દેશની 40 મેડિકલ કોલેજોની માન્યતા રદ, 150 પર સરકારની નજર

નવી દિલ્હીકેન્દ્ર સરકાર દ્વારા દેશની 40 મેડિકલ કોલેજની માન્યતા રદ કરવામાં આવી છે. ઉપરાંત 150 મેડિકલ કોલેજ હાલમાં સરકારની નજર હેઠળ છે. એનો અર્થ એ છે કે આ બાકીની 150 કોલેજ પર પણ કાર્યવાહી થઇ શકે છે. આ અંગે મળતી વિગતો મુજબ તપાસ દરમીયાન આ કોલેજ તથા તેની વ્યવસ્થા પ્રણાલીમાં અનેક તૃટિઓ જોવા મળી છે….

મહારાષ્ટ્રમાં ખેડૂતો માત્ર એક રૂપિયામાં પાક વીમો લઈ શકશે

મુંબઈમહારાષ્ટ્ર સરકારે રાજ્યના ખેડૂતો માટે મંગળવારે મહત્વની જાહેરાત કરી છે. નમો શેતકરી મહાસન્માન નિધિ યોજનાને કેબિનેટની બેઠકમાં લીલી ઝંડી બતાવવામાં આવી છે. મહારાષ્ટ્રના ખેડૂતો હવે પાક વીમો 1 રૂપિયામાં લઈ શકશે. ખેડૂતોએ પાક વીમાનું પ્રીમિયમ નહીં ચૂકવવું પડે કારણકે તેમના ભાગનું 2 ટકા પ્રીમિયમ રાજ્ય સરકાર ચૂકવી દેશે. માર્ચ મહિનામાં રાજ્યના બજેટ વખતે આ પ્રસ્તાવ…

સિબિલ ઓછો હોય છતાં એજ્યુકેશન લોન માટે ના ન પાડી શકાય

થિરુવનંતપુરમકેરળ હાઈકોર્ટે તેની એક કેસ પર સુનાવણી કરતાં કહ્યું કે સિબિલ સ્કોર ઓછો હોય તેમ છતાં કોઈ વિદ્યાર્થીને એજ્યુકેશન લોન આપવા માટે બેન્ક ના ન પાડી શકે. બેન્કોને ફટકાર લગાવતા જસ્ટિસ પી.વી. કુન્હીકૃષ્ણને શિક્ષણ લોન માટેની અરજી પર વિચાર કરતી વખતે બેન્કોને માનવીય દૃષ્ટિકોણ અપનાવવા આગ્રહ કર્યો હતો.એક અહેવાલ અનુસાર હાઈકોર્ટે વિદ્યાર્થીની અરજી પર સુનાવણી…

અનંતનાગમાં તોયબાના આતંકીઓએ હિંદુ યુવકની હત્યા કરી

શ્રીનગરજમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં દુધની ખરીદી માટે બજારમાં ગયેલા એક બિન-મુસ્લિમ કામદારની લશ્કર-એ-તોયબાના આતંકીઓએ સોમવારે ગોળી મારી હત્યા કરી હતી. જમ્મુ રિજનના ઉધમપુર જિલ્લાનો નિવાસી કામદાર દીપુ કુમાર જંગલાત મંડી વિસ્તારમાં એક સર્કસમાં કામ કરી રહ્યો હતો. સરકારે દીપુ કુમારના પરિવારને રૂ. ૫ લાખની સહાયની જાહેરાત કરી છે.પોલીસે જણાવ્યું હતું કે, જંગલાત મંડી વિસ્તારમાં છેલ્લા કેટલાક…

કેન્દ્રની પીઆઈએલ સ્કિમ નિષ્ફળ સાબિત થઈ છેઃ રઘુરામ રાજન

નવી દિલ્હીરિઝર્વ બેંક (આરબીઆઈ)ના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને ફરી એકવાર ભારત સરકારની આર્થિક નીતિઓ પર શંકા વ્યક્ત કરી છે અને કેટલાક પ્રશ્નો ઉભા કર્યા છે. આ વખતે તેમનો ટાર્ગેટ કેન્દ્ર સરકારની પ્રોડક્શન લિન્ક્ડ ઈન્સેન્ટિવ સ્કીમ (પીઆઈએલ) છે અને તેમણે પૂછ્યું છે કે શું સરકારની આ યોજના નિષ્ફળ સાબિત થઈ છે.આરબીઆઈના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને કેટલાક…

