ડ્રાઈવિંગ,લર્નિંગ અને કંન્ડક્ટર લાઈસન્સની માન્યતા 29 ફેબ્રુઆરી સુધી લંબાવાઈ

જે લાઈસન્સ ધારકોની માન્યતા 31 જાન્યુઆરી, 2024 અને 15 ફેબ્રુઆરી, 2024 વચ્ચે પૂરી થઈ ગઈ છે, તેમના માટે રાહતના સમાચાર નવી દિલ્હી જેમના ડ્રાઈવિંગ લાઈસન્સ, લર્નર લાઈસન્સ અને કંડક્ટર લાઈસન્સની વેલિડિટી પૂરી થવા આવી હોય તેવા લોકોને માર્ગ પરિવહન મંત્રાલયે મોટી રાહત આપી છે. માહિતી પ્રમાણે જે લાઈસન્સ ધારકોની માન્યતા 31 જાન્યુઆરી, 2024 અને 15 ફેબ્રુઆરી,…

ભારત રશિયા-યુક્રેન વિવાદના ઉકેલમાં મધ્યસ્થી માટે તૈયારઃ જયશંકર

આ મામલે ભારત પોતાના તરફથી કોઈ પગલું નહીં ભરે એવી પમ ભારતના વિદેશ પ્રધાનની સ્પષ્ટતા નવી દિલ્હી રશિયા-યુક્રેનના વિવાદોને ઉકેલવા મુદ્દે વિદેશ મંત્રી એસ. જયશંકરે મોટું નિવેદન આપ્યું છે. વિદેશ મંત્રીએ સંકેત આપ્યો છે કે, જો જરૂર પડી તો ભારત રશિયા અને યુક્રેન વચ્ચેના વિવાદોના ઉકેલ માટે મધ્યસ્થતા કરવા માટે તૈયાર છે. તેમણે એ પણ…

સપ્તાહમાં ચાર પોર્ટલ લોન્ચ થશે, સરકારી વીડિયો-માહિતી શેર કરાશે

એક રીતે આ સરકારનું અખબાર જ હશે, આ એક એવું પોર્ટલ હશે જ્યાં સરકાર દ્વારા તમામ જાહેરાત સ્વિકારશે અને એક જ જગ્યાએ તમામ માહિતી મળી જશે નવી દિલ્હી સરકાર દ્વારા ઓનલાઈન પોર્ટલ પર ખૂબ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. સમય-સમય પર સરકાર અનેક નવી વેબસાઈટ અને પોર્ટલ લાવી રહી છે. હવે માહિતી અને પ્રસારણ મંત્રાલય…

ધાર્મિક કાર્યક્રમમાં પ્રસાદ ખાધા બાદ 300થી વધુ લોકો બિમાર

હોસ્પિટલમાં બેડની અછત હોવાથી તેમની રોડ પર જ સારવાર કરવાની નોબત આવી, રોડ પર જ દોરડા બાંધી ગ્લુકોઝની બોટલો લટકાવી દર્દીઓની સારવાર મુંબઈ મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લામાં ધાર્મિક કાર્યક્રમમાં પ્રસાદ ખાધા બાદ 300થી વધુ લોકો બીમાર પડ્યા છે.  આ ઘટનાની જાણ થતાં જ તુરંત એમ્બ્યુલન્સની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને તેમને તુરંત હોસ્પિટલ ખસેડ્યા હતા,…

ઈસરોની સિધ્ધિઃ સીઈ20 ક્રાયોજેનિક એન્જિન હવે ગગનયાન મિશન માટે ‘હ્યુમન રેટેડ’

ઈસરો આ મિશન દ્વારા ભારતીય અવકાશયાત્રીઓને ભ્રમણકક્ષામાં મોકલવાની મોકલવાની તૈયારી કરી રહ્યું છે નવી દિલ્હી ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઈસરો)ને ચંદ્રયાન-3 અને આદિત્ય એલ-1 મિશન પછી ગગનયાન મિશનની તૈયારીમાં બીજી મોટી સફળતા મળી છે. ભારતીય સ્પેસ એજન્સીએ જાણકારી આપી છે કે ક્રાયોજેનિક એન્જિનનું પરીક્ષણ આજે પૂર્ણ થઈ ગયું છે. સીઈ20 ક્રાયોજેનિક એન્જિન હવે ગગનયાન મિશન…

