પ્રેમિકાને ચાકૂ હુલાવ્યા બાદ પ્રેમીએ આત્મહત્યા કરી લીધી

યુવતીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે, જોકે યુવકનું મોત નીપજ્યું નવી દિલ્હી કહેવાય છે કે એકતરફી પ્રેમનો અંત દર્દનાક હોય છે. આવા જ એકતરફી પ્રેમની ચોંકાવનારી ઘટના દિલ્હીના બેગમપુરથી સામે આવી છે. વિસ્તારમાં રહેતી યુવતીને એકતરફી પ્રેમની કિંમત ચૂકવવી પડી. પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર બેગમપુરમાં રહેતા યુવકે એકતરફી…

આંતરધર્મી સમલૈંગિક દંપતીને ધમકી મળતા સુરક્ષા આપવા આદેશ

અરજીકર્તામાં એક હિન્દુ મહિલા છે જ્યારે બીજી મુસ્લિમ મહિલા છે, જેમના સંબંધને પરિવારજનો સ્વીકાર કરી રહ્યા નથી તેથી તેમને ધમકી અપાય છે નવી દિલ્હી દિલ્હી હાઈકોર્ટે એક આંતરધર્મી સમલૈંગિક કપલને તેમના પરિવાર તરફથી તેમના અંગત સંબંધોના કારણે મળી રહેલી ધમકી વચ્ચે દિલ્હી પોલીસને તેમને સુરક્ષા આપવાનો આદેશ આપ્યો છે. જસ્ટિસ રજનીશ ભટનાગરની સિંગલ બેન્ચે તેમની…

રેલ ટિકિટ સાથેના 35 પૈસાના વીમાથી મૃતકના પરિવારને દસ લાખનું વળતર મળે

આઈઆરસીટીસી વેબસાઈટના અનુસાર આ મુસાફરી વીમો  રેલવે એક્ટ 1989 મુજબ નક્કી કરવામાં આવ્યો છે બાલાસોર ઓડિશાના બાલાસોરમાં ગઈકાલે એટલે કે 2 જૂને એક ભયાનક રેલ્વે અકસ્માત થયો હતો, જેમાં 280 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા. દુર્ઘટના સ્થળ પર હજુ પણ બચાવ કાર્ય ચાલુ છે. પરંતુ હવે સવાલ એ ઉભો થાય છે કે જે લોકોના…

બાલાસોર રેલ દુર્ઘટનાને પગલે 43 ટ્રેન રદ, 38 ટ્રેનના રૂટ ડાયવર્ટ કરાયા

દુર્ઘટના બાદ બચાવ કામગીરી માટે એનડીઆરએફના 7 યુનિટ, ઓડીઆરએએફના 5 યુનિટ અને 24 ફાયર વિભાગની ટીમ બચાવ કામગીરીમાં જોડાઈ બાલાસોર  ઓડિશાના બાલાસોર જિલ્લાના બહાનાગા રેલવે સ્ટેશન નજીક ગઈકાલ સાંજે પેસેન્જર ટ્રેન કોરોમંડલ એક્સપ્રેસના ડબ્બા પાટા પરથી ઉતરી મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ઓડિશાના મુખ્ય સચિવ પીકે જેના કહેવા પ્રમાણે આ અકસ્માતમાં કુલ 288 લોકોના મોત થયા…

ટ્રેનમાં કોઈ એન્ટિ-કોલિઝન ડિવાઇસ હોત તો આ દુર્ઘટના ન થઈ હોતઃ મમતા બેનર્જી

અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને અમે 5-5 લાખ રૂપિયા આપવાની જાહેરાત બાલાસોર પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી આજે ઓડિશાના બાલેશ્વરમાં ટ્રેન દુર્ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં લગભગ 280થી વધુ લોકોના મોત થયા છે અને 900થી વધુ લોકો ઘાયલ થયા છે. ઘટનાસ્થળે પહોંચેલા સીએમ મમતાએ કહ્યું, “આ અત્યાર સુધીની સૌથી મોટી ટ્રેન…

