ગુજરાત સ્ટેટ ફૂટસાલ ક્લબ ચેમ્પિયનશીપઃ 25 મે 2023

બરોડા ફૂટબોલ એકેડેમીએ સાત વિરુદ્ધ એક ગોલથી રાઇઝિંગ સન ફૂટબોલ ક્લબને પરાજિત કરી એ.આર.એ. ક્લબે શાહીબાગ પર પંદર વિરુદ્ધ ત્રણ ગોલથી વિજય મેળવ્યો સૂર્યવંશી ફૂટબોલ ક્લબ અને વડોદરાની પારૂલ ફૂટબોલ ક્લબ વચ્ચેની મેચમાં સૂર્યવંશી પાંચ વિરુદ્ધ ત્રણ ગોલથી વિજેતા ગુરૂવારની ચોથી અને છેલ્લી મેચ જગરનૉટ અધધધ એકતાલીસ વિરુદ્ધ ત્રણ ગોલથી જીતી ગઇ વડોદરાઃ 25 મે…

ધોરણ-10નું ગત વર્ષ કરતા 1.3 ટકા વધુ 64.22 ટકા પરિણામ, સુરત જિલ્લાનું સૌથી વધુ 75 ટકા, દાહોદ જિલ્લાનું સૌથી ઓછું 40.75 ટકા

અમદાવાદગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ સવારે 8 વાગ્યે જાહેર થઈ ગયું છે. શિક્ષણ બોર્ડ દ્વારા 14 માર્ચથી 28 માર્ચ દરમિયાન ધોરણ-10ની પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં સમગ્ર રાજ્યના 9.56 લાખ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. ગુજરાત બોર્ડની ધોરણ 10ની પરીક્ષાનું 64.22 % પરિણામ જાહેર કરાયું છે. ધોરણ 10ની પરીક્ષા સમગ્ર રાજ્યના 958 કેન્દ્રોમાં લેવામાં આવેલી…

વિદેશમાં મળેલું સન્માન મારું નહીં 140 કરોડ ભારતીયોનુંઃ મોદી

નવી દિલ્હીજાપાન, પાપુઆ ન્યુ ગિની અને ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ પૂરો કરીને ગુરુવારે વહેલી સવારે દિલ્હી પરત આવી ચૂકેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પાલમ એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પછી પીએમ મોદીએ એરપોર્ટ નજીક તેમનું સ્વાગત કરવા આવેલા બીજેપી કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા.તેમણે કહ્યું, આજે જે લોકો અહીં હાજર છે તે મોદીજીને પ્રેમ કરનારા લોકો…

અમેરિકામાં જન્મેલી સિંગર ટીના ટર્નરનું 83 વર્ષની વયે નિધન

વોશિંગ્ટનક્વીન ઓફ રોક ‘એન’ રોલ તરીકે જાણીતી અમેરિકામાં જન્મેલી સિંગર ટીના ટર્નરનું બુધવારે 83 વર્ષની વયે નિધન થયું હતું. તેમના પ્રતિનિધિએ જણાવ્યું કે તેમણે ઝ્યુરિખ નજીકના તેમના ઘરે લાંબી બીમારી બાદ અંતિમ શ્વાસ લીધા. તેમને અત્યાર સુધીના મહાન રેકોર્ડિંગ કલાકારોમાંના એક ગણવામાં આવે છે. ટર્નરે છેલ્લી સદીના 60ના દાયકામાં તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. તે…

ઈમરાનના ખાસ ફવાદ ચૌધરીનું પીટીઆઈમાંથી રાજીનામું

ઈસ્લમાબાદપાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને પીટીઆઈના વડા ઈમરાન ખાનને સતત ઝટકો લાગી રહ્યો છે. ઈમરાન ખાનની નજીકના અને તેમની સરકારમાં મંત્રી રહી ચૂકેલા ફવાદ ચૌધરીએપાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. 9 મેના રોજ થયેલી હિંસા બાદ સરકાર પીટીઆઈના નેતાઓ પર સતત કડક કાર્યવાહી કરી રહી છે. જેના કારણે ઈમરાનના નજીકના મિત્રો પાર્ટી છોડી રહ્યા છે.ઈમરાનની સરકારમાં માહિતી…

