આંધ્ર, સિક્કીમ-અરૂણાચલમાં એક તબક્કામાં, ઓડિશામાં બે તબક્કામાં મતદાન

 આ રાજ્યોમાં વિધાનસભાનો કાર્યકાળ જૂનમાં પૂરો થવાનો છે, તેથી આ ચારેય રાજ્યોમાં લોકસભાની સાથે વિધાનસભાની પણ ચૂંટણીઓ યોજાશે નવી દિલ્હી દેશમાં લોકસભાની ચૂંટણીઓ જાહેર થવાની સાથે ચાર રાજ્યોની વિધાનસભા ચૂંટણી પણ આજે જાહેર થઈ ગઈ છે, જેમાં આંધ્રપ્રદેશમાં 13 મેએ, સિક્કિમ-અરૂણાચલમાં 19 એપ્રિલે, ઓડિશામાં બે તબક્કામાં 13 મે અને 20 મેએ મતદાન યોજાશે.આ જ્યારે લોકસભાની…

ગુજરાતમાં લોકસભાની સાથે જ પાંચ વિધાનસભા બેઠકની સાતમી મેએ ચૂંટણી

4 કોંગ્રેસ, 1 આપ અને 1 અપક્ષના નેતાએ પાર્ટી અને ધારાસભ્ય પદેથી રાજીનામું આપતા પેટા ચૂંટણી યોજાશે નવી દિલ્હી ચૂંટણી પંચ દ્વારા લોકસભા ચૂંટણીની તારીખ જાહેર કરી દીધી છે. ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો પર ચૂંટણી થશે. આ સાથે રાજ્યની ખાલી પડેલી વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાશે. ગુજરાતમાં સાતમી મેએ લોકસભા ચૂંટણીનું મતદાન થશે, સાથે ગુજરાતમાં…

લક્ષદ્વીપ, એન્ડ્રોટ અને કલ્પેની ટાપુઓ માટે પેટ્રોલ-ડિઝલના ભાવમાં લિટરે 15.3 રુપિયાનો ઘટાડો

કાવારત્તી અને મિનિકોય માટે રૂ. 5.2 પ્રતિ લિટરનો ઘટાડો, આ ભાવ ઘટાડો લાગુ થઈ ગયો નવી દિલ્હી સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો ઘટાડો કર્યો છે. ભારતના લક્ષદ્વીપ ટાપુમાં, એન્ડ્રોટ અને કલ્પેની ટાપુઓ માટે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર રૂ. 15.3 અને કાવારત્તી અને મિનિકોય માટે રૂ. 5.2 પ્રતિ લિટરનો ઘટાડો કરવામાં આવ્યો છે….

દેશમાં ચૂંટણી પ્રક્રિયામાં દોઢ કરોડ અધિકારીઓ જોડાશે

85 વર્ષથી વધુ વયના મતદારો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવશે, તેઓ ઘરેથી પણ વોટિંગ કરી શકશે નવી દિલ્હી ભારતના ચીફ ઈલેક્શન કમિશનર રાજીવ કુમારે ચૂંટણીની તારીખો સાથેની જાહેરાત કરતાં કહ્યું કે ભારતમાં ચૂંટણી માટે 55 લાખથી વધુ ઈવીએમ મશીનનો ઉપયોગ કરવામાં આવશે અને દોઢ કરોડ અધિકારીઓ આ કામમાં જોડાશે. તમામ પોલિંગ બૂથ પર પીવાનું પાણી,…

માત્ર એક મહિનામાં જ 1 કરોડ પરિવારોએ પીએમ સૂર્ય ઘર યોજના માટે નોંધણી કરાવી

રામ મંદિરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના એક કરોડ ઘરોને મફત વીજળી યોજના તરીકે સૌર ઉર્જા સુવિધા આપવાની જાહેરાત કરી હતી નવી દિલ્હી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પીએમ સૂર્ય ઘર યોજનાને લઈને દેશવાસીઓની પ્રતિક્રિયા પર ખુશી વ્યક્ત કરી છે. તેમણે ‘એક્સ’ પર લખ્યું કે, ‘આ યોજના શરૂ થયાના માત્ર એક મહિનામાં જ 1…

