તિયાનગોંગ
ચીનના ત્રણ અંતરિક્ષયાત્રી ટૂંક સમયમાં પૃથ્વી પર પાછા પહોંચશે. અંતરિક્ષ મિશન દરમિયાન તેમના યાનને અંતરિક્ષના મલબાના એક ટુકડો અથડાયો હતો, જેના કારણે તેમની વાપસી રોકી દેવી પડી હતી. હવે નવું ક્રૂ અંતરિક્ષમાં મોકલવામાં આવી રહ્યું છે અને તેના શેનઝોઉ-21 યાન દ્વારા આ ત્રણેય યાત્રીઓ પૃથ્વી પર ઉતરશે
એપ્રિલમાં ગયા હતા અંતરિક્ષમાં
ચીનની સરકારી મીડિયા અનુસાર, આ ત્રણેય અંતરિક્ષયાત્રી—ચેન ડોંગ, ચેન ઝોંગરૂઈ અને વાંગ જી—છ મહિના માટેના રોટેશન મિશન હેઠળ એપ્રિલમાં તિયાનગોંગ અંતરિક્ષ સ્ટેશન પર ગયા હતા. 1 નવેમ્બરે નવું ક્રૂ પહોંચ્યા પછી ચાર દિવસમાં તેઓની વાપસી થવાની હતી, પરંતુ શેનઝોઉ-20 યાન અંતરિક્ષના મલબાના નાના ટુકડાથી ટકરાયું હોવાની આશંકાને કારણે વાપસી રદ કરાઈ હતી. હવે તેમને શેનઝોઉ-21 યાન મારફતે પરત લાવવામાં આવશે.
2030 સુધી ચંદ્ર પર માનવ ઉતારવાની તૈયારી
ચીનના માનવયુક્ત અંતરિક્ષ એન્જિનિયરિંગ કાર્યાલયના નિવેદન મુજબ, ત્રણેય યાત્રીઓ સારી સ્થિતિમાં છે, તેમના રોજિંદા કાર્ય અને જીવન બંને સામાન્ય રીતે ચાલુ છે. ચીને 2003થી પોતાનોં અંતરિક્ષ કાર્યક્રમ શરૂ કર્યોં છે અને ત્યારથી સતત પ્રગતિ કરી છે. તેણે પોતાનું અંતરિક્ષ સ્ટેશન બનાવ્યું છે અને 2030 સુધી ચંદ્ર પર માનવ ઉતારવાનું લક્ષ્યાંક નક્કી કર્યું છે.
શેનઝોઉ-21ના તાજેતરના મિશનમાં પ્રયોગો માટે પહેલીવાર ચીન ચ્હાંકડિયાં (ઉંદર)ને પણ અંતરિક્ષમાં લઈ ગયું છે, જે ચીનના અંતરિક્ષ કાર્યક્રમ માટે એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.