ટાટા ગ્રુપ વિશ્વની ટોપ-50 મોસ્ટ ઈનોવેટિંવ કંપનીઓમાં 20મા સ્થાને

નવી દિલ્હીટાટા ગ્રૂપના નામ સાથે એક મોટી ઉપલબ્ધિ જોડાઈ ગઈ છે. તેને વિશ્વની ટોપ-50 મોસ્ટ ઈનોવેટિવ કંપનીઓની યાદીમાં સામેલ કરવામાં આવી છે. ખાસ વાત એ છે કે આ યાદીમાં તે એકમાત્ર ભારતીય કંપની છે. બોસ્ટન કન્સલ્ટિંગ ગ્રૂપ દ્વારા 2023ની મોસ્ટ ઈનોવેટિવ કંપનીઓની યાદી બુધવારે બહાર પાડવામાં આવી હતી. તેમાં ટાટા ગ્રૂપ 20મા સ્થાને રહ્યું છે.આ…

એનઆઈએની ટીમ નીતિન ગડકરી પાસેથી ખંડણી મામલે તપાસ માટે નાગપુરમાં ધામા નાખશે

નવી દિલ્હીકેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને ધમકીના મામલાની તપાસ કરવા એનઆઈએની ટીમ આજે નાગપુર જશે. સૂત્રોના જણાવ્યા અનુસાર એનઆઈએની ટીમ પોલીસ પાસેથી કેસ સંબંધિત તમામ દસ્તાવેજો લીધા બાદ તેની તપાસ શરૂ કરશે.નીતિન ગડકરીને જાન્યુઆરી અને માર્ચમાં 110 કરોડની ખંડણીની ધમકીઓ મળી હતી. નાગપુર પોલીસે તેની તપાસમાં ખુલાસો કર્યો હતો કે આ કેસમાં પકડાયેલ આરોપી આતંકવાદી સંગઠન…

દિલ્હીના પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈન જેલના બાથરૂમમાં પડી ગયા

નવી દિલ્હીદિલ્હી સરકારના પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈનને દીન દયાલ ઉપાધ્યાય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, સત્યેન્દ્ર જૈન તિહાર જેલના બાથરૂમમાં ચક્કર આવવાને કારણે પડી ગયા હતા. આ પહેલા પણ સત્યેન્દ્ર જૈન બાથરૂમમાં પડી ગયા હતા.દિલ્હીના પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈનને આજે ફરી એકવાર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તબિયત ખરાબ હોવાની ફરિયાદો મળ્યા…

મુંબઈના ખેલાડીઓએ મુંબઈ સામે હાર બાદ નવીન હકને ટ્રોલ કર્યો

નવી દિલ્હીલખનઉ સુપરજાયન્ટ્સના ફાસ્ટ બોલર નવીન-ઉલ-હક વિરાટ કોહલી સાથેના વિવાદ બાદ સોશિયલ મીડિયા પર સતત ટ્રોલ થઈ રહ્યો છે. તેણે ગઈકાલની રાત્રે મુંબઈ સામે શાનદાર પ્રદર્શન કરીને 4 વિકેટ ઝડપી હતી, પરંતુ તેની ટીમને આ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો અને તે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ હતી. તે બાદ ફેન્સ નહીં પરંતુ મુંબઈ ઈન્ડિયન્સના…

નવા સંસદ ભવનના ઉદ્ગાટનમાં આંધ્ર-ઓડિશાના મુખ્યપ્રધાન હાજર રહેશે

નવી દિલ્હીઆંધ્ર પ્રદેશના શાસક વાયએસઆરસીપીના વડા અને રાજ્યના મુખ્ય પ્રધાન વાયએસ જગન મોહન રેડ્ડીએ ગઈકાલે પુષ્ટિ કરી હતી કે તેમની પાર્ટી 28 મેના રોજ નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટનમાં હાજરી આપશે. જો કે તેલુગુ દેશમ પાર્ટીએ હજુ સુધી આ અંગે નિર્ણય લીધો નથી.આ પહેલા ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકની પાર્ટી બીજુ જનતા દળે પણ આ કાર્યક્રમમાં ભાગ…