રાજ્યસભાના સાંસદ અજય પ્રતાપ સિંહનું ભાજપમાંથી રાજીનામું

અજય પ્રતાપ સિંહ લોકસભા ચૂંટણીમાં ટિકિટ ન મળવાથી નારાજ હતા નવી દિલ્હી લોકસભા ચૂંટણીની તારીખો હવે થોડા કલાકો બાદ જાહેર થવાની છે, પરંતુ તે પહેલા જ મધ્યપ્રદેશમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ને મોટો ઝટકો લાગ્યો છે. રાજ્યસભાના સાંસદ અજય પ્રતાપ સિંહે પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. એવું માનવામાં આવે છે કે અજય પ્રતાપ સિંહ…

પૂર્વ સાંસદ જીતેન્દ્ર રેડ્ડી ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયા

તેલંગાણા વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીએ બીઆરએસ અને ભાજપને હરાવીને રાજ્યમાં સત્તા કબજે કરી હતી હૈદ્રાબાદ લોકસભાની ચૂંટણી નજીક છે. તેનો કાર્યક્રમ આજે જાહેર પણ થવાની તૈયારી છે ત્યારે ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. પાર્ટીના કદાવર નેતા અને પૂર્વ સાંસદ જીતેન્દ્ર રેડ્ડીએ ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે. હૈદરાબાદના મુખ્યમંત્રી રેવંત રેડ્ડી તેમના દીકરા સાથે અને ઓલ…

નીતિન ગડકરીએ રૂ. 1700 કરોડના ત્રણ હાઈવે પ્રોજેક્ટને મંજૂરી આપી

આ હાઈવે પ્રોજેક્ટ ગુજરાત, આસામ અને કર્ણાટક માટે છે, ઉજ્જૈન રેલવે સ્ટેશનથી મધ્યપ્રદેશના મહાકાલેશ્વર મંદિર સુધીના રોપવેને પણ મંજૂરી આપવામાં આવી નવી દિલ્હી ચૂંટણી પંચ આજે (16મી માર્ચ શનિવાર) બપોરે 3 વાગ્યે લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે. આ સાથે દેશભરમાં આદર્શ આચારસંહિતા લાગુ કરવામાં આવશે. જ્યારે આચારસંહિતા લાગુ થાય છે, ત્યારે કોઈપણ વિભાગ કોઈ…

કે.એસ.ઈશ્વરપ્પા શિમોગા બેઠક પરથી અપક્ષ તરીકે ચૂંટણી લડશે

ભાજપે ઈશ્વરપ્પાના પુત્ર કાંતેશને ટિકિટ ન આપતા પૂર્વ મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈને હાવેરી બેઠકથી મેદાનમાં ઉતાર્યા નવી દિલ્હી ભાજપના વરિષ્ઠ નેતા કે એસ ઈશ્વરપ્પાએ શુક્રવારે 15 માર્ચે આગામી લોકસભા ચૂંટણીમાં શિમોગા બેઠકથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. તેમણે આ નિર્ણય પોતાના પુત્ર કાંતેશને હાવેરી મતવિસ્તારથી ટિકિટ ન આપવાના કારણે લીધો છે. ભાજપે પૂર્વ…

અમે રાષ્ટ્ર નિર્માણ માટે સખત મહેનત કરતા રહીશું, આ મોદીની ગેરંટી છેઃ મોદી

પરિવર્તનકારી પરિણામો ગરીબો, ખેડૂતો, યુવાનો અને મહિલાઓના જીવનની ગુણવત્તામાં સુધારા માટે પ્રતિબદ્ધ સરકારના નિષ્ઠાવાન પ્રયાસોનું પરિણામ છેઃ વડાપ્રધાન નવી દિલ્હી લોકસભા ચૂંટણીની તારીખો આજે જાહેર થઈ. ચૂંટણી પંચ બપોરે 3 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરીને લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી. આ ઉપરાંત ઓડિશા, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ અને આંધ્ર પ્રદેશમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીની તારીખો પણ જાહેર કરવામાં…

