દ.કોરિયાની મંદિરના ઉદઘાટન સમારોહમાં સામેલ થવાની ઈચ્છા

દક્ષિણ કોરિયાના રાજદૂત યાંગ જે-બોકે કહ્યું કે, અયોધ્યા ભારત અને સાઉથ કોરિયા માટે ઐતિહાસિક રીતે ખુબ જ મહત્વપૂર્ણ છે નવી દિલ્હી ઉત્તર પ્રદેશના અયોધ્યામાં ભવ્યાતિભવ્ય રામલલાનું મંદિર નિર્માણ પામી રહ્યું છે. આગામી વર્ષે 15થી 24 જાન્યુઆરી વચ્ચે નવા નિર્માણ પામેલા મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ શકે છે… ભક્તો પણ આ અનેરી તક જોવા ઉત્સુક થઈ…

મણિપુરમાં હિંસામાં 3 લોકોનાં મોત, પોલીસ-આસામ રાઈફલ્સ વચ્ચે સંઘર્ષ

મણિપુર પોલીસે આસામ રાયફલ્સ પર શાંતિ અભિયાનમાં અવરોધ ઉભો કરવાનો આરોપ લગાવ્યો ઈમ્ફાલ મણિપુરમાં 3 મેથી શરૂ થયેલી જાતીય હિંસા હજુ પણ ઘટના વિસ્તારોમાં જોવા મળી રહી છે, ત્યારે રાજ્ય પર વધુ એક સંકટ આવી ચઢ્યું છે.. દરમિયાન મણિપુરના કાંગપોકજીમાં આજે થયેલી હિંસામાં 3 લોકોના મોત થયા છે, જ્યારે રાજ્યમાં ઓછામાં ઓછા 50થી વધુના મોત…

શરદ પવારને ત્યાં ઈન્ડિયા કોઓર્ડિનેસન સમિતિની બેઠક

બેઠકમાં લોકસભા ચૂંટણી 2024 માટે સીટ વહેંચણીની ફોર્મ્યૂલા અને અભિયાન ચલાવવા અંગેની રણનીતિ પર ચર્ચા કરવામાં આવી શકે છે મુંબઈ ઈન્ડિયન નેશનલ ડેવલપમેન્ટ ઈન્ક્લૂઝિવ એલાયન્સ (ઈન્ડિયા)ની કોઓર્ડિનેશન સમિતિની આજથી પહેલી બેઠક યોજાઈ શકે છે. આ બેઠક એનસીપી (એનસીપી) પ્રમુખ શરદ પવારના નિવાસે યોજાશે. આ બેઠકમાં લોકસભા ચૂંટણી 2024 માટે સીટ વહેંચણીની ફોર્મ્યૂલા અને અભિયાન ચલાવવા…

તમિલનાડુના મુખ્યમંત્રીના પુત્ર સામે મુંબઈમાં વધુ એક એફઆઈઆર

એફઆઈઆરમાં નફરત ફેલાવા બદલ આઈપીસીની કલમ 153એ અને ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવા માટે આઈપીસીની કલમ 295એને સામેલ કરાઈ મુંબઈ સનાતન ધર્મ અંગે કરેલી ટિપ્પણીને લઈને તમિલનાડુ સરકારમાં મંત્રી અને મુખ્યમંત્રી એમ કે સ્ટાલિનના પુત્ર ઉદયનિધિ સ્ટાલિન વિરુદ્ધ વધુ એક એફઆઈઆર નોંધાઈ છે. ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડવાના આરોપમાં મુંબઈના મીરા રોડ પોલીસ સ્ટેશનમાં આ એફઆઈઆર નોંધાવામાં…

આઝામખાનના 30 સ્થળો પર આટી-ઈડીના વ્યાપક દરોડા

આયકર વિભાગે અને ઈડીએ દરોડા પાડ્યા છે જેમાં રામપુર, મેરઠ, ગાઝિયાબાદ, સહારનપુર, સીતાપુર અને લખનઉના સ્થળોનો સમાવેશ થાય છે લખનઉ પૂર્વ મંત્રી અને સપાના વરિષ્ઠ નેતા આઝમ ખાનની મુશ્કેલી વધી છે આજે વહેલી સવારે તેના રહેણાંક સહિત અનેક સ્થળોએ આયકર વિભાગે અને ઈડીએ સવારે દરોડા પાડ્યા છે જેમાં રામપુર, મેરઠ, ગાઝિયાબાદ, સહારનપુર, સીતાપુર અને લખનઉના…