નિયમોના પાલનમાં ચેટજીપીટી અસમર્થ રહેશે તો યુરોપ છોડશે

લંડનઓપનએઆઈ દ્વારા ગયા વર્ષે ચેટજીપીટી લોન્ચ કરવામાં આવી ત્યારથી તે ચેટબોટના બજારમાં ચર્ચાનું કેન્દ્ર બની ગઈ છે. આ વચ્ચે હવે ઓપનએઆઈના સીઈઓ સેમ ઓલ્ટમેને જણાવ્યું હતું કે જો ચેટજીપીટીના નિર્માતા યૂરોપીયન યુનિયનના આગામી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના નિયમોનું પાલન કરવામાં અસમર્થ રહેશે તો તેઓ યુરોપ છોડવાનું વિચારી શકે છે. ઓલ્ટમેને લંડનમાં એક ઈવેન્ટમાં હાજરી આપી હતી.યુરોપિયન યુનિયન…

જયરામ રમેશે કહ્યું, અશોક ધ ગ્રેટ, અકબર ધ ગ્રેટ અને મોદી ધ ઈનોગ્રેટ

નવી દિલ્હીકોંગ્રેસ નેતા અને પૂર્વ કેન્દ્રીયમંત્રી જયરામ રમેશે નવા સંસદ ભવનના ઉદઘાટન અંગે પીએમ મોદી સામે આકરા પ્રહાર કર્યા હતા. જયરામ રમેશે કહ્યું કે એક વ્યક્તિના અહંકાર અને આત્મપ્રચારની ઈચ્છા જ છે જેણે પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિને બંધારણીય વિશેષાધિકારથી વંચિત કર્યા છે. તેમણે પીએમ પર કટાક્ષ કરતા તેમને મોદી ધ ગ્રેટ ઈનોગ્રેટ(ઉદઘાટન) કહ્યા હતા.કોંગ્રેસ નેતા…

અબજ ડૉલરનું કલેક્શન કરનારી ફિલ્મ જ્હોન વિક 4 ટ્વીટર પર લિક થઈ

વોશિંગ્ટનઅત્યાર સુધી ટ્વિટર એક એવું સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ હતું જેના પર માત્ર ફિલ્મોના નાના સીન અથવા સોંગ્સની ઝલક લીક થતી હતી. પરંતુ હવે આ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર આખી ફિલ્મ અપલોડ કરવામાં આવી છે અને આ કોઈ સામાન્ય ફિલ્મ નથી. આ ફિલ્મ ફ્રેન્ચાઇઝીએ વિશ્વભરમાં એક અબજ ડોલર કરતાં વધુ કલેક્શન કર્યું છે. એલોન મસ્કના ટ્વિટરને…

વિજ્ઞાનની ઉત્પત્તિ વેદોમાંથી થઈ, પશ્ચિમના વૈજ્ઞાનિકોએ પોતાના નામે પ્રચાર કર્યોઃ એસ. સોમનાથ

ઉજૈનઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનના અધ્યક્ષ એસ. સોમનાથે કહ્યું કે, વિજ્ઞાનની ઉત્પત્તિ વેદો માંથી થઇ છે, પરંતુ આ જ્ઞાન અરેબિયાના માધ્યમથી પશ્ચિમી દેશોમાં પહોંચ્યું અને ત્યાંના વૈજ્ઞાનિકોએ પોતાના નામે તેનો પ્રચાર કર્યો છે. આ ઉપરાંત તેમણે જણાવ્યું કે, બીજગણિત, વર્ગમૂળ, સમયની ગણતરી, આર્કિટેક્ચર, બ્રહ્માંડનો આકાર, ધાતુશાસ્ત્ર અને ઉડ્ડયન જેવી વૈજ્ઞાનિક પદ્ધતીઓનો વેદોમાં પ્રથમ ઉલ્લેખ જોવા મળે…

દહેરાદૂન-દિલ્હી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને મોદીએ લીલી ઝંડી બતાવી

નવી દિલ્હીઆજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉત્તરાખંડને મોટી ભેટ આપી છે. રાજ્યની પ્રથમ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને વડાપ્રધાન મોદીએ લીલી ઝંડી બતાવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હી આનંદ વિહાર રેલ્વે સ્ટેશન પર વર્ચ્યુઅલ માધ્યમથી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી.આ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન 28 મેથી દહેરાદૂન અને દિલ્હી વચ્ચે નિયમિતપણે દોડવાની છે. આ…