રાહુલ-પ્રિયંકા અમેઠી-રાયબરેલીથી ચૂંટણી નહીં લડે

રાહુલ ગાંધીનું માનવું છે કે જો તેઓ અમેઠી અને વાયનાડ એમ બે જગ્યાએથી ચૂંટણી લડ્યા અને બંને જગ્યાએથી જીત્યા તો પછી તેમણે એક સીટ છોડવી પડશે, જે ખોટું હશે નવી દિલ્હી આગામી લોકસભાની ચૂંટણીને લઈને તમામ પક્ષો તૈયારીમાં વ્યસ્ત છે. એક પછી એક બેઠકોની જાહેરાત થઈ રહી છે. આજે એટલે કે શનિવારે ચૂંટણી પંચ તારીખોની…

લીકર પોલીસી કેસમાં કેજરીવાલને કોર્ટના જામીન મળ્યા

રાઉઝ એવન્યૂ કોર્ટે કેજરીવાલને 15 હજારના બોન્ડ પર જામીન આપી દીધા નવી દિલ્હી દિલ્હી લીકર પોલિસી કેસમાં ઈડી દ્વારા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને 8થી વધુ વખત સમન્સ મોકલ્યા હતા. હવે આ મામલે દિલ્હીની રાઉઝ એવન્યૂ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જ્યાં ખુદ સીએમ કેજરીવાલ હાજર રહ્યા હતા. તેમણે જામીનની માગ કરી હતી અને તેમને…

સેનાની માહિતી મોકલનારા આર્મી યુનિફોર્મ સ્ટોરના સંચાલકના ધરપકડ

આરોપી આનંદરાજ સિંહ સેનાની ગુપ્ત માહિતી સોશિયલ મીડિયાના માધ્યમથી પાકિસ્તાનની ગુપ્તચર એજન્સીના આકાઓને શેર કરતો હતો જયપુર પાકિસ્તાનની ત્રણ મહિલાઓ એજન્ટોની જાળમાં ફસાયા બાદ ભારતીય સેનાની ગુપ્ત માહિતી મોકલવાના જાસૂસીના આરોપમાં રાજસ્થાન પોલીસની ગુપ્તચર ટીમે આર્મી યુનિફોર્મ સ્ટોર સંચાલકની ધરપકડ કરી છે. અધિક પોલીસ મહાનિર્દેશક (ગુપ્તચર) સંજય અગ્રવાલે કહ્યું કે, આરોપી આનંદરાજ સિંહ (ઉ.વ.22) સેનાની…

ચૂંટણી જાહેર થતાની સાથે આચારસંહિતા લાગુ થશે, નવી યોજનાઓનું એલાન નહીં થઈ શકે

આદર્શ આચારસંહિતાનો અર્થ પાર્ટીઓ-ઉમેદવારો માટે બનેલી ગાઈડલાઈન છે, આચારસંહિતા ચૂંટણીની જાહેરાતથી પરિણામો જાહેર થવા સુધી લાગુ રહે છે નવી દિલ્હી છેલ્લાં કેટલાંક સમયથી ચર્ચા છે કે લોકસભા ચૂંટણીનો કાર્યક્રમ ગમે ત્યારે જાહેર થઈ શકે છે. એવામાં હવે ખુદ ચૂંટણીપંચે આ અંગેનો સંપૂર્ણ કાર્યક્રમ જાહેર કરવાની ચોક્કસ તારીખ જાહેર કરી દીધી છે. ચૂંટણીપંચે જણાવ્યું છે કે…

ચિરાગના સમર્થનમાં લેવાયેલા નિર્ણયથી પશુપતિ પારસ નાખુશ, ઉપેન્દ્ર કુશવાહ ચૂપ

ચૂટણી પહેલાં બિહારમાં કેટલિક સાથી પાર્ટી ભાજપથી નારાજ હોવાના સંકેત નવી દિલ્હી બિહારમાં લોક જનશક્તિ પાર્ટી (એલજેપી)ને પાંચ લોકસભા બેઠકો મળ્યા બાદ ચિરાગ પાસવાન પોતાની વ્યૂહરચનાની જીત માની રહ્યા છે. પરંતુ વાસ્તવમાં એવું નથી. ચિરાગના સમર્થનમાં લીધેલા નિર્ણયથી પશુપતિ પારસ ના ખુશ છે. ઉપરાંત તેના રાષ્ટ્રીય લોક મોરચાના પ્રમુખ ઉપેન્દ્ર કુશવાહાએ પણ ચુપ્પી સાધી છે….

