હરે કૃષ્ણ કેન્દ્ર, કડી દ્વારા ભવ્ય બૃહદ બસ્તી સંકીર્તન મહોત્સવ યોજાયો
કડી હરે કૃષ્ણ કેન્દ્ર, કડી દ્વારા આજે શહેરના વિવિધ વિસ્તારોમાં ભવ્ય બૃહદ બસ્તી સંકીર્તન મહોત્સવનું સફળ આયોજન કરવામાં આવ્યું. આ પવિત્ર કાર્યક્રમમાં હરિ નામ સંકીર્તન દ્વારા આધ્યાત્મિક જાગૃતિ ફેલાવવા સાથે લોકોના કલ્યાણ માટે વિશેષ પ્રયત્ન કરવામાં આવ્યો.આ મહોત્સવ દરમિયાન કુલ ૭ શેરીઓમાં સંકીર્તન યાત્રા યોજાઈ, જેમાં માલ્હારપુરા, પ્રજાપતિ વાસ, ખાટ ચોક રામજી મંદિર, વાલ્મીકી વાસ,…