ભગવાન મહાકાલના નામે ઈસરો એક સેટેલાઈટ લોન્ચ કરશે

ઉજૈન12 જ્યોતિર્લિંગોમાંના એક એવા ભગવાન મહાકાલેશ્વરને ત્રણેય લોકના સ્વામી માનવામાં આવે છે. તેમને પાતાળ, પૃથ્વી અને આકાશમાં પ્રથમ અને સર્વ પૂજનીય દેવતા પણ કહેવામાં આવે છે. હવે ત્રણેય લોકના અધિપતિ ભગવાન મહાકાલના નામે એક સેટેલાઇટ પણ લોન્ચ થવા જઈ રહ્યો છે. ઈસરો ચીફે ઉજ્જૈનમાં દર્શન બાદ આપી આ વાતની જાણકારી આપી હતી.ઈસરોના ચીફ એસ. સોમનાથ…

દિલ્હી પોલીસે અશોક ગેહલોત સામે માનહાનીનો કેસ દાખલ કર્યો

નવી દિલ્હીરાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત વિરુદ્ધ દાખલ કરવામાં આવેલા અપરાધિક માનહાનિના કેસમાં દિલ્હી પોલીસે રાઉઝ એવન્યુ કોર્ટમાં પોતાનો રિપોર્ટ દાખલ કર્યો છે. કોર્ટે દિલ્હી પોલીસના રિપોર્ટને સ્વીકારી લીધો છે. કેન્દ્રીય જલ શક્તિ મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે ગેહલોત વિરુદ્ધ અપરાધિક માનહાનિનો કેસ દાખલ કર્યો હતો.દિલ્હી પોલીસના રિપોર્ટના આધારે રાઉઝ એવન્યુ કોર્ટ 1 જૂને સુનાવણી કરશે. રિપોર્ટના…

સેન્સેક્સમાં 99 અને નિફ્ટીમાં 36 પોઈન્ટનો વધારો નોંધાયો

મુંબઈકન્ઝ્યુમર ગુડ્સ અને રિયલ્ટી શેરોની આગેવાની હેઠળ, ભારતીય સ્થાનિક શેરબજાર સુસ્ત રિકવરી પછી ગુરુવારે બંધ થયું. આગલા દિવસે બંધ થયેલો સેન્સેક્સ ગુરુવારે 99 પોઈન્ટ ચઢ્યો હતો અને નિફ્ટી 18,300ની ઉપર બંધ થયો હતો. એરટેલ, અદાણી એન્ટરપ્રાઈઝના શેરમાં 3%નો વધારો નોંધાયો હતો. તે જ સમયે, ટ્રાઇડેન્ટ, ભારત ડાયનેમિક્સ, વિપ્રો, ટાટા મોટર્સના શેરમાં ઘટાડો થયો હતો. તે…

કર્ણાટકમાં શૈક્ષણિક સંસ્થાઓમાં હિજાબ પરનો પ્રતિબંધ પાછો ખેંચાવાની શક્યતા

બેંગલુરૂકર્ણાટકમાં કોંગ્રેસ સરકાર શૈક્ષણિક સંસ્થાઓમાં હિજાબ પહેરવા પરનો પ્રતિબંધ પાછો ખેંચી શકે છે. આ માહિતી કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના પુત્ર અને રાજ્ય સરકારમાં મંત્રી પ્રિયંક ખડગેએ આપી હતી. આ સાથે તેમણે આરએસએસ પર પ્રતિબંધ લગાવવાની ચેતવણી પણ આપી હતી.પ્રિયંક ખડગેએ કહ્યું કે જો રાજ્યમાં શાંતિ ભંગ કરાશે તો તેમની સરકાર બજરંગ દળ પર પ્રતિબંધ લગાવી…

28-29 મેએ રાજ્યમાં વરસાદની હવામાન વિભાગની આગાહી

અમદાવાદગુજરાતમાં ગરમીને લીધે લોકો ત્રાહિમામ પોકારી ગયાં છે. અમદાવાદ સહિતના શહેરોમાં 43 ડિગ્રી કરતા વધુ તાપમાન નોંધાઈ રહ્યું છે. ગરમીને કારણે લોકોને લૂ લાગવાના બનાવો પણ નોંધાઈ રહ્યાં છે. હવે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે રાજ્યમાં આજથી ગરમીથી રાહત મળશે. શુક્રવારે ભારે પવન ફૂંકાય તેવી પણ આગાહી કરવામાં આવી છે. બીજી બાજુ એક…