આમ આદમી પાર્ટી 11 જૂને રામલીલા મેદાનમાં રેલી યોજશે

કેબિનેટ મંત્રીએ જણાવ્યું કે 4 જૂને દિલ્હીના બે હજાર મંડળો પર ભવ્ય રેલીની તૈયારીઓ પર બેઠક થશે નવી દિલ્હી દિલ્હીમાં ટ્રાન્સફર-પોસ્ટિંગ અંગે કેન્દ્રના વટહુકમ વિરુદ્ધ આમ આદમી પાર્ટી 11 જૂને રામલીલા મેદાનમાં રેલી કરવા જઈ રહી છે. આ મહારેલીમાં કેજરીવાલ કેન્દ્રને તેમની તાકાત બતાવશે. દિલ્હી એકમના કન્વીનર અને કેબિનેટ પ્રધાન ગોપાલ રાયે ગઈકાલે પદાધિકારીઓ સાથે…

રેલ દુર્ઘટના સંદર્ભે ઓડિશામાં એક દિવસનો રાજકીય શોક

રાજ્યભરમાં કોઈ જ ઉત્સવ મનાવવામાં ન આવ્યા બાલાસોર  ઓડિશાના બાલાસોર જિલ્લાના બહાનાગા રેલવે સ્ટેશન નજીક ગઈકાલ સાંજે પેસેન્જર ટ્રેન કોરોમંડલ એક્સપ્રેસના ડબ્બા પાટા પરથી ઉતરી જતા મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ઓડિશાના મુખ્ય સચિવ પીકે જેના કહેવા પ્રમાણે આ અકસ્માતમાં કુલ 280 લોકોના મોત થયા છે જ્યારે 900થી વધુ લોકો ઘાયલ થયા છે. આ સાથે ટ્રેનમાં…

સિગ્નલ સિસ્ટમ ફેલ થતાં કોરોમંડલ એક્સપ્રેસ ખોટા પાટે ચઢતાં અકસ્માત થયો

ત્રણ ટ્રેનોની ભયાનક અથડામણને લઈને અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે, આ બધાની વચ્ચે અકસ્માતનો સંયુક્ત તપાસ રિપોર્ટ બહાર આવ્યો બાલાસોરબાલાસોર રેલવે અકસ્માતમાં મોટો ખુલાસો થયો છે. સિગ્નલ સિસ્ટમ ફેલ થઈ હોવાને કારણે આ અકસ્માત સર્જાયો હોવાની માહિતી સૂત્રોએ આપી હતી. તેમણે જણાવ્યું કે સિગ્નલ સિસ્ટમ ફેલ થઈ જવાને લીધે જ કોરોમંડલ એક્સપ્રેસ ખોટા પાટે…

સરપ્રાઈઝની લાલચ આપી પત્નીને બોલાવી પતિએ હત્યા કરી નાખી

મહિલાની હત્યા કર્યા બાદ તેના માતા-પિતાને તેની ખરાબ તબિયત અંગે જાણ કરાતા પુત્રીનો મૃતદેહ જોઈ પરિવારજનોએ પુત્રીના સાસરીયાઓના ઘરમાં ઘુસીને ભારે હોબાળો મચાવ્યો બાલાસોરબિહારના સહરસા જિલ્લામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જ્યાં પતિએ પત્નીને સરપ્રાઈઝની લાલચ આપીને તેના પિયરથી બોલાવી અને તેની હત્યા કરી નાખી. પ્રાપ્ત માહિતી પ્રમાણે આરોપી પતિ ત્રીસ વર્ષની પત્નીને તેના…

સાત લાખથી વધુ યાત્રાળુઓએ બાબા કેદારનાથના દર્શન કર્યા

ચોમાસુ આવ્યા પહેલા કેદારનાથ ધામના દર્શન કરતા યાત્રાળુઓની સંખ્યા 12 લાખ પાર પહોંચી જશે દહેરાદૂન25 એપ્રિલથી અત્યાર સુધી સાત લાખ યાત્રાળુઓ બાબા કેદારના દર્શન કરી ચૂક્યા છે. હવામાન સારુ રહેશે તો યાત્રાળુઓની સંખ્યામાં વધારો થવાનું અનુમાન છે. આશા વ્યક્ત કરાઈ રહી છે કે ચોમાસુ આવ્યા પહેલા કેદારનાથ ધામના દર્શન કરતા યાત્રાળુઓની સંખ્યા 12 લાખ પાર…

