દિલ્હીનું 63 વર્ષ જૂનું હરણ પાર્ક બંધ કરી દેવાશે

ડીયર પાર્કમાં હાજર 600 હરણોને રાજસ્થાન અને દિલ્હીના જંગલોમાં છોડવાનો નિર્ણય કરવામાં આવ્યો નવી દિલ્હીદિલ્હીનું 63 વર્ષ જૂનું મિની પ્રાણી સંગ્રહાલય હરણ પાર્ક હવે બંધ થવા જઈ રહ્યુ છે. કેન્દ્રના અધિકારીઓએ ડિયર પાર્કની માન્યતા રદ કરી દીધી છે. જે બાદ હવે ત્યાં હાજર હરણોને રાજસ્થાન અને દિલ્હીના જંગલોમાં છોડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પાર્કની માન્યતા…

રાહુલ ગાંધી દિલ્હીમાં અચાનક મોટરસાઈકલ માર્કેટમાં પહોંચી ગયા

રાહુલ ગાંધીએ બાઇક મિકેનિક્સ સાથે વાતચીત કરી અને બાઇક રીપેર કરવાનું શીખ્યા નવી દિલ્હીકોંગ્રેસ નેતા રાહુલ ગાંધી મંગળવારની સાંજે અચાનક દિલ્હીના કરોલ બાગના મોટરસાઈકલ માર્કેટ પહોંચ્યા હતા. તેમણે અહીં બજારના કામદારો અને સાયકલ વેપારીઓ સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન રાહુલ ગાંધીએ બાઇક મિકેનિક્સ સાથે વાતચીત કરી અને બાઇક રીપેર કરવાનું શીખ્યા.રાહુલ ગાંધીએ મિકેનીક્સ સાથેની…

સંસદના ચોમાસુ સત્રમાં દિલ્હી માટેનો કેન્દ્રનો વટહુકમનો મુદ્દો ગાજશે

યુનિફોર્મ સિવિલ કોડ બાબતે ગૃહમાં ઉગ્ર દલીલો સંભાળવા મળે એવી સંભાવના નવી દિલ્હી સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ સંસદનું ચોમાસુ સત્ર 17 જુલાઈથી શરૂ થઈ શકે છે જે 10 ઓગસ્ટ સુધી ચાલશે. સંસદીય બાબતોની કેબિનેટ સમિતિની બેઠકમાં આ અંગે અંતિમ નિર્ણય લેવામાં આવશે. આ વખતે ચોમાસું સત્રમાં દિલ્હીમાં અધિકારીઓની બદલી અને નિમણૂક માટે કેન્દ્ર સરકારે…

સેલવાસની હોટલમાં યુવક-યુવતીની આત્મહત્યા

યુવાનની પંખા સાથે ફાસો ખાધેલી હાલતમાં અને યુવતિની બેડ પરથી ભેદી સંજોગોમાં લાશ મળી વાપીસેલવાસ ચારરસ્તા નજીક આવેલી હોટલ નટરાજની રૂમમાંથી યુવક અને યુવતિની ભેદી સંજોગોમાં લાશ મળી આવતા પોલીસ અધિકારી સહિતનો કાફલો પહોંચી ગયો હતો. બેડરૂમમાં યુવકે પંખા સાથે ફાસો ખાય આપઘાત કર્યો તો યુવતિની બેડ પરથી લાશ મળી આવી હતી.પ્રાપ્ત માહિતિ અનુસાર સેલવાસ…

ઈસરોએ સ્ટાર્ટ પ્રોગ્રામના વિસ્તરણની જાહેરાત કરી

સ્ટાર્ટ હવે સહભાગિતાને અન્ય વિદ્યાર્થીઓ અને ઉત્સાહીઓ સુધી વિસ્તારવામાં આવી નવી દિલ્હીઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશને કોલેજના વિદ્યાર્થીઓ અને વિજ્ઞાન અને ટેક્નોલોજી સ્ટ્રીમ બહારના ઉત્સાહ ધરાવતા લોકોને આવરી લેવા તેના સ્પેસ સાયન્સ એન્ડ ટેક્નોલોજી અવેરનેસ ટ્રેનિંગ (સ્ટાર્ટ) પ્રોગ્રામના વિસ્તરણની જાહેરાત કરી છે. ઈસરોએ જણાવ્યું હતું કે સ્ટાર્ટનો હેતુ મુખ્યત્વે વિજ્ઞાન અને ટેક્નોલોજીના સ્નાતક અને અનુસ્નાતક વિદ્યાર્થીઓને…

