પીએફઆઈ સાથે સંકળાયેલા પાંચ જણાની ઈડી દ્વારા ધરપકડ

આ તમામની ઓળખ ઈ એમ અબ્દુલ રહેમાન, અનીસ અહેમદ, અફસર પાશા, એ એસ ઈસ્માઈલ અને મોહમ્મદ શકિફ તરીકે થઈ છે નવી દિલ્હીકેન્દ્રીય તપાસ એજન્સી ઈડીએ પીએફઆઈ સાથે જોડાયેલા 5 લોકોની ધરપકડ કરી છે. આ તમામ આરોપી પ્રતિબંધિત સંગઠન પીએફઆઈ માં અલગ-અલગ હોદ્દા પર હતા, જે વિદેશોમાંથી હવાલા દ્વારા આવેલા કરોડો રૂપિયાનો ઉપયોગ દેશવિરોધી પ્રવૃતિઓમાં કરી…

કર્ણાટકમાં હિજાબ પરનો પ્રતિબંધ હટાવવા મુખ્યપ્રધાનનો આદેશ

અગાઉની બીજેપી સરકારે હિજાબ પહેરવા પર પ્રતિબંધ મુક્યો હતો અને ત્યારબાદ મામલો સુપ્રીમ કોર્ટમાં જતા પેન્ડિંગ છે બેંગલુરુ કર્ણાટકની કોંગ્રેસ  સરકારે હિજાબ પર પ્રતિબંધ હટાવવાની તૈયારી શરૂ કરી છે. મુખ્યમંત્રી સિદ્ધારમૈયા એ આજે પ્રતિબંધ હટાવવાનો આદેશ આપ્યો છે. તેમણે કહ્યું કે, તમામને પોતાની પસંદગી મુજબ કપડાં પહેરવાનો અધિકાર છે. તેમણે કહ્યું કે, રાજ્યની સ્કૂલો અને…

આંતરરાષ્ટ્રીયક્ષેત્રે ભારતીય વાયુસેના મહત્વની ભૂમિકા નિભાવશેઃ વાયુસેનાના પ્રમુખ

આપણે નવા આકાશમાં ઉડાન ભરવાની તૈયારી કરી રહ્યા છીએ તો રાષ્ટ્રની શક્તિના મહત્વના રૂપ તરીકે વાયુ શક્તિ નિસંદેહ મહત્વની ભૂમિકા ભજવશે નવી દિલ્હી વાયુસેના પ્રમુખ એર ચીફ માર્શલ વી. આર. ચૌધરીએ જણાવ્યું હતું કે આ સમયે વિશ્વ એક નિર્ણાયક સમયગાળામાં છે અને ફેરફારનું વલણ મજબૂતી સાથે ભારતના પક્ષમાં છે. તેમણે કહ્યું હતું કે ‘ગ્લોબલ સાઉથ’માં…

બીફ ખાનારી કામિયા જાનીએ જગન્નાથ મંદિરમં વીડિયો બનાવતા ધરપકડની માગ

જગન્નાથ મંદિરમાં, કામિયા સત્તારૂઢ બીજુ જનતા દળના નેતા વીકે પાંડિયન સાથે મહાપ્રસાદ ચાખતી જોવા મળતા ભારતીય જનતા પક્ષનો ભારે વિરોધ સોશિયલ મીડિયા પ્રભાવક અને યુટ્યુબ ચેનલ ‘કર્લી ટેલ્સ’ની સંસ્થાપક કામિયા જાની ઓડિશાના જગન્નાથ મંદિરમાં વીડિયો બનાવવાને કારણે વિવાદમાં ફસાઈ છે. બીજેપીના રાજ્ય એકમે તેને બીફ ખાનાર ગણાવીને તેની ધરપકડની માંગ કરી છે. જગન્નાથ મંદિરમાં, કામિયા…

વિશ્વમાં છેલ્લા એક માસમાં કોરોનાના 8.5 લાખ નવા કેસ

વિશ્વભરમાં કોરોનાના કારણે ચાર અઠવાડિયામાં 3,000 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યા, ચાર અઠવાડિયામાં મૃત્યુમાં પણ 8%નો વધારો નોંધાયો નવી દિલ્હી સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોનાએ ફરી માથુ ઉંચક્યુ છે. કોરોનાએ ફરી એક વખત વિશ્વને ડરાવવાનું શરૂ કરી દીધુ છે. વિશ્વભરમાં છેલ્લા એક મહિનામાં કોરોનાના 8.5 લાખ નવા કેસ નોંધાયા છે. ડબલ્યુએચઓએ જણાવ્યું કે, છેલ્લા ચાર અઠવાડિયામાં…

