કારમાં પંકચર પડતાં એસયુવીની ટક્કરે સાઈડ પર ઊભેલા છનાં મોત

ઘટનાનો શિકાર થયેલા તમામ લોકો ખાટૂ શ્યામના દર્શન કરીને પાછા ફરી રહ્યા હતા. તમામ મૃતક ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં દિલ્હી સરહદની નજીક એક સોસાયટીના નિવાસી હતા હરિયાણા હરિયાણાના રેવાડીમાં મોડી રાત્રે એક ભીષણ માર્ગ દુર્ઘટના થઈ છે. ઘટનામાં છ લોકોના મોત નીપજ્યા છે. છ લોકો ઈજાગ્રસ્ત થઈ ગયા છે. ઘટનાનો શિકાર થયેલા તમામ લોકો ખાટૂ શ્યામના…

ઝકરબર્ગની પત્ની પ્રિસિલાનું કિંમતી પેન્ડન્ટ ગુમ થઇ ગયું

ઘટનાના પગલે અંબાણીની પાર્ટીમાં અફરા-તફરી, 3.5 કલાક સુધી પેન્ડન્ટ ગોતવાનો પ્રયાસ મુંબઈ અંબાણી પરિવારના ફંક્શનની વાત હોય ત્યારે કંઇ પણ સાધારણ હોવાની આશા ના રાખી શકાય. આ ફેમિલી સાથે જોડાયેલી નાની ઇવેન્ટ્સ પણ એટલી ગ્રાન્ડ હોય છે, જેનું પ્લાનિંગ પણ કોઇ વિચારી ના શકે. જેની એક ઝલક અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શન્સમાં જોવા…

40 ફૂટ ઊંડા બોરવેલમાં પડેલા યુવકનું મોત, મૃતદેહ બહાર કઢાયો

વિકાસપુરી પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ 304 (એ) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ ચાલુ છે નવી દિલ્હી કેશોપુર વિસ્તારના દિલ્હી જલ બોર્ડનો સીવરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (એસટીપી) સ્થિત પમ્પિંગ રૂમમાં શનિવારે મોડી રાતે ફસાયેલા યુવકનું લગભગ 12 ઈંચ પહોળા અને લગભગ 40 ફૂટ ઊંડા બોરવેલમાં પડવાથી મોત નીપજ્યુ. આ કેસમાં દિલ્હી પોલીસે સોમવારે કેશોપુર…

ચૂંટણી બોન્ડની વિગતો આજે જાહેર કરવા એસબીઆઈને સુપ્રીમનો આદેશ

સુપ્રીમકોર્ટમાં એસબીઆઈએ માગ કરી હતી કે તેમને વધુ સમય આપવામાં આવે અને જૂન પછી આંકડા જાહેર કરવાની માગ વડી અદાલતે ફગાવી નવી દિલ્હી ચૂંટણી બોન્ડ પર પ્રતિબંધ મૂકાયા બાદ સુપ્રીમકોર્ટે એસબીઆઈ બેન્કને આ બોન્ડ ખરીદનારા અને તેને રોકડમાં વટાવનારાઓની તમામ વિગતો અને આંકડા જાહેર કરવા કહ્યું હતું. જોકે હજુ સુધી કોઈ કાર્યવાહી ન કરવામાં આવતા…

વડાપ્રધાન મોદીના ચંદે કા ધંધાની પોલ ખુલવાની છેઃ રાહુલ ગાંધી

જે લોકો દાન આપે છે તેના પર કૃપાનો વરસાદ અને જનતા પર ટેક્સનો માર, આ છે ભાજપની મોદી સરકાર નવી દિલ્હી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ચૂંટણી બોન્ડને લઈને ભાજપ પર પ્રહારો કર્યા છે. તેમણે ‘એક્સ પોસ્ટ કરીને કહ્યું કે, વડાપ્રધાન મોદીના ચંદે કા ધંધાની પોલ ખુલવાની છે. જે લોકો દાન આપે છે તેના પર કૃપાનો…

