કોંગ્રેસના નેતા ડૉ.અઝીઝ કુરેશીનું 83 વર્ષની ઉંમરે નિધન

ડૉ. અઝીઝ કુરેશી 1984માં મધ્ય પ્રદેશના સતના બેઠક પરથી લોકસભા ચૂંટણી લડી પ્રથમ વખત સાંસદ બન્યા હતા ભોપાલ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ત્રણ વખતના પૂર્વ રાજ્યપાલ ડૉ.અઝીઝ કુરેશીનું 83 વર્ષની ઉંમરે નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બિમાર હતા. થોડા દિવસો પહેલા આરોગ્ય લથડતા તેમને ભોપાલની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેમણે હોસ્પિટલમાં જ…

વિશ્વના અનેક દેશોમાં વસંત ઋતુનું વહેલું આગમન થયું

આ વર્ષે પણ ફેબ્રુઆરી મહિનામાં અપેક્ષા કરતા વધારે ગરમી પડી છે અને તેના કારણે વસંત ઋતુના આગમનના એંધાણ પણ સમય કરતા વહેલા દેખાયા નવી દિલ્હી ક્લાઈમેટ ચેન્જના કારણે દુનિયામાં તાપમાન વધી રહ્યું છે, દરિયાની સપાટીમાં વધારો થઈ રહ્યો છે અને ગ્લેશિયર પણ પીગળી રહ્યા છે.  હવે વિશ્વના લોકો એક નવો અનુભવ પણ કરી રહ્યા છે….

સેન્સેક્સ-નિફ્ટી ઓલટાઈમ હાઈ, સેન્સેક્સમાં 1245, નિફ્ટીમાં 356 પોઈન્ટનો ઊછાળો

પેટાઃ બીએસઈ સેન્સેક્સે 73,590.58 પોઈન્ટ અને નિફ્ટીએ 22,312.65 પોઈન્ટના નવા રેકોર્ડ સર્જ્યા મુંબઈ કેન્દ્ર સરકાર દ્વારા ગુરુવારે ડિસેમ્બર ક્વાર્ટરના જીડીપી ગ્રોથ ના આંકડા જારી કરવામાં આવ્યા હતા. જે અગાઉ લગાવવામાં આવેલા તમામ અનુમાનો કરતાં શ્રેષ્ઠ છે. ક્યુ3માં ઈન્ડિયન ઈકનોમી 8.4%ના રેકોર્ડ ગતિથી આગળ વધ્યો છે. ઈકોનોમીની તેજ રફ્તારની અસર શેરબજાર પર પણ જોવા મળી રહી…

અમારી સરકારની દિશા, નીતિઓ અને નિર્ણય બધું જ યોગ્ય છેઃ મોદી

સંદેશખાલી કેસ મુદ્દે ઈન્ડી ગઠબંધન ચુપ છે, જેના કારણે આખો દેશ દુઃખી છે, તેમના નેતાઓના આંખ-કાન-નાક અને મોઢું ગાંધીજીના ત્રણ બંદરોની જેમ બંધ છેઃ મોદીના પ્રહાર કોલકાતા પશ્ચિમ બંગાળની મુલાકાતે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ આજે આરામબાગમાં 7200 કરોડ રૂપિયાના અનેક વિકાસ પ્રોજેક્ટોનું ઉદઘાટન, શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું હતું. આ ઉપરાંત તેમણે એક જાહેર સભાને…

પંજાબમાં આપના નેતાની જાહેરમાં ગોળી મારીને હત્યા

જીવ ગુમાવનાર આપ નેતાની ઓળખ ગુરપ્રીત સિંહ તરીકે થઈ, હત્યારા ફરાર તરનતારન પંજાબના તરનતારન જિલ્લામાં આમ આદમી પાર્ટી (આપ)ના નેતાની બદમાશોએ જાહેરમાં ગોળી મારીને હત્યા કરી નાખી છે. હત્યારાઓએ પહેલા આમ આદમી પાર્ટીના નેતાની ગાડીનો પીછો કર્યો અને ત્યારબાદ જ્યારે તેમણે શ્રી ગોઈંડવાલ સાહિબ પાસે રેલવે ફાટક બંધ થવાના કારણે ગાડી રોકી તો હત્યારાઓએ અંધાધૂંધ…