દેશમાં ચોવિસ કલાકમાં 700થી વધુ કોરોનાના નવા કેસ, 4નાં મોત

કેરળમાં 266, કર્ણાટકમાં 70, મહારાષ્ટ્રમાં 15, તમિલનાડુમાં 13 અને ગુજરાતમાં 12 સહિત 17 રાજ્યોમાં કોવિડ-19ના સક્રિય કેસ નોંધાયા નવી દિલ્હી વિશ્વભરમાં લાખો લોકોનો ભોગ લેનાર કોરોના મહામારીએ ફરી એકવાર ચિંતા વધારી છે. દેશમાં દર એક કલાકે ઓછામાં ઓછા 26થી 27 લોકો સંક્રમિત થઈ રહ્યા છે જેના પગલે ડરનો માહોલ સર્જાયો છે. કેન્દ્ર સરકાર દ્વારા જાહેર…

બાપના પૈસાના નિવેદન પર ઉદયનીધિને સીતારમણની ચેતવણી

અમે કોઈના બાપના પૈસા માંગી નથી રહ્યા, અમે ફક્ત તમિલનાડુના લોકો દ્વારા  ચૂકવાયેલો ટેક્સનો હિસ્સો માંગી રહ્યા છીએના સ્ટાલિનના નિવેદન પર નાણાંમંત્રી ગુસ્સે થયા નવી દિલ્હી નાણામંત્રી નિર્મલા સીતારમણ એ ઉદયનિધિ સ્ટાલિનને તેમના ‘બાપના પૈસા’ વાળા નિવેદન પર ચેતવણી આપતા કહ્યું કે બોલતા પહેલા પોતાના શબ્દો પર ધ્યાન આપવું જોઈએ અને રાજકીય નેતાને શોભે તે…

વિવેક બિન્દ્રા પર પત્નીએ ઘરેલુ હિંસાનો આરોપ લગાવ્યો

લગ્નના બે દિવસ બાદ માતા સાથે ઝઘડો થતાં વિવેકે પત્નીને રુમમાં પૂરી દીધી, દુર્વ્યવહાર શરૂ કરતા ફિરયાદ નોંધાવાઈ નોઈડા જાણીતા મોટિવેશનલ સ્પીકર અને સોશ્યલ મીડિયા ઇન્ફ્લ્યુએન્સર વિવેક બિન્દ્રા પર તેની પત્ની સામે ઘરેલુ હિંસાનો આરોપ લગાવવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ વિવેક બિન્દ્રાની પત્ની યાનિકા બિન્દ્રાના ભાઈ વૈભવ ક્વાત્રાએ તેની સામે નોઈડાના સેક્ટર 126માં કેસ…

ગમે એટલા સર્વે કરો હવે કોઈ મસ્જિદ નહીં આપીએઃ મૌલાના તૌકીર રઝા

મૌલાનાએ સુપ્રીમ કોર્ટને બેઈમાન ગણાવી, તૌકીરે અયોધ્યાના વિવાદિત બંધારણનો પણ તેમના ભાષણમાં ઉલ્લેખ કર્યો નવી દિલ્હીવિવાદાસ્પદ નિવેદનો માટે કુખ્યાત મૌલાના તૌકીર રઝાએ ફરી એકવાર વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તૌકીર રઝાએ જ્ઞાનવાપી માટે રસ્તા પર લડવાની જાહેરાત કરી છે. મથુરા અને કાશી મુદ્દે તેમણે કહ્યું કે તેઓ હવે કોઈ મસ્જિદ આપવા તૈયાર નથી, પછી ભલે કોઈ…

ટેરર ફંડિંગ કેસમાં દિલ્હીમાંથી મોહમ્મદ અબ્દુલની ધરપકડ કરાઈ

નવી દિલ્હીના નિઝામુદ્દીન રેલવે સ્ટેશન પરથી એટીએસે તેની ધરપકડ કરી, તેની ઓળખ 37 વર્ષીય મોહમ્મદ અબ્દુલ અવલ તરીકે થઈ નવી દિલ્હીઉત્તર પ્રદેશ એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (યુપી એટીએ) મંગળવારે (20 ડિસેમ્બર, 2023) ના રોજ ટેરર ફંડિંગ કેસમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં સફળ રહી હતી. નવી દિલ્હીના નિઝામુદ્દીન રેલવે સ્ટેશન પરથી એટીએસે તેની ધરપકડ કરી હતી. તેની…

