સ્વયમ અને ખેલો ઈન્ડિયા પેરા-એથ્લેટ્સ માટે અનુભવને સીમલેસ બનાવવા માટે હાથ મિલાવે છે; સ્વયમે પેરા ગેમ્સ 2023 માટે એક્સેસિબિલિટી પાર્ટનર તરીકે જાહેરાત કરી

ખેલો ઈન્ડિયા, યુવા બાબતો અને રમતગમત મંત્રાલયનો મુખ્ય કાર્યક્રમ અને ભારતની અગ્રણી સુલભતા સંસ્થા સ્વયમે આજે ખેલો ઈન્ડિયાની પ્રથમ વખતની પેરા ગેમ્સ માટે તેમની ભાગીદારીની જાહેરાત કરી. વ્યૂહાત્મક ભાગીદારી યુવા અને મહત્વાકાંક્ષી પેરા-એથ્લેટ્સ માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને પરિવહન સુલભ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ખેલો ઈન્ડિયા આ વર્ષે ગર્વથી પેરા ગેમ્સ રજૂ કરી રહી છે….

ભારતના સ્પોર્ટ્સ ક્ષેત્રને નવી દિશા આપવામાં અદભુત નેતૃત્ત્વ બદલ રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને ચેરપર્સન, નીતા એમ અંબાણીનું CII સ્કોરકાર્ડ 2023 સમારોહમાં “સ્પોર્ટ્સ લીડર ઓફ ધ યર- ફીમેલ” એવોર્ડથી સન્માન કરાયું

ભારતના સ્પોર્ટ્સ ક્ષેત્રને નવી દિશા આપવામાં અદભુત નેતૃત્ત્વ દાખવવા બદલ રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને ચેરપર્સન, નીતા એમ અંબાણીનું સોમવાર સાંજે નવી દિલ્હીમાં યોજાયેલા CII સ્કોરકાર્ડ 2023 સમારોહમાં “સ્પોર્ટ્સ લીડર ઓફ ધ યર- ફીમેલ” એવોર્ડથી સન્માન કરાયું હતું. આ ઉપરાંત સ્પોર્ટ્સમાં શ્રેષ્ઠતાના નવા માપદંડ સ્થાપિત કરવા બદલ રિલાયન્સ ફાઉન્ડેશનને પણ “બેસ્ટ કોર્પોરેટ પ્રમોટિંગ સ્પોર્ટ્સ ઈન ઈન્ડિયા”…

જોઆઓ ફેલિક્સ FC બાર્સેલોનાનો હીરો છે અને તેણે LALIGA EA SPORTS ટાઇટલ રેસને હચમચાવી દીધી છે

પોર્ટુગીઝ ફોરવર્ડે એટ્લેટિકો ડી મેડ્રિડ સામે રમતનો એકમાત્ર ગોલ કરીને બાર્સાને રિયલ મેડ્રિડ અને ગિરોના એફસીના ચાર પોઈન્ટની અંદર લાવી દીધી. એફસી બાર્સેલોનાને રવિવારે રાત્રે એટ્લેટિકો ડી મેડ્રિડની યજમાની વખતે ત્રણ પોઈન્ટની સખત જરૂર હતી, અને તેઓએ કામ પૂર્ણ કર્યું. પ્રથમ હાફમાં જોઆઓ ફેલિક્સનો ગોલ બાર્સા માટે 1-0થી વિજય મેળવવા માટે પૂરતો હતો, જેણે LALIGA…

મનીન્દર સિંહના સુપર 10ના સહારે બંગાળ વોરિયર્સે રોમાંચક વિજય મેળવ્યો

અમદાવાદ સમગ્ર મેચ દરમિયાન બંગાળ વોરિયર્સનો દબદબો રહ્યો પરંતુ બેંગલુરૂ બુલ્સે અંતિમ મિનિટોમાં જોરદાર લડત આપીને મેચને રસાકસીવાળી બનાવી દીધી હતી. જોકે, ટ્રાન્સસ્ટેડિયાના એકા એરેના ખાતે અંતે વોરિયર્સે 32-30ના સ્કોર સાથે મેચ જીતી લીધી હતી. મનીન્દર સિંહના સિઝનમાં પ્રથમ વખત 11 પોઈન્ટે વોરિયર્સના વિજયમાં મુક્ય ભૂમિકા નિભાવી. મનીન્દરે આજે સાંજે તેની પ્રથમ રેઈડમાં ટચપોઈન્ટ સાથે…

