દિલ્હીમાં વિશ્વના સૌથી મોટા મ્યુઝિયમ યુગે-યુગીન ભારત બનાવાશે

આ રાષ્ટ્રીય મ્યુઝિયમ 1.17 લાખ ચોરસ મીટરમાં ફેલાયેલું હશે, હાલમાં ફ્રાન્સમાં લુવર મ્યુઝિયમ વિશ્વનું સૌથી મોટું મ્યુઝિયમ છે નવી દિલ્હીદુનિયાનું સૌથી મોટું મ્યુઝિયમ ટૂંક સમયમાં ભારતમાં બનવા જઈ રહ્યું છે. વડાપ્રધાન મોદીએ બે દિવસ પહેલા દિલ્હીના પ્રગતિ મેદાનમાં આંતરરાષ્ટ્રીય એક્ઝિબિશિન કમ કન્વેન્શન સેન્ટર (આઈઈસીસી) પરિસરનું ઉદ્ધાટન કર્યુ હતું તે દરમિયાન વિશ્વના સૌથી મોટા ‘યુગે-યુગીન ભારત’…

મણિપુરમાં ઉગ્રવાદીઓના ફાયરિંગમાં એક જવાન શહીદ, ચાર જણા ઘાયલ

કેન્દ્ર અને બિરેન સરકાર ઉગ્રવાદીઓ સામે સંપૂર્ણપણે લાચાર, સેનાએ એએફએસપીએની માંગ કરી ઈમ્ફાલ દેશનું પુર્વોતર રાજ્ય મણિપુરમાં કુકી અને મૈતેઈ સમાજ વચ્ચે છેલ્લા ત્રણ મહિનાથી ચાલી રહેલી હિંસા અટકવાનું નામ નથી લઈ રહી. આ હિંસાને લીધે રાજ્યમાં 35 હજારથી વધુ સૈનિકો તૈનાત કરવામાં આવ્યા છે તેમ છતાં ઘણા વિસ્તારોમાં સ્થિતિ બેકાબુ બની જાય છે અને…

266 માછીમારો અને 42 નાગરિકો પાકિસ્તાની જેલોમાં કેદ

રાજ્યકક્ષાના વિદેશમંત્રીનો રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીને જવાબ પાકિસ્તાનની જેલમાં જુલાઈ 01, 2023ના રોજ ભારતીય અથવા તો ભારતીય હોવાનું મનાતા 266 માછીમારો તથા 42 નાગરિકો કેદ છે. જ્યારે પાકિસ્તાની અથવા તો પાકિસ્તાની હોવાનું મનાતા 343 નાગરિકી કેદીઓ અને 74 માછીમારો ભારતની કસ્ટડીમાં છે. 2014ની સાલથી પાકિસ્તાનમાંથી 2559 ભારતીય માછીમારોને વતન પરત મોકલાયા છે જેમાં 398 ભારતીય…

ભારતે પાકિસ્તાન સાથે આર્થિક સબંધ સુધારવા જોઈએ

વિદેશ બાબતોની સંસદીય સ્થાયી સમિતિએ લોકસભામાં ભારતની નેબરહૂડ ફર્સ્ટ નીતિ પર ધ્યાન કેન્દ્રિત કરતો અહેવાલ રજૂ કર્યો નવી દિલ્હીસંસદીય સમિતિએ સરકારને ફરી એકવાર પાકિસ્તાન સાથે આર્થિક સંબંધો સુધારવાનો પ્રસ્તાવ મૂક્યો છે. તેમણે કહ્યું કે ભારત-પાકિસ્તાને સાંસ્કૃતિક સમાનતા અને સભ્યતાઓને કારણે કનેક્ટિવિટી વધારવાની દિશામાં કામ કરવું જોઈએ.વિદેશ બાબતોની સંસદીય સ્થાયી સમિતિએ લોકસભામાં ભારતની નેબરહૂડ ફર્સ્ટ નીતિ…

75 વર્ષની વ્યક્તિની સન્માનજનક વિદાય માટે 25 લોકોએ જીવ જોખમમાં મૂક્યો

લોકોનો એક સમૂહ શબને ઊઠાવીને પૂરગ્રસ્ત નહેરમાંતી વહેતા પાણીમાં પસાર થઈ રહ્યાનો વીડિયો વાયરલ હૈદ્રાબાદપૂરથી ખેદાન મેદાન થઈ ચૂકેલા તેલંગાણાના એક ગામમાં ઓછામાં ઓછા 25 લોકોએ એ સુનિશ્ચિત કરવા માટે તેમનો જીવ જોખમમાં મૂક્યો કે એક 75 વર્ષીય વ્યક્તિને સન્માનજનક વિદાય આપી શકે. એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં લોકોના એક સમૂહને શબને ઊઠાવીને…