માઓવાદીઓએ ટ્રેક ઊડાડી દેતા હાવડા-મુંબઈ રેલ વ્યવહાર ખોરવાયો

22 ડિસેમ્બરે માઓવાદીના ભારત બંધથી એવી આશંકા છે કે આ બંધની અસર દેખાય એટલા માટે જ કદાચ આ કૃત્ય કરાયું રાંચીઝારખંડના ચાઈબાસા ક્ષેત્રના ગોઈલકેરા-પોસૈતા રેલવે સ્ટેશન વચ્ચે કારો બ્રિજ નજીક રેલવેફાટક પર ભયંકર વિસ્ફોટ કરાયાની માહિતી મળી છે. અહેવાલ અનુસાર માઓવાદીઓએ બોમ્બ વિસ્ફોટ કરી આ ટ્રેકને ઉડાવી નાખ્યું હતું જેના લીધે હાવડા-મુંબઈ વચ્ચેની રેલવે લાઈન…

વાયુ પ્રદૂષણ ઘટાડીને હિમાલયના ગ્લેશિયરને બચાવી શકાય છે

વર્ષ 2020માં કોરોના લોકડાઉન થયું હતું ત્યારે હવા એકદમ સાફ હતી અને તે સમયે હિમાલયના ગ્લેશિયર ઘણા ઓછા પ્રમાણમાં ઓગળ્યા હતા નવી દિલ્હીએક રિસર્ચમાં થયેલા ખુલાસા અનુસાર જો વાયુ પ્રદૂષણને ઘટાડીને કોરોના રોગચાળાના સ્તર પર લાવવામાં આવે તો તેનાથી હિમાલયના ગ્લેશિયર બચી શકે છે. માનવામાં આવી રહ્યું છે કે હિમાલયના ગ્લેશિયર આ સદીના અંત સુધી…

કેજરી-મમતાએ લાલુના નીતિશને સંયોજકના મનસૂબા પર પાણી ફેરવ્યું

લાલુપ્રસાદની ઈચ્છા લોકસભા ચુંટણી બાદ જે નેતાના પક્ષમાં વધારે સાંસદ હશે તેને પ્રધાનમંત્રી બનાવવામાં આવશે એવી હતી પટણાઇન્ડિયા ગઠબંધનની બેઠકમાં બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારને સંયોજક ન બનાવતા જેડીયુ જ નહી પરંતુ લાલુપ્રસાદ પણ નારાજ છે. જેડીયુએ પોતાની આગામી રણનીતિ નક્કી કરવા માટે 29 ડિસેમ્બરે રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક બોલાવી છે. બીજી તરફ બિહારમાં ઇન્ડિયા ગઠબંધન તૂટવા…

કોરોનાનો નવો વેરિયન્ટ ચિંતાજનક નથી, સાવચેતી જરૂરીઃ ડૉ. સૌમ્યા સ્વામીનાથન

સૂચન આપવા માટે હાલ કોઈ ડેટા નથી, આપણે માત્ર સામાન્ય બચાવના ઉપાયની જરૂરી નવી દિલ્હીદેશમાં એકવાર ફરી કોરોના વધતો જઈ રહ્યો છે. કોરોનાનો નવો સબ વેરિયન્ટ જેએન-1 ચિંતાનો વિષય બનેલો છે. આ દરમિયાન વિશ્વ આરોગ્ય સંસ્થાના પૂર્વ પ્રમુખ વિજ્ઞાની ડો. સૌમ્યા સ્વામીનાથને કહ્યુ કે હાલ કોરોનાથી ગભરાવાની જરૂર નથી. આ જોખમી નથી. આ ચિંતાનો વિષય…

સિરમ જેએન-1 માટે પણ વેક્સિન બનાવશે, લાયસન્સ માટે અરજી

સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાએ કોવિશીલ્ડ વેક્સિન બનાવી હતી જેનો ભારતમાં કોરોના મહામારી દરમિયાન પ્રથમ અને બીજી લહેર વખતે વ્યાપક રીતે ઉપયોગ કરાયો હતો પૂણેકોરોના વાયરસે ફરી એકવાર દેશમાં અનેક લોકોને ઝપટમાં લેવાનું શરૂ કર્યું છે. તેની પાછળ મુખ્ય કારણ આ વાયરસનું નવું વેરિયન્ટ જેએન.1 મનાઈ રહ્યું છે. જોકે હવે ગભરાવાની જરૂર નથી કેમ કે એવા…