સોનિયા રાજસ્થાનથી, જેપી નડ્ડા ગુજરાતથી બિનહરિફ ચૂંટાયા

લોકસભામાં છ કાર્યકાળ પૂરા કર્યા બાદ ઉપલા ગૃહમાં સોનિયાનો આ પ્રથમ પ્રસંગ નવી દિલ્હી કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી રાજસ્થાનથી રાજ્યસભા માટે બિનહરીફ ચૂંટાયા હતા. એક અધિકારીના હવાલાથી અહેવાલમાં જણાવાયું છે કે રાજસ્થાનમાંથી સોનિયા ગાંધી ઉપરાંત ભાજપના ચુન્નીલાલ ગરાસિયા અને મદન રાઠોડ રાજ્યમાંથી ઉચ્ચ ગૃહમાં બિનહરીફ ચૂંટાયા છે. વિધાનસભા સચિવ મહાવીર પ્રસાદ શર્માને ટાંકીને જણાવાયું કે…

અખિલેશ ભારત ન્યાય જોડો યાત્રામાં નહીં જોડાય

કોંગ્રેસે ઈન્ડિયા ગઠબંધન હેઠળ 17 બેઠકો પર ચૂંટણી લડવાના સમાજવાદી પાર્ટીના પ્રસ્તાવ પર કોઈ જવાબ ન મોકલતા મામલો ગુંચવાયો લખનઉ ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રામાં સામેલ થશે નહીં. આવી સ્થિતિમાં સવાલો ઉભા થઈ રહ્યા છે કે શું અખિલેશ યાદવે પણ ઈન્ડિયા ગઠબંધનનો સાથ છોડી…

પંજાબ, હરિયાણા, ઉત્તરાખંડ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં વરસાદની આગાહી

કેટલાક સ્થળોએ ભારે પવન સાથે કરા પડી શકે છે, જેના માટે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું નવી દિલ્હી દેશની રાજધાની સહિત અનેક રાજ્યોમાં હવામાનનો મિજાજ બદલાતા વાતાવરણમાં ફરી એકવાર પલટો જોવા મળી રહ્યો છે. રેડ એલર્ટ વચ્ચે સોમવારે જમ્મુ-કાશ્મીર, લદ્દાખ અને હિમાચલ પ્રદેશના પહાડી વિસ્તારોમાં પર દિવસભર ભારે હિમવર્ષા થઈ હતી તેમજ મેદાની વિસ્તારોમાં…

ટીએમસીના ગુંડાઓ હિન્દુ મહિલાઓને ટાર્ગેટ કરે છેઃ ભાજપ

દેશમાં માત્ર એક જ મહિલા મુખ્યમંત્રી છે અને તેમનાં જ રાજ્યમાં મહિલાઓ સૌથી વધુ અસુરક્ષિત હોવાનો ભાજપનાં સાંસદનો આક્ષેપ કોલકત્તા   સંદેશ-ખાળીગામમાં હિન્દુ મહિલાઓ ઉપર થતા અત્યાચારો અંગે ભાજપના સાંસદ લોકેટ ચેટર્જીએ મમતા સરકાર ઉપર હુમલો કર્યો છે. તેઓએ કહ્યું : ટીએમસીના ગુંડાઓ હિન્દુ મહિલાઓને ટાર્ગેટ કરે છે અને તેમનું ઉત્પીડન કરે છે. એક પ્રેસ…

કોઈ જ આધાર કાર્ડ રદ કરાયા ન હોવાની ઉડાઈની સ્પષ્ટતા

ડેટાબેઝ અપડેટ કરતી વખતે આધાર નંબર ધારકોને સમયાંતરે સૂચનાઓ આપવામાં આવે છેઃ ઉડાઈ નવી દિલ્હી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ મોદી સરકાર પર મોટો આરોપ લગાવતા કહ્યું હતું કે લોકસભા ચૂંટણી પહેલા બંગાળના લોકોના આધાર કાર્ડને નિષ્ક્રિય કરી દેવામાં આવ્યા છે જેથી તેઓને સરકારી યોજનાઓનો લાભ ન ​​મળે. જો કે,ઉડાઈ દ્વારા આ આરોપોને સંપૂર્ણ રીતે…

