ભરૂચમાં 4 હજારથી વધુ વિદ્યાર્થીઓ ફરી શિક્ષણના મુખ્ય પ્રવાહમાં જોડાયા

દિકરીના ઘરે પહોંચી પ્રભારી મંત્રી પ્રફુલ પાનશેરીયાએ માતાને સમજાવ્યું શિક્ષણનું મહત્વ, હિરલબેનનો પુનઃ શાળામાં પ્રવેશ કરાવ્યો ભરૂચ : રાજ્ય સરકારના ‘બેક ટુ સ્કૂલ અભિયાન’ અંતર્ગત ‘સમરસ સેતુ વિદ્યા અભિયાન’ હેઠળ ભરૂચ જિલ્લામાં શિક્ષણ વિભાગને મોટી સફળતા મળી છે. વિવિધ કારણોસર ધોરણ 1થી 12 વચ્ચે અભ્યાસ છોડી ચૂકેલા 4,000થી વધુ દીકરા-દીકરીઓને પુનઃ શિક્ષણના મુખ્ય પ્રવાહ સાથે…

રિલાયન્સ ફાઉન્ડેશનની 5,100 સ્કોલરશિપ માટે અરજી શરૂ

UG વિદ્યાર્થીઓને રૂ. 2 લાખ અને PG વિદ્યાર્થીઓને રૂ. 6 લાખ સુધીની શિષ્યવૃત્તિ; અરજી માટે કોઈ ફી નહીં મુંબઈ ભારતના સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ રિલાયન્સ ફાઉન્ડેશને Reliance Foundation Scholarships 2026-27 માટે અરજીઓ શરૂ કરવાની જાહેરાત કરી છે. આ શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત દેશભરના પ્રથમ વર્ષના અંડરગ્રેજ્યુએટ અને પોસ્ટગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓમાંથી કુલ 5,100 વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવશે. વિદ્યાર્થીઓને આર્થિક…

હીરામણિ પ્રાથમિક શાળામાં ‘વરસાદની મોજ’ થીમ આધારિત છત્રી સુશોભન સ્પર્ધા યોજાઈ

વિદ્યાર્થીઓએ રંગબેરંગી છત્રીઓ પર વરસાદી ઋતુનું સૌંદર્ય ઉતારી સર્જનાત્મકતાનો પરિચય આપ્યો અમદાવાદ વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા, કલ્પનાશક્તિ અને કલાપ્રેમનો વિકાસ થાય તેમજ તેમની કલાત્મક અભિવ્યક્તિને પ્રોત્સાહન મળે તે હેતુથી હીરામણિ પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ) ખાતે “વરસાદની મોજ” થીમ આધારિત છત્રી સુશોભન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ પોતાની અનોખી કલ્પનાઓને રંગો અને સર્જનાત્મક…

હીરામણિ ઉચ્ચતર માધ્યમિક શાળામાં વક્તૃત્વ સ્પર્ધા, વિદ્યાર્થીઓએ વિવિધ સમકાલીન વિષયો પર વિચારો વ્યક્ત કર્યા

ધોરણ 8થી 12ના વિદ્યાર્થીઓએ ‘મારા સ્વપ્નનું ભારત’, ‘એ.આઈ.ના લાભાલાભ’ અને ‘દેશની આઝાદીના ઘડવૈયા’ જેવા વિષયો પર રજૂ કરી પ્રભાવશાળી વક્તૃત્વ કળા અમદાવાદવિદ્યાર્થીઓમાં જ્ઞાન, વિચારશક્તિ, તર્કશક્તિ અને આત્મવિશ્વાસનો વિકાસ થાય તેવા ઉદ્દેશ્ય સાથે હીરામણિ ઉચ્ચતર માધ્યમિક શાળા (ગુજરાતી માધ્યમ) ખાતે ધોરણ 8થી 12ના વિદ્યાર્થીઓ માટે વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ વિવિધ સામાજિક અને…