ભાગલપુરમાં સુરક્ષાકવચ તોડી યુવક આરએસએસના વડા પાસે પહોંચી ગયો

ડીએસપીએ યુવકને સંઘના વડા પાસેથી પકડી લીધો હતો અને તેને બરારી પોલીસને સોંપ્યો, યુવકે આરામતી મોહન ભાગવતને ફૂલનો ગુલદસ્તો આપ્યો ભાગલપુર ભાગલપુરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતની ઝેડ પ્લસ કેટેગરીની સુરક્ષા તોડતી વખતે એક યુવકે તેમને ગુલદસ્તો આપ્યો. શુક્રવારે સવારે લગભગ 10 વાગ્યે ઐતિહાસિક મહર્ષિ મેં કુપ્પા ઘાટ આશ્રમની સંઘના વડાની મુલાકાત દરમિયાન, એક…

સસ્પેન્ડ સાંસદોનું જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન, તમામ રાજ્યોમાં દેખાવો

સરકાર વિપક્ષ વગર સંસદ ચલાવશે, લોકોને સાંભળશે નહીં તો લોકશાહીનો નાશ થશેઃ શશિ થરૂર નવી દિલ્હી ઇન્ડિયન નેશનલ ડેવલપમેન્ટલ ઇન્ક્લુઝિવ એલાયન્સ (ઈન્ડિયા) બ્લોક નેતાઓ શુક્રવારે રાજધાની દિલ્હીમાં 146 વિપક્ષી સાંસદોને સસ્પેન્ડ કરવા સામે વિરોધ કર્યો. ગુરુવારે અનિશ્ચિત સમય માટે સ્થગિત કરાયેલા સંસદના શિયાળુ સત્રમાંથી સસ્પેન્ડ કરાયેલા સાંસદો સવારે 11 વાગ્યે જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કર્યું….

પાર્ટી દાન માગે છે અને નેતાઓ ખાનગી જેટમાં ફરે છેઃ ભાજપ

ભારતીય જનતા પાર્ટીએ કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને રાજ્ય મંત્રી ઝમીર અહેમદ ખાન પર નિશાન સાધ્યું નવી દિલ્હી કોંગ્રેસના ક્રાઉડફંડિંગ કેમ્પેઈન વચ્ચે ભારતીય જનતા પાર્ટીએ કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને રાજ્ય મંત્રી ઝમીર અહેમદ ખાન પર નિશાન સાધ્યું છે. વાસ્તવમાં, તેમણે હુમલો કર્યો અને કહ્યું કે જ્યારે પાર્ટી દાન માંગે છે, ત્યારે બંને નેતાઓ ખાનગી જેટમાં ફરે…

દેશમાં કોરોનાએ જોર પકડ્યું, 24 કલાકમાં 640 નવા કેસ

લગભગ ત્રણ હજાર એક્ટિવ કેસ, કેરળમાં 265 નવા કોરોના કેસ નોંધાયા નવી દિલ્હી દેશમાં ફરી એકવાર કોરોનાના કેસ વધી રહ્યા છે. તે જ સમયે, કેરળ, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં પણ કોરોનાના કેસ નોંધાયા છે. જે બાદ કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને એલર્ટ રહેવાનું સૂચન કર્યું છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબલ્યુએચઓ) ના ભૂતપૂર્વ મુખ્ય વૈજ્ઞાનિક ડૉ. સૌમ્યા સ્વામીનાથને…

કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં 39.50 રુપિયાનો ઘટાડો કરાયો

ઘરેલુ સિલિન્ડરના ભાવમાં કોઈ ઘટાડો કરવામાં આવ્યો નથી, અગાઉ એક ડિસેમ્બરે કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો કરાયો હતો નવી દિલ્હી એલપીજી સિલિન્ડરના ભાવમાં 1 જાન્યુઆરી પહેલા ઘટાડો કરાયો છે. આજે 22 ડિસેમ્બરે દિલ્હીથી લઈને પટણા સુધી એલપીજી સિલિન્ડરના ભાવમાં 39.50 રૂપિયાનો ઘટાડો થયો છે. આ ઘટાડો ફક્ત 19 કિલોવાળા કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં કરાયો છે.  માહિતી…