સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની સપાટીમાં વધારો, 24 કલાકમાં 34 સેન્ટીમીટરનો ઉછાળો

ડેમની સપાટી 127.23 મીટરે પહોંચી, કુલ સંગ્રહ ક્ષમતા 66.46 ટકા; કેનાલમાં 14,832 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે રાજપીપળા સરદાર સરોવર નર્મદા ડેમમાં વરસાદના કારણે પાણીની આવક યથાવત રહેતાં જળસંગ્રહમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. શુક્રવારે સવારે 9 વાગ્યાની સ્થિતિ મુજબ ડેમની જળસપાટી 127.23 મીટરે પહોંચી છે, જે છેલ્લા 24 કલાકમાં 34 સેન્ટીમીટરનો વધારો દર્શાવે છે….

પ્રગતિપથ યાત્રા અંતર્ગત સરદાર સરોવર ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત

રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલ સહિત મહાનુભાવોએ વિકાસ પ્રકલ્પોનું અવલોકન કર્યું, યુવાનોને વિકસિત ભારત@2047ના નિર્માણમાં સહભાગી બનવા આહ્વાન એસવીએન, એકતા નગર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે નર્મદા જિલ્લામાં ‘પ્રગતિપથ યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું હતું. વિકાસલક્ષી કાર્યો અને લોકભાગીદારી આધારિત વિકાસ મોડેલને નજીકથી સમજવાના હેતુથી આયોજિત આ યાત્રામાં રાજ્યમંત્રી તથા નર્મદા જિલ્લાના…