હાઈટેન્શન વાયર બસ પર પડતાં આગથી 10 લોકોનાં મોત

આ બસ દુર્ઘટનામાં આશરે 20 લોકો અકસ્માતનો ભોગ બન્યા હોવાની પ્રાથમિક માહિતી મળી ગાઝીપુર ઉત્તરપ્રદેશના ગાઝીપુરમાં એક મોટો અકસ્માત સર્જાયો છે. એક હાઇટેન્શન વાયર ચાલુ બસ પર પડતાં આ બસ આગની ઝપેટમાં આવી ગઇ હતી. જેના કારણે અનેક લોકો જીવતા ભડથું થઈ ગયા હોવાની માહિતી મળી રહી છે. આ બસ દુર્ઘટનામાં આશરે 20 લોકો અકસ્માતનો ભોગ…

કોંગ્રેસનું ફોક્સ દ.ભારત પર, યુવા-અનુભવી નેતાઓનું યાદીમાં મિશ્રણ

પ્રથમ યાદીમાં 15 ઉમેદવારો જનરલ કેટેગરીના ઉમેદવારો છે જ્યારે 24 એસસી, એસટી, ઓબીસી અને લઘુમતી સમુદાયના છે નવી દિલ્હી લોકસભાની ચૂંટણીને હવે બહું છેટું નથી અને ગમે તે સમયે ચૂંટણી પંચ તારીખ જાહેર કરી શકે છે ત્યારે ચૂંટણીને લઈને દરેક પક્ષો પૂરજોશમાં પ્રચાર કરી રહ્યા છે. ભાજપે પહેલા જ પોતાના 195 ઉમેદવારની જાહેરાત કરી દીધી…

પૂર્વ કેન્દ્રીય મંત્રીએ કોંગ્રેસ છોડીને ભાજપનો ખેસ ધારણ કર્યો

સુરેશ પચૌરીએ ભોપાલમાં પાર્ટી કાર્યાલયમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ અને પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણની હાજરીમાં પાર્ટીનું સભ્યપદ મેળવ્યું નવી દિલ્હી  લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસની મુશ્કેલી સતત વધતી જઇ રહી છે. પાર્ટીને ચૂંટણી પહેલા એક પછી એક મોટા ઝટકા લાગી રહ્યા છે. હવે પૂર્વ કેન્દ્રીય મંત્રી સુરેશ પચૌરીએ પણ કોંગ્રેસને મોટો ઝટકો આપ્યો છે. કોંગ્રેસ…

દેશમાં ભારે કડકાઈ બાદ ગર્ભ પરિક્ષણ માટે ભારતીયો નેપાળ ભણી

ઉત્તરાખંડના પિથોરાગઢની સાથે જ અન્ય જિલ્લામાંથી દરરોજ નેપાળના જુદા-જુદા શહેરોમાં ઘણા લોકો લિંગ તપાસ માટે પહોંચી રહ્યા છે કાઠમંડુ સમય ભલે ઝડપથી બદલાઈ રહ્યો હોય પરંતુ આજે પણ પુત્રીઓની સરખામણીએ પુત્રોને જ વધુ મહત્વ આપવામાં આવે છે. ભારતમાં ગર્ભ પરીક્ષણની તપાસ પર કડકાઈ બાદ હવે લોકો નેપાળ તરફ વળી રહ્યા છે. ઉત્તરાખંડના પિથોરાગઢની સાથે જ…

મહિલાને 15 રુપિયાના પગારે 45 વર્ષ નોકરી કરાવનારી બાંદાની શાળાને લાખ રુપિયાનો દંડ

કોર્ટે બાંદા જિલ્લાની ભગોનિયા દેવીની 14 વર્ષથી પડતર અરજીનો નિકાલ કરતી વખતે આ નિર્ણય આપ્યો હતો અલ્હાબાદ અલ્હાબાદ હાઈકોર્ટે શિક્ષણ વિભાગ બાંદા પર એક મહિલા પટાવાળાને ફુલ ટાઈમ કર્મચારી તરીકે લેવા છતાં નિયત પગાર ન ચૂકવવા બદલ રૂપિયા 1 લાખનો દંડ ફટકાર્યો છે. મહિલા 15 રૂપિયાના પગારે 45 વર્ષ સુધી નોકરી કર્યા બાદ 2016માં નિવૃત્ત…