સરકારની શાન ઠેકાણે લાવવા જ અવિશ્વાસનો પ્રસ્તાવ લવાયો

વિપક્ષની હાર નિશ્ચિત છતાં અવિશ્વાસની દરખાસ્તને ટેકો આપતા સાંસદો સરકારની ખામીઓને પ્રકાશિત કરે એ માટે પ્રસ્તાવ લવાયો નવી દિલ્હીદેશમાં પૂર્વી રાજ્ય મણિપૂર હિંસા મામલે સરકાર વિરુદ્ધ વિપક્ષી પાર્ટીઓ દ્વારા અવિસ્વાસ પ્રસ્તાવ લાવી છે. કોંગ્રેસ પાર્ટીના સભ્ય રંજન ગોગોઈ દ્વારા રજૂ કરાયેલા આ પ્રસ્તાવ પર ચર્ચા કરવા માટે મંજૂરી મળી છે. લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ તમામ…

ભારતીય પાસપોર્ટ પર વિઝા વિના વિશ્વના 50થી વધુ દેશમાં જઈ શકાય છે

વિઝા વગર મુસાફરી કરી શકાય એવા દેશોમાં અલ્બેનિયા, સર્બિયા, બોત્સ્વાના, ઇથોપિયા અને યુગાન્ડા જેવા દેશોનો સમાવેશ થાય છે નવી દિલ્હીજે લોકોને ફરવાનો શોખ હોય છે, તેઓ સૌથી પહેલા પોતાનો પાસપોર્ટ બનાવી લે છે, આખરે દુનિયા ફરવાની મજા જ કંઈક અલગ હોય છે, પરંતુ જો તમે અન્ય દેશની મુસાફરી કરી રહ્યા હોવ તો સામાન્ય રીતે પાસપોર્ટ…

ભાપોલ-નિઝામુદ્દીન વંદેભારત ટ્રેન પર પથ્થરમારો, કોચનાં કાંચ તૂટ્યા

મનિયા અને જાજૌ સ્ટેશનો વચ્ચે ટ્રેન પર પથ્થરમારાની ઘટના બની હતી અને સી-7 કોચની સીટ નંબર 13-14ની બારીના કાચ તૂટી ગયા આગરાઉત્તર પ્રદેશના આગરામાં વંદે ભારત ટ્રેન પર પથ્થરમારાની ઘટના સામે આવી છે. અધિકારીઓએ જણાવ્યું કે બુધવારે આગરા રેલ્વે વિભાગમાં ભોપાલથી દિલ્હીના નિઝામુદ્દીન સ્ટેશન વચ્ચે દોડતી વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો, જેના…

દેશભરમાં ભાષણ આપતા મોદી મણિપુર હિંસા મુદ્દે સંસદમાં કેમ નથી બોલતાઃ ખડગે

મણિપુરનું સળગવું એ દેશ માટે એક કાળો અધ્યાય છે. જે સરકારે ગત 85 દિવસોથી મણિપુરના લોકોની પીડા પર ધ્યાન નથી આપ્યું તે માનવતા પર કલંક જ છેઃ કોંગ્રેસના અધ્યક્ષ નવી દિલ્હીકોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાઅર્જુન ખડગેએ ગુરુવારે વડાપ્રધાન મોદી સામે નિશાન તાકતાં કહ્યું કે મણિપુર હિંસા મુદ્દે સંસદમાં બોલવા મુદ્દે પીએમ મોદી કેમ…

બેકારી, ગરીબી, મોંઘવારી અને ભ્રષ્ટાચાર દેશની મોટી સમસ્યાઃ સર્વે

35 ટકા યુવાનોએ આર્ટસ/હ્યુમેનિટીઝને અભ્યાસ માટે તેમની પ્રથમ પસંદગી હોવાનું જણાવ્યું, 61 ટકા યુવાનોએ સરકારી નોકરીને તેમની પ્રાથમિકતા ગણાવી નવી દિલ્હીદેશમાં વધી રહેલી બેરોજગારીથી આજના યુવાનો સૌથી વધુ ચિંતિત છે. યુવાનો માને છે કે આજે તેમના માટે સૌથી મોટી સમસ્યા અભ્યાસ બાદ નોકરી શોધવાની છે. પહેલાની સરખામણીમાં આજે નોકરી શોધવી ખૂબ જ મુશ્કેલ બની ગઈ…