સ્તન કેન્સર જાગૃતિ સંદર્ભે“વોક ફોર હર-2” ચેરીટી વોકનું આયોજન

આશિર્વાદ ફાઉન્ડેશનને દાનમાં મળેલા કુલ પગલા સામે દર 5000 પગલાએ એક મહિલાના સ્તન કેન્સરની તપાસ વિનામૂલ્યે કરી આપવામાં આવશે અમદાવાદ આશિર્વાદ ફાઉન્ડેશન દ્વારા તા. ૨ માર્ચ થી ૮ માર્ચ દરમિયાન સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત એક ચેરિટી વોકનું આયોજન કરવામાં આવ્યું છે. આ ચેરિટી વોક અંતર્ગત તમારા કોઈપણ એક દિવસનાં ચાલેલા પગલાંનો ફોટો (સ્ક્રીન શોટ) આપના મોબાઈલ…

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડે આનંદ સિંઘીની રિટેલ અને ગવર્મેન્ટ બિઝનેસના ચીફ તરીકે નિયુક્તિની જાહેરાત કરી

મુંબઈ  ભારતની અગ્રણી પ્રાઇવેટ જનરલ ઇન્શ્યોરન્સ કંપની આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ શ્રી અનિલ સિંઘીની રિટેલ અને ગવર્મેન્ટ બિઝનેસના નવા ચીફ તરીકે નિયુક્તિની જાહેરાત કરતા આનંદ અનુભવે છે જે ઇન્શ્યોરન્સ ઉદ્યોગમાં તેની સ્થિતિને વધુ મજબૂત બનાવવાના ઉદ્દેશથી કરાયેલી એક વ્યૂહાત્મક પહેલ છે. જનરલ ઇન્શ્યોરન્સ ઉદ્યોગમાં બે દાયકા કરતા વધુનો અનુભવ ધરાવતા શ્રી સિંઘીની નિયુક્તિ આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ માટે વિકાસને આગળ ધપાવવા તથા નવીનતાને પ્રોત્સાહન આપવા તરફનું વધુ એક મહત્વપૂર્ણ પગલું દર્શાવે છે. શ્રી સિંઘી બિઝનેસ ઓપરેશન્સ, અંડરરાઇટિંગ, ક્લેઇમ્સ, સેલ્સ, માર્કેટિંગ અને ડિસ્ટ્રીબ્યુશન જેવા મહત્વના કામોમાં ઉદાહરણીય લીડરશિપ દ્વારા ઝળહળતી કારકિર્દી ધરાવે છે. આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ સાથે તેમણે પોતાની સફર શરૂ કરી હતી જ્યાં તેમણે એક દાયકા સુધી કામ કર્યુ હતું અને વેલ્થ મેનેજમેન્ટના વાઇસ પ્રેસિડેન્ટના પદે પહોંચ્યા હતા. બાદમાં શ્રી સિંઘી રિલાયન્સ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડમાં પહેલા ચીફ ઓપરેટિંગ ઓફિસર તરીકે અને પછી ચીફ ડિસ્ટ્રીબ્યુશન ઓફિસર તરીકે જોડાયા હતા અને વિવિધ પ્રોડક્ટ પોર્ટફોલિયો અને ચેનલ્સને આવરતી સેલ્સ, ડિસ્ટ્રીબ્યુશન, માર્કેટિંગ અને રિટેલ તથા ગવર્મેન્ટ બિઝનેસમાં વ્યૂહાત્મક પહેલની કામગીરી હાથ ધરી હતી. પોતાની નવી ભૂમિકા અંગે ઉત્સાહ વ્યક્ત કરતા આનંદ સિંઘીએ જણાવ્યું હતું કે “આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડમાં જોડાવા અંગે હું ઉત્સાહિત છું અને આને કંપનીના સતત સફળતા અને ઇનોવેશનના એજન્ડામાં પ્રદાન આપવા માટેની આ એક મોટી તક તરીકે જોઉં છું. અત્યાર સુધીની મારી સફરમાં મને જે આંતરદ્રષ્ટિ અને અનુભવ મળ્યો છે તે મારા મતે સંસ્થા માટે મોટાપાયે વૃદ્ધિ અને ટકાઉ નફાકારકતા તરફ દોરી જશે.” કોમર્સમાં ગ્રેજ્યુએટ અને પ્રોફેશનલ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એવા શ્રી સિંઘીની શૈક્ષણિક લાયકાત અને ઉદ્યોગના અનુભવના સુભગ સમન્વયથી તેઓ આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડની લીડરશિપ કેડરમાં એક મહત્વપૂર્ણ એસેટ બની રહશે. તેમની નિયુક્તિ પ્રતિભાઓને પોષવા તથા ઉત્કૃષ્ટતાની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે કંપનીની પ્રતિબદ્ધતા દર્શાવે છે. તેમની નવી ક્ષમતામાં શ્રી સિંઘી રિટેલ, ડિજિટલ અને ગવર્મેન્ટ બિઝનેસને સમાવતા વિવિધ નિર્ણાયક ક્ષેત્રોમાં મહત્વની ભૂમિકા ભજવશે. આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડના હ્યુમન રિસોર્સીસના ચીફ જેરી જોસે જણાવ્યું હતું કે “અમે શ્રી આનંદ સિંઘીનું હૂંફાળું સ્વાગત કરીએ છીએ અને તેમના પુરવાર થયેલા ટ્રેક રેકોર્ડ તથા લીડરશિપના વિવિધ સ્તરના અનુભવો સાથે અમે તેમને અમારી વર્તમાન લીડરશિપ ટીમને પૂરક બનાવતા અને વધુ મજબૂત કરતા જોઈએ છીએ. આનંદની નિયુક્તિ સાથે આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ ઉત્કૃષ્ટતા માટેની તેની પ્રતિબદ્ધતાની પુનઃપુષ્ટિ કરે છે તથા ચપળતા તથા દૂરંદેશી સાથે ઇન્શ્યોરન્સ ઉદ્યોગના ઊભરતા ક્ષેત્રમાં આગળ વધવા માટે તૈયાર છે.”