હીરામણી હાયર સેકન્ડરી સ્કૂલમાં ઇન્ટર-હાઉસ સ્પેલિંગ બી સ્પર્ધાનું સફળ આયોજન

અસાધારણ ભાષાકૌશલ્ય ધરાવતા વિદ્યાર્થીઓએ દર્શાવી શબ્દભંડોળ અને જોડણીની પ્રતિભા, વાર્ષિક પારિતોષિક વિતરણ સમારોહમાં વિજેતાઓનું થશે સન્માન અમદાવાદઅમદાવાદ સ્થિત હીરામણી હાયર સેકન્ડરી સ્કૂલ (ઇંગ્લિશ મિડિયમ) ખાતે 4 ઓગસ્ટ, 2026ના રોજ ઇન્ટર-હાઉસ સ્પેલિંગ બી સ્પર્ધાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. ચારેય હાઉસના મોડરેટર્સ દ્વારા પસંદ કરાયેલા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓએ ઉત્તમ શબ્દભંડોળ, ભાષા પરની પકડ અને ચોક્કસ જોડણી કૌશલ્યનું…

મંગલદીપ વિદ્યાલયમાં ગુરુપૂર્ણિમા નિમિત્તે ગુરુ વંદન અને વિદ્યાર્થી અભિનંદન કાર્યક્રમ યોજાયો

ભારત વિકાસ પરિષદ ઘાટલોડિયા શાખાના સહયોગથી સંસ્કારમય ઉજવણી, નવા વાડજ ખાતે વિદ્યાર્થીઓમાં ગુરુ પ્રત્યે આદરભાવનો સંદેશ અમદાવાદ: ગુરુપૂર્ણિમાના પાવન અવસરે નવા વાડજ સ્થિત મંગલદીપ વિદ્યાલયમાં ભારત વિકાસ પરિષદ, ઘાટલોડિયા શાખાના સહયોગથી ‘ગુરુ વંદન – વિદ્યાર્થી અભિનંદન’ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં ગુરુ પ્રત્યે આદર, કૃતજ્ઞતા અને ભારતીય સંસ્કૃતિના મૂલ્યોનું સંવર્ધન…

હીરામણિ પ્રાથમિક સ્કૂલમાં ગુરુપૂર્ણિમાની ભાવભીની ઉજવણી, વિદ્યાર્થીઓએ શ્લોકગાનથી ગુરુના મહિમાનું કર્યું ગાન

ધોરણ 1થી 7ના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો; ગુરુ-શિષ્ય પરંપરાનું મહત્વ સમજાવતો કાર્યક્રમ યોજાયો અમદાવાદઅમદાવાદની હીરામણિ પ્રાથમિક સ્કૂલ (અંગ્રેજી માધ્યમ) ખાતે ગુરુપૂર્ણિમાના પાવન અવસરે ધોરણ 1થી 7ના વિદ્યાર્થીઓ માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ શ્લોકગાન રજૂ કરીને ગુરુના મહિમાનું ગાન કર્યું હતું તેમજ ગુરુ-શિષ્યના પવિત્ર સંબંધોનું મહત્વ સમજાવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ ભક્તિ,…

MBBS પ્રવેશ માટે MCC ના 3 નિયમો બદલાયા: લાખો વિદ્યાર્થીઓને થશે મોટો ફાયદો

NEET કાઉન્સિલિંગ 2026: MCC દ્વારા નિયમોમાં કરાયા મોટા ફેરફારો નવી દિલ્હી મેડિકલ અભ્યાસક્રમોમાં પ્રવેશ પ્રક્રિયા હવે ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે. મેડિકલ કાઉન્સિલિંગ કમિટી (MCC) દ્વારા NEET કાઉન્સિલિંગના નિયમોમાં મહત્વના ફેરફારો કરવામાં આવ્યા છે. હવે સીટ અપગ્રેડ કરવા કે સીટ છોડવા માટે વિદ્યાર્થીઓએ સંબંધિત કોલેજમાં રૂબરૂ જવાની જરૂર નહીં પડે. આ ઉપરાંત, NRI…

NEET પેપર લીક મામલે સુપ્રીમ કોર્ટની કેન્દ્ર સરકાર સામે લાલ આંખ: કહ્યું- વાયુસેનાની મદદ કામચલાઉ, નક્કર પ્લાન બનાવો

સુપ્રીમ કોર્ટે NEET-UG પેપર લીક મામલે કેન્દ્ર સરકાર અને NTAના વલણ સામે નારાજગી વ્યક્ત કરી છે. કોર્ટે પરીક્ષા પ્રણાલીમાં સુધારા લાવવા માટે વિસ્તૃત અને નક્કર અહેવાલ માંગ્યો છે નવી દિલ્હી: નીટ પેપર લીક કેસમાં સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકાર પાસે પરીક્ષા સુધારણા અંગે ઝીણવટભરી વિગતો માંગી છે. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે રી-નીટ પરીક્ષા…