કોટામાં બે વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી લીધી

એક વિદ્યાર્થી ઉત્તર પ્રદેશના જૌનપુરનો રહેવાસી આદિત્ય છે અને બીજો ઉદયપુરનો રહેવાસી મેહુલ વૈષ્ણવ છે કોટાકોટાના વિજ્ઞાન નગર વિસ્તારમાં બે વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી લીધી છે. ઉદયપુરમાં રહેતા એક વિદ્યાર્થીની આત્મહત્યાનો મામલો મંગળવારે સવારે પ્રકાશમાં આવ્યો હતો, ત્યારે મોડી રાત્રે અન્ય એક વિદ્યાર્થીએ આત્મહત્યા કરી લીધી હતી. બંનેના મૃતદેહને એમબીએસ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમમાં રાખવામાં આવ્યા છે….

આઈઆઈટી બોમ્બે વિશ્વની શ્રેષ્ઠ 150 યુનિવર્સિટીઓમાં સામેલ

યાદીમાં 149મું સ્થાન મેળવ્યું, તે આ વર્ષે શ્રેષ્ઠ ક્રમાંકિત ભારતીય સંસ્થા નવી દિલ્હીઆઈઆઈટી બોમ્બે વિશ્વની શ્રેષ્ઠ 150 યુનિવર્સિટીઓમાં સામેલ થઈ ગઈ છે. વેશ્વિક સ્તરે યુનિવર્સિટીઓની વાર્ષિક રેન્કિંગ જાહેર કરનારી ક્વાક્વેરેલી સાયમન્ડસ દ્વારા આજે 20મી આવૃતિમાં જાહેર કરાયેલા ક્યુએસ વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ્સ 2024માં આઈઆઈટી બોમ્બેએ વિશ્વની શ્રેષ્ઠ યુનિવર્સિટીઓની યાદીમાં 149મું સ્થાન મેળવ્યું છે.આ પ્રથમ વખત છે…

ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં પાંચ દિવસ ભારે વરસાદની આગાહી

દેહરાદૂન તેમજ ઉત્તરાખંડના પર્વતીય વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદને ધ્યાનમાં રાખીને યલો એલર્ટ જારી કરવામાં આવ્યું, એસડીઆરએફ અને એનડીઆરએફ સંપૂર્ણ એલર્ટ પર નવી દિલ્હીદેશભરમાં મેઘરાજા રિઝ્યા છે અને તેમની મહેર કરી રહ્યા છે. દેશના કેટલાક ભાગોમાં છેલ્લા કેટલાક દિવસોથી અવિરત વરસાદ થઈ રહ્યો છે, જેને ધ્યાનમાં લઇને ભારતીય હવામાન વિભાગ (આઈએમડી) એ રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ,…

ભાજપના સાંસદ રવિ કિશનની પુત્રી ઈશિતા શુક્લા ડિફેન્સ ફોર્સમાં જોડાઈ

ઈશિતા એનસીસીમાં કેડેટ રહી ચૂકી છે, તેને વર્ષ 2022માં એનસીસી એડીજી એવોર્ડ ઑફ એક્સલન્સ એનાયત કરવામાં આવ્યો હતો નવી દિલ્હીભાજપા સાંસદ રવિ કિશનની પુત્રી ઈશિતા શુક્લા ડિફેન્સ ફોર્સમાં જોડાઈ છે. તે ભારત સરકારની અગ્નિપથ યોજના હેઠળ ડિફેન્સ ફોર્સનો ભાગ બની છે. આ યોજના ગયા વર્ષે જ શરૂ કરવામાં આવી હતી. આ વર્ષની શરૂઆતમાં રવિ કિશને…

જન્મ-મરણની નોંધણી માટે આધાર કાર્ડ ફરજિયાત નહીં

રજિસ્ટ્રાર જનરલ ઓફ ઈન્ડિયાના ઓફિસને આ મામલે આધારના ડેટાબેઝના ઉપયોગની મંજૂરી આપી દેવામાં આવી નવી દિલ્હીકેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય લીધો છે. હવેથી જન્મ અને મૃત્યુના રજિસ્ટ્રેશન માટે આધાર ઓથેન્ટિકેશનને મંજૂરી આપી દેવામાં આવી છે. રજિસ્ટ્રાર જનરલ ઓફ ઈન્ડિયાના ઓફિસને આ મામલે આધારના ડેટાબેઝના ઉપયોગની મંજૂરી આપી દેવામાં આવી છે. જેનાથી હવે રજિસ્ટ્રેશન માટે આધારકાર્ડ…