LALIGA EA SPORTS Matchday 27 પૂર્વાવલોકન: રેલિગેશન યુદ્ધ અને યુરોપ માટેની રેસમાં સીધા દ્વંદ્વયુદ્ધનો સપ્તાહાંત

માર્ચનો પ્રથમ LALIGA EA સ્પોર્ટ્સ મેચ ડે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે જ્યારે સિઝનના અંતે બધું કહેવામાં આવે છે અને કરવામાં આવે છે. તે એટલા માટે છે કારણ કે ટેબલની ટોચ પર અને તળિયે ઘણા સીધા દ્વંદ્વયુદ્ધો આવી રહ્યા છે. મેચ ડેની પ્રથમ રમત આરસી સેલ્ટા અને યુડી અલ્મેરિયા વચ્ચે શુક્રવારની રાત્રિની મીટિંગ…

સરકારી જમીન પર કબજ જમાવવા મંદિર બનાવી દેવાય છેઃ હાઈકોર્ટ

ચાંદલોડિયાના 93 પરિવારોએ રોડ નિર્માણનો વિરોધ કરતા અરજી દાખલ કરી જે સિંગલ જજની અદાલતમાં ફગાવી દીધા બાદ તેમણે ડિવીઝન બેન્ચ સામે અપીલ દાખલ કરી અમદાવાદ ટાઉન પ્લાનિંગ સ્કીમ હેઠળ એક રોડ માટે ડિમોલિશન કાર્યવાહી મુદ્દે અમદાવાદના કેટલાક લોકો હાઈકોર્ટ પહોંચ્યા હતા અને એક મંદિરને તોડી પાડવામાં ન આવે તે માટે વિનંતી કરી હતી. અરજી પર…

મહારાષ્ટ્રમાં પણ ઉદ્ધવ-પવાર અને કોંગ્રેસ વચ્ચે બેઠકની વહેંચણી

ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેના 20 સીટો પર જોકે કોંગ્રેસ 18 તથા શરદ પવારની એનસીપી 10 બેઠકો પર લોકસભા ચૂંટણીમાં પોત પોતાના ઉમેદવારોને મેદાને ઉતારવા સહમત નવી દિલ્હી જેમ જેમ લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ઈન્ડિયા ગઠબંધનમાં રાજકીય પક્ષોની તૈયારીઓ ઝડપથી આગળ વધી રહી છે. આ દરમિયાન મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડીને લઈને પણ મોટા…

