Admin

SPARSH પર સંરક્ષણ પેન્શનના વિસંગત કેસોના નિરાકરણમાં મોટી સિદ્ધિ

વાયુસેના અને નૌકાદળના તમામ 1,45,182 વિસંગત કેસોનું નિરાકરણ; સેનાના 3,94,779માંથી 3,90,336 કેસ પણ થયા નોર્મલાઇઝ નવી દિલ્હી | સંરક્ષણ હિસાબ વિભાગ (Defence Accounts Department) દ્વારા પેન્શન વ્યવસ્થાપન પ્રણાલી SPARSH (System for Pension Administration – Raksha) પર વિસંગત કેસોના નિરાકરણમાં નોંધપાત્ર પ્રગતિ હાંસલ કરવામાં આવી છે. ભારતીય વાયુસેના અને ભારતીય નૌકાદળ સાથે સંબંધિત તમામ 1,45,182 વિસંગત…

VIMARSH 2026: સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતાને વેગ, 13 મેન્યુફેક્ચરિંગ પાર્ટનર્સને ટેક્નોલોજી ટ્રાન્સફરના 9 કરાર

રક્ષા મંત્રી રાજનાથ સિંહે ‘વાર્તાથી વિકાસ’ના મંત્ર સાથે ખાનગી ક્ષેત્ર, MSME અને સંશોધન સંસ્થાઓના સહયોગને ગણાવ્યો અનિવાર્ય નવી દિલ્હી, સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતાને વધુ મજબૂત બનાવવા માટે DRDO દ્વારા નવી દિલ્હીમાં ‘VIMARSH 2026’નું આયોજન કરવામાં આવ્યું હતું. ‘વાર્તાથી વિકાસ’ થીમ પર યોજાયેલા આ DRDO-Industry Synergy Meetમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહે ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન DRDO…

સમાચાર વિશ્વ ન્યૂઝ એજન્સી, સમાચાર ફાઈલ, 15-09-2026, 225થી વધુ અખબારો એજન્સીની સેવાનો લાભ લઈ રહ્યા છે

પીએફના કામ માટે હવે ઈપીએફઓ પોર્ટલ પર જવાની જરૂર નથી, વોટ્સએપથી થશે કામ; ચેનલ સાથે જોડવાની પ્રોસેસ સહિતની વિશેષ માહિતી ઉપરાંત આજના રસપ્રદ સમાચારોની વર્ડ ફાઈલ માટે નીચેની લિન્ક પર ક્લિક કરો. તંત્રી શ્રી દિવસના તાજા રસપ્રદ સમાચારોની આ ફાઈલ આપ ઉપર આપેલી ફાઈલની લિન્કથી ડાઉનલોડ કરીને વર્ડ ફાઈલમાંથી કોઈ પણ સમાચારનો ઉપયોગ કરો તો…

નર્મદામાં ‘સેવા સંકલ્પ અભિયાન’ની બાઈક યાત્રા, સ્ટેચ્યુ ઓફ યુનિટીથી પવિત્ર નર્મદા જળ સાથે પ્રસ્થાન

મંત્રી પ્રફુલપાનસેરિયા અને નાયબ દંડક વિજય પટેલ યાત્રામાં જોડાયા; તિલકવાડામાં લાભાર્થી સંવાદ અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો રાજપીપળા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જાહેર જીવન અને સેવા કાર્યકાળનાં 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત બાઈક યાત્રા નર્મદા જિલ્લામાં બીજા દિવસે પહોંચી હતી. નવસારી જિલ્લાના ઉનાઈ માતાજી મંદિરેથી 13 સપ્ટેમ્બરે શરૂ થયેલી આ યાત્રાએ નર્મદા…

DRDO-ઇન્ડસ્ટ્રી સહયોગને નવી દિશા: MSME અને સ્ટાર્ટઅપ્સ માટે રક્ષામંત્રીએ જાહેર કરી નવી નીતિઓ

VIMARSH-2026માં 9 ટેક્નોલોજી ટ્રાન્સફર કરાર 13 મેન્યુફેક્ચરિંગ ભાગીદારોને સોંપાયા; DRDO સોફ્ટવેરના સોર્સ કોડ શેરિંગ માટે સુરક્ષિત ફ્રેમવર્ક લોન્ચ નવી દિલ્હી રક્ષા મંત્રી રાજનાથ સિંહે નવી દિલ્હીમાં યોજાયેલા ‘VIMARSH’ DRDO-ઇન્ડસ્ટ્રી સિનર્જી મીટ દરમિયાન MSME અને ડીપ-ટેક સ્ટાર્ટઅપ્સને સંરક્ષણ ક્ષેત્રમાં વધુ સક્રિય બનાવવા માટે મહત્વપૂર્ણ નીતિ પહેલોની જાહેરાત કરી હતી. નવી પહેલો હેઠળ ટેક્નિકલ અને નાણાકીય પ્રવેશ…

ચેસ ઓલિમ્પિયાડ 2026 માટે ભારતથી ઉઝબેકિસ્તાન પહોંચી ઓલિમ્પિયાડ ટોર્ચની જ્યોત

એઆઈસીએફ પ્રમુખ નિતિન નારંગ અને વિશ્વનાથન આનંદે જાવોખિર સિંદારોવને સોંપી સેરેમોનિયલ ટોર્ચ બેંગલુરુ સમરકંદ, ઉઝબેકિસ્તાનમાં યોજાનારા ચેસ ઓલિમ્પિયાડ 2026 માટેના સત્તાવાર કાઉન્ટડાઉનને ચેસ ઓલિમ્પિયાડની સેરેમોનિયલ ટોર્ચ સોંપણી સાથે યાદગાર બનાવવામાં આવ્યું હતું. ફિડેએના વચગાળાના પ્રમુખ વિશ્વનાથન આનંદ અને ઓલ ઈન્ડિયા ચેસ ફેડરેશન (AICF)ના પ્રમુખ નિતિન નારંગે 2026ના કેન્ડિડેટ્સ વિજેતા તથા ઉઝબેકિસ્તાનના ટોચના ખેલાડી જાવોખિર સિંદારોવને…

ધીરજ બોમ્માદેવરાએ મેક્સિકોમાં લહેરાવ્યો તિરંગો, ભારતને વિશ્વ કપ ફાઇનલમાં પહેલી વાર પુરુષ રિકર્વ ઇવેન્ટનો ગોલ્ડ

તીરંદાજી વિશ્વ કપ ફાઇનલમાં ગોલ્ડ મેડલ જીતીને ભારતીય પુરુષ રિકર્વ તીરંદાજ ધીરજ બોમ્માદેવરાએ ઇતિહાસ રચ્યો છે. બોમ્માદેવરાએ રોમાંચક ખિતાબી મુકાબલામાં જાપાનના જુન્યા નાકાનિશીને હરાવીને આ સિદ્ધિ મેળવી છે. સાલ્ટિલો (મેક્સિકો): ટોચના ક્રમાંકિત ભારતીય રિકર્વ તીરંદાજ ધીરજ બોમ્માદેવરાએ જાપાનના નાકાનિશી જુન્યાને રોમાંચક શૂટ-આઉટમાં હરાવીને વિશ્વ કપ ફાઇનલમાં ગોલ્ડ મેડલ જીતનારા પહેલા ભારતીય પુરુષ રિકર્વ તીરંદાજ બનવાનું…

પીએફના કામ માટે હવે ઈપીએફઓ પોર્ટલ પર જવાની જરૂર નથી, વોટ્સએપથી થશે કામ; ચેનલ સાથે જોડવાની પ્રોસેસ

નવી દિલ્હી હવે ઈપીએફઓ (EPFO) ને એક્સેસ કરવાનો અનુભવ ખૂબ જ હાઇ-ટેક બનવા જઈ રહ્યો છે. પીએફ સંબંધિત માહિતી મેળવવા કે પૈસા ઉપાડવા માટે હવે સરકારી ઓફિસોના ચક્કર કાપવા નહીં પડે કે કોઈ જટિલ પોર્ટલ પરેશાન નહીં કરે. ઈપીએફઓ દ્વારા સત્તાવાર વોટ્સએપ ચેનલ લોન્ચ કરવામાં આવી છે, જેની મદદથી સીધા વોટ્સએપ પર જ મહત્વપૂર્ણ અપડેટ્સ…

અમિતાભ બચ્ચનનો ધડાકો: ‘ખરીદેલું કન્ટેન્ટ છે, તો રોકાણ વસૂલવું જ પડશે’, રિટાયરમેન્ટની અવાચક અફવાઓ પર વ્યંગ

બ્લોગના ખોટા અર્થઘટન પર ભડક્યા સુપરસ્ટાર એસવીેન. મુંબઈ બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય રહે છે અને અવારનવાર પોતાના બ્લોગ દ્વારા મનની વાત શેર કરતા રહે છે. તાજેતરમાં તેમના એક બ્લોગને લઈને મીડિયામાં તેમના રિટાયરમેન્ટ (નિવૃત્તિ) અંગેના સમાચારો વાયરલ થયા હતા. આ બાબતે ગુસ્સો વ્યક્ત કરતા અમિતાભ બચ્ચને સોશિયલ મીડિયા અને…

સરકારી નોકરીની આશામાં 34 વખત ફેઈલ, હિંમત ન તૂટી, સાત વર્ષ બાદ યુપીએસસી પાસ કરીને અધિકારી બન્યો અજય

આગ્રા સરકારી નોકરી મેળવવાનું સપનું જોવું અને તે માટે સતત સંઘર્ષ કરવો એ દરેક યુવાનના જીવનનો એક પડકારજનક તબક્કો હોય છે. ઉત્તર પ્રદેશના આગ્રાના રહેવાસી અજય પ્રતાપ સિંહની આ પ્રેરણાદાયી કહાની દર્શાવે છે કે જો મનમાં અડગ મનોબળ હોય, તો ગમે તેવી મુશ્કેલીઓ અને અસફળતાઓ પણ સફળતાના રસ્તાને રોકી શકતી નથી. 34 વખત નિષ્ફળ ગયા…

ટાટા ગ્રૂપના શેરોમાં ૨૦% સુધીનો ઉછાળો, RBIના ઇનકારથી મળ્યું બૂસ્ટ; શું છે આખો મામલો?

RBI દ્વારા ટાટા સન્સનું સર્ટિફિકેટ સરન્ડર કરવાની અરજી ફગાવી દેવાતા ટાટા ગ્રૂપની કંપનીઓના શેરોમાં ભારે તેજી જોવા મળી છે એસવીએન. મંબઈ દેશના સૌથી મોટા ઔદ્યોગિક ઘરારાણા ટાટા ગ્રૂપના શેરોમાં આજે જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) દ્વારા એક મોટા નિર્ણયના કારણે ટાટા ગ્રૂપની કંપનીઓના શેરોમાં ૨૦ ટકા સુધીની તેજી આવી છે….

ગુજરાતના મેચ કમિશનરો માટે FIFA કન્સલ્ટન્ટના માર્ગદર્શન હેઠળ સેમિનાર

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા આયોજિત સેમિનારમાં મેચ સંચાલન અને ફૂટબોલ વિકાસ અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન અમદાવાદ ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન (GSFA) દ્વારા ગુજરાત સુપર લીગ-3 અંતર્ગત એકા અરેના ફૂટબોલ ગ્રાઉન્ડ, ટ્રાન્સસ્ટેડિયા, અમદાવાદ ખાતે ગુજરાતના મેચ કમિશનરો માટે વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. 13 સપ્ટેમ્બર, 2026ના રોજ યોજાયેલી ફાઇનલ મેચના દિવસે આયોજિત આ સેમિનારમાં મેચનું…

પેરિસમાં હજારો ભક્તોની ઉપસ્થિતિમાં મહંત સ્વામી મહારાજની 93મી જન્મજયંતીની ભવ્ય ઉજવણી

યુરોપમાં પ્રથમવાર પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં જન્મજયંતીની ઉજવણી, ‘ધ ગુરુ ધેટ ગિવ્સ’ કાર્યક્રમમાં આધ્યાત્મિક જ્ઞાન, સંપ, નિઃસ્વાર્થ પ્રેમ અને ભગવાનની અનુભૂતિનો સંદેશ પેરિસ/બુસી-સેંટ-જ્યોર્જેસયુરોપ તથા વિશ્વના વિવિધ દેશોમાંથી હજારો ભક્તો રવિવાર, 13 સપ્ટેમ્બર 2026ના રોજ બુસી-સેંટ-જ્યોર્જેસ ખાતે બી.એ.પી.એસ.ના આધ્યાત્મિક વડા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની અંગ્રેજી તારીખ પ્રમાણે 93મી જન્મજયંતીની ભવ્ય ઉજવણીમાં જોડાયા હતા. તેમના જીવન, કાર્ય તથા…

રાજભાષા હિન્દીના શ્રેષ્ઠ અમલીકરણ બદલ સંરક્ષણ મંત્રાલયને ‘રાજભાષા કીર્તિ પુરસ્કાર’માં પ્રથમ સ્થાન

300થી વધુ કર્મચારીઓ ધરાવતા મંત્રાલયો/વિભાગોની શ્રેણીમાં સંરક્ષણ મંત્રાલય પ્રથમ સ્થાને; ગૃહમંત્રી અમિત શાહે અધિક સચિવ મનીષ ત્રિપાઠીને પુરસ્કાર અર્પણ કર્યો નવી દિલ્હી રાજભાષા હિન્દીના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ અમલીકરણ બદલ ભારત સરકારના ગૃહ મંત્રાલયના રાજભાષા વિભાગ દ્વારા વર્ષ 2025-26 માટે સંરક્ષણ મંત્રાલયને ‘રાજભાષા કીર્તિ પુરસ્કાર’થી સન્માનિત કરવામાં આવ્યું છે. 300થી વધુ કર્મચારીઓ ધરાવતા મંત્રાલયો અને વિભાગોની શ્રેણીમાં…

નિશુએ 53 કિલો વર્ગની ટ્રાયલ જીતી, હવે અંતિમ મુકાબલો અંતિમ પંઘાલ સામે

નિશુએ થિશ્કાને હરાવી પ્રથમ સ્થાન મેળવ્યું; કાજલ, નીલમ અને સિમરન સહિત છ કેટેગરીમાં વિજેતાઓ જાહેર નવી દિલ્હી ભારતીય મહિલા કુસ્તીમાં આગામી સિનિયર વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપ માટેની પસંદગી પ્રક્રિયા વધુ રોમાંચક બની છે. નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી સ્ટેડિયમ ખાતે યોજાયેલી નેશનલ સિલેક્શન ટ્રાયલ્સમાં નિશુએ 53 કિલો વજન વર્ગમાં પ્રથમ સ્થાન મેળવીને એશિયન ગેમ્સ માટે પસંદ થયેલી…

હોસ્ટેલ-કેન્ટીનમાં આરોગ્ય વિભાગની સ્પેશ્યલ ડ્રાઇવ: 200 સ્થળે તપાસ, 61 ઇમ્પ્રુવમેન્ટ નોટિસ

પી.પી. સવાણી હોસ્ટેલની ફૂડ પોઇઝનિંગ ઘટનાના પગલે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના આદેશ; 10 હોસ્ટેલ-કેન્ટીન સ્વયંભૂ બંધ, એક લાયસન્સ સસ્પેન્ડ ગાંધીનગર સુરતના અબ્રામા વિસ્તારમાં આવેલી પી.પી. સવાણી શાળાની હોસ્ટેલમાં ફૂડ પોઇઝનિંગની ગંભીર ઘટના બાદ રાજ્ય સરકારે સમગ્ર મામલાને ગંભીરતાથી લીધો છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ રાજ્યની હોસ્ટેલ અને કેન્ટીનમાં ખોરાકની ગુણવત્તા તથા સ્વચ્છતાની ચકાસણી માટે ખોરાક…

હાઈવેથી સુરત શહેરને જોડતા ટી.પી. રસ્તાઓ તાત્કાલિક ખુલ્લા કરવા તંત્રને સૂચના

આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં સુરત અને સુડા હદ વિસ્તારની કનેક્ટિવિટી અંગે સમીક્ષા બેઠક યોજાઈ સુરત જનસુવિધાઓને વધુ સશક્ત અને સુલભ બનાવવાના હેતુથી સુરત શહેર અને સુડા હદ વિસ્તારમાં હાઈવેથી શહેરને જોડતા ટી.પી. (ટાઉન પ્લાનિંગ) રસ્તાઓના તત્કાલ આયોજન અંગે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં સંકલન અને સમીક્ષા બેઠક યોજાઈ હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ…

કામરેજમાં ગણેશજીની સ્થાપના, સફાઈ કર્મચારી પરિવારોનું વિશેષ સન્માન

આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની ઉપસ્થિતિમાં ભક્તિભાવપૂર્વક ગણપતિદાદાની પૂજા-અર્ચના અને આરતી સંપન્ન સુરત કામરેજ વિધાનસભા કર્મયોગ કાર્યાલય ખાતે આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયા તથા મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિમાં ગણેશજીની પ્રતિમાની ભક્તિભાવપૂર્વક સ્થાપના કરવામાં આવી હતી. પૂજા-અર્ચના અને આરતી સાથે યોજાયેલા આ ધાર્મિક પ્રસંગે રાત્રિના સમયે સઘન પરિશ્રમ કરીને સુરત શહેરને સ્વચ્છ રાખતા સફાઈ કર્મચારી પરિવારોનું વિશેષ સન્માન કરવામાં…

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે લેસર શો અને નર્મદા મહાઆરતીના સમયમાં ફેરફાર

15 સપ્ટેમ્બરથી પ્રોજેક્શન મેપિંગ સાંજે 7:30 અને નર્મદા મહાઆરતી સાંજે 6:45 કલાકે યોજાશે કેવડિયા: સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવતા પ્રવાસીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને પ્રોજેક્શન મેપિંગ (લેસર શો) તેમજ નર્મદા મહાઆરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટી દ્વારા 15 સપ્ટેમ્બર, 2026થી બંને કાર્યક્રમોના નવા સમય અમલમાં મૂકવામાં આવશે. લેસર શોનો સમય 7:30 કલાકે…

સહકારથી સમૃદ્ધિ તરફ ગુજરાતની GECOCSLની વિકાસયાત્રા

એકતાનગરમાં દશાબ્દી મહોત્સવ નિમિત્તે ચિંતન શિબિર યોજાઈ; કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયાની ઉપસ્થિતિ રાજપીપળા ભારત સરકારના ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયના રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયા નર્મદા જિલ્લાની બે દિવસીય મુલાકાતે આવ્યા છે. પ્રવાસના બીજા દિવસે એકતાનગર સ્થિત સહકાર ભવન ખાતે ગુજરાત ગવર્મેન્ટ એમ્પલોઈઝ કો-ઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડ (GECOCSL)ના દશાબ્દી મહોત્સવ નિમિત્તે આયોજિત ચિંતન શિબિરમાં તેઓ…