બ્રિજભૂષણ સિંહના મામલે મોદી-ભાજપના મૌન પર સિબ્બલના સવાલ

બ્રિજભૂષણ સિંહ વિરૂદ્ધ પુરાવા સતત વધી રહ્યા છે તેમની સામે લોકોનો આક્રોશ પણ વધી રહ્યો છે પરંતુ તે પછી પણ તેમની ધરપકડ ન કરાયાનો આક્ષેપ નવી દિલ્હીદેશના પહેલવાનો ડબલ્યુએફઆઈના અધ્યક્ષ બ્રિજ ભૂષણ શરણ સિંહના રાજીનામાની માંગ કરી રહ્યા છે. ત્યારે હવે રાજ્યસભા સાંસદ કપિલ સિબ્બલે આ મામલે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યુ છે. સિબ્બલે પીએમ…

રેલ દુર્ઘટનાથી ખુબજ વ્યથિત છું, દોષિતોને નહીં છોડાયઃ મોદી

દરેક સ્તરે તપાસની સુચના, અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકો માટે દસ લાખની સહાની જાહેરાત કરવામાં આવી છે અને પીએમ રિલીફ ફંડમાંથી બે લાખ રૂપિયાની પણ જાહેરાત કરવામાં આવી બાલાસોરવડાપ્રધાન નરેન્દ્ર મોદી બાલાસોર ટ્રેન દુર્ઘટનાસ્થળે પહોંચી ગયા છે. તેઓ અહીં હેલિકોપ્ટરની મદદથી આવ્યા હતા. તેઓ ઘટનાસ્થળનું નિરીક્ષણ કરશે અને પીડિતોની પણ મુલાકાત લઈ શકે છે. તેઓ સ્થિતિનું…

રાજકીય પક્ષો સત્તા માટે મર્યાદા ન ભૂલેઃ મોહન ભાગવત

સંઘ શિક્ષા વર્ગના ત્રીજા વર્ષના સમાપન સમારોહને સંબોધતા આરએસએસના વડાએ કહ્યું કે પૂજા કે ઈબાદત કરવાની પદ્ધતિ અલગ હોવા છતાં આપણા પૂર્વજો અહીંના હતા એ હકીકત આપણે સ્વીકારવી પડશે નાગપુરવિવિધતાને દેશની તાકાત ગણાવતા સંઘના વડા મોહન ભાગવતે રાજકીય પક્ષોને સલાહ આપી છે કે તેઓ સત્તા માટે મર્યાદા ન ભૂલે. સંઘ શિક્ષા વર્ગના ત્રીજા વર્ષના સમાપન…

કાશ્મીરમાં દળો સાથેની અથડામણમાં એક આતંકવાદી ઠાર

રાજૌરી સેક્ટરના દસલ વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળ્યા બાદ સર્ચ ઓપરેશન દરમિયાન કાર્યવાહી જમ્મુજમ્મુ-કાશ્મીરના રાજૌરી સેક્ટરમાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ જારી છે. જંગલની અંદર બંને તરફથી ગોળીબાર થઈ ગયો છે. અથડામણમાં એક આતંકવાદી માર્યો ગયો છે. સુરક્ષાદળો દ્વારા સર્ચ ઓપરેશન ચાલુ છે.રાજૌરી સેક્ટરના દસલ વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળ્યા બાદ સર્ચ ઓપરેશન…

રાજદ્રોહનો કાયદો કેટલાક ફેરફાર સાથે જાળવી રાખવા કાયદા પંચની ભલામણ

ભારતના કાયદા પંચે કહ્યું કે ભારતની એકતા અને અખંડિતતાના રક્ષણ માટે રાજદ્રોહનો કાયદો જરૂરી, ભારતની આંતરિક સુરક્ષા સામે ખતરાને ધ્યાનમાં લેવામાં આવે નવી દિલ્હીરાજદ્રોહના કાયદાને રદ્દ કરવાની જરૂર નથી. આ ભલામણ ભારતના કાયદા પંચ દ્વારા રાજદ્રોહ કાયદાને લઈને કરવામાં આવી છે. પંચે કેટલાક ફેરફારો સાથે રાજદ્રોહના કાયદાને જાળવી રાખવાની ભલામણ કરી છે. આ અંગેનો રિપોર્ટ…

