કાર્યકરોને સોશિયલ મીડિયા પર સક્રિય થવા ભાજપનો આદેશ

કમલમ ખાતે પ્રદેશ પ્રમુખની હાજરીમાં સોશિયલ મીડિયા યુથ સમિટનું આયોજન કરાયું અમદાવાદ  ગુજરાતમાં લોકસભાની ચૂંટણીની તૈયારીઓ રાજકીય પક્ષોએ શરૂ કરી દીધી છે. કોંગ્રેસે સિનિયર નેતાઓને વિવિધ વિસ્તારોની જવાબદારી સોંપી છે. બીજી બાજુ ભાજપે કાર્યકર્તાઓને સોશિયલ મીડિયા પર સક્રિય થવા આદેશ કર્યો છે. આજે કમલમ ખાતે પ્રદેશ પ્રમુખની હાજરીમાં સોશિયલ મીડિયા યુથ સમિટનું કમલમ કાર્યાલય ખાતે…

લેન્ડર-રોવરના સંપર્કની નહિવત શક્યતાથી ચંદ્રયાન-3ની સફળતાના અંતની શક્યતા

ભારત દુનિયાને જેટલું દેખાડવાનું હતું એ દેખાડી દીધું છે અને મહિતી એકઠી કરવાની હતી એ પણ ભેગી કરી લીધી છે નવી દિલ્હી ચંદ્રના દક્ષિણ ધ્રૂવ પર સૂર્યોદય થઇ ગયો છે અને એવી આશા છે કે ઈસરો લેન્ડર વિક્રમ અને રોવર પ્રજ્ઞાન સાથે ફરી સંપર્ક સાધશે. જોકે હજુ સુધી ઈસરો દ્વારા લેન્ડર અને રોવર સાથે કોઈ…

ભાજપે ત્રણ રાજ્યોના નવા અધ્યક્ષોની નિમણૂક કરી, રિકમેનને મેઘાલય, યેપથોમીની નાગાલેન્ડ અને સેલ્વગનબથીને પુડુચેરીની જવાબદારી

અગાઉ મેઘાલયમાં બીજેપી અધ્યક્ષ પદની કમાન અર્નેસ્ટ માવરી, નાગાલેન્ડમાં તેમજેન ઈમના અલોન્ગ અને પુડુચેરીમાં વી સામિનાથન સંભાળી રહ્યા હતા નવી દિલ્હી બીજેપીએ આજે 3 રાજ્યોના નવા અધ્યક્ષોની નિમણૂક કરી છે. રિકમેન મોમિનને મેઘાલય બીજેપીના પ્રદેશ પ્રમુખ અને બેન્જામિન યેપથોમીની નાગાલેન્ડના પ્રદેશ પ્રમુથ તરીકે નિમણૂક કરી છે. જ્યારે એસ સેલ્વગનબથીને પુડુચેરીના પ્રદેશ પ્રમુખ બનાવાયા છે. આ…

દિલ્હીમાં 5-6 ઓક્ટોબરે દેશની તમામ સુરક્ષા એજન્સીની બેઠક

બેઠકમાં વિદેશથી ખાલિસ્તાની-આતંકવાદી અને ગેંગસ્ટરની સાંઠગાંઠ સામે કાર્યવાહી કરવા માટે મજબૂત રણનીતિ બનાવવામાં આવશે નવી દિલ્હી ખાલિસ્તાનની આંતકવાદી નિજ્જરની હત્યા બાદ ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો વણસ્યા છે. આ દરમિયાન હાલમાં જ એનઆઈએ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં 19 ખાલિસ્તાની આંતકવાદીની યાદી જાહેર કરી ઉપરાંત  ખાલિસ્તાનની આંતકવાદી પન્નુની પંજાબ અને ચંડીગઢ સ્થિત મિલકતો…

રાહુલ ગાંધી વાયનાડ નહીં હૈદ્રાબાદથી ચૂંટણી લડીને બતાવે

એઆઈએમઆઈએમ સાંસદ પોતાના સંસદીય ક્ષેત્ર હૈદરાબાદમાં એક જનસભાને સંબોધન કરવા દરમિયાન કોંગ્રેસના નેતાએ પડકાર્યા હૈદ્રાબાદ એઆઈએમઆઈએમના વડા અસદુદ્દીન ઓવૈસી તેમના નિવેદનોને કારણે હંમેશા ચર્ચામાં રહે છે ત્યારે હવે તેણે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સામે પડકાર ફેક્યો છે જેમાં તેમણે રાહુલ ગાંધીને વાયનાડથી નહીં પરંતુ હૈદરાબાદથી ચૂંટણી લડવા કહ્યું છે.  ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (એઆઈએમઆઈએમ)ના વડા…

કાશ્મીરમાંથી 5 હાઈબ્રિડ આતંકી ઝડપાયા, શસ્ત્રોનો જથ્થો જપ્ત

આદિલ હુસૈન વાની, સુહેલ અહેમદ ડાર, ઈતમાદ અહેમદ લાવે, મેહરાજ અહેમદ લોન અને સબઝાર અહેમદ ખાર જેવા પાંચ હાઈબ્રીડ આતંકવાદીઓની ધરપકડ જમ્મુ જમ્મુ-કાશ્મીરનો કુલગામ જિલ્લો આંતકી હલચલને લઇ અવારનવાર ચર્ચામાં હોય છે. એવામાં ગઈકાલે સુરક્ષા દળોએ કુલગામ જિલ્લામાં બે આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ કર્યો હતો. ઉપરાંત સુરક્ષા દળોને બીજી એક મોટી સફળતા મળી હતી. તેમણે અહીંથી…

હજુ કેટલાક દિવસ સુધી ઉત્તર ભારતમાં વરસાદી માહોલની આગાહી

24 કલાકમાં પ. બંગાળ, ઝારખંડના કેટલાંક ભાગો, અંદમાન-નિકોબાર અને મહારાષ્ટ્રના કેટલાંક ભાગોમાં હળવાથી માધ્યમ વરસાદની શક્યતા નવી દિલ્હી ઉત્તરપ્રદેશ અને બંગાળ સહિત ઘણાં રાજ્યોમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદી ગતિવિધિયો નોંધાઈ રહી છે. દિલ્હી એનસીઆરમાં પણ વાતાવરણ ખુશનુમા છે.આઈએમડીના જણાવ્યા અનુસાર આગામી કેટલાંક દિવસો સુધી ઉત્તર ભારતમાં આવું જ વાતાવરણ રહેવાની સંભાવના છે. જયારે નવી દિલ્હીમાં…

પૂરપાટ જતી કાર ઝાડ સાથે ટકરાતાં પાંચનાં મોત

અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામ, શાહડોલના રહેવાસી પાંચ લોકોના મોત થયા ઉમરિયા મધ્યપ્રદેશના ઉમરિયામાં એક મોટી અકસ્માતની ઘટના બની છે જેમાં એક પુરપાટ ઝડપે આવી રહેલી કાર ઝાડ સાથે અથડાઈ હતી. આ અકસ્માતની ઘટનામાં પાંચ લોકોના મોત થયા હતા. અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામ થયો હતો. પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચીને આગળની કાર્યવાહી કરી…

દેવીલાલની જન્મજયંતીના કાર્યક્રમમાં નીતિશની ગેરહાજરી

નીતિશના આ પગલાને રાજનીતિ સાથે જોડવામાં આવી રહ્યા છે અને તેને લઇ ઘણા તર્કવિતર્ક ચાલી રહ્યા છે કૈથલ આજે હરિયાણાના કૈથલમાં ખાતે પૂર્વ ઉપમુખ્યમંત્રી દેવી લાલની જન્મજયંતિ પર આઈએનએલડી (ઈન્ડિયન નેશનલ લોકદળ) દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં વિપક્ષ ગઠબંધન ઈન્ડિયાના  નેતાઓની પણ હાજરી જોવા મળી છે. એવામાં બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર…

કેરળમાં પીએફઆઈના વાયનાડ સહિત 12 સ્થળોએ ઈડીના દરોડા

પીએફઆઈના પૂર્વ કાર્યકરોના ઘર પર દરોડા પાડવામાં આવ્યા નવી દિલ્હી કેરળમાં આજે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા(પીએફઆઈ) સામે મોટી કાર્યવાહી કરતા વાયનાડ સહિત રાજ્યના 12 સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા છે.   ઈડીએ ફરી એકવાર પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા(પીએફઆઈ) પર કડક કાર્યવાહી હાથ ધરી છે, જેમાં તપાસ એજન્સીએ કેરળમાં પીએફઆઈના પૂર્વ કાર્યકરોના ઘર પર…

