ વિધાનસભા વિસ્તાર હેઠળ આવેલા સરથાણા જકાતનાકા આઉટર રીંગ રોડ નજીક પાણીમાં બે યુવકો તણાઈ જવાની દુઃખદ ઘટના સામે આવી છે. ઘટનાની જાણ થતાં જ રાજ્યના આરોગ્ય મંત્રી અને કામરેજના ધારાસભ્ય પ્રફુલ પાનશેરિયા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને બચાવ કામગીરીની સમીક્ષા કરી હતી….

સરદાર સરોવર ડેમમાં સતત વધારો: 24 કલાકમાં પાણીની સપાટીમાં 13 સેન્ટીમીટરનો ઉછાળો

ડેમની જળસપાટી 126.98 મીટરે પહોંચી; કુલ સંગ્રહ ક્ષમતા 65.85 ટકા, 33,564 ક્યુસેક પાણીની આવક કેવડિયા: રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે. ગુરુવારે સાંજે 5 વાગ્યાની સ્થિતિ મુજબ ડેમની જળસપાટી 126.98 મીટર નોંધાઈ છે, જે છેલ્લા 24 કલાકમાં 13 સેન્ટીમીટર વધી છે. ડેમમાં 65.85 ટકા પાણીનો સંગ્રહ સરદાર…