ભાવનગર સર ટી હોસ્પિટલ અને મેડિકલ કોલેજની કામગીરીની આરોગ્ય રાજ્યમંત્રીએ સમીક્ષા કરી, અનેક મહત્વના આદેશો જારી

નિર્માણ કાર્યોમાં ઝડપ, હોસ્પિટલમાં સ્વચ્છતા, દર્દીઓ સાથે નમ્ર વ્યવહાર અને રેગિંગ સામે ઝીરો ટોલરન્સની નીતિ પર ભાર ભાવનગર આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં સુરતથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ભાવનગરની સરકારી મેડિકલ કોલેજ અને સર ટી. હોસ્પિટલની કામગીરી તેમજ નિર્માણાધીન પ્રોજેક્ટ્સ અંગે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં મેડિકલ કોલેજના ડીન, હોસ્પિટલના તબીબી અધિક્ષક, પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર યુનિટ…

ભારે વરસાદ વચ્ચે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા એક્શનમાં; કામરેજમાં મોડી રાત્રે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક

અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત કામગીરી ઝડપી બનાવવા, વીજ પુરવઠો અને માર્ગ વ્યવસ્થા વહેલી તકે પૂર્વવત્ કરવા અધિકારીઓને કડક સૂચના કામરેજ કામરેજ તાલુકામાં ભારે વરસાદથી સર્જાયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્યના આરોગ્ય મંત્રી તથા કામરેજના ધારાસભ્ય પ્રફુલ પાનશેરીયાએ ગુરુવારે મોડી રાત્રે તાલુકા પંચાયત કચેરી ખાતે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી. બેઠકમાં વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે વરસાદી પરિસ્થિતિ, રાહત…

વરસાદી સ્થિતિ વચ્ચે ગુજરાતનું આરોગ્ય તંત્ર હાઈ એલર્ટ પર, આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક

રાજ્યમાં દવાઓનો પૂરતો જથ્થો ઉપલબ્ધ; PHC-CHC, 108 એમ્બ્યુલન્સ અને તબીબી ટીમોને 24 કલાક તૈયાર રહેવા સૂચના, રેડ એલર્ટ જિલ્લાઓમાં વિશેષ દેખરેખ ગાંધીનગર ગુજરાતમાં વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદ અને હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલા રેડ એલર્ટને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારનું આરોગ્ય તંત્ર સંપૂર્ણ સજ્જ બન્યું છે. આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ…

ચમારડી સબ-સેન્ટર મામલે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની કડક કાર્યવાહી

બાંધકામમાં બેદરકારી અને ગુણવત્તા સાથે ચેડાં સામે ‘ઝીરો ટોલરન્સ’નો સંદેશ; જવાબદાર એન્જિનિયરને શો-કોઝ નોટિસ ગાંધીનગર રાજ્ય સરકારના વિકાસકાર્યોમાં ગુણવત્તા અને પારદર્શિતાને લઈને આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ કડક વલણ અપનાવ્યું છે. અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ચમારડી ગામે નિર્માણાધીન આરોગ્ય સબ-સેન્ટરના બાંધકામમાં નબળી ગુણવત્તા અને બેદરકારીની ફરિયાદને ગંભીરતાથી લઈ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક તપાસ…

નકલી ડોક્ટરો અને લેભાગુ તત્વો સામે રાજ્ય સરકાર લાલઘૂમ: આચારસંહિતા બાદ કડક કાયદો લાવવાની આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાની જાહેરાત

​સુરતરાજ્યમાં આયુર્વેદના નામે લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા અને યોગ્ય ડિગ્રી વગર તબીબી પ્રેક્ટિસ કરતા તત્વો સામે હવે રાજ્ય સરકાર કડક વલણ અપનાવવા જઈ રહી છે. સુરત ખાતે આયુર્વેદિક ડોક્ટરો દ્વારા યોગગુરુ પ્રદીપ જોટંગીયા અને અન્ય નકલી ડોક્ટરો વિરુદ્ધ કરવામાં આવેલી રજૂઆત બાદ રાજ્યના આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાએ ગંભીરતા દાખવી કડક કાર્યવાહીની ખાતરી આપી છે. ​મુખ્ય…