ભાજપ અને વિપક્ષ તિપરા મોથાના કાર્યકરોની અથડામણમાં 12 ઘાયલ

તિપરા મોથાના એક સમૂહ દ્વારા કથિત રીતે કેટલાક ભાજપ કાર્યકર્તાઓએ રેલીમાં સામેલ થવા પર રોક્યા બાદ હિંસક અથડામણ અગરતલાત્રિપુરાના સિપાહીજાલા જિલ્લામાં સત્તારુઢ ભાજપ અને વિપક્ષી તિપરા મોથા વચ્ચે સોમવારે હિંસક અથડામણ થઈ ગઈ હતી. આ દરમિયાન એક પોલીસ અધિકારી અને બે અન્ય કર્મચારીઓ સહિત ઓછામાં ઓછા 12 લોકો ઘાયલ થયા હતા. પોલીસ અધિકારીએ આજે તેની…

લાલુ પ્રસાદ યાદવ સામે કેસ ચલાવવા ગૃહ મંત્રાલયે મંજૂરી આપી

સીબીઆઈએ આ માહિતી રાઉઝ એવન્યુ કોર્ટને આપી,ત્રણ આરોપી અધિકારીઓ પર કેસ ચલાવવા માટે સરકાર તરફથી મંજૂરી મળી ન હતી નવી દિલ્હીસીબીઆઈને નોકરીના બદલે જમીન કૌભાંડ મામલે લાલૂ પ્રસાદ યાદવ વિરુધ્ધ કેસ ચલાવવાની ગૃહ મંત્રાલય પાસેથી મંજૂરી મળી ગઈ છે. સીબીઆઈએ આ માહિતી રાઉઝ એવન્યુ કોર્ટને આપી હતી. જો કે આ મામલામાં ત્રણ આરોપી અધિકારીઓ પર…

રાજસ્થાનના સીએમ અગે સોનિયા,રાહુલ-ખડગેનો નિર્ણય અંતિમઃ પાયલોટ

ગેહલોત કે પાયલોટ જૂથ આ અંગે નિર્ણય લેશે નહીં, કોઈપણ પ્રકારનો જૂથવાદ કોંગ્રેસને નુકસાન પહોંચાડી શકે છે જયપુરઆ વર્ષના અંત સુધીમાં રાજસ્થાનમાં ચૂંટણી યોજવાની છે. જેન લઇ રાજકારણ ગરમાયું છે. તમામ પક્ષો દ્વારા સતા પર આવવા માટે જોરશોર પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન સચિન પાયલોટનું એક મોટું નિવેદન સામે આવી રહ્યું છે. કોંગ્રેસના…

નાસિર-જુનૈદ હત્યાકાંડમાં મોનૂ માનેસરની પોલીસે ધરપકડ કરી

ગૌરક્ષક મોનૂ માનેસર નાસિર અને જુનૈદ હત્યાકાંડ બાદ 8 મહિનાથી ફરાર હતો ગુરૂગ્રામહરિયાણા પોલીસે ભિવાનીમાં જીવતા સળગાવી દેવામાં આવેલા નાસિર-જુનૈદ હત્યાકાંડમાં મોટી કાર્યવાહી કરી છે. ગૌરક્ષક મોનૂ માનેસરને ગુરૂગ્રામથી પોલીસે કસ્ટડીમાં લીધો છે. હરિયાણા પોલીસ હવે તેને રાજસ્થાન પોલીસને સોંપી શકે છે. મોનૂ માનેસર પર ભિવાનીમાં જીવતા સળગાવી દેવામાં આવેલા નાસિર અને જુનૈદની હત્યાનો આરોપ…

યુપીમાં બેંક ગાર્ડની હત્યા કરી એટીએમ કેશ વાનમાંથી લૂંટ

બે બાઈક પર સવાર ચાર બદમાશોએ આ ઘટનાને અંજામ આપ્યો, ગોળી લાગવાથી 3 અન્ય લોકો ઘાયલ મિર્ઝાપુરઉત્તર પ્રદેશના મિર્ઝાપુર શહેરમાં બેખૌફ બદમાશોએ આજે બપોરે ધોળા દિવસે મોટી ઘટનાને અંજામ આપ્યો હતો. કટરા પોલીસ સ્ટેશન વિસ્તારના બેલતર નજીક એક્સિસ બેંકના એટીએમ કેશ વાનને લૂંટી દીધી છે. વિરોધ કરી રહેલા ગાર્ડની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી…