મહિલાઓનવે ભણવા કે સંતાનો વચ્ચે પસંદગીની ફરજ ન પાડી શકાય

નવી દિલ્હીદિલ્હી હાઈકોર્ટે કહ્યું કે, મહિલાઓને ભણવા કે સંતાનો વચ્ચે પસંદગી કરવાની ફરજ પાડી શકાય નહીં. આ મહત્વની ટિપ્પણી સાથે કોર્ટે એમ.એડ.ની વિદ્યાર્થીનીને મેટરનિટી લિવનો લાભ આપવા અને જરૂરી હાજરી પુરી કર્યા બાદ પરીક્ષામાં બેસવા દેવાનો પણ નિર્દેશ આપ્યો છે.જસ્ટિસ પુરૂષેન્દ્ર કુમાર કૌરવે તાજેતરમાં એમ.ઈડીની વિદ્યાર્થીનીની અરજી પર ચુકાદો આપતા કહ્યું કે બંધારણમાં સમાનતાવાદી સમાજની…

બ્રિજભૂષણ પર આરોપ મૂકનારી સગીરાની ઓળખ જાહેર કરવા બદલ દિલ્હીના ડીસીપીને મહિલા આયોગનું સમન્સ

નવી દિલ્હીબ્રિજભૂષણ સિંહ સામે જાતીય શોષણનો આરોપ મૂકનાર સગીરા પીડિતાની ઓળખ જાહેર કરી દેવા મામલે દિલ્હી મહિલા આયોગ (ડીસીડબલ્યુ)ના પ્રમુખ સ્વાતિ માલીવાલે નવી દિલ્હીના ડીસીપીને સમન્સ ફટકાર્યું છે. ખરેખર અમુક દિવસ પહેલા એક વ્યક્તિએ ખુદને સગીર છોકરીનો કાકા બતાવી તેની સાથે સંકળાયેલા દસ્તાવેજો પ્રેસ સમક્ષ રજૂ કરી દીધા હતા. તેમાં એ વ્યક્તિએ દાવો કર્યો હતો…

વિશ્વની સૌથી મોટી અન્ન સંગ્રહ યોજનાને મંજૂરી, દરેક બ્લોકમાં 2000 ટન અનાજ સંગ્રહના ગોડાઉન બનશે

નવી દિલ્હીકેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને ફાયદો થાય તે હેતુથી અન્ન સંગ્રહ યોજના શરૂ કરવામાં આવી છે. કેબિનેટની બેઠક બાદ મોદી સરકારે આ નિર્ણય લીધો છે. આ યોજના ખેડૂતો માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. વિશ્વની સૌથી મોટી અન્ન સંગ્રહ યોજનાને મોદી સરકારે મંજૂરી આપી છે.કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે આ યોજના પર નિવેદન આપીને…

દેશમાં શહેરી બેરોજગારીનો આંકડો પાંચ વર્ષમાં સૌથી નીચા સ્તરે

નવી દિલ્હીદેશમાં શહેરી બેરોજગારીનો આંકડો પાંચ વર્ષમાં સૌથી નીચા સ્તરે આવી ગયો છે. આ વર્ષે જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં શહેરી વિસ્તારોમાં 15 વર્ષ અને તેથી વધુ વયના લોકોમાં બેરોજગારીનો દર ઘટીને 6.8 ટકા થયો છે. 2022-23માં શહેરી બેરોજગારીનો દર તમામ ક્વાર્ટર માટે 2018-19 પછીનો સૌથી નીચો હતો.નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઈઝેશન ઓફિસના ડેટા અનુસાર, એક વર્ષ અગાઉના ક્વાર્ટરમાં…