ઈડી જેની પાછળ પડી હતી તે કંપનીએ 1350 કરોડના ચૂંટણી બોન્ડ ખરીદ્યા

ફ્યુચર ગેમિંગ એ જ કંપની છે જેની સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે માર્ચ 2022માં મની લોન્ડરિંગના આરોપોની તપાસ કરી હતી નવી દિલ્હી ભારતીય ચૂંટણી પંચ (ઈસીઆઈ) એ ગુરુવારે ચૂંટણી બોન્ડ દ્વારા રાજકીય પક્ષોને દાન આપનારા લોકોના નામ જાહેર કર્યા. કમિશન દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો/ડેટામાં ચોંકાવનારી બાબતો બહાર આવી છે. મની લોન્ડરિંગના આરોપમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા…

સગીરાના જાતીય શોષણ મામલે યેદિયુરપ્પા સામે કેસ દાખલ કરાયો

એફઆઈઆર પોક્સો અને 354 (એ) આઈપીસી હેઠળ દાખલ કરવામાં આવી, યેદિયુરપ્પાના કાર્યાલયે જ 53 કેસોની યાદી જાહેર કરી બેંગલુરુ કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી બી.એસ.યેદિયુરપ્પા સામે પોલીસે એક ગંભીર કેસ દાખલ કર્યો છે. માહિતી અનુસાર તેમની સામે સગીર છોકરીનું જાતીય શોષણ કરવાનો આરોપ લાગ્યો છે. આ મામલે તેમની સામે એફઆઈઆર નોંધી લેવામાં આવી છે. આ એફઆઈઆર પોક્સો…

ભારતના તિરુવનંતપુરમમાં રશિયાના રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન થયું

રશિયન નાગરિકોએ રશિયન હાઉસમાં સ્થિત રશિયન ફેડરેશનના માનદ કોન્સ્યુલેટ ખાતે ખાસ આયોજિત બૂથ પર મતદાન કર્યું નવી દિલ્હી રશિયામાં હાલમાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે. દેશ અને વિશ્વભરના રશિયનો મતદાન કરી રહ્યા છે. ભારતમાં પણ રશિયન ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે. ભારતના કેરળ રાજ્યમાં પણ રશિયાના રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન યોજાયું હતું….

કેરળમાં એક માસમાં ગાલપચોળિયાનાં 2505 કેસ નોંધાયા

ગાલપચોળિયા એક વાયરલ ચેપ છે, જે ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે અને તેના મોટાભાગના કેસો મલપ્પુરમ જિલ્લા અને બાકીના ઉત્તર કેરળમાંથી નોંધાયા છે થિરુવનંતપુરમ કેરળ રાજ્યમાં ગાલપચોળિયાંના કેસમાં અચાનક થયેલા વધારાએ પરિસ્થિતિને ચિંતાજનક બનાવી દીધી છે. એક દિવસમાં 190 થી વધુ કેસ જોવા મળી રહ્યા છે અને એક મહિનામાં 2505 કેસ નોંધાયા છે. વાસ્તવમાં,…

ભાજપે ભગવાન રામની એજન્સી અને રામ મંદિરને ભાડે પટ્ટે લીધું હોય એમ લાગે છે

ગત લોકસભા ચૂંટણીમાં નકુલ મધ્ય પ્રદેશથી કોંગ્રેસના એકમાત્ર વિજેતા ઉમેદવાર હતા, કોંગ્રેસે તેમને આ બેઠક પરથી ફરીથી ઉમેદવાર જાહેર કર્યા છે નવી દિલ્હી કોંગ્રેસ સાંસદ નકુલનાથે ગુરુવારે ભાજપ પર ધર્મને રાજકીય મંચ પર લાવવા અને એવુ સાબિત કરવાનો આરોપ લગાવ્યો જેમ કે તેમની પાસે ભગવાન રામની એજન્સી અને રામ મંદિરને ભાડે પટ્ટે લીધુ હોય. ગત…