ચંદ્રયાન-3-આદિત્યની સફળતા બાદ ઈસરોની નજર ગગનયાન-1 મિશન પર

ગગનયાન-1 મિશન હેઠળ ભારત પહેલી વખત માનવીને અંતરિક્ષમાં મોકલશે, આ એક અત્યંત જટિલ અને જોખમી મિશન હશે નવી દિલ્હીભારતે અંતરિક્ષમાં પોતાની કેપેસિટી સાબિત કરવા માટે વધુ એક મિશન પર કામ શરૂ કરી દીધું છે. આ વખતે ભારત અંતરિક્ષયાત્રીઓને સ્પેસમાં મોકલશે. તેના ભાગરૂપી એસ્ટ્રોનોટ્સને તાલીમ આપવામાં આવી છે જેમણે ત્રણ દિવસ સુધી સ્પેસમાં રહેવાનું રહેશે. પ્રોજેક્ટમાં…

ભારત નામ કરવા સામે તકલિફ હોય તેદેશ છોડી જાયઃ દિલીપ ઘોષ

ભાજપ વાસ્તવિક મુદ્દાથી લોકોનું ધ્યાન હટાવી રહ્યાનો ટીએમસીના પ્રવક્તાનો વળતો પ્રહાર ખડગપુરતાજેતરમાં દેશમાં ઈન્ડિયા અને ભારતના નામ અંગેનો વિવાદ ચગી રહ્યો છે. સતાપક્ષ દ્વારા ઘણા સરકારી કાર્યક્રમોમાં ઈન્ડિયાની જગ્યાએ ભારતનાનો ઉલેખ્ખ જોવા મળ્યો હતો. તે પછી જી-20નું આમંત્રણ હોય કે પછી પીએમ મોદીની આગળ રહેલી નેમપ્લેટ હોય તેમાં ઈન્ડિયાને બદલે હવે ભારતના નામનો ઉપયોગ થતો…

સુખદ યાત્રા એપમાં વધુ નવા ફિચર્સ ઉમેરાયા, હાઈવે સંધિત ફરિયાદ થઈ શકશે

નજીકના ભવિષ્યમાં જ આ એપ પર સ્ટેટ હાઇવે, ફરિયાદોનું ઝડપી નિવારણ, ફીડબેક અને બીજા અન્ય ફીચર જોવા મળશે નવી દિલ્હીસુખદ યાત્રાનો અર્થ થાય છે ‘હેપ્પી જર્ની’. તે એક એપ્લિકેશન છે જે જીપીએસ ટેક્નોલોજીના આધારે કાર્ય કરે છે. આ એપનો મુખ્ય ઉદ્દેશ્ય નેશનલ હાઈવે (એનએચ) પર મુસાફરોને યોગ્ય જાણકારી આપવાનો છે. તે હાઇવેની સમસ્યાઓ વિશે ફરિયાદો…

સાતારામાં બે સમુદાયો વચ્ચે હિંસામાં એકને ઈજા

15 ઓગસ્ટના રોજથી સોશિયલ મીડિયા પર વિવાદિત પોસ્ટ બાદથી ખટાવ તાલુકાની આજુબાજુ સમગ્ર સાવલીમાં તણાવની સ્થિતિ સાતારામહારાષ્ટ્રના સાતારામાં તણાવની સ્થિતિ જોવા મળી રહી છે. બે સમુદાયો વચ્ચે પથ્થરમારો અને આગચંપીના અહેવાલ મળી રહ્યા છે. આ હિંસામાં એક વ્યક્તિ પણ ઘવાયો હતો. સૂત્રો અનુસાર 15 ઓગસ્ટના રોજથી સોશિયલ મીડિયા પર વિવાદિત પોસ્ટ બાદથી ખટાવ તાલુકાની આજુબાજુ…

જી20ના ડિનરમાં મમતાની હાજરીથી કોંગ્રેસના પેટમાં તેલ રેડાયું

મમતા બેનર્જીના ડિનર ફંક્શનમાં સામેલ થવાથી મમતા બેનર્જીની મોદી સરકાર સામેની સ્થિતિ નબળી પડી જવાનો કોંગ્રેસનો દાવો નવી દિલ્હીભારતની રાજધાની દિલ્હીમાં જી-20 સમિટનું આયોજન થયું હતું. આ બે દિવસીય સમિટ 9 અને 10 સેપ્ટેમ્બરના આયોજિત થઇ હતી. બે દિવસ સુધી ચાલી આ જી-20 સમિટનું ગઈકાલે વિશ્વમાં શાંતિની કામના સાથે સમાપન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ દ્રૌપદી…