માનહાની મામલે રાહુલ ગાંધીને સુલતાનપુર કોર્ટમાંથી જામીન

ભાજપ નેતા વિજય મિશ્રાએ રાહુલ ગાંધી સામે કેસ દાખલ કર્યો હતો, આ મામલો લગભગ 6 વર્ષ જૂનો છે સુલતાનપુર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને માનહાનિના કેસમાં જામીન મળી ગયા છે. તેઓ આજે ઉત્તર પ્રદેશના સુલતાનપુરની સ્થાનિક કોર્ટમાં હાજર થયા હતા. માનહાનિ સંબંધિત કેસમાં સુલતાનપુર કોર્ટે તેને સમન્સ પાઠવ્યું હતું. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી માનહાનિના કેસમાં આજે…

ભારતીય પાસપોર્ટ એક સ્થાન નીચે ખસીને 85માં નંબરે આવી ગયો

હેનલે પાસપોર્ટ ઈન્ડેક્સમાં ફ્રાન્સ ટોપ પર રહ્યું, ફ્રાન્સની સાથે જર્મની, ઈટલી, જાપાન, સિંગાપુર અને સ્પેન ટોપ પર વોશિંગ્ટન હેનલે પાસપોર્ટ ઈન્ડેક્સ 2024 જાહેર થઈ ચૂક્યો છે, જેમાં ફ્રાન્સ ટોપ પર છે. ફ્રાન્સનો પાસપોર્ટ ઘરાવતા લોકો 194 દેશોમાં વગર વીઝાએ મુસાફરી કરી શકે છે. કોઈપણ દેશના પાસપોર્ટની મજબૂતીથી ખબર પડે છે કે તેઓ એક સોફ્ટ પાવર…

પાક.નું એફ-16 ધ્વસ્ત કરનાર ભારતીય મિસાઈલ નિશાન ચૂકી

રાફેલ ફાઈટર જેટમાંથી નીકળેલી માઈકા-આર મિસાઈલે સચોટ નિશાન તાક્યું પોખરણ પોખરણમાં વાયુશક્તિ 2024 યુદ્ધાભ્યાસ દરમિયાન વાયુસેનાના તેજસ ફાઈટર જેટએ એક હવાઈ ટારગેટ તરફ આર-73 મિસાઈલ ફાયર કરી હતી જે ટારગેટને ચૂકી ગઈ. જ્યારે રાફેલ ફાઈટર જેટમાંથી નીકળેલી માઈકા Iઆર મિસાઈલે સચોટ નિશાન તાક્યું હતું.  હવે સવાલ એ ઊઠી રહ્યો છે કે શું આર-73 મિસાઈલનો ઉપયોગ…

આપના ત્રણ કાન્સિલર્સે પક્ષપલટો કરતા નંબરગેમ બદલાઈ

આપના ત્રણ કાઉન્સિલરોના આગમન સાથે હવે ભાજપના કાઉન્સિલરોની સંખ્યા વધીને 17 થઈ, તેમની પાસે 1 એમપીનો વોટ પણ છે ચંદીગઢ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે ચંદીગઢ મેયરની ચૂંટણીમાં કથિત ગેરરીતિનો આરોપ લગાવી સુપ્રીમ કોર્ટની શરણ લીધી હતી. બંને પક્ષોએ ભાજપ સામે છેતરપિંડી કરીને ચૂંટણી જીતવાનો આરોપ લગાવ્યો હતો. હવે આ મામલે આજે ફરી સુનાવણી થવાની…

મહેબૂબા મુફ્તીનો પક્ષ કાશ્મીરમાં અલગ ચૂંટણી લડશે

પાર્ટીની સંસદીય સમિતિ ટૂંક સમયમાં ઉમેદવારોના નામની જાહેરાત કરશે નવી દિલ્હી લોકસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ઈન્ડિયાગઠબંધન મજબૂત થવાની જગ્યાએ વેરવિખેર થતું દેખાઈ રહ્યું છે. હવે જમ્મુ-કાશ્મીરમાંથી ઈન્ડિયાગઠબંધનને વધુ એક ઝટકો લાગ્યો છે. નેશનલ કોન્ફરન્સ (એનસી) બાદ પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી)એ પણ લોકસભા ચૂંટણીમાં અલગ ઉમેદવાર ઉતારવાનો નિર્ણય કર્યો છે….