સીઆરપીએફના આઈજી અનુરાગ અગ્રવાલને સંસદ ભવનની સુરક્ષાની જવાબદારી સોંપાઈ

સંયુક્ત સુરક્ષા સચિવ સંસદ ભવનની સિક્યોરિટી સર્વિસના પ્રમુખ હોય છે, આઈપીએસ અગ્રવાલ 3 વર્ષ સુધી સંયુક્ત સચિવ સુરક્ષાના પદ પર રહેશે નવી દિલ્હી સંસદની સુરક્ષામાં ચૂકના લગભગ 3 મહિના બાદ લોકસભા સ્પીકર ઓમ બિરલાએ મોટો નિર્ણય લીધો છે. તેમણે સીઆરપીએફના આઈજી અનુરાગ અગ્રવાલને સંસદ ભવનની સુરક્ષાની જવાબદારી સોંપી છે. ઓમ બિરલાએ આઈપીએસ અગ્રવાલને સંસદ ભવનમાં…

સ્વદેશી વેરી શોર્ટ રેન્જ એર ડિફેન્સ સિસ્ટમનું સફળ પરીક્ષણ

વીએસએચઓઆરએડીએસનું વજન 20.5 કિલોગ્રામ હોય છે, તેની લંબાઈ 6.7 ફૂટ છે અને વ્યાસ 3.5 ઈંચ છે, તે પોતાની સાથે 2 કિલોગ્રામ વજનનું હથિયાર લઈ જઈ શકે છે નવી દિલ્હી ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (ડીઆરડીઓ) એ 28 અને 29 ફેબ્રુઆરીના રોજ ઓડિશાના દરિયાકાંઠે ઈન્ટીગ્રેટેડ ટેસ્ટ રેન્જ (આઈટીઆર) ચાંદીપુર ખાતે વેરી શોર્ટ રેન્જ એર ડિફેન્સ સિસ્ટમનું…

આસામમાં સીએએના વિરોધમાં નવ માર્ચે 12 કલાકની ભૂખ હડતાળ

એએએસયુના અધ્યક્ષે કહ્યુ કે સીએએ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં ઘણા કેસ ચાલી રહ્યા છે ત્યારે તેને લાગુ કરવાની જાહેરાત લોકોની સાથે અન્યાય છે નવી દિલ્હી આસામમાં નાગરિકતા સુધારો કાયદા (સીએએ) વિરુદ્ધ ઓલ આસામ સ્ટુડન્ટ્સ યુનિયન (આસૂ) સહિત 30થી વધુ સંગઠનોએ પ્રદર્શન કરવાનું એલાન કરી દીધુ છે. એએએસયુના અધ્યક્ષ ઉત્પલ શર્માએ કહ્યુ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આસામ…

કોંગ્રેસનો એજન્ડા ગાંધી પરિવારના ડાયનિંગ ટેબલ પર સેટ થાય છેઃ હિમંતા બિસ્વા

કોંગ્રેસ અથવા અન્ય પક્ષોની વાત કરો તો તે કાર્યકર્તાઓએ બનાવી નથી, તે ફક્ત તેમના નેતાઓ અને પરિવારની આસપાસ કેન્દ્રિત છે ગુવાહતી આસામના સીએમ હિમંતા બિસ્વા સરમાએ ગુરુવારે ભારતીય જનતા પાર્ટીની પ્રશંસા કરી અને કોંગ્રેસ પાર્ટીની આકરી ટીકા કરી હતી. બારપેટા જિલ્લાના ચકચકા ખાતે પાર્ટી કાર્યાલયના ઉદ્ઘાટનના અવસર પર કોંગ્રેસમાંથી ભાજપના નેતા બનેલા હિમંતા બિસ્વા સરમાએ…

કોલકાતામાં ફ્રસ્ટ ક્લાસ લિગ ક્રિકેટ મેચમાં ફિક્સિંગનો આરોપ

સીએબીના અધ્યક્ષે શ્રીવત્સ ગોસ્વામીના મેચ ફિક્સિંગના આરોપો પર ચર્ચા કરવા માટે તેની પ્રથમ-શ્રેણીની લીગની ટુર્નામેન્ટ સમિતિની એક બેઠક બોલાવી કોલકતા ભારતીય ક્રિકેટમાં ફરી એકવાર ફિક્સિંગનુ ભૂત ધૂણ્યુ છે. પૂર્વ ભારતીય ક્રિકેટર શ્રીવત્સ ગોસ્વામીએ એક વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા જ ખળભળાટ મચી ગયો હતો. તેમણે કોલકાતામાં ફર્સ્ટ ક્લાસ લીગ ક્રિકેટમાં મેચ ફિક્સિંગનો આરોપ લગાવ્યો…

