બળવાખોર નેતાઓ અને શરદ પવાર વચ્ચે ચાર દિવસમાં ત્રણ વખત મુલાકાત

મુલાકાત કેમ થઇ તેનું કોઈ ચોક્કસ કારણ બહાર આવ્યું નથી, એવી ચર્ચા છે કે આ બેઠક બળવો પોકારનારા નેતાઓને એનસીપીમાંથી બરતરફ કરવા અને અયોગ્ય જાહેર કરવાની નોટિસ મામલે યોજાઈ મુંબઈ મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી હલચલ જોવા મળી રહી છે. એનસીપીમાંથી બળવો પોકાર્યા બાદથી અજિત પવાર ભાજપ અને એકનાથ શિંદેની શિવસેના સાથે ગઠબંધન કરીને સરકારમાં જોડાયા બાદ…

વિપક્ષો એક થાય તો પણ કેન્દ્ર સંસદમાં વટહુકમને મંજૂરી અપાવી શકશે

દિલ્હી પરના વટહુકમને બંને ગૃહોમાં પાસ કરાવવો જરૂરી છે, રાજ્યસભામાં સરકાર પાસે બહુમતી નથી, તેથી આ મામલે કેજરીવાલને કોંગ્રેસનું સમર્થન મહત્વપૂર્ણ કહેવાય છે નવી દિલ્હી કેન્દ્ર સરકાર દ્વારા દિલ્હીમાં લવાયેલા વટહુકમનો વિરોધ કરવાની કોંગ્રેસ દ્વારા જાહેરાત કરાયા બાદ દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને આંશિક રાહત થઈ છે. આ જાહેરાત બાદ વિપક્ષી દળોની બીજી બેઠકમાં કેજરીવાલના સામેલ થવાનો…

ભારત અને ઈન્ડોનેશિયાની એકબીજાના ચલણમાં વેપાર માટે વાટાઘાટ

બંને દેશોની સરકારો વચ્ચે ડિજિટલ પેમેન્ટનો વ્યાપ વધારવા માટે પણ ચર્ચા થઈ રહી છે, જેથી યુપીઆઈ અને અન્ય સમાન સંસાધનોનો ઉપયોગ કરી શકાય નવી દિલ્હી તાજેતરમાં, સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) સાથે સ્થાનિક ચલણમાં વેપાર અંગેની ડીલ બાદ હવે ભારત અને ઈન્ડોનેશિયા સાથે આવો જ કરાર કરવાની તૈયારી કરી રહ્યો છે. બંને દેશો રિયલ ટાઈમ પેમેન્ટ…

હિમાચલમાં પૂરમાં ફસાયેલા 70000 પ્રવાસીઓને બચાવાયા

આપત્તિ પ્રભાવિત 80 ટકા વિસ્તારોમાં વીજળી, પાણી અને મોબાઈલ સેવાઓ અસ્થાયી રૂપે પુનઃસ્થાપિત કરવામાં આવી હોવાનો મુખ્યપ્રધાનનો દાવો સિમલાહિમાચલ પ્રદેશમાં ભારે વરસાદના કારણે સર્જાયેલા પૂરમાં ફસાયેલા સ્થાનિકો અને પ્રવાસીઓને બચાવવાની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. મુખ્યમંત્રી સુખવિંદર સુખુએ આ અંગે આજે માહિતી આપી હતી.તેમણે કહ્યું કે, અત્યાર સુધીમાં લગભગ 70,000 પ્રવાસીઓની બચાવ કામગીરી કરવામાં આવી…

પંજાબમાં પૂરથી 2.40 લાખ હેક્ટર ડાંગરના પાકને નુકસાન, હરિયાણાના 13 જિલ્લામાં જળબંબાકાર

યમુનાનું જળસ્તર ધીરે ધીરે ઘટી રહ્યું છે જો કે હજુ પણ કેટલાય વિસ્તારોમાં ગળાડુબ પાણી ભરાયા છે નવી દિલ્હીઉત્તર ભારતમાં ભારે વરસાદને કારણે પંજાબ અને હરિયાણામાં તારાજી સર્જાઈ છે. પંજાબમાં પૂરને કારણે લગભગ 2.40 લાખ હેક્ટર ડાંગરના પાકને નુકસાન થયુ છે તો બીજી તરફ હરિયાણાના 13 જિલ્લામાં હજુ પણ જળબંબાકાર જેવી સ્થિતિ છે. આ સિવાય…