ડિફેન્ડિંગ ચેમ્પિયન્સ જયપુર પિંક પેન્થર્સને હરાવીને અસલમે પુનેરી પલટનના સુકાની તરીકે ડેબ્યું કર્યું

અમદાવાદ, પુનેરી પલટને સોમવારે અમદાવાદમાં ટ્રાન્સસ્ટેડિયાના EKA એરેના ખાતે ડિફેન્ડિંગ ચેમ્પિયન જયપુર પિંક પેન્થર્સને 37-33થી પછાડવા માટે શાનદાર ઓલરાઉન્ડ પ્રદર્શન કર્યું. અર્જુન દેશવાલ (17 પોઈન્ટ) અને અસલમ ઈનામદાર (10 પોઈન્ટ) દિવસના મુખ્ય સ્ટાર્સ હતા. પુનેરી પલ્ટન બ્લોકમાંથી સારી રીતે બહાર નીકળી અને તેઓ 6-3ની લીડ પર હતા જ્યારે ઈરાની ઓલરાઉન્ડર મોહમ્મદરેઝા શાદલોઈ ચિયાનેહે છઠ્ઠી મિનિટે…

બાયજૂસે કર્મીઓના પગાર માટે ફાઉન્ડરે ઘર ગિરવે મૂક્યું

સ્ટાફને પગાર મળવામાં થતા વિલંબ વચ્ચે બાયજૂ રવિન્દ્રને કર્ણાટકના બેંગલુરુમાં આવેલા પોતાના ઘરને ગિરવે રાખીને પૈસા એકઠા કર્યા નવી દિલ્હીદેશમાં સૌથી મોટા એડટેક પ્લેટફોર્મ બાયજૂસમાં પરિસ્થિતિ દિવસેને દિવસે વિકટ બનતી જઈ રહી છે અને કંપનીનું આર્થિક સંકટ સતત વધી રહ્યું છે. પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે, બાયજૂસની પાસે પોતાના કર્મચારીઓને આપવા માટે પગાર આપવાના પણ…

ભાજપના જીતના જશ્નને જોતા સમર્થકોને બે દિવસ બજારમાં ન જવા અપીલ

તિજારા વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર ઈમરાન ખાન ભાજપના બાલકનાથ સામે હારી ગયા હતા જયપુરરાજસ્થાનની તિજારા વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર ઈમરાન ખાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ઈમરાન ખાન પોતાના સમર્થકોને એક-બે દિવસ બજારમાં ન જવા માટે અપીલ કરી રહ્યો છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે આ વીડિયો ચૂંટણી…

પાકિસ્તાનમાં એક મંદિરને ઢોરવાડામાં ફેરવી નખાયું

રહીમયાર ખાન જિલ્લાના અહમદપુર લુમ્મા નામના ટાઉનમાં કેટલાક લોકોએ મંદિર પર કબ્જો કરીને તેમાં હવે ગાય, ભેસ અને મરઘીઓ રાખવાનુ શરુ કર્યું ઈસ્લામાબાદપાકિસ્તાનમાં હિન્દુઓ પર અત્યાચારનો સિલસિલો યથાવત છે.આમ છતા દુનિયાનુ કોઈ માનવાધિકાર સંગઠન તેના પર હરફ સુધ્ધા ઉચ્ચારી રહ્યુ નથી.છેલ્લા કેટલાક દિવસોથી હિન્દુ મંદિરોને ટાર્ગેટ કરાઈ રહ્યા છે.મંદિરો તોડવાની ઘટનાઓ વચ્ચે પંજાબ પ્રાંતમાં એક…

બ્રિટનમાં પરિવારના સભ્યોને લાવવા પર સરકારનો પ્રતિબંધ

આ કાર્યવાહી હેઠળ સ્વાસ્થ્ય અને સંભાળ વિઝા પરના ડૉક્ટરો હવે તેમના પરિવારના કોઈપણ સભ્યને તેમની સાથે બ્રિટેન લાવી શકશે નહીં લંડનબ્રિટિશ સરકારે ગઈકાલે દેશમાં ઇમિગ્રેશન રેટ ઘટાડવા માટે કડક પગલાંની જાહેરાત કરી હતી, જેમાં સ્કીલ્ડ વર્કર તેમના પરિવારજનોને ત્યાં આશ્રિત તરીકે લાવવા પર પ્રતિબંધ તેમજ ઉચ્ચ પગારની મર્યાદા નક્કી કરવા જેવો સમાવેશ થાય છે.બ્રિટિશ વડા…