બેંક ખાતા પર કાર્યવાહી પર સ્ટેની કોંગ્રેસની માગ આઈટીએટીએ ફગાવી

આવકવેરા વિભાગે કોંગ્રેસ અને યુથ કોંગ્રેસ સાથે જોડાયેલા ચાર બેંક ખાતાઓ ફ્રીઝ કર્યા અને આવકવેરા વિભાગે રૂપિયા 210 કરોડની રિકવરી માગી નવી દિલ્હી લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને ઈન્કમ ટેક્સ એપેલેટ ઓથોરિટી (આઈટીએટી) તરફથી ઝટકો લાગ્યો છે. આઈટીએટીએ શુક્રવારે કોંગ્રેસની અરજી ફગાવી દીધી હતી, જેમાં પાર્ટીએ તેના બેંક ખાતાઓ પર આવકવેરા વિભાગની કાર્યવાહી પર સ્ટે માગ્યો…

મણિપુરમાં સેનાના અધિકારીનું અસામાજિક તત્વો દ્વારા અપહરણ

ભારતીય સેનાના જુનિયર કમિશન ઓફિસર કોન્સમ ખેડા સિંહ શુક્રવારે રજા પર હતા ત્યારે કેટલાક લોકોએ તેમના ઘરમાં ઘૂસી અપહરણ કર્યું ઈમ્ફાલ મણિપુરના થોબલ જિલ્લામાં ભારતીય સેનાના જુનિયર કમીશન ઓફિસર (જેસીઓ)નું અસામાજિક તત્વો દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું. ભારતીય સેનાના જુનિયર કમિશન ઓફિસર કોન્સમ ખેડા સિંહ શુક્રવારે રજા પર હતા. સવારે નવ વાગ્યે કેટલાક લોકો તેના…

ચુરુના સાંસદ રાહુલ કસ્વાંએ ઘરે હજારો સમર્થકો સાથે શક્તિ પ્રદર્શન કર્યું

આ લડાઈ કોઈ ચૂંટણીની નથી વિચારધારાની છે, એક સત્ય અને ઈમાનદારી વિરૂદ્ધ એક વ્યક્તિના અહંકારની લડાઈ છે ચુરૂ ભાજપ તરફથી 195 બેઠકો પર ઉમેદવારોનું એલાન થઈ ચૂક્યું છે અને ટુંક સમયમાં જ બીજી યાદી જાહેર થવાની તૈયારી છે. પહેલી યાદીમાં જે સાંસદોની ટિકિટ કપાઈ છે તેમાંથી એકે બળવો શરૂ કરી દીધો છે. રાજસ્થાનના ચુરૂથી સાંસદ…

યુનો સુરક્ષા પરિષદના સભ્યોની સંખ્યા 15થી વધારીને 25-26 કરવાની ભલામણ

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ રુચિરા કંબોજે  ઇન્ટરગવર્નમેન્ટલ નેગોસિએશન ઓન સિક્યોરિટી કાઉન્સિલ રિફૉર્મ કાર્યક્રમમાં ભાગ લીધો વોશિંગ્ટન ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં જી4 દેશો તરફથી સુધારાનો વિગતવાર પ્રસ્તાવ રજૂ કર્યો છે. ભારતે એવા ઘણા સુધારાની ભલામણ કરી છે, જે લાગુ કરવામાં આવશે તો સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ વધુ લોકતાંત્રિક અને સમાવેશી બની શક્શે. ભારત તરફથી…

સુધા મૂર્તિને રાષ્ટ્રપતિ મુર્મુએ રાજ્યસભા માટે નોમિનેટ કર્યા

વડાપ્રધાન મોદીએ આ અંગેની એક્સ પર માહિતી આપતા સુધામૂર્તિને અભિનંદન પાઠવ્યા નવી દિલ્હી જાણીતા ઉદ્યોગપતિ નારાયણ મૂર્તિના પત્ની અને વિખ્યાત લેખિકા સુધા મૂર્તિને રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ દ્વારા રાજ્યસભા માટે નોમિનેટ કરવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર પોસ્ટ કરીને આ અંગેની માહિતી આપી છે. વડાપધાન મોદીએ લખ્યું કે,’મને ખુશી છે કે…