હિમાચલમાં પૂર-ભૂસ્ખલનથી 300 રસ્તા બંધ, સેંકડો લોકો ફસાયા

ભુસ્ખલન અને પૂરના કારણે 70 કિલોમીટર લાંબા મંડી-પંડોહ-કૂલ્લુ માર્ગ સંપૂર્ણ પ્રભાવિત, ઉત્તરાખંડમાં પણ મેઘરાજાનું તાંડવ નવી દિલ્હીદેશમાં ચોમાસું સક્રિય થતાં જ ઘણા રાજ્યોમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. મેદાની વિસ્તારોથી લઈને પહાડી વિસ્તારોમાં વરસાદની ગતિવિધિ જોવા મળી રહી છે. પહાડો પર વરસેલો વરસાદ આફત લઈને આવ્યું છે. તો હિમાચલમાં અચાનક આવેલા પૂર અને…

મોદીએ અમિત શાહ સાથે મણિપુરમાં હિંસા સહિતના મુદ્દા પર ચર્ચા કરી

મણિપૂર બાબતે જલ્દી જ સરકાર એક્શન મોડમાં દેખાશે, આવતા મહિને કેન્દ્ર સરકાર અને ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં મોટા બદલાવ જોવા મળશે નવી દિલ્હીસોમવારે વિદેશ યાત્રાથી પાછા ફર્યા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સાથે મણિપૂર મુદ્દે ચર્ચા કરી હતી. આ સમયે મણિપૂરમાં રાષ્ટ્રપતી શાસન લાગૂ કરવાથી માંડીને રાજ્યપાલ અનસૂયા ઉકેઇની બદલી…

નેતા-ઉદ્યોગપતિઓ ધમકીભર્યા ફોન માટે પૈસા આપે છેઃ બિશ્નોઈ

પોલીસ સુરક્ષા મળી રહે તે માટે પૈસા આપીને કોલ કરાવવામાં આવી રહ્યા હોવાનો ગેંગસ્ટારનો દાવો મુંબઈજેલમાં સળિયા પાછળ રહેલા ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ એક સનસનીખેજ ખુલાસો કર્યો છે. લોરેન્સ બિશ્નોઈ કહે છે કે રાજકારણીઓ અને ઉદ્યોગપતિઓ તેમને ધમકીભર્યા ફોન કરવાને બદલે પૈસા આપે છે. આવું એટલા માટે કરવામાં આવે છે જેથી આ નેતાઓ અને વેપારીઓને પોલીસ…

યુપીના સૌશામ્બી જિલ્લામાં ઈનામી આરોપીનું એન્કાઉન્ટર

મંઝાનપુરમાં સમદા સુગર મિલ પાસે યુપી એસટીએફ સાથેની અથડામણમાં મોહમ્મદ ગુફરાન નામના એક અપરાધીને માર્યો ગયોલખનૌઉત્તર પ્રદેશના કૌશામ્બી જિલ્લામાં યુપી એસટીએફ ટીમે ઈનામી આરોપીનું એન્કાઉન્ટર કર્યું છે. ગુનેગાર હત્યા અને લૂંટના અનેક કેસમાં વોન્ટેડ હતો. પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ હાઉસમાં ખસેડી તપાસ શરૂ કરી છે.મળતી માહિતી મુજબ, મંઝાનપુરમાં સમદા સુગર મિલ પાસે યુપી એસટીએફ સાથેની…

કૂચબિહારના દિનહાટામાં મમતાની રેલી બાદ હિંસા

ટીએમસીના બે જૂથો વચ્ચે અથડામણમાં ટીએમસીના એક કાર્યકરનું ગોળી વાગવાના કારણે મોત, અનેક કાર્યકર્તાઓ ઘાયલ થયાના અહેવાલ કોલકાતાપંચાયત ચૂંટણી પહેલા પશ્ચિમ બંગાળમાં હિંસાના બનાવો જોવા મળ્યા હતા. કૂચબિહારના દિનહાટામાં મુખ્યમંત્રી મમતા બેનર્જીની રેલીના એક દિવસ બાદ અહીં હિંસા ફેલાઈ હતી. સુત્રોના જણાવ્યા અનુસાર, અહીં ટીએમસીના બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી. આ દરમિયાન ટીએમસીના એક…