દલિતો-મુસ્લિમો પર રાહુલના નિવેદનને માયાવતીનું સમર્થન

ભારતના કરોડો દલિતો તથા મુસ્લિમ સમાજની દયનીય દશા તથા તેમના જાન-માલ, ધર્મની અસુરક્ષા વગેરે વિશે રાહુલે આપેલું નિવેદન એવું કડવું સત્ય છે લખનૌઅમેરિકામાં કોંગ્રેસ નેતા અને પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીના નિવેદન પર રાજકીય ઘમસાણ મચી ગયું છે. ભાજપ આ મામલે રાહુલ ગાંધી સામે આક્રમક વલણ અપનાવી રહ્યો છે ત્યારે પૂર્વ સાંસદના નિવેદન પર બસપા પ્રમુખ…

2024 સુધીમાં દેશમાં અમેરિકા જેવા હાઈવે બનાવવાનું લક્ષ્યઃ નીતિન ગડકરી

ગુજરાતમાં બે લાખ કરોડની કિંમતના નવીન રસ્તાઓના કામો ઝડપે ચાલી રહ્યા છે જેનાથી ગુજરાતના વિકાસમાં વધુ ઝડપ આવશે તેવી ગડકરીએ આશા વ્યક્ત કરી વડોદરાસારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર નહીં હોય તો દેશનો વિકાસ થશે નહીં પરંતુ હવે ભારત સરકારે 2024 સુધીમાં અમેરિકા જેવા રસ્તા થઈ જાય એ પ્રમાણેના હાઇવે બનાવવાના પ્રોજેક્ટ ઝડપભેર પૂર્ણ કરાશે.વડોદરા દુમાડ પાસે ફ્લાય ઓવર…

મહિલા રેસલર્સના સમર્થમમાં યોજાયેલી ખાપમાં અંદરો-અંદર ઝઘડો

કુરુક્ષેત્રમાં ખાપ પંચાયતની બેઠક દરમિયાન કોઈ મુદ્દે બેઠકમાં ઉપસ્થિત ચૌધરી અંદરો અંદર ઝઘડી પડ્યા, આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો કુરુક્ષેત્રભારતીય કુસ્તી સંઘના અધ્યક્ષ અને ભાજપ સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ કુસ્તીબાજો સતત પ્રદર્શનો કરી રહ્યા છે. કુસ્તબાજોનો સમર્થનમાં ખાપ પંચાયતો પણ મેદાનમાં ઉતરી આવી છે અને કુરુક્ષેત્રમાં ખાપ પંચાયતની બેઠકનું આયોજન કરાયું છે, જોકે…

બેંગલુરૂમાં ટ્રાફિકમાં ફસાયેલા બસ ડ્રાયવરે બસમાં જ ભોજન કરી લીધું

ટ્રાફિકમાં ફસાયેલ બસ ડ્રાઈવરનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો બેંગલુરૂભારતમાં દિવસેને દિવસે શહેરોમાં ટ્રાફિક એ સૌથી મોટી સમસ્યા છે. જ્યાં જાઓ ત્યાં જામ છે. કેટલીકવાર તો આ ટ્રાફિકમાં કલાકોના કલાકો નીકળી જાય છે. એમાં પણ જો તમે દિલ્હી કે બેંગ્લોર જેવા શહેરોમાં રહો છો તો આ પ્રકારના દ્રશ્યો દરરોજ જોતા હશો. આવો જ હાલ…

1983ની વર્લ્ડ કપ વિજેતા ટીમ આંદોલનકારી મહિલા રેસલર્સના સમર્થનમાં

અનેક મોટા ક્રિકેટરોના સમર્થનથી હવે દેખાવકાર કુશ્તીબાજોનો જુસ્સો બુલંદ થયો હશે, આ મામલે આ વર્લ્ડકપ વિજેતા ટીમના ખેલાડીઓએ એક સંયુક્ત નિવેદન જાહેર કર્યું હતુ નવી દિલ્હી1983ની ક્રિકેટ વર્લ્ડકપ વિજેતા ટીમ હવે જાતીય સતામણીનો આરોપ મૂકી દેખાવો કરનારા મહિલા રેસલરોના સમર્થનમાં ઊતરી આવી છે. અનેક મોટા ક્રિકેટરોના સમર્થનથી હવે દેખાવકાર કુશ્તીબાજોનો જુસ્સો બુલંદ થયો હશે. આ…