જર્મની ભારતીય વિદ્યાર્થીઓ માટે નવી પસંદગીનું સ્ટડી ડેસ્ટિનેશન બન્યું, પાંચ વર્ષમાં સંખ્યા બમણી થઈ

ઓછા ખર્ચે વિશ્વસ્તરીય શિક્ષણ, 18 મહિનાના પોસ્ટ-સ્ટડી વર્ક અવસર અને મજબૂત રોજગાર બજારથી વિદ્યાર્થીઓનો ઝોક વધ્યો અમદાવાદ: વિદેશમાં ઉચ્ચ શિક્ષણ માટે ભારતીય વિદ્યાર્થીઓની પસંદગીમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળી રહ્યો છે. અમેરિકા, બ્રિટન, કેનેડા અને ઓસ્ટ્રેલિયા હજુ પણ લોકપ્રિય છે, પરંતુ વધતી ટ્યુશન ફી, જીવનનિર્વાહના ખર્ચ અને કડક વિઝા નિયમોને કારણે હવે વિદ્યાર્થીઓ જર્મની સહિતના યુરોપિયન…

દીકરાની પ્રેરણાથી માતાએ ફરી શરૂ કર્યું શિક્ષણ, IIT મદ્રાસના દીક્ષાંત સમારંભમાં બંનેએ સાથે મેળવી ડિગ્રી

45 વર્ષની જિગીશા ટેલર અને 21 વર્ષના પુત્ર આદિત્ય કાપડિયાની અનોખી સફર બની પ્રેરણાસ્ત્રોત; પરિવાર, મહેનત અને સંકલ્પથી સાબિત કર્યું કે શીખવાની કોઈ ઉંમર નથી ચેન્નાઈ ગુજરાતના ભરૂચની રહેવાસી જિગીશા ટેલર અને તેમના પુત્ર આદિત્ય કાપડિયાએ IIT મદ્રાસના ઓનલાઈન ડેટા સાયન્સ એન્ડ એપ્લિકેશન પ્રોગ્રામમાંથી એકસાથે ડિગ્રી મેળવી અનોખો ઈતિહાસ રચ્યો છે. દીકરાની પ્રેરણાથી વર્ષો બાદ…

ભારતના ઇતિહાસ, બંધારણ અને વૈજ્ઞાનિક સિદ્ધિઓ પર ઓનલાઈન ક્વિઝ, વિજેતાઓને મળશે ₹15,000 સુધીના ઇનામ

લાલ કિલ્લા પર સ્વતંત્રતા દિવસ સમારોહમાં હાજરીની તકઃ રક્ષા મંત્રાલય અને MyGov Indiaની સંયુક્ત પહેલ; માત્ર 5 મિનિટમાં આપી શકાશે 20 પ્રશ્નોના જવાબ નવી દિલ્હી: ભારતના ઇતિહાસ, ભારતીય બંધારણ અને દેશની વૈજ્ઞાનિક સિદ્ધિઓ અંગે નાગરિકોમાં જાગૃતિ વધારવાના હેતુથી રક્ષા મંત્રાલય અને MyGov Indiaના સંયુક્ત તત્ત્વાવધાન હેઠળ ઓનલાઈન ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં…

ગુજરાતના NCC કેડેટ મનુજ કુમાર આંતરરાષ્ટ્રીય મંચ પર ઝળક્યા

કિર્ગિઝ પ્રજાસત્તાકમાં યોજાનારા પ્રતિષ્ઠિત યુથ એક્સચેન્જ પ્રોગ્રામ-2026 માટે પસંદગી, ગુજરાત NCC માટે ગૌરવની ક્ષણ અમદાવાદનેશનલ કેડેટ કોર્પ્સ (NCC) નિદેશાલય ગુજરાત માટે ગૌરવની ક્ષણ સર્જાઈ છે. અમદાવાદની ‘1 ગુજરાત NCC બટાલિયન’ના કેડેટ મનુજ કુમારની પ્રતિષ્ઠિત યુથ એક્સચેન્જ પ્રોગ્રામ (YEP)-2026 માટે પસંદગી થઈ છે. તેઓ કિર્ગિઝ પ્રજાસત્તાકમાં યોજાનારા આ આંતરરાષ્ટ્રીય કાર્યક્રમમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. તેમની પસંદગીથી ગુજરાત…