વંદે ભારત ટ્રેન પર ફરી એકવાર પથ્થરમારો, હર્ષ સંઘવી ટ્રેનમાં હતા

Spread the love

પથ્થરમારાને કારણે ટ્રેનમાં કાંચને નુકસાન થયું,જોકે કોઈ મોટી હાનિના અહેવાલ નથી

રાજકોટ

વંદે ભારત ટ્રેન પર ફરી એકવાર પથ્થરમારાની ઘટના સામે આવી છે. આ વખતે રાજકોટમાં આ ઘટના બની હતી. જોકે અહીં મહત્ત્વપૂર્ણ એ છે કે જ્યારે પથ્થરમારાની ઘટના બની ત્યારે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ આ જ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા. 

માહિતી અનુસાર રાજકોટના બિલેશ્વર સ્ટેશનની નજીકમાં જ આ પથ્થરમારાની ઘટના બની હતી. આ ઘટના રાતે બની હોવાની માહિતી છે. પથ્થરમારાને કારણે ટ્રેનમાં કાંચને નુકસાન થયું હતું. જોકે કોઈ મોટી હાનિના અહેવાલ નથી. આ મામલે રેલવે પોલીસ દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે વંદે ભારતમાં મુસાફરી અંગેે હર્ષ સંઘવીએ ટ્વિટ કરીને કેટલીક તસવીરો પણ શેર કરી હતી. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *