મુંબઈ
ફ્રેન્કલિન ટેમ્પલ્ટનની ઓપન એન્ડેડ ડાયનેમિક એસેટ એલોકેશન હાઇબ્રિડ સ્કીમ ફ્રેન્કલિન ઈન્ડિયા બેલેન્સ્ડ એડવાન્ટેજ ફંડ ત્રીજી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યું છે. આ સાથે તેણે રૂ. 2,700 કરોડની એસેટ અંડર મેનેજમેન્ટ (એયુએમ) હાંસલ કર્યાનો બીજો સીમાચિહ્ન પણ મેળવ્યો છે.
સપ્ટેમ્બર, 2022માં લોન્ચ થયેલા આ ફંડે 29 ઓગસ્ટ, 2025ના રોજ 12.54 ટકાના સીએજીઆરથી વળતર મેળવ્યું છે જેની સામે તેના બેન્ચમાર્ક નિફ્ટી 50 હાઇબ્રિડ કમ્પોઝિટ ડેટ 50:50 ઇન્ડેક્સે 10.19 ટકાનો સીએજીઆર નોંધાવ્યો હતો. રોકાણકારો માટે કહીએ તો ફંડની શરૂઆત થઈ ત્યારે રૂ. 1 લાખનું કરેલું લમ્પસમ રોકાણ હવે રૂ. 1.42 લાખ થયું છે જ્યારે લોન્ચિંગના સમયથી માસિક રૂ. 10,000ની એસઆઈપીનું કુલ રૂ. 3.6 લાખનું રોકાણ ઓગસ્ટ 2025ના અંતે વધીને રૂ. 4.27 લાખ થયું છે.
આ ફંડ રાજસા કાકુલાવરાપુ, વેંકટેશ સંજીવી, ચાંદની ગુપ્તા, અનુજ તાગરા, રાહુલ ગોસ્વામી અને સંદીપ મનમની અનુભવી ટીમ દ્વારા મેનેજ કરવામાં આવે છે.
લાંબા ગાળે સંપત્તિ સર્જન પર ધ્યાન
હાઇબ્રિડ ફંડ્સની વૃદ્ધિ પર પ્રકાશ પાડતા ફ્રેન્કલિન ઈન્ડિયા બેલેન્સ્ડ એડવાન્ટેજ ફંડના પોર્ટફોલિયો મેનેજર કે. રાજસાએ જણાવ્યું હતું કે હાઇબ્રિડ કેટેગરી હવે ઘણી જ વિશાળ થઈ ચૂકી છે. બજાર પરિપક્વ બન્યું છે અને રોકાણકારો જીવનના લક્ષ્યાંક પર આધારિત રિસ્ક-રિટર્ન અપેક્ષાઓ સમજતા થયા છે ત્યારે મારા મતે આ કેટેગરી અહીંથી હવે અનેકગણી વૃદ્ધિ પામશે.
ફ્રેન્કલિન ઈન્ડિયા બેલેન્સ્ડ એડવાન્ટેજ ફંડએવા રોકાણકારો માટે યોગ્ય છે જેઓ ઓછી અસ્થિરતા સાથે મૂડીની લાંબા ગાળે વૃદ્ધિ ઇચ્છે છે. બેલેન્સ્ડ એડવાન્ટેજ ફંડ બજારના વેલ્યુએશનને અમારી એસેટ એલોકેશન વ્યૂહરચનામાં સમાવે છે, બજારો ઘટેલા હોય ત્યારે ઇક્વિટીમાં વધુ ફાળવણી કરે છે અને વેલ્યુએશન્સ ઊંચા હોય ત્યારે ફાળવણી ઘટાડે છે જેના લીધે ફંડની કામગીરીમાં વધારો થાય છે, એમ કે. રાજસાએ ઉમેર્યું હતું. ફંડની ઇન્વેસ્ટમેન્ટ ફિલોસોફી મધ્યમથી લાંબા ગાળે વાજબી વિકાસ દ્રશ્યતા ધરાવતી હોય તેવી કંપનીઓ શોધવાની છે જે સ્વીકૃત મૂલ્યાંકનો પર ઉપલબ્ધ હોય.
આ ફંડ એક પ્રોપરાઇટરી એસેટ એલોકેશન મોડેલ લાગુ કરે છે જે ઇક્વિટી અને ડેટ વચ્ચે ગતિશીલ રીતે એડજસ્ટ કરવા માટે ગુણાત્મક મૂળભૂત સિદ્ધાંતોને જથ્થાત્મક મૂલ્યાંકન પરિમાણો સાથે મિશ્રિત કરે છે. ફંડ એનએસઈ 500 ટ્રેઇલિંગ પ્રાઇસ-ટુ-અર્નિંગ્સ અને પ્રાઇસ-ટુ-બુક મલ્ટીપલ્સને જુએ છે, એવરેજ લઈને ક્વોન્ટિટેટિવ રીતે ઇક્વિટી ફાળવણી કરે છે. ઇક્વિટીમાં, ફંડ ફ્લેક્સી-કેપ અભિગમ અપનાવે છે, જે લાર્જ-કેપ, મીડ-કેપ અને સ્મોલ-કેપ તકોમાં ભાગીદારી સુનિશ્ચિત કરે છે.
સરળ એક્સેસ અને મજબૂત મેનેજમેન્ટ નિપુણતા
આ સ્કીમમાં દર મહિને માત્ર રૂ. 500 અને ત્યારબાદ રૂ. 1ના ગુણાંકમાં લઘુતમ એસઆઈપી સાથે રોકાણકારો ભાગ લઈ શકે છે.
વૈશ્વિક વેપાર અનિશ્ચિતતાઓ દ્વારા પ્રેરિત વર્તમાન અસ્થિર વાતાવરણમાં, ફ્રેન્કલિન ઈન્ડિયા બેલેન્સ્ડ એડવાન્ટેજ ફંડ એવા રોકાણકારો માટે યોગ્ય હોઈ શકે છે જેઓ લાંબા ગાળાની વૃદ્ધિની સંભાવના ધરાવે અને નુકસાનનું ઓછું જોખમ ધરાવતા માર્ગ સાથે રોકાણ કરવા માંગતા હોય.
તેના મજબૂત એસેટ એલોકેશન ફ્રેમવર્ક, અનુભવી ફંડ મેનેજમેન્ટ ટીમ અને સાબિત ટ્રેક રેકોર્ડ સાથે, ફ્રેન્કલિન ઈન્ડિયા બેલેન્સ્ડ એડવાન્ટેજ ફંડ ઓછી અસ્થિરતા સાથે સંપત્તિ સર્જન ઇચ્છતા રોકાણકારો માટે વિશેષ પસંદગી તરીકે પોતાનું સ્થાન જાળવી રાખે છે.