કેજરીવાલના બંગલાના રિનોવેશનના ખર્ચનું કેગ ઓડિટ કરશે

એલજીની ભલામણ બાદ કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા કેગ ઓડિટ કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો નવી દિલ્હીદિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર વધુ એક મુસીબત આવી છે. કેજરીવાલના બંગલાના રિનોવેશન માટે કરાયેલા ખર્ચના કેગ ઓડિટ કરાશે. એલજીની ભલામણ બાદ કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા કેગ ઓડિટ કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉ મુખ્યમંત્રી કેજરીવાલના સત્તાવાર નિવાસસ્થાન પર થયેલા ખર્ચને…

રાજ્યના 154 તાલુકામાં વરસાદ, 30 જૂન સુધી દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે ગુજરાત, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, આસામ, મેઘાલયમાં વરસાદનું અલર્ટ પણ જાહેર કર્યું અમદાવાદગુજરાતમાં ચોમાસાનું વિધિવત આગમન થઈ ચૂક્યું છે. રાજ્યમાં મંગળવારે પણ વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. રાજ્યના 154 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગની આગાહી છે કે, ગુજરાતમાં આગામી 30 જૂન સુધી ભારેથી…

મારો કોઈ પ્લાન નથી, અદાલત જે કરશે એ યોગ્ય કરશેઃ બ્રિજ ભૂષણ

કુશ્તી મહાસંઘના અધ્યક્ષ અને બીજેપી સાંસદ બ્રિજ ભૂષણ શરણ સિંહની પ્રતિક્રિયા સામે આવી નવી દિલ્હી પહેલવાનોએ રસ્તા પર આંદોલન બંધ કરવાના એલાન બાદ કુશ્તી મહાસંઘના અધ્યક્ષ અને બીજેપી સાંસદ બ્રિજ ભૂષણ શરણ સિંહની પ્રતિક્રિયા સામે આવી છે. બ્રિજ ભૂષણે કહ્યું કે, અદાલત પોતાનું કાર્ય કરશે અને જે કરશે એ યોગ્ય જ કરશે. તેમણે કહ્યું કે,…

ઈન્ડિગોની ફ્લાઈટે થોડા સમય માટે પાક.ની એર સ્પેસમાં જવું પડ્યું

જમ્મુ જતી ફ્લાઈટને પછીથી અમૃતસર તરફ વાળવામાં આવી નવી દિલ્હી ખરાબ હવામાનને કારણે ઈન્ડિગોની ફ્લાઈટને થોડા સમય માટે પાકિસ્તાની એરસ્પેસમાં જવું પડ્યું હતું, આ જાણકારી એરલાઈન્સ કંપની તરફથી સામે આવી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે ઈન્ડિગો ફ્લાઈટ 6ઈ-2124 થોડા સમય માટે પાકિસ્તાનના એરસ્પેસમાં ઘુસી ગઈ હતી, ત્યારબાદ તેને અમૃતસર તરફ વાળવામાં આવી હતી. એરલાઈન…

ઓડિશાના દિગપહાંડીમાં બસ અકસ્માતમાં 10નાં મોત, 20 ઘાયલ

લગ્ન સમારોહની રાયગડાથી ભુવનેશ્વર જઈ રહેલી બસ દિગપહાંડીમાં ખેમુંડી કોલેજ પાસે સરકારી બસ સાથે અથડાઈ ભૂવનેશ્વર રાજ્યના ગંજમ જિલ્લાના દિગપહાંડી પોલીસ સીમા હેઠળ ખેમુંડી કોલેજ પાસે મોડી રાત્રે એક દુ:ખદ બસ અકસ્માતમાં 10 લોકોના મોત થયા હતા અને 20 લોકો ઘાયલ થયા હતા. અહેવાલો અનુસાર,  લગ્ન સમારોહની રાયગડાથી ભુવનેશ્વર જઈ રહેલી બસ દિગપહાંડીમાં ખેમુંડી કોલેજ…