 ઈન્ડિયા ગઠબંધનમાં કેટલાક સનાતન ધર્મ વિરોધી, જનતા પાઠ ભણાવશે

બીજેપી સાંસદ રમેશ બિધૂડી મામલે તેમણે કહ્યું કે, એ જોવાનું રહેશે કે, તેઓ કઈ પરિસ્થિતિમાં આવું બોલ્યાઃ સ્વામિ ચક્રપાણિ મહારાજ નવી દિલ્હી ઓલ ઈન્ડિયા હિન્દુ મહાસભાના રાષ્ટ્રીય અધ્યક્ષ સ્વામિ ચક્રપાણિ મહારાજે લોકસભા ચૂંટણી પહેલા બનેલા મહાગઠબંધન  ઈન્ડિયા પર પ્રહાર કરતા કહ્યું કે, આ ગઠબંધનમાં કેટલાક લોકો સનાતન ધર્મના વિરોધી છે અને જનતા તેમને  પાઠ ભણાવશે….

ડીસીઝ એક્સ કોરોના કરતા પણ ઘાતક, 5 કરોડનાં મોત થઈ શકે

બ્રિટનની વેક્સિન ટાસ્ક ફોર્સના ચીફે ચેતવણી આપી છે કે, ‘ડિસીઝ એક્સ’ કોરોના કરતા 7 ગણો વધુ ઘાતક હોઈ શકે છે નવી દિલ્હી વિશ્વ હજુ તો કોરોનાની ઝપેટમાંથી બહાર નીકળ્યું જ છે કે વધુ એક નવી બિમારીએ દસ્તક આપી છે. આ બિમારી ખૂબ ખતરનાક છે અને એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આશરે 5 કરોડ…

સંજય રાઉત-અંબાદાસ દાનવે સામે વિશેષાધિકાર ભંગ બદલ કાર્યવાહીની માગ

બીજેપી એમએલએ નિતેશ રાણેએ વિધાનસભા સેક્રેટરીને પત્ર લખીને માગણી કરી મુંબઈ મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે જૂથના શિવસેના નેતા સંજય રાઉત અને અંબાદાસ દાનવેની મુશ્કેલી વધે તેવી શક્યતા છે. વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકર વિરૂદ્ધ આપવામાં આવેલા તેમના નિવેદન બદલ બંને વિરુદ્ધ વિશેષાધિકાર ભંગ બદલ કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. બીજેપી એમએલએ નિતેશ રાણેએ વિધાનસભા સેક્રેટરીને પત્ર…

કેદી સુધરી ગયો હોય તેને જેલમાં રાખવાથી શું મળશેઃ સુપ્રીમ કોર્ટ

જેલમાં રહેવા કેદીઓને સજામાં છૂટ આપી, સમયથી પહેલાં મુક્ત કરવાનો ઈનકાર કરવા તે કેદીઓના મૌલિક અધિકારોનાં હનન સમાન છે નવી દિલ્હી   અપરાધીઓને સમયથી પહેલાં મુક્ત કરવા અંગે સુપ્રીમ કોર્ટે પોતાના એક મહત્વના ચુકાદામાં કહ્યું હતું કે, જે કેદી સુધરી ગયો હોય, તેને જેલમાં રાખવાથી શું મળશે ? સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, જેલમાં રહેવા…

મહિલા આરક્ષણમાં ઓબીસી ક્વોટો ન સમાવી શકવાનો અફસોસઃ રાહુલ

કોંગ્રેસને સોએ સો ટકા અફસોસ છે કે જ્યારે તે સત્તામાં હતી ત્યારે તે મહિલા આરક્ષણ વિધેયક પસાર કરવામાં અસમર્થ રહી હતી નવી દિલ્હી  કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, કોંગ્રેસને સોએ સો ટકા અફસોસ છે કે જ્યારે તે સત્તામાં હતી ત્યારે તે મહિલા આરક્ષણ વિધેયક પસાર કરવામાં અસમર્થ રહી હતી. તેઓએ સ્વીકાર્યું કે, જો…