રાજસ્થાનમાં માલગાડી પાટા પરથી ઊતરી જતા, રેલ સેવા પ્રભાવિત

આ અકસ્માત અસલપુર-જોબાર્ને અને હિરનોડા સ્ટેશન વચ્ચે અપ લાઇન પર થયો હતો જયપુરરાજસ્થાનના જયપુર-ફૂલેરા રેલ માર્ગ પર આજે સવારે એક માલગાડી પાટા પરથી ઉતરી ગઈ હતી. આ અકસ્માત હિરનોડાથી જોબનેર રેલવે સ્ટેશન વચ્ચે થયો હતો. ઘટના સવારે 5 વાગ્યા આસપાસ બની હતી. અહેવાલ અનુસાર, માલગાડીના 2 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. માહિતી મળતાં જ…

અમે ગુંડાગીરી કર્યા વગર શાંતિપૂર્ણ ચૂંટણીમાં વિશ્વાસ રાખીએ છીએઃ માણિક સાહા

માણિક સાહાએ જુલાઈ બાડીમાં એક સંગઠનાત્મક બેઠકમાં કાર્યકર્તાઓને સંબોધિત કરતા આ વાત કહી ત્રિપુરાત્રિપુરાના મુખ્યમંત્રી માણિક સાહાએ શુક્રવારે પશ્ચિમ બંગાળમાં પંચાયત ચૂંટણી દરમિયાન થયેલી હિંસાને લઈને ટીએમસીની ખૂબ ટીકા કરી હતી. સાહાએ રાજ્ય સરકારને સલાહ આપતા કહ્યું કે, તેઓ પહેલા એ શીખે કે, લોકતંત્ર શું છે અને કેવી રીતે સ્વતંત્ર, નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ ચૂંટણી કરાવવામાં…

એનડીએન બેઠક માટે ચિરાગ પાસવાન-જીતન રામ માંજીને ભાજપનું આમંત્રણ

એનડીએની બેઠકમાં ચિરાગ પાસવાન, જીતન રામ માંઝીની પાર્ટી એચએએમ ઉપરાંત ઉપેન્દ્ર કુશવાહાની આરએલજેડી અને મુકેશ સાહનીની પાર્ટી વીઆઈપી અંગે પણ નિર્ણય લેવામાં આવી શકે છે નવી દિલ્હીભાજપે પણ લોકસભા ચૂંટણીમાં વિપક્ષી એકતાને ટક્કર આપવા તૈયારીઓ શરૂ કરી દીધી છે. તે એનડીએથી અલગ થઈ ગયેલા સાથી પક્ષોને સાથે લાવવાની કવાયત પણ શરૂ કરી રહી છે. તે…

રાફેલે પીએમ મોદીને બેસ્ટિલ ડે પરેડ માટે ટિકિટ અપાવીઃ રાહુ ગાંધી

મોદી એવા સમયે આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા જ્યારે મણિપુરમાં હિંસા થઈ રહી છે અને યુરોપિયન યુનિયન સંસદ ભારતના આંતરિક મામલાની ચર્ચા કરી રહી છે નવી દિલ્હીવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે ફ્રાન્સમાં બેસ્ટિલ ડે પરેડમાં ગેસ્ટ ઓફ ઓનર તરીકે હાજરી આપી હતી. ત્યારે હવે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટોણો માર્યો છે કે રાફેલે પીએમ મોદીને બેસ્ટિલ…

હેટ સ્પિચ કેસમાં સમાજવાદી પક્ષના નેતા આઝમ ખાનને બે વર્ષની સજા

ચૂંટણી પ્રચાર દરમિયાન આઝમ ખાને તેમની એક જાહેરસભામાં મુખ્યમંત્રી અને તત્કાલીન જિલ્લા મેજિસ્ટ્રેટ સહિત અનેક અધિકારીઓ વિરુદ્ધ નિવેદન આપ્યું હતું રામપુરસમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાનને હેટ સ્પીચ કેસમાં દોષીત ઠેરવવામાં આવ્યા છે. રામપુરની કોર્ટે આ નિર્ણય સંભળાવ્યો છે. વર્ષ 2019માં રામપુરના શહઝાદનગર પોલીસ સ્ટેશનમાં સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાન વિરુદ્ધ ભડકાઉ ભાષણ આપવા બદલ કેસ…