વારાણસીથી અયોધ્યા જતી બસ ખાડામાં પલટી જતાં 32 લોકોને ઈજા

બસમાં મધ્યપ્રદેશના શિવપુરીના મુસાફરો સવાર હોવાનો દાવો વારાણસી વારાણસીથી અયોધ્યા ધામ જઇ રહેલી દર્શનાર્થીઓથી ભરેલી એક બસ ત્રિલોચન મહાદેવ નજીક ભવનાથપુર ગામ નજીક બેકાબૂ થઈ જતાં ખાડામાં પલટી ગઇ હતી. આ દુર્ઘટના રવિવારે રાતે લગભગ એક વાગ્યે સર્જાઈ હતી.  માહિતી અનુસાર આ બસ વારાણસીથી ઉપડી હતી અને તેમાં 66 મુસાફરો સવાર હતા. જેમાંથી 32 લોકો…

દિલ્હીના શાહબાદ ડેરી વિસ્તારમાં ભીષણ આગથી 130 ઝૂંપડાં બળીને ખાક

આગ એટલી ભયાવહ હતી કે દૂર દૂરથી આગની જ્વાળાઓ અને ધૂમાડો દેખાઈ રહ્યો હતો નવી દિલ્હી દિલ્હીના શાહબાદ ડેરી વિસ્તારમાં ભીષણ આગની ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. આગમાં આશરે 130 જેટલાં ઝુંપડા લપેટાઈ ગયા હતા. દિલ્હી ફાયરબ્રિગેડના જણાવ્યાનુસાર આ ઘટના રાતે આશરે 10 વાગ્યે બની હતી. ઘટના સામે આવ્યા બાદ ફાયરબ્રિગેડની ટુકડી ઘટનાસ્થળે પહોંચી ગઇ…

રાહુલ ગાંધીને મળ્યા બાદ કમલનાથનો કોંગ્રેસમાં જ રહેવાનું અનુમાન

કમલનાથે ભાજપમાં જોડાવાનો ઈનકાર કર્યાનો દિગ્વિજયસિંહનો દાવો, મધ્યપ્રેદસ કોંગ્રેસે આ બાબતને કમલનાથ સામેનું કાવતરું ગણાવી નવી દિલ્હી મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા કમલનાથ ભાજપમાં જોડાવા હોવાની અટકળો વહેતી થયા બાદ બે દિવસથી રાજકારણમાં ખળભળાટ મચી રહ્યો છે. જોકે કમલનાથે ગઈકાલે તમામ અટકળોનો જવાબ આપતા કહ્યું હતું કે, ‘જો આવું થશે તો બધાને ખબર…

રાજ ઠાકરેનો પક્ષ એનડીએ સાથે હાથ મિલાવે એવી શક્યતા

મુંબઈના બીજેપી અધ્યક્ષ આશિષ શેલારે એમએનએસ અધ્યક્ષ રાજ ઠાકરે સાથે મુલાકાત કરી અને કલાકથી વધુ સમય સુધી ચર્ચા કરી મુંબઈ મહારાષ્ટ્રમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (એનડીએ)નો સમૂહ વધુ વધી શકે છે. સૂત્રોએ જણાવ્યું છે કે, ટૂંક સમયમાં રાજ ઠાકરેની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (એમએનએસ) એનડીએમાં સામેલ થઈ જશે. મુંબઈના બીજેપી અધ્યક્ષ આશિષ શેલારે એમએનએસ અધ્યક્ષ રાજ…

રાહુલ ગાંધીએ એક રાત ખેતરોમાં વિતાવવી પડે એવી સ્થિતિ

કોંગ્રેસને સરકારે પાસે યાત્રા દરમિયાન જ્ઞાનપુરની વિભૂતિ નારાયણ ઈન્ટર કોલેજમાં રાત્રિ રોકાણ કરવાની પરવાનગી ન આપતા સમસ્યા ચંદૌલી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા હવે ઉત્તર પ્રદેશ પહોંચી ગઈ છે. યાત્રા બિહાર સરહદને અડીને આવેલા ચંદૌલીથી યુપીમાં પ્રવેશી હતી. ચંદૌલીથી શરૂ થયેલી આ યાત્રા બીજા દિવસે ભદોહી પહોંચશે. જો કે અહીં એવી સમસ્યા…