ચીન અને પાકિસ્તાનને લઈને ભારત સામે મોટો પડકારઃ સીડીએસ

પૂણેમહારાષ્ટ્રના પુણેમાં એનડીએની પાસિંગ આઉટ પરેડમાં સીડીએસ લેફ્ટન્ટ જનરલ અનિલ ચૌહાણે તેની સમીક્ષા કરી હતી. આ દરમ્યાન તેમણે જણાવ્યું કે, ભારત આ સમય અલગ રીતના પડકારનો સામનો કરી રહ્યું છે. તેમણે જણાવ્યું કે, એક તરફ યુરોપમાં યુદ્ધ ચાલી રહ્યું છે, તો બીજી તરફ ચીનની સેનાની તૈનાતી અને પાડોશી દેશ પાકિસ્તાનમાં રાજકીય અને આર્થિક ઉથલ પાથલ…

રાહુલ-ખડગેની મધ્યસ્થી બાદ ગેહલોત-પાયલોટ સાથે ચૂંટણી લડવા તૈયાર

નવી દિલ્હીરાજસ્થાનમાં આ વર્ષે યોજાનારી રાજસ્થાન વિધાનસભા ચૂંટણી 2023 પહેલા કોંગ્રેસ હાઈકમાન્ડે મુખ્યમંત્રી અશોક ગેહલોત અને સચિન પાયલટ વચ્ચે ચાલી રહેલી રાજકીય ખેંચતાણનો અંત લાવવા કવાયત તેજ કરી છે. જેને લઇને રાહુલ ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ દિલ્હીમાં રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ સચિન પાયલટ પણ ખડગેને મળવા…

યુપીના બસ્તીમાં કૂતરાને ધમકાવનારા યુવકને લાઠી-ડંડાથી માર માર્યો

લખનૌશું તમે ક્યારેય સાંભળ્યુ છે કે કૂતરાને ભગાડવાના કારણે મારામારી થઈ શકે છે. બસ્તી જિલ્લાના કલવારી વિસ્તારના કલવારી બજારમાંથી આ પ્રકારનો અજીબો-ગરીબ કિસ્સો સામે આવ્યો છે. યુવકે કૂતરાને ધમકાવ્યો તો તેને લાઠી, ડંડાથી માર મારવામાં આવ્યો. યુવક મહામુસીબતે ભાગી ગયો અને પોતાનો જીવ બચાવ્યો. પોલીસ સ્ટેશને પહોંચીને તેણે સમગ્ર બાબત જણાવી. બાદમાં પોલીસ એક્શનમાં આવી…

લિકર કૌભાંડ કેસમાં દિલ્હી હાઈકોર્ટ મનીષ સિસોદિયાના જામીન ફગાવ્યા

નવી દિલ્હીદિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાને દિલ્હી હાઈકોર્ટમાંથી ઝટકો લાગ્યો છે. લીકર કૌભાંડ કેસમાં કોર્ટે તેમની જામીન અરજી ફગાવી દીધી છે. આપે કહ્યું કે આ નિર્ણય સામે મનીષ સિસોદિયા સુપ્રીમ કોર્ટમાં જશેદિલ્હી હાઈકોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે સિસોદિયા પર લાગેલા આરોપો ખૂબ જ ગંભીર છે. આ મામલે તેમનું વર્તન પણ યોગ્ય રહ્યું નથી. તે…

ઝારખંડમાં ઈડીના કોંગ્રેસના ધારાસભ્ય સહિત 12 સ્થળે દરોડા

રાંચીઝારખંડમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ફરી એકવાર મોટી કાર્યવાહી કરી છે. ઈડીએ કોંગ્રેસના ધારાસભ્ય પ્રદીપ યાદવના ઘર સહિત રાજ્યમાં 12 સ્થળો પર દરોડા પાડ્યા છે. આજે સવારે જ ઈડીની ટીમે એક સાથે આ સ્થળો પર દરોડા પાડ્યા હતા. ઝારખંડમાં ઈડી દ્વારા દરોડા પાડવામાં આવેલા 12 સ્થળોમાં ધારાસભ્ય પ્રદીપ યાદવ અને ચેશાયર હોમ રોડમાં રહેતા બિલ્ડર શિવકુમારનો પણ…

એર ન્ડિયાની ફ્લાઈટમાં પેસેન્જરનો ક્રૂ મેમ્બર સાથે દુર્વ્યવહાર

નવી દિલ્હી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ફરી એકવાર ક્રૂ મેમ્બર સાથે દુર્વ્યવહારની ઘટના સામે આવી છે. એર ઈન્ડિયાએ એક નિવેદન જારી કરીને કહ્યું કે, 29 મેના રોજ અમારી ફ્લાઈટ એઆઈ882માં એક મુસાફરે ગેરવર્તન કર્યું હતુ. આરોપી પેસેન્જરે ક્રૂ મેમ્બર સાથે દુર્વ્યવહાર કર્યો અને પછી તેમાંથી એક પર હુમલો પણ કર્યો હતો. દિલ્હી એરપોર્ટ પર ઉતર્યા બાદ…

દિલ્હીમાં પાર્ટીમાં ઝઘડો થતાં મહિલાએ અન્ય મહિલા પર ચાકૂ હુલાવતાં મોત

નવી દિલ્હીદિલ્હીના સિવિલ લાઈન્સ પોલીસ સ્ટેશન હેઠળના એક વિસ્તારમાં એક ઘરમાંથી 35 વર્ષીય મહિલાની લોહીથી લથપથ લાશ મળી આવી છે. મૃતક મહિલાની ઓળખ સાલીની રાની તરીકે થઈ છે. મહિલા દિલ્હીના સફદરજંગ વિસ્તારની રહેવાસી છે. પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.સપના નામની મહિલાએ સવારે 7 વાગે પોલીસને ફોન કરીને ઘટનાની જાણ કરી હતી. સપનાએ…

વિદેશમાં મળેલું સન્માન મારું નહીં 140 કરોડ ભારતીયોનુંઃ મોદી

નવી દિલ્હીજાપાન, પાપુઆ ન્યુ ગિની અને ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ પૂરો કરીને ગુરુવારે વહેલી સવારે દિલ્હી પરત આવી ચૂકેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પાલમ એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પછી પીએમ મોદીએ એરપોર્ટ નજીક તેમનું સ્વાગત કરવા આવેલા બીજેપી કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા.તેમણે કહ્યું, આજે જે લોકો અહીં હાજર છે તે મોદીજીને પ્રેમ કરનારા લોકો…

એનઆઈએની ટીમ નીતિન ગડકરી પાસેથી ખંડણી મામલે તપાસ માટે નાગપુરમાં ધામા નાખશે

નવી દિલ્હીકેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને ધમકીના મામલાની તપાસ કરવા એનઆઈએની ટીમ આજે નાગપુર જશે. સૂત્રોના જણાવ્યા અનુસાર એનઆઈએની ટીમ પોલીસ પાસેથી કેસ સંબંધિત તમામ દસ્તાવેજો લીધા બાદ તેની તપાસ શરૂ કરશે.નીતિન ગડકરીને જાન્યુઆરી અને માર્ચમાં 110 કરોડની ખંડણીની ધમકીઓ મળી હતી. નાગપુર પોલીસે તેની તપાસમાં ખુલાસો કર્યો હતો કે આ કેસમાં પકડાયેલ આરોપી આતંકવાદી સંગઠન…

દિલ્હીના પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈન જેલના બાથરૂમમાં પડી ગયા

નવી દિલ્હીદિલ્હી સરકારના પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈનને દીન દયાલ ઉપાધ્યાય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, સત્યેન્દ્ર જૈન તિહાર જેલના બાથરૂમમાં ચક્કર આવવાને કારણે પડી ગયા હતા. આ પહેલા પણ સત્યેન્દ્ર જૈન બાથરૂમમાં પડી ગયા હતા.દિલ્હીના પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈનને આજે ફરી એકવાર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તબિયત ખરાબ હોવાની ફરિયાદો મળ્યા…

નવા સંસદ ભવનના ઉદ્ગાટનમાં આંધ્ર-ઓડિશાના મુખ્યપ્રધાન હાજર રહેશે

નવી દિલ્હીઆંધ્ર પ્રદેશના શાસક વાયએસઆરસીપીના વડા અને રાજ્યના મુખ્ય પ્રધાન વાયએસ જગન મોહન રેડ્ડીએ ગઈકાલે પુષ્ટિ કરી હતી કે તેમની પાર્ટી 28 મેના રોજ નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટનમાં હાજરી આપશે. જો કે તેલુગુ દેશમ પાર્ટીએ હજુ સુધી આ અંગે નિર્ણય લીધો નથી.આ પહેલા ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકની પાર્ટી બીજુ જનતા દળે પણ આ કાર્યક્રમમાં ભાગ…