માંગમાં સિંદૂર અને ગળામાં મંગળસૂત્ર ન હોય તો પ્લોટ ખાલી સમજવોઃ મહિલાઓમાં આક્રોશ

અનેક લોકોએ સોશિયલ મીડિયા પર આ વીડિયો શેર કરતાં ગુસ્સો વ્યક્ત કર્યો અને ટીકા પણ કરી હતી, કેટલાક યૂઝર્સે કહ્યું કે આવી વાતો કરનાર વ્યક્તિ ન તો સંત હોઈ શકે અને ન તો કથાવાચક બાગેશ્વરધામચર્ચામાં રહેતાં બાગેશ્વર બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીએ એક નિવેદન આપી મોટો વિવાદ સર્જ્યો છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો…

ચંદ્રયાન-3ની સફર બાદ ચંદ્ર ઉપર થતાં સંશોધનમાં નવો અધ્યાય શરૂ થશે

ભારતનું રોવર ચંદ્રની આ સપાટી ઉપર ઉતરી ગયું તો તે ભવિષ્યના દરેક આયોજનો અને સ્પેસ મિશન માટે દિવાદાંડી સમાન બની રહેશે બેંગલુરૂદુનિયાના મોટા મોટા દેશો ભલે ચંદ્રની સપાટી ઉપર પગ મુકવાના કે માણસોને ઉતારવાના દાવા અને અભિયાનો કરી ચૂક્યા હોય પણ ભારત આ વખતે અદ્વિતિય ઈતિહાસ રચવાની તૈયારીમાં છે. ઈસરો દ્વારા તૈયાર કરવામાં આવેલું ચંદ્રયાન-3…

લગ્ન પહેલા, દરમિયાન કે પછી મહિલાને ભેટમાં મળેલી મિલ્કતો તેની જ

પતિ તેની તકલીફમાં તેનો ઉપયોગ કરી શકે છે, પરંતુ તેમ છતાં તેની કિંમતી વસ્તુઓ અથવા મિલકત તેની પત્નીને પરત કરવાની તેની નૈતિક જવાબદારી છે રાયપુરછત્તીસગઢ હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપતાં કહ્યું કે લગ્ન પહેલા, લગ્ન દરમિયાન કે પછી મહિલાને ભેટમાં આપવામાં આવેલી મિલકતો તેની જ મિલકતો છે. તેને તેના આનંદ માટે ખર્ચ કરવાનો સંપૂર્ણ અધિકાર…

સુપ્રીમમાં પૂરના પાણી રોકવા તત્કાળ નાનો ડેમ બનવવાનું શરૂ

સુપ્રીમમાં જતું પામી રોકવા નાળા પર બોરીઓમાં માટી ભરીને ડેમ બાંધવામાં આવ્યો, સેંકડો મજૂરો કામે લાગ્યા નવી દિલ્હીદિલ્હીમાં પૂરનો કેર જોવા મળી રહ્યો છે. વહીવટી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ઈન્દ્રપ્રસ્થ પાસેના એક નાળામાં પાણીનું સ્તર વધ્યા બાદ પૂરનું પાણી સુપ્રીમ કોર્ટ પરિસરમાં પ્રવેશી શકે તેવી દહેશત…

યમુનામાં પુરથી દિલ્હી પાણીમાં, સેનાની મદદ લેવાઈ

દિલ્હીમાં યમુના નદીના જળસ્તરમાં ધરખમ વધારો થવાનું મુખ્ય કારણ હથિનીકુંડ બેરેજમાંથી પાણી છોડવાનું માનવામાં આવે છે નવી દિલ્હીએક તરફ યમુના નદીના જળસ્તરમાં સતત વધારો થવાને કારણે દિલ્હી પર મુસીબતોનો પહાડ તુટી પડ્યો છે, દિલ્હી આખું પાણીમાં ડુબી ગયું હોવા તેવી સ્થિતિ જોવા મળી રહી છે. ચારેકોર ભરાયેલા પાણીએ સૌને પરેશાન કરી દીધા છે, તો બીજી…