ટીમ ઈન્ડિયામાં સિલેક્શન નહીં રિજેક્શન થાય છેઃ અજય જાડેજા

ઈશાન કિશનને વર્લ્ડ કપ અને ઓસી. સામેની ટી20 સિરિઝમાં પૂરતી તક ન મળવા પર પૂર્વ ક્રિકેટરનો આક્રોશ નવી દિલ્હીભારતીય ક્રિકેટ ટીમના વિકેટકીપર બેટ્સમેન ઇશાન કિશનને ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી 5 મેચોની ટી20આઈ સિરીઝમાં માત્ર 3 મેચમાં જ રમવાનો મોકો મળ્યો હતો. ઇશાન વનડે વર્લ્ડ કપ 2023માં પણ ભારતીય ટીમનો ભાગ હતો. પરંતુ તેણે માત્ર 2 મેચમાં…

બુમરાહે સ્પીડ વધારવા રનઅપ વધારવો જોઈએઃ નીરજ ચોપરા

પોતાના ભાલા ફેંકના અનુભવ પરથી નીરજની ટીમ ઈન્ડિયાના સ્ટાર પેસ બોલરને સલાહ નવી મુંબઇભારતના સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપરાને પણ ક્રિકેટમાં ઘણો રસ છે. તાજેતરમાં યોજાયેલ વર્લ્ડ કપની ફાઈનલ જોવા માટે તેઓ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં હાજર રહ્યા હતા. જો કે તે મેચમાં ટીમ ઈન્ડિયાને ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. તે મેચના બે…

ઈસરો અવકાશમાં મોકલેલા યાનને પરત લાવી શકે છે

ઈસરોએ ચંદ્રનું ચક્કર લગાવી રહેલા પ્રોપલ્શન મોડ્યુલને પૃથ્વીની ભ્રમણ કક્ષામાં પરત બોલાવી લીધા નવી દિલ્હીચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન-3ની સફળ લેન્ડિંગ બાદ ઈસરોએ ફરી એક વખત બધાને ચોંકાવી દીધી છે. આ વખતે ઈસરોએ ચંદ્રનું ચક્કર લગાવી રહેલા પ્રોપલ્શન મોડ્યુલને પૃથ્વીની ભ્રમણ કક્ષામાં પરત બોલાવી લીધા છે. ઈસરોએ આ પ્રયોગ કરીને સાબિત કરી દીધું છે કે,…

રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીની હત્યા

અંદાજિત 4થી 5 હુમલાખોરોએ સુખદેવ સિંહ ગોગામેડ પર ફાયરિંગ કરતા. ગોળી સુખદેવ સિંહના હૃદય અને ખભા પાસે વાગી. જેના કારણે તેમનું હોસ્પિટલ પહોંચતા જ મોત થયું જયપુરરાજસ્થાનની રાજધાની જયપુરમાં શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની તેમના ઘરમાં જ ગોળી મારીને હત્યા કરાઈ છે. ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે, જેમાં હત્યારા ગોગામેડી સાથે…

પેશાવરની શાળા પાસે બ્લાસ્ટમાં અનેક બાળકો ઘાયલ

વિસ્ફોટમાં ઘાયલ બાળકોને પેશાવરની લેડી રીડિંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, આ પૈકી બે બાળકોની હાલત ગંભીર ઈસ્લામાબાદપાકિસ્તાનના પેશાવરમાં ફરી એક વખત સ્કૂલ પાસે થયેલા બ્લાસ્ટના કારણે સેંકડો બાળકો ઘાયલ થયા છે.મળતા પ્રાથમિક અહેવાલો અનુસાર પેશાવરની એક સ્કૂલ પાસે થયેલા બ્લાસ્ટ બાદ પોલીસ દોડતી થઈ હતી. આ એક આતંકવાદી હુમલો હોવાની આંશકા પણ વ્યક્ત કરાઈ છે….