જુરેલે સારી બેટિંગ કરી, ધોનીને ધોની બનતા 15 વર્ષ થયાઃ સૌરવ ગાંગુલી

મને સૌથી વધુ પ્રભાવિત કરે છે તે તેની ક્ષમતા… સ્પિનર રમવાની તેની યોગ્યતા…ઝડપી બોલરો સામે રમવાની તેની ક્ષમતા…સૌથી મહત્ત્વનું પ્રેશરમાં રમવાની તેની ક્ષમતાઃ ગાંગુલી નવી દિલ્હી ઈંગ્લેન્ડ સામેની રાંચી ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન બદલ ક્રિકેટ નિષ્ણાતોએ ધ્રુવ જુરેલના વખાણ કર્યા છે. તેણે પ્રથમ દાવમાં 90 રન અને બીજી ઈનિંગમાં 39 રન બનાવીને ઈંગ્લેન્ડ સામે ભારતની જીતમાં…

લોકતંત્રમાં ભીડ તંત્ર ન ચલાવી લેવાયઃ ઋષિ સુનક

દેખાવો ભીડમાં ફેરવાઈ ના જાય તે માટે પોલીસે તમામ અધિકારોનો ઉપયોગ કરવો જોઈએ લંડન બ્રિટનમાં છાશવારે રસ્તા પર ઉતરીને દેખાવો કરી રહેલા લોકોની સામે બ્રિટિશ પીએમ ઋષિ સુનકે કડક હાથે કામ લેવા માટે પોલીસને આદેશ આપ્યો છે.  સુનકે દેશના તમામ શહેરોના પોલીસ વડાઓની એક બેઠક બોલાવી હતી અને તેમાં તેમણે કહ્યુ હતુ કે, લોકતંત્રમાં ભીડતંત્ર…

પાક. ટીવી પર મેચની છેલ્લી ઓવરમાં હાસ્યાસ્પદ વિન ફોરકાસ્ટ આવ્યો

રધરફોર્ડે ફાઈન લેગ તરફ છેલ્લા બોલ પર ચોગ્ગો ફટકારીને પોતાની ટીમને જીત અપાવી ક્વેટા પાકિસ્તાન સુપર લીગ ફરી એકવાર તેની નબળી ટેક્નોલોજીના કારણે સમાચારમાં છે. તાજેતરમાં, પીએસએલમાં ઉપયોગમાં લેવાતા નબળા ડીઆરએસને કારણે, આ લીગની વિશ્વભરમાં મજાક ઉડાવવામાં આવી હતી અને આ વખતે તેણે હદ વટાવી દીધી છે. 29 ફેબ્રુઆરીની રાત્રે, પાકિસ્તાન સુપર લીગ 2024ની 16મી…

ઈસરોના રોકેટ પર ચીનનો ઝંડો ડિઝાઈનરની નાનકડી ભૂલઃ ડીએમકે

પાર્ટી વતી આ જાહેરાત આપનારા મંત્રીએ ભારપૂર્વક કહ્યું કે આ માત્ર એક સામાન્ય અને નાનકડી ભૂલ હતી, ડીએમકેનો કોઈ એવો ઈરાદો નહોતો નવી દિલ્હી ઈસરો એટલે કે ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનના નવા પ્રક્ષેપણ સંકુલને લગતી એક જાહેરાત વિવાદનું કારણ બની ગઇ છે. મામલો એવો છે કે આ જાહેરાતમાં ઈસરોના રોકેટ પર ચીનનો રાષ્ટ્રધ્વજ લગાવી દેવામાં…

હિમાચલના ઓપરેશનમાં પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અમરિંદરનો હાથ

અમરિંદરસિંહે ઉત્તર ભારતમાં એકમાત્ર કોંગ્રેસ સરકારને પણ તોડી પાડવા માટે ભાજપ વતી મોરચો સંભાળ્યો હતો નવી દિલ્હી સુખવિન્દર સિંહ સુક્ખુ હાલમાં હિમાચલ પ્રદેશમાં પોતાની સરકાર બચાવવામાં સફળ રહ્યા છે, પરંતુ રાજ્યસભામાં કારમી હાર અને પછી સરકાર પર સંકટની બંને ઘટનાઓએ કોંગ્રેસ હાઈકમાન્ડને હચમચાવી મૂક્યું હતું. આ પર્વતીય રાજ્યમાં રાજકીય કટોકટી સર્જવા પાછળ કોનો હાથ હતો…