કૂનો નેશનલ પાર્કમાં વધુ એક ચિતા સુરજનું મોત

મોનિટરિંગ ટીમને સુરજ ઈજાગ્રસ્ત હાલતમાં મળ્યો હતો, ત્યારબાદ તેની સારવાર કરાઈ હતી, જોકે તેનો જીવ બચાવી શકાયો ન હતો ભોપાલમધ્યપ્રદેશના કૂનો નેશનલ પાર્કમાંથી સતત ખરાબ સમાચારો આવી રહ્યા છે. ચિતા તેજસના મોત બાદ વધુ એક ચિતા સૂરજનું મોત નિપજ્યું છે. ત્રણ દિવસ પહેલા 11મી જુલાઈના રોજ તેજસનું મોત થયું હતું, ત્યારે વધુ એક ચિતાના મોતના…

મોદી 28 જુલાઈએ જી20ના કાર્યક્રમમાં હાજરી આપશે

વડાપ્રધાન અનેક વિકાસલક્ષી પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે તેમજ અન્ય પ્રોજેક્ટનું ખાતમુર્હૂત કરશે, ક્લાયમેટ ચેન્જ સંદર્ભના કાર્યક્રમાં પણ હાજરી આપશે નવી દિલ્હીવડાપ્રધાન નરેન્દ્ર મોદી જુલાઈ માસના અંતિમ સપ્તાહમાં ગુજરાતના પ્રવાસે આવશે. ગાંધીનગર ખાતે સેમિકોન ઈન્ડિયના કાર્યક્રમમાં હાજરી આપી શકે છે તેમજ રાજ્યના અનેક વિકાસલક્ષી પ્રોજેક્ટનું પણ લોકાર્પણ અને ખાત મુર્હત કરશે.સુત્રોમાંથી મળતી માહિતી મુજબ ગુજરાત સહિત દેશભરમાં…

શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી ચંદ્રયાન-3ની ઐતિહાસિક સફળ ઊડાન

ચંદ્રયાન-3 બપોરે 2.35 કલાકે ચંદ્ર તરફ ઉડાન ભરી, 615 કરોડના ખર્ચે તૈયાર થયેલું આ મિશન લગભગ 50 દિવસની મુસાફરી બાદ ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક ઉતરશે શ્રીહરીકોટાઆજે ભારતે ઈતિહાસ રચ્યો છે. ઈસરો દ્વારા આંધ્રપ્રદેશના સતીશ ધવન સ્પેસ સેન્ટર શ્રીહરિકોટા ચંદ્રયાન-3ને સફળતા પૂર્વક લોન્ચ કરવામાં આવ્યું છે. આખો ભારત દેશ આ સફળતાનો સાક્ષી બન્યો છે. આ સાથે…

મિશન- અમે ભારતના બ્રાહ્મણ ક્ષત્રિયો

રાજસ્થાનમાં 59 અનામત બેઠકો પર ચૂંટણી લડવાના બિનઅનામત નાગરિકોના બંધારણીય અધિકારને પુનઃસ્થાપિત કરવા દૌસા જિલ્લાની પંચાયત સમિતિ લાલસોટમાં 6-7-2023 ના રોજ બ્રાહ્મણ અને રાજપૂત સમાજની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં એનઆઈએના દરોડા

એનઆઈએના દરોડા આતંકવાદી સંગઠનો માટે ઓવરગ્રાઉન્ડ વર્કર તરીકે કામ કરતા અને ઈન્ટરનેટ મીડિયા અને અન્ય માધ્યમો દ્વારા આતંકવાદી એજન્ડાને પ્રોત્સાહન આપતા તત્વોના ઠેકાણા પર પાડવામાં આવ્યા પુલવામાજમ્મુ કાશ્મીરના પુલવામામાં એનઆઈએએ દરોડા પાડ્યા છે. આ દરોડા આતંકવાદી સંગઠનોનો પર્દાફાશ કરવા માટે પાડવામાં આવ્યા છે. બે દિવસ અગાઉ પણ એનઆઈએએ દક્ષિણ કાશ્મીરના 5 સ્થળો પર સર્ચ ઓપરેશન…