રામમંદિરનું ઉદઘાટન થશે તો વધુ એક ગોધરાકાંડ સર્જાઈ શકે છેઃ ઉદ્ધવ

સરકાર રામમંદિરના ઉદઘાટન માટે આવેલા લોકોની વાપસી દરમિયાન જે રીતે ગોધરામાં ટ્રેન બાળી નકાઈ તેવી ઘટનાને અંજામ આપવામાં આવી શકે છે નવી દિલ્હીશિવસેના (યુબીટી)ના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના નિવેદનથી રાજકીય હોબાળો મચીગયો છે. તેમણે રવિવારે એક રેલી દરમિયાન દાવો કર્યો હતો કે જો અયોધ્યામાં રામમંદિરનું ઉદઘાટન થશે તો વધુ એક ગોધરાકાંડ સર્જાઈ શકે છે.ઉદ્ધવ ઠાકરેએ કહ્યું…

ભારત યુએનએસસીનું કાયમી સભ્ય બને તો તૂર્કીને ગર્વ થશે

એર્દોગાને ભારતના પીએમ મોદી સાથે દ્વિપક્ષીય મંત્રણા પણ કરી નવી દિલ્હીતૂર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગાને કહ્યું હતું કે જો ભારત જેવો દેશ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનો કાયમી સભ્ય બનશે તો તૂર્કીને ગર્વ થશે. તે મીડિયાને સંબોધી રહ્યા હતા. એર્દોગાને આ દરમિયાન પીએમ મોદી સાથે દ્વિપક્ષીય મંત્રણા પણ કરી હતી.પી5 એટલે કે યુએનએસસીના પાંચ કાયમી સભ્યો…

જી20 સમિટ પાછળ સરકારે 4100 કરોડનો ખર્ચ કર્યો

જર્મની દ્વારા જી20 સમિટ કાર્યક્રમ પાછળ ખર્ચવામાં આવેલી રકમ કરતાં પણ 7 ગણી વધુ રકમનો ખર્ચ ભારતે કર્યો નવી દિલ્હીજી20 સમિટ 2023 નું સફળતાપૂર્વક સમાપન થયું. ભારતના નેતૃત્વમાં આયોજિત આ સમિટની ઘણી પ્રશંસા થઈ હોવાના દાવા થઈ રહ્યા છે. જોકે શું તમે એ જાણો છો કે આ જી20 સમિટના આ આયોજન માટે કેટલો ખર્ચ કર્યો?…

દેશના 21 રાજ્યોમાં ભારે વરસાદ, જનજીવનને અસર

ઉત્તરાખંડમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે બદ્રીનાથ નેશનલ હાઈવે બંધ થઈ ગયો નવી દિલ્હીજી-20 સમિટ વચ્ચે રાષ્ટ્રીય રાજધાની સહિત 21 રાજ્યોમાં વાતાવરણ એકાએક પલટાયું હતું. રવિવારે દિલ્હી, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ સહિત પશ્ચિમથી પૂર્વ અને ઉત્તરથી દક્ષિણ ભારતમાં ભારેથી અતિ ભારે વરસાદ થયો હતો. યુપીમાં રેલવે અને માર્ગ વાહનવ્યવહારને માઠી અસર થઈ હતી. જ્યારે ઉત્તરાખંડમાં ભારે…

વિમાનમાં સાથે બેઠેલી મહિલાને અણછાજતો સ્પર્શ કરવા બદલ શખ્સની ધરપકડ

મુંબઈમાં સારવાર કરાવીને ગુવાહતી જતી મહિલાને ઊંઘ દરમિયાન બાજુમાં બેઠેલા પેસેન્જરે પ્રીવેટ પાર્ટ પર અણછાજતો સ્પર્સ કરતા ફરિયાદ નોંધાવાઈ મુંબઈફ્લાઈટમાં મુસાફરી કરી રહેલી એક મહિલાએ પણ પોતાની સાથે અણછાજતું વર્તન કરનારા શખ્સને પાઠ ભણાવ્યો છે. શનિવારે મુંબઈથી ગુવાહાટી જઈ રહેલી ફ્લાઈટમાં એક મહિલાની બાજુમાં બેઠેલા પેસેન્જરે વારંવાર તેને અણછાજતો સ્પર્શ કર્યો હતો. મોડીરાતની ફ્લાઈટ હતી…