અમદાવાદ

સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટીએ બિસ્લેરી સાથે મળીને સસ્ટેનેબિલિટી પહેલ સાથે ‘વર્લ્ડ અર્થ ડે’ ની ઉજવણી કરી. જેમાં યુનિવર્સિટીના વિવિધ વિભાગોના 300થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહ સાથે ભાગ લીધો હતો.
આ ઉજવણીનો ઉદ્દેશ્ય આકર્ષક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ દ્વારા પર્યાવરણીય જાગૃતિ અને જવાબદાર જીવનને પ્રોત્સાહન આપવાનો હતો. જેમાં પ્લાસ્ટિક રિસાયક્લિંગ વિષય પર જાગૃતિ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું, વિદ્યાર્થીઓને પ્લાસ્ટિક કચરાના વધતા પડકારો અને ટકાઉ કચરાના વ્યવસ્થાપન અંગે સમજાવવામાં આવ્યાં હતાં. આ સત્રમાં વિદ્યાર્થીઓ તેમના રોજિંદા જીવનમાં પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડી સરળ, વ્યવહારુ પગલાં અપનાવે તેના પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો હતો.
આ સાથે જ “સેવ અર્થ, સેવ ફ્યુચર”, “સે નો ટુ પ્લાસ્ટિક”, “ક્લીન અર્થ, ગ્રીન અર્થ” અને “રિડ્યુસ, રિયુઝ, રિસાયકલ” જેવા થીમ્સ પર પોસ્ટર-મેકિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ સર્જનાત્મક અને વિચાર-પ્રેરક કલાકૃતિઓનું પ્રદર્શન કર્યું, જે પર્યાવરણીય મુદ્દાઓ પ્રત્યેની તેમની સમજણને પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.
આ કાર્યક્રમ વિદ્યાર્થીઓને સસ્ટેનેબિલિટી તરફ સક્રિય પગલાં લેવા અને પર્યાવરણીય સંરક્ષણમાં અર્થપૂર્ણ યોગદાન આપવા માટે પ્રેરણા આપવા માટે એક પ્લેટફોર્મ બન્યું હતું. સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટીએ પર્યાવરણ જાળવવાના વ્યાપક વૈશ્વિક પ્રયાસો સાથે સંકલન કરીને વિદ્યાર્થીઓમાં જાગૃતિ લાવવા અને પર્યાવરણને અનુકૂળ પ્રથાઓને પ્રોત્સાહન આપવાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો.