પાકિસ્તાનમાં છુપાઈને રહેતા ખાલિસ્તાની આતંકી લખબીર સિંહ રોડેનું મોત

હાર્ટ એટેકના કારણે બે ડિસેમ્બરે મોત થયું, આ સમાચાર લીક ના થાય તે માટે ચોરી છુપીથી પાકિસ્તાનમાં લખબીર સિંહના શિખ રીતિ રિવાજથી અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યા નવી દિલ્હીપાકિસ્તાનમાં લપાઈ છુપાઈને રહેતા વધુ એક ખાલિસ્તાની આતંકી લખબીર સિંહ રોડેનુ મોત થયુ છે.લખબીર સિંહ જરનૈલ સિંહ ભિંદરાનવાલેનો ભત્રીજો હતો અને પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઈએસઆઈના ઈશારે ભારતના…

સેન્સેક્સમાં 431 અને નિફ્ટીમાં 168 પોઈન્ટનો ઊછાળો નોંધાયો

અમેરિકાની રોકાણ સંસ્થાએ ગૌતમ અદાણી જૂથને ક્લીનચીટ આપ્યા બાદ, શેરોમાં બમ્પર વૃદ્ધિના આધારે અદાણી વિશ્વના 16મા સૌથી ધનિક વ્યક્તિ બન્યા નવી દિલ્હીમંગળવારે શેરબજારના કારોબારમાં સારી ગતિ નોંધાઈ હતી અને બીએસઈ સેન્સેક્સ 431 પોઈન્ટના વધારા સાથે 69,296 ના સ્તરે બંધ થવામાં સફળ રહ્યો હતો. નિફ્ટી 50 ઈન્ડેક્સ 168 પોઈન્ટના વધારા સાથે 20855ના સ્તરે બંધ થવામાં સફળ…

અકસ્માતમાં ઈજાગ્રસ્તોને મફત સારવાર થશે, ટૂંકમાં જાહેરાતની શક્યતા

આવનારા 4 મહિનાઓમાં આ સુવિધા આખા દેશમાં લાગૂ કરી દેવાની રોડ પરિવહન અને હાઈવે મંત્રાલયના સચિવે માહિતી આપી નવી દિલ્હી રોડ અકસ્માતમાં સૌથી વધુ મોત માત્ર સારવારમાં થતા વિલંબના કારણે થાય છે. આ ગંભીર વિષય પર ધ્યાન આપતા સરકાર ટુંક સમયમાં જ રોડ અકસ્માતના કેસમાં મફત સારવારની વ્યવસ્થા કરવા જઈ રહી છે. જેથી ઈજાગ્રસ્તોને આસપાસ…

રાજ્યમાં હજુ પાંચ દિવસ કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહી

મધ્ય અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદની આગાહી અમદાવાદ સાયક્લોનિક સર્ક્યુલેશનને પગલે ગુજરાતમાં હજુ પાંચ દિવસ વાદળછાયા વાતાવરણ અને હળવા કમોસમી વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આગામી ત્રણ દિવસ લઘુતમ તાપમાનમાં 3 ડિગ્રી સુધીનો ઘટાડો થતાં ઠંડીમાં વધારો થશે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં માવઠું થવાની શક્યતા…

સીઆઈડી ફેમ દિનેશ ફડનીસનું 57 વર્ષની વયે નિધન

તેમના અવસાનની પુષ્ટી તેમના કો-સ્ટાર દયાનંદ શેટ્ટીએ કરી મુંબઈ સીઆઈડી ફેમ દિનેશ ફડનીસનું નિધન થયું છે. તેમને રવિવારે જ હાર્ટ એટેક આવતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ પછી તેની હાલત નાજુક હતી. ચાહકો તેના સાજા થવા માટે ખૂબ પ્રાર્થના કરી રહ્યા હતા, પરંતુ કોઈની પ્રાર્થના કામ ન કરી અને તેઓએ ગઈકાલે લગભગ 12 વાગ્યાની…

છ ડિસેમ્બરની ઈન્ડિયાની બેઠકમાં નીતિશ કુમાર સામેલ નહીં થાય

યૂપીના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ સિંહ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી તરફથી પહેલા જ બેઠકમાં સામેલ ન થવાના સંકેત આપી દેવાયા છે નવી દિલ્હી આખા વિપક્ષને એકજૂથ કરી ઈન્ડિયા ગઠબંધન બનાવવામાં મહત્વની ભૂમિકા નિભાવનારા મુખ્યમંત્રી નીતીશ કુમાર હવે ગઠબંધનની દૂર ભાગતા નજરે પડી રહ્યા છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ 6 ડિસેમ્બરે દિલ્હીમાં ઈન્ડિયા ગઠબંધનની…