સરકારી વિભાગોમાં કરાર આધારિત નોકરીઓમાં પણ અનામત મળશે

Spread the love

તમામ મંત્રાલયો અને વિભાગોને અસ્થાયી પદો પર આ અનામતને કડક રીતે લાગુ કરવા કેન્દ્ર દ્વારા નિર્દેશ આપવામાં આવ્યો

નવી દિલ્હી

સરકારી વિભાગોમાં કરાર આધારિત નોકરીઓમાં પણ અનામત મળશે. કેન્દ્ર સરકારે  સુપ્રીમકોર્ટમાં આ માહિતી આપી હતી. કેન્દ્રએ જણાવ્યું કે સરકારી વિભાગોમાં 45 દિવસ કે તેનાથી વધુની અસ્થાયી નિમણૂકમાં એસસી/એસટી/ઓબીસી અનામત મળશે. 

કેન્દ્ર સરકારે કહ્યું કે તમામ મંત્રાલયો અને વિભાગોને અસ્થાયી પદો પર આ અનામતને કડક રીતે લાગુ કરવા નિર્દેશ આપવામાં આવ્યો છે. ખરેખર તો કરાર આધારિત નોકરીઓમાં એસસી/એસટી/ઓબીસી અનામતની માગ સંબંધિત એક અરજી દાખલ કરાઈ હતી. તેના જવાબમાં કેન્દ્ર સરકારે જણાવ્યું કે 2022 માં જ ભારત સરકાર દ્વારા જાહેર કરેલી નોટિફિકેશનમાં આ અંગે માહિતી અપાઈ હતી. 

સરકાર દ્વારા જણાવાયું હતું કે કેન્દ્ર સરકારના પદો અને સેવાઓમાં નિમણૂકના સંબંધમાં 45 દિવસ કે તેનાથી વધુ દિવસની અસ્થાયી નિમણૂકમાં એસસી/એસટી/ઓબીસી ઉમેદવારોને અનામત મળશે. જોકે અસ્થાયી નિમણૂકમાં અનામતની વ્યવસ્થા 1968થી લાગુ છે. તેને લઈને 2018 અને 2022 માં પણ નિર્દેશ જારી કરાયા હતા. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *