જગન્નાથી મંદિરને રિડેવલપ કરાશે, 50000 લોકો દર્શન કરી શકશે

વિશાળ મંદિર પરિસર બનાવવામાં આવશે, ભક્તોના રહેવા અને જમવાની વ્યવસ્થાની સાથે મ્યુઝિયમ પણ બનાવવામાં આવશે અમદાવાદશહેરમાં ભગવાન જગન્નાથની રથયાત્રા ગઈકાલે સંપન્ન થઈ છે. આજે મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ પત્રકારોને કહ્યું હતું કે, અમદાવાદમાં જમાલપુરના જગન્નાથ મંદિર સાથે વર્ષોથી લોકોની શ્રદ્ધા અને ભક્તિ વધી રહી છે. જેથી હવે આ મંદિરને રિડેવલપ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે….

સૌરાષ્ટ્રના આપના નેતા વશરામ સાગઠિયાની ઘરવાપસી

ગુજરાત કોંગ્રેસમાંથી આમ આદમી પાર્ટીમા જોડાયા બાદ વશરામ સાગઠિયા કોંગ્રેસના નવા પ્રમુખની પદયાત્રામાં હાજર રહેતા રાજકારણ ગરમાયુ હતું અમદાવાદગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં નાલોશીભર્યા પરાજય બાદ પ્રદેશ પ્રમુખ બદલવામાં આવ્યા અને જગદીશ ઠાકોરની જગ્યાએ શક્તિસિંહ ગોહિલને જવાબદારી સોંપવામાં આવી છે. પ્રમુખ બાદ હવે કોંગ્રેસના પ્રભારી પણ બદલાય તેવી શક્યતાઓ છે. પ્રભારી તરીકે બી.કે હરિપ્રસાદ, મોહન પ્રકાશ અને…

રથયાત્રાના કડિયાનાકાના રૂટ પર બાલ્કનીનો ભાગ ધરાશાયી થતાં આઠને ઈજા

આ ગંભીર ઘટનામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પણ ગંભીર બેદરકારી સામે આવી, મકાનને કોઇપણ પ્રકારની નોટિસ આપવામાં આવી ન હતી અમદાવાદશહેરમાં છેલ્લા એક મહિનાથી રથયાત્રાની તૈયારીઓ થઈ રહી હતી અને યાત્રાના રૂટ પર રહેલા જર્જરિત મકાનો અંગે અનેક વખત સવાલો ઉઠ્યા હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી. આજે રથયાત્રાના દરિયાપુરના કડિયાનાકાના રૂટ પર મકાનની બીજા…

સુરતમાં યુવકે સામેથી આવતી બસ નીચે પડતું મૂક્યું

આ ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે અને તેનો વિડીયો પણ વાયરલ થઇ રહ્યો છે સુરતસુરતના વરાછા વિસ્તારમ આવેલા બોમ્બે માર્કેટ પાસે એક કાળજું કંપાવતી ઘટના સામે આવે છે. એક યુવકે સામેથી આવતી સ્કૂલબસ નીચે આવી જીવન ટૂંકાવી લીધું હતું. આ ઘટનાની પોલીસને જાણ થતા વરાછા પોલીસે તપાસ શરૂ કરી હતી.આ ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે…

મોબાઈલ લઈ લેતા કિશોરીએ માત-પિતાની હત્યાનું કાવતરૂં ઘડ્યું

મહિલા હેલ્પલાઈન અભયમ 181ના કાઉન્સેલરે છોકરી સાથે વાત કરી ત્યારે ચોંકાવનારી વાત સામે આવી અમદાવાદમોબાઈલ અને ઈન્ટરનેટના જેટલા ફાયદા છે તેટલા જ ગેરફાયદા પણ છે. મોબાઈલ આવતાં લોકોની જિંદગીમાં સુગમતા આવી અને સોશિયલ મીડિયાએ દુનિયાને જાણે મુઠ્ઠીમાં કરી લેવાની તાકાત આપી. હવે તો સોશિયલ મીડિયાનું ઘેલું લોકોને એટલું લાગ્યું છે કે, જીવનની નાનામાં નાની વાત…

કાલુપુરના નવા વાસમાં જર્જરિત મકાન ધરાશાયી, ત્રણને બચાવી લેવાયા

ફાયર વિભાગે કાટમાળમાંથી એક મહિલા અને એક પુરૂષને બહાર કાઢી તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, અન્ય એકને બેભાન અવસ્થામાં બહાર કઢાયો અમદાવાદશહેરના કાલુપુરમાં જર્જરિત મકાન ધરાશાહી થવાની ઘટના બની છે. કાલુપુરમાં સ્વામીનારાયણ મંદિરની પાછળ બપોરે બે વાગ્યાની આસપાસ આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે. જર્જરિત મકાન ધરાશાયી થતાં ત્રણ લોકો દટાયા હતાં. જ્યારે…

બિપરજોય ડીપ ડિપ્રેશનમાં ફેરવાયા બાદ રાજસ્થાન,ઉ.ગુજરાતમાં વરસાદની આગાહી

કચ્છ તથા ઉત્તર ગુજરાતમાં રવિવાર સવાર સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી, આજથી સ્થિતિ સામાન્ય રહેવાની પણ શક્યતા અમદાવાદભારતીય હવામાન વિભાગ (આઈએમડી)એ ચક્રવાત બિપરજોય વિશે લેટેસ્ટ અપડેટ આપ્યું છે. આઈએમડીના મહાનિર્દેશક ડૉ. મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું કે ચક્રવાત ક્યાં છે. તેની ઝડપ શું છે અને આગળ શું થશે. તેમના જણાવ્યા અનુસાર, ‘ચક્રવાત તોફાન બિપરજોય ગઈકાલે મધ્યરાત્રિએ ડીપ…

તલાલાના ગામમાં ભૂખ્યા સિંહોના ટોળાને ભગાડવા બદલ એકની ધરપકડ

ત્રણ વ્યસ્ક બાળસિંહ અને એક સિંહણનું ટોળુ ગામમાં ઘૂસી આવ્યું હતું અને એક ગાયનું મારણ કરતા ગામજનો ઉશ્કેરાયા હતા અમરેલીતાલાલા તાલુકાના મંડોરણા ગામમાં માનવ-સિંહ વચ્ચે થયેલા ઘર્ષણની ઘટનાએ વનવિભાગના અધિકારીઓને દોડતા કરી દીધા હતા. રોષે ભરાયેલા ટોળાએ સિંહનો પીછો કર્યા બાદ લાકડીથી હુમલો કર્યો હોય તેવા બે વીડિયો બુધવારે સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા….

નોકરાણી સાથેના ચક્કરમાં પતિની પત્ની સાથે મારઝૂડ

પતિને તેના કપડા ભીના હોવાની જાણ થયા બાદ કથિત રીતે 46 વર્ષીય પત્નીના ચહેરા પર મુક્કો માર્યો અમદાવાદમેટ્રો સિટીમાં પણ મહિલા પર થતાં અત્યાચાર અટકવાનું નામ લઈ રહ્યા નથી. શહેરના પોલીસ સ્ટેશનોમાં ઘરેલુ હિંસા સહિતના કેસ નિયમિત નોંધાતા રહે છે. હાલમાં વેજલપુર વિસ્તારમાં આવી જ ઘટના બની હતી, જ્યાં કામ પર જવા માટે તૈયાર થઈ…

બિપરજોયના લેન્ડફોલ બાદ જામનગર, દ્વારકા અને કચ્છમાં સૌથી વધુ સહિત રાજ્યના 117 તાલુકામાં વરસાદ

વાવાઝોડું ત્રાટક્યા બાદ 29 હજારથી પણ વધુ લોકો પ્રભાવિત થયા અને 25 જેટલાં ગામો તેની ચપેટમાં આવ્યા, વાવાઝોડું રાજસ્થાન તરફ આગળ વધ્યું, આજે સ્થિતિ સામાન્ય થવાની શક્યતા અમદાવાદઅરબ સાગરમાં સર્જાયેલું બિપોરજોય વાવાઝોડું 15 જૂન ગુરુવારની રાત્રે ગુજરાતના દરિયાકાંઠે લેન્ડફોલ થયું હતું. બિપોરજોય વાવાઝોડું ત્રાટકતા 125થી 145 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો અને ભારે…

બિપરજોયનું 1700થી વધુ ગામો, 75 દરિયાકાંઠા, 41 બંદરો પર જોખમ

જામનગર, ગીર સોમનાથ, પોરબંદર, જૂનાગઢ સહિતના દરિયાઓનું રૌદ્ર સ્વરૂપ, મોટાભાગના જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ, કચ્છમાં રસ્તાઓ સુમસામ, ઉત્તર ગુજરાત માટે આવતીકાલનો દિવસ ભારે અમદાવાદગુજરાત પર આવી રહેલી ઘાત બિપરજોય વાવાઝોડાના કારણે રાજ્યના તમામ દરિયાકાંઠાઓ પર તંત્ર હાઈએલર્ટ પર છે. રાહત અને બચાવ કાર્ય માટે એનડીઆરએફ, એસડીઆરએફ ઉપરાંત ભારતીય કોસ્ટ ગાર્ડની ટીમ પણ તૈનાત છે,…

જખૌમાં 2000 લોકોનું સ્થળાંતર પણ 150થી વધુ સ્ટ્રીટ ડોગ રહી ગયા

ભુખ્યા અને તરસ્યા સ્ટ્રીટ ડોગને બચાવવા કેટલાક જીવદયા પ્રેમીઓએ પોલીસની મદદથી જખૌ જઇને કુતરાઓને ભોજન પુરું પાડયું ભૂજવિનાશક વાવાઝોડુ બિપર જોય કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા તરફ આગળ વધી રહયું છે. હવામાન ખાતાનું માનવું છે કે આ વાવાઝોડુ કચ્છમાં જખૌ અને પાકિસ્તાનના કરાંચી બંદરની વચ્ચે ત્રાટકી શકે છે. જખૌ સહિતના દરિયાકાંઠે મોજામાં કરંટ જોવા મળી રહયો…

વેપારીએ પત્નીની હત્યા બાદ વચ્ચે પડેલી પુત્રીને પણ ઢાળી દીધી

15 વર્ષની પુત્રીના ટૂકડા નહેરમાં ફેંકી દીધા, પોલીસ પહોંચતા આરોપી ભાંગી પડ્યો અને ગૂના કબૂલી લીધો નવસારીકેન્દ્રશાસિત પ્રદેશ દીવ દમણ અને દાદરા નગર હવેલીના સેલવાસમાં 52 વર્ષીય વેપારીએ તેની 43 વર્ષીય પત્ની અને 15 વર્ષની પુત્રીની હત્યા કર્યા બાદ તેના ટુકડા કરીને નહેરમાં ફેંકી દીધા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આ જઘન્ય કૃત્ય કરનારા જલ્લાદ…

ક્રાઈમ બ્રાન્ચે રખિયાલ ચાર રસ્તા પાસે નકલી સીબીઆઈ ઓફિસરને ઝડપી લીધો

આરોપી લોકોને સીબીઆઈ અધિકારીની ઓળખ આપી ડુપ્લિકેટ આઈકાર્ડ બતાવી વિશ્વાસ કેળવતો હતો અમદાવાદદેશના છ રાજ્ય અને દિલ્હીમાં છેતરપિંડીના ૩૦થી વધુ ગુના આચરનાર નકલી સીબીઆઈ ઓફિસરને ક્રાઈમબ્રાંચે રખિયાલ ચાર રસ્તા પાસે વોચ ગોઠવીને ઝડપી લીધો છે. પોલીસ તપાસમાં ખુલેલી વિગત મુજબ આરોપી લોકોને સીબીઆઈ અધિકારીની ઓળખ આપી ડુપ્લિકેટ આઈકાર્ડ બતાવી વિશ્વાસ કેળવતો હતો. શ્રીમંત લાગતા હોય…

ધોરણ 10 અને 12માં એક-બે વિષયમાં નાપાસ માટે 10થી 14 જુલાઈએ પુરક પરીક્ષા

પરીક્ષાનો કાર્યક્રમ શિક્ષણ બોર્ડની વેબસાઈટ પર મુકવામાં આવ્યો, ગેરહાજર વિદ્યાર્થીઓ પણ જુલાઈમાં પૂરક પરીક્ષા આપી શકશે ગાંધીનગરગુજરાતમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનું પરિણામ આવી ગયું છે અને નવું શૈક્ષણિક સત્ર પણ શરૂ થઈ ગયું છે. 35 દિવસના વેકેશન બાદ સ્કૂલોમાં રાબેતા મુજબ અભ્યાસક્રમ પણ શરૂથઈ ગયો છે. ત્યારે ધોરણ 10 અને 12માં એક કે…

બિપોરજોય વાવાઝોડું આજે ગુજરાત પર ત્રાટકશે, સૌરાષ્ટ્ર અને કચ્છ કાંઠે અસર દેખાશે

આજે દ્વારકાધીશ મંદિર બંધ રહેશે, 9 ગામોના બજારો આવશ્યક વસ્તુઓ સિવાય 14 જૂને સાંજે 8 વાગ્યાથી 16 જૂને 6 વાગ્યા સુધી બંધ રાખવા આદેશ, ટેકાના ભાવે ખરીદી હાલ પુરતી મોકૂફ ગાંધીનગરબિપોરજોય વાવાઝોડું જેમ જેમ નજીક આવતું જઈ રહ્યું છે તેમ તેમ ગુજરાત સહિત મોટાભાગના રાજ્યોના લોકોના ધબકારાં વધતા જઈ રહ્યાં છે. આ દરમિયાન ભારતીય હવામાન…

ઘોઘા-હજીરા રોરો ફેરી, અંબાજી રોપવે 16 જૂન સુધી બંધ

16 જૂન બાદ રાજ્ય સરકારની મંજુરી બાદ ફરી શરૂ કરવામાં આવશે ગાંધીનગરગુજરાતના માથે મહા વિનાશક બિપોરજોય નો ખતરો મંડરાઈ રહ્યો છે. અરબ સાગરમાં સર્જાયેલ આ વાવાઝોડુ હવે દ્વારકાથી 290 અને પોરબંદરથી 300 કિ.મી દૂર છે. આ વાવાઝોડાની અસર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં શરૂ થઈ ગઈ છે. સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે અને…

રાજ્યના 62 તાલુકામાં બિરજોયની અસર, નવ તાલુકામાં 4 ઈંચથી વધુ વરસાદ

15 જૂને આ વાવાઝોડું કચ્છના માંડવી અને પાકિસ્તાનના કરાચી વચ્ચે ટકરાશે તેવી આગાહી, ગીરના જંગલમાંથી 100 સિંહોને શિફ્ટ કરાયા ગાંધીનગરરાજકોટના ભક્તિનગર સર્કલ, ઉપલેટા – પોરબંદર રોડ, પીપળીયા રોડ,વાડોદર અને ભાદાજાળીયા રોડ સહિત અનેક જગ્યાઓ પર ધરાશાયી થયેલ વૃક્ષોને રસ્તા પરથી દૂર કરવા તંત્ર ખડે પગે કામ કરી રહ્યું છે. દરેક તાલુકામાં રેન્જ ફોરેસ્ટ ઓફિસરને નોડલ…