ઈડી, સીબીઆઈ, ઈન્કમટેક્સ-આ જ ભાજપના સાચા સહયોગી પક્ષોઃ ઉદ્ધવ

હું કોઈના દબાણની આગળ ઝુકતો નથી, હું કોઈની શરણમાં નહીં જઉ, હું જીતવા સુધી લડતો રહીશ, લોકતંત્ર હાઈજેક થઈ રહ્યું છે, દેશને બચાવવા માટે જ ‘ઈન્ડિયા’ ગઠબંધન તૈયાર થયું છેઃ ઠાકરે મુંબઈમહારાષ્ટ્રમાં થોડા દિવસો પહેલાં જ અજિત પવાર સહિત એનસીપી ધારાસભ્યોએ બળવો કરી શિંદે-ફડણવીસ સાથે ગઠબંધન કરી રાજકારણમાં હડકંપ બચાવી દીધો હતો… અજિત પવારે સત્તાધારી…

કારનામા છુપાવવા વિપક્ષોએ ગઠબંધનનું નામ ઈન્ડિયા કર્યુઃ મોદી

મોદીએ રાજસ્થાનની ગેહલોત સરકારમાંથી બરતરફ કરાયેલા મંત્રી રાજેન્દ્ર ગુડાની કથિત રેડ ડાયરીનો ઉલ્લેખ કરીને કોંગ્રેસ પર નિશાન સાધ્યું સીકરવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના સીકર પહોંચ્યા હતાં જ્યાં તેમણે વિવિધ વિકાસ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો અને ઉદ્ઘાટન કર્યું હતું. આ દરમિયાન પીએમ મોદીએ વિપક્ષી ગઠબંધન ભારત પર આકરા પ્રહારો કર્યા હતા. પીએમે કહ્યું હતું કે, સિમીના નામમાં પણ…

મણિપુર હિંસા મુદ્દે ઈન્ડિયાની બેઠક, સાંસદો કાળા કપડામાં હાજર રહ્યા

આ બેઠક વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેની ચેમ્બરમાં થઈ, વિપક્ષે અવિશ્વાસ પ્રસ્તાવ પર પોતાની રણનીતિ બનાવી નવી દિલ્હી સંસદમાં ચાલી રહેલા ચોમાસુ સત્રનો આજે છઠ્ઠો દિવસ છે. સંસદના બંને ગૃહોમાં મણિપુર હિંસા પર વિપક્ષ દ્વારા સરકાર પ્રહારો કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન વિપક્ષી મહા ગઠબંધન ઈન્ડિયા એ આજે એક મહત્વની બેઠક બોલાવી હતી. વિરોધ પક્ષોના…

શ્રીનગરમાં મોહરમના જુલૂસની પરવાનગી અપાઈ

27 જુલાઈ 2023એ સવારે 6 વાગ્યાથી સવારે 8 વાગ્યા સુધી 8 મી મોહરમ- 1445 એ મોહરમ જુલૂસ કાઢવાની પરવાનગી આપવામાં આવી શ્રીનગર જમ્મુ-કાશ્મીર વહીવટીતંત્રએ બુધવારે 3 દાયકા કરતા વધુ સમય સુધી પ્રતિબંધિત રહ્યા બાદ ગુરુવારે શ્રીનગરથી 8 મા મોહરમ જુલૂસની પરવાનગી આપવાનો નિર્ણય કર્યો. જોકે, તંત્રએ જુલૂસ માટે એક સમય મર્યાદા નક્કી કરી છે.  શ્રીનગરના…

સરકારે યુઝર્સ માટે ખતરનાર અકીરા રેન્સમવેર અંગે ચેતવણી આપી

આ વાયરસ યુઝર્સની અંગત વિગતોની ચોરી કરીને યુઝર પાસેથી પૈસાની માંગ પણ કરી શકે છે નવી દિલ્હી સરકારે એક વાયરસને લઈને એડવાઈઝરી જારી કરી છે અને તેનાથી સાવચેત રહેવા જણાવ્યું છે. આ ખતરનાક રેન્સમવેરનું નામ અકીરા છે. આ યુઝર્સ માટે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. તેઓ યુઝર્સની અંગત વિગતોની ચોરી કરીને યુઝર પાસેથી…

સિક્કિમમાં સરકારી મહિલા કર્મીને 12 માસની મેટરનીટી લિવ

આ નિર્ણયથી સરકારી કર્મચારીઓને તેમના બાળકો અને પરિવારની સારી સંભાળ રાખવામાં મદદ મળશે સિક્કિમ સિક્કિમ સરકારે મેટરનિટી લીવને લઈને મોટો નિર્ણય લીધો છે. હવે રાજ્યમાં માતા બનનાર સરકારી મહિલા કર્મચારીઓને 12 મહિનાની રજા આપવામાં આવશે. સિક્કિમના મુખ્યમંત્રી પ્રેમ સિંહ તમાંગે આ એલાન કર્યું છે. આ ઉપરાંત બાળકના પિતાને પણ એક મહિનાની રજા આપવાની જોગવાઈ છે….