નાગપુરમાં પાણીમાં ફસાયેલા લોકોને કાઢવા એનડીઆરએફની ટીમ કાર્યરત

નાગપુરમાં મુશળધાર વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય ગયા છે, ભારે વરસાદને પગલે અંબાઝરી તળાવ છલકાઈ ગયું નાગપુર મહારાષ્ટ્રના નાગપુરમાં ગઈકાલે ભારે વરસાદ વરસતા લોકોને મુશ્કેલી ઉભી થઈ હતી, ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાય ગયા છે તેમજ ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે  એનડીઆરએફની ટીમ સતત કર્યરત છે. હાલ ડેપ્યુટી સીએમ ફડણવીસ સ્થિતિ પર…

દિલ્હી, પ.બંગાળ અને સિક્કીમમાં ભારે વરસાદની શક્યતા

આગામી બે દિવસ સુધી પશ્ચિમ બંગાળ અને બિહારમાં હળવોથી મધ્યમ વરસાદની સંભાવના નવી દિલ્હી દેશમાં કેટલાક રાજ્યોમાં વરસાદે વિરામ લીધો છે તો કેટલાક રાજ્યમાં હજુ પણ ભારે વરસાદ વરસી રહ્યો છે. રાજધાની દિલ્હીમાં છેલ્લા બે દિવસથી ગરમીથી પરેશાન છે તો બીજી તરફ બિહારમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે કેટલાક રાજ્યોમાં હળવાથી મધ્યમ વરસાદની…

ઈન્ડો પેસિફિક ક્ષેત્રોમાં ચીનની વધતી ગતિવિધિઓ સામે કાર્યવાહીની ચર્ચાની શક્યતા

ઈન્ડો પેસિફિક આર્મી ચીફ કોન્ફરન્સ તરીકે જાણીતી આ કોન્ફરન્સનો વિષય ઈન્ડો-પેસિફિક ક્ષેત્રોમાં શાંતિ અને સ્થિરતા જાળવી રાખવોનો છે નવી દિલ્હી ભારતીય સેના આવતા અઠવાડિયે કોન્ફરન્સનું આયોજન કરવા જઈ રહી છે. આ કોન્ફરન્સ બે દિવસ સુધી ચાલશે જેમાં ઈન્ડો-પેસિફિક ક્ષેત્રના દેશોના સેના પ્રમુખો સામેલ થશે. આ કોન્ફરન્સમાં ઈન્ડો પેસિફિક ક્ષેત્રોમાં ચીનની વધતી ગતિવિધિઓ સામે કાર્યવાહી અંગેની…

બરસાનામાં દર્શન કરવા આવેલા બે શ્રધ્ધાળુનાં શ્વાસ રૂંધાવાથી મોત

દુર્ઘટના બાદ વહીવટી તંત્રમાં ભાગદોડ, બરસાનામાં રાધા અષ્ટમી પર દર્શન કરવા માટે 2 લાખથી વધુ ભાવિકો ઉમટી પડ્યા બરસાના/મથુરા રાધા જન્મોત્સવ દરમિયાન દર્શન કરવા માટે આવેલા બે શ્રદ્ધાળુઓના શ્વાસ રૂંધાવાથી મોત થઈ ગયા છે. આ દુર્ઘટના બાદ વહીવટી તંત્રમાં ભાગદોડ મચી ગઈ છે. બરસાનામાં રાધા અષ્ટમી પર દર્શન કરવા માટે 2 લાખથી વધુ ભાવિકો ઉમટી…

2018માં જ મેં એ કેટેગરીના 9 આતંકીની યાદી કેનેડાને આપી હતી

અમરિંદર સિંહે ભારતમાં અનેક ગુનાઓમાં સામેલ આતંકવાદીઓને સોંપવા માટે કેનેડા પર આંતરરાષ્ટ્રીય દબાણ વધારવાનું આહ્વાન કર્યું હતું નવી દિલ્હી ભારત અને કેનેડા વચ્ચે ખાલિસ્તાની આતંકી હરદીપસિંહ નિજ્જરની હત્યાને લઈને તણાવ ચાલી રહ્યો છે ત્યારે પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે કેનેડાના પીએમ જસ્ટિન ટુડો દ્વારા ભારત પર લગાવેલા પાયાવિહોણા આરોપોની આકરી નિંદા કરી છે. તેમણે…