શિવયાત્રા વીજ વયરના સંપર્કમાં આવતા 15 બાળકોને વીજ કરંટ લાગ્યો

3ની હાલત ગંભીર, બાળકો આ શિવયાત્રામાં ધજા લઈને જતા હતા જેનો સળિયો વીજ વાયરને સ્પર્શ થઈ જતા કરંટ લાગ્યો કોટા રાજસ્થાનના કોટામાં આજે મહાશિવરાત્રી નિમિત્તે બાળકોને લઈને શિવયાત્રા કાઢવામાં આવી હતી જેમાં વીજ વાયર સાથે સંપર્કમાં આવવાથી લગભગ 15 બાળકોને વીજ કરંટ લાગ્યો છે. આ બાળકો દાઝી ગયા છે અને તેમાંથી 3ની હાલત ગંભીર હોવાનું…

દિલ્હીમાં અપમાનથી ત્રાસી પિતાએ પુત્રની લગ્ન પહેલાં જ હત્યા કરી

પુત્રના ચહેરા અને છાતી પર છરીના 15થી વધારે ઘા મારવામાં આવ્યા અને પુત્ર ઘટનાસ્થળે જ ફસડાઈ પડ્યો હતો નવી દિલ્હી દિલ્હીમાં એક જિમના માલિકની તેના લગ્નના થોડા કલાકો અગાઉ જ હત્યા કરવામાં આવી છે. આઘાતની વાત એ છે કે 29 વર્ષના યુવાનની હત્યા તેના જ પિતાએ કરી છે. ગૌરવ સિંઘલ નામનો યુવાન દિલ્હીમાં ફિટ બોક્સ…

કોટામાં જેઈઈની તૈયારી કરતા બિહારના વિદ્યાર્થીની આત્મહત્યા

વિદ્યાર્થીના રૂમમાંથી સ્યુસાઈડ નોટ મળી આવી, વિદ્યાર્થી દ્વારા આપઘાતનો આ ચાલુ વર્ષે છઠ્ઠો મામલો છે કોટા મહાશિવરાત્રિના અવસરે કોટાથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા. અહીં જેઈઈની તૈયારી કરતાં વિદ્યાર્થીએ આપઘાત કરી લીધો છે. તેના રૂમમાંથી સ્યુસાઈડ નોટ મળી આવી હતી. વિદ્યાર્થી દ્વારા આપઘાતનો આ ચાલુ વર્ષે છઠ્ઠો મામલો છે. જોકે ગત વર્ષે 29 બાળકોએ આપઘાત…

આવકથી વધુ સંપત્તીના મામલે પત્નીને આરોપી ન બનાવી શકાય

એક પત્ની દ્વારા કરવામાં આવેલી અરજી પર સુનાવણીમાં કહેવામાં આવ્યું હતું કે તેના પતિ દ્વારા કરવામાં આવેલા કથિત અપરાધ માટે તેની વિરુદ્ધ કાર્યવાહી કરી શકાય નહીં ભૂવનેશ્વર ઓડિશા હાઈકોર્ટે એક મહત્ત્વપૂર્ણ ચૂકાદો આપ્યો હતો, જેમાં કહ્યું હતું કે આવકથી વધુ સંપત્તિ મામલે દોષિત પત્નીને આરોપી બનાવી શકાય નહીં, ભલે સંપત્તિ પત્નીના નામે હોય.  જસ્ટિસ સિબો…

મોદીએ મૈથલી ઠાકુર, જયા કિશોરી સહિત અનેકને રાષ્ટ્રીય રચનાકાર પુરસ્કાર આપ્યા

ગાયિકા મૈથલી ઠાકુરને સાંસ્કૃતિક રાજદૂત વર્ષ પુરસ્કાર અને જયા કિશોરીને સામાજિક પરિવર્તન માટે સર્વશ્રેષ્ઠ રચનાકારનો એવોર્ડ આપ્યો નવી દિલ્હી વડાપ્રધાન મોદીએ શુક્રવારે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે ભારત મંડપમ ખાતે મૈથલી ઠાકુર, જયા કિશોરી સહિત અનેક યુવા હસ્તીઓને રાષ્ટ્રીય રચનાકાર પુરસ્કારથી સન્માનિત કર્યા હતા.  પીએમ મોદીએ લોકપ્રિય ગાયિકા મૈથલી ઠાકુરને સાંસ્કૃતિક રાજદૂત વર્ષ પુરસ્કાર આપ્યો. આ…