વડાપ્રધાનની સીકર મુલાકાત પર કેન્દ્ર-રાજ્યના આરોપ-પ્રત્યારોપ

ગેહલોતે પીએમ મોદીના કાર્યક્રમમાં ત્રણ મિનિટના ભાષણ હટાવાયાની ફરિયાદ કરી, ટ્વિટર પર જ પીએમનું સ્વાગત કરતાં તેમણે પોતાની છ માંગણીઓ પણ મૂકી નવી દિલ્હી સીકરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન પહેલા જ રાજસ્થાનમાં રાજકારણ ગરમાયું હતું. મુખ્યમંત્રી અશોક ગેહલોત અને વડાપ્રધાન કાર્યાલય વચ્ચે ટ્વિટર પર આરોપ-પ્રત્યારોપનો દોર ચાલી રહ્યો હતો. ગેહલોતે પીએમ મોદીના કાર્યક્રમમાં ત્રણ મિનિટના…

દિલ્હી બિલ વિરુધ્ધ મતદાનના બિલથી રાજ્યભાના ઉપસભાપતિ દુવિધામાં

રાજ્યસભાના ઉપસભાપતિ અને જેડીયુ સાંસદ હરિવંશ નારાયણ સિંહ પક્ષ દ્વારા વિપક્ષના વ્હીપને સમર્થનથી મૂંઝવણમાં મુકાયા નવી દિલ્હી સંસદના બંને ગૃહોમાં મણિપુર મુદ્દે હજુ હોબાળાની સ્થિતિ યથાવત્ છે. વિપક્ષે આજે કાળા કપડાં પહેરીને તેના તીખા મિજાજ બતાવી દીધા છે જ્યારે લોકસભાની કાર્યવાહી ભારે હોબાળાને પગલે સ્થગિત કરી દેવામાં આવી હતી. આ દરમિયાન એવા અહેવાલ છે કે…

આઈએસઆઈ ભારતની આર્મી સ્કૂલને ટાર્ગેટ બનાવે છે, તંત્ર એલર્ટ

જમ્મુ કાશ્મીરથી લઈને દિલ્હી, યુપીની આર્મી સ્કૂલોના વિદ્યાર્થીઓને પાકિસ્તાનથી ફોન અને મેસેજ આવી રહ્યા છે,ફોન કરનારા વિદ્યાર્થીઓેને આઈએસઆઈ સાથે જોડાવા માટે કહી રહ્યા છે નવી દિલ્હીપાકિસ્તાનની કુખ્યાત જાસૂસી સંસ્થા આઈએસઆઈ દ્વારા હવે ભારતની આર્મી સ્કૂલોને ટાર્ગેટ બનાવવામાં આવી રહી હોવાની જાણકારી સામે આવ્યા બાદ ભારત સરકાર ચોંકી ઉઠી છે.જમ્મુ કાશ્મીરથી લઈને દિલ્હી, યુપીની આર્મી સ્કૂલોના…

ઈન્ડિયન ઓઈલની ગેસ પાઈપલાઈનમાં નદીની વચ્ચે જ બ્લાસ્ટ

યમુનામાંથી પસાર થતી પાણીપત-દાદરી ગેસ પાઈપલાઈન અચાનક વિસ્ફોટ સાથે ધડાકાભેર બ્લાસ્ટ થઈને તુટી ગઈ, હાલ માટે ગેસનો પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો બાગપતઉત્તર પ્રદેશના બાગપત જિલ્લાના જાગોશ ગામમાં યમુના નદીની વચ્ચે ઈન્ડિયન ઓઈલ કંપનીની ગેસ પાઈપલાઈન અચાનક બ્લાસ્ટ થઈ હતી જેના સમાચાર વાયુવેગે ફેલાતા જ વિસ્તારમાં ચકચાર મચી ગયો હતો. આ ગેસ પાઈપલાઈનમાં બ્લાસ્ટ થતા…