સત્ય આર્ટ ગેલેરી ખાતે તા. 9 મે 2025 સુધી એક્ઝિબિશન ખુલ્લુ રહેશે
અમદાવાદ
ખ્યાતામ ફોટોગ્રાફર એવા શતાયુવીર સ્વ.પ્રાણલાલ પટેલનાં “કાશ્મીર ૧૯૪૦” ફોટોગ્રાફી એક્ઝિબિશનનો આરંભ તા. 1 મે 2025નાં રોજ સત્ય આર્ટ ગેલેરી, નવજીવન પ્રેસ ખાતે થયો છે. આ ફોટોગ્રાફી એક્ઝિબિશન કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે વિવેક દેસાઈ ઉપસ્થિત રહ્યા હતાં. આ કાર્યક્રમ સાંજે 5-00 કલાકે યોજાયો હતો. “કાશ્મીર 1940” ફોટોગ્રાફી એક્ઝિબિશન સત્ય આર્ટ ગેલેરીમાં તા. 9 મે 2025 સુધી બપોરે 12થી રાત્રિનાં 9-00 કલાક સુધી ખુલ્લુ રહેશે.
વર્ષ ૧૯૪૦માં, સ્વ. પ્રાણલાલ પટેલ કેટલાંક નજીકના મિત્રો સાથે કાશ્મીર ગયા હતા. તેઓ ત્યાંથી જે પાછું લાવ્યા હતાં તે ફોટોગ્રાફ્સ કરતાં પણ વધુ હતું – કાશ્મીરમાં તેમણે એક સ્વપ્નને કેદ કર્યું હતું. આ ઉત્કૃષ્ટ ફોટોગ્રાફ્સની પ્રિન્ટ્સ કાશ્મીરને અસ્પૃશ્ય, શાંત અને ઉત્કૃષ્ટ દર્શાવે છે. જે એક શાંત યાદ અપાવે છે કે, ખરેખર, જો પૃથ્વી પર કોઈ સ્વર્ગ છે, તો તે અહીં જ છે.
સ્વ. પ્રાણલાલ પટેલ સ્વભાવે શાંત, સરળ, નિરાભીમાની અને પ્રવાસપ્રિય હતાં. હિમાલય, કુલુ-મનાલી, સિમલા, નેપાળ અને કાશ્મીર કાશ્મીર વગેરે સ્થળોએ સારા એવા પ્રવાસ કરી ફોટોગ્રાફી કરી હતી. સ્વ. પ્રાણલાલ પટેલનું કામ અત્યંત પ્રાણવાન અને જીવંત હતું, તેઓ તેમનો વારસો પુત્ર આનંદ પટેલ અને પૌત્ર ગૌતમ પટેલને આપી ગયા હતાં.
સાત દાયકાથી પણ વધુ સમયના તેમના કર્મઠ કાર્યશીલ જીવનના કારણે 1937માં દાલીયા બિલ્ડિંગમાં સ્થાપેલો પટેલ સ્ટુડિયો તીર્થસ્થળનું માન પામ્યો છે.