રાહુલ ગાંધીને નીડર નેતા અને મોહબ્બત કી દુકાન ગણાવતા કોંગ્રેસના નેતાઓ

કોંગ્રેસ પાર્ટીના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી પણ રાહુલને જન્મદિવસની શુભેચ્છા પાઠવવામાં આવી નવી દિલ્હીઆજે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પોતાનો 53મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આ અવસર પર કોંગ્રેસના પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ તેમને શુભેચ્છા પાઠવી રહ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પણ રાહુલને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. કોંગ્રેસના અન્ય નેતાઓએ પોતાના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર…

ગીતા પ્રેસને પુરસ્કાર સાવરકર અને ગોડસેનું સન્માન સમાનઃ રમેશ

કોંગ્રેસ નેતા જયરામ રમેશે અક્ષય મુકુલ દ્વારા લખાયેલ ગીતા પ્રેસ એન્ડ ધ મેકિંગ ઓફ હિંદુ ઈન્ડિયાનું કવર પેજ પણ શેર કર્યું નવી દિલ્હીકોંગ્રેસે ગોરખપુરની ગીતા પ્રેસને 2021 માટે ગાંધી શાંતિ પુરસ્કાર આપવાના કેન્દ્ર સરકારના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા છે. કેન્દ્ર સરકારની ટીકા કરતા કોંગ્રેસે કહ્યું કે આ સન્માન નથી, ઉપદ્રવ જેવું પગલું છે.કેન્દ્રએ ગીતા પ્રેસને…

નાગપુરમાં એસયુવી કારમાં બંધ ત્રણ બાળકનાં મોત

બાળકો નજીકના મેદાનમાં રમવા ગયા બાદ પરત ન ફરતા પરિવારે પોલીસનો સંપર્ક સાધી અપહરણનો કેસ નોંધાવ્યો હતો નાગપુરમહારાષ્ટ્રના નાગપુરમાં ગઈકાલે સાંજે ઘરથી 50 મીટર દૂર એસયુવીમાં એક ભાઈ અને બહેન સહિત ત્રણ બાળકો મૃત હાલતમાં મળી આવ્યા હતા. આ બાબતે એક પોલીસ અધિકારીએ માહિતી આપી હતી. ફારુક નગરના રહેવાસી તૌફિક ફિરોઝ ખાન, આલિયા ફિરોઝ ખાન…

8.49 કરોડની લૂંટની માસ્ટરમાઈન્ડ ડાકુ હસીના ઝડપાઈ ગઈ

પોલીસે ધાર્મિક સ્થળની બહાર લગાવેલા જ્યૂસનું લંગર પર ડાકુ હસીના અને તેનો પતિ મેંગો જ્યૂસ લેવા આવ્યા કે તરત જ પોલીસે ઝડપી પાડ્યા લુધિયાણાલુધિયાણા જિલ્લામાં 8.49 કરોડની લૂંટની માસ્ટરમાઈન્ડ ડાકુ હસીના ઉર્ફે મનદીપ કૌરને પોલીસે ઝડપી પાડી છે. પોલીસે તેને ઉત્તરાખંડના હેમકુંડ સાહિબ ખાતેથી ઝડપી પાડી છે. લુધિયાણા પોલીસે ડાકુ હસીનાના કેટલાંક સાગરીતોને પણ ઝડપી…

પ્રેમી પંખિડાની ગોળી મારી હત્યા બાદ મૃતદેહ નદીમાં ફેંકી દીધો

યુવકના પિતાની ફરિયાદના આધારે પોલીસ તપાસમાં યુવતીના પરિવારે ગુનો કબૂલી લીધો ભોપાલમધ્યપ્રદેશમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં એક 18 વર્ષની યુવતી અને તેના 21 વર્ષીય પ્રેમીની શંકાસ્પદ કેસમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી છે.આ ઘટનામાં કપલના મૃતદેહને ભારે પથ્થરો સાથે બાંધીને મગરથી ભરેલી નદીમાં ફેંકી દેવામાં આવ્યા હતા. આ ઘટના રતનબસાઈ ગામની છે,…

જમીન વિવાદમાં ભત્રિજાએ કાકા, કારી અને પિતરાઈ ભાઈની હત્યા કરી

બે વચ્ચે ઘરની બહાર નીકળવાના રસ્તાને લઈને ઝઘડો થયો હતો મૈનપુરીઉત્તર પ્રદેશના મૈનપુરીમાં ટ્રિપલ મર્ડરની ઘટનાથી ખળભળાટ મચી ગયો છે. પોલીસ સ્ટેશન કરહલ વિસ્તારના નગલા અતિરામમાં જમીન વિવાદમાં ત્રણ લોકોની ગોળી મારીને હત્યા કરી નાખવામાં આવી છે. જમીન વિવાદમાં ભત્રીજાએ કાકા, કાકી અને પિતરાઈ ભાઈની હત્યા કરી નાખી છે. બીજી બાજુ એક જ પરિવારના ત્રણ…

પિતાના અંતિ સંસ્કારમાં સ્મશાનમાં બે ભાઈઓને હિટસ્ટ્રોક, એકનું મોત

બીજા ભાઈની હાલત ચિંતાજનક હતી, એક દર્દી હોસ્પિટલ આવ્યો ત્યારે તેને તાવ 108 ડિગ્રી હતો, હવે તેની તબિયત સારી છે પટનાબિહારના અલગ-અલગ જિલ્લામાં હીટ સ્ટ્રોકના કારણે મોત થઈ રહ્યા છે. ત્યારે રવિવારે પિતાના અંતિમ સંસ્કાર માટે ભોજપુર જિલ્લામાંથી બક્સર સ્મશાન પહોંચેલા બે ભાઈઓ પણ હીટ સ્ટ્રોકનો ભોગ બન્યા હતા. ઉતાવળમાં બંનેને સદર હોસ્પિટલમાં લાવવામાં આવ્યા…

ઉત્તર પ્રદેશમાં ભારે ગરમી-લૂથી 200થી વધુ લોકોનાં મોત થયા

બલિયા જિલ્લામાં 9 દિવસમાં 128 લોકોનાં મોત, બિહારમાં લૂ લાગવાના કારણે લોકોનું જીવન મુશ્કેલ બની ગયું લખનૌઉત્તર પ્રદેશમાં ગરમીના કારણે અત્યારે સ્થિતિ વણસી ગઈ છે. રિપોર્ટ્સ પ્રમાણે કાળઝાળ ગરમી અને લૂ લાગવાથી 200 લોકોના મોત થયા છે. એટલું જ નહીં વિવિધ જિલ્લાઓમાં છેલ્લા એક સપ્તાહ દરમિયાન મૃત્યુઆંકમાં સતત વધારો થઈ રહ્યો છે. ગરમીના પ્રકોપના કારણે…

આઈપીએસ રવિ સિન્હાને રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગના નવા ચીફ બનાવાયા

વર્તમાન રૉ ચીફનો કાર્યકાળ 30 જૂને પૂર્ણ થયા બાદ રવિ સિન્હા પદ સંભાળશે અને તેમનો કાર્યકાળ 2 વર્ષનો રહેશે નવી દિલ્હીઆઈપીએસ રવિ સિન્હાને રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગના નવા ચીફ બનાવવામાં આવ્યા છે. તેઓ છત્તીસગઢ કેડરના 1988 બેચના આઈપીએસ અધિકારી છે. કેબિનેટની નિમણૂક સમિતિએ સિંહાની નિમણૂકને મંજૂરી આપી દીધી છે. વર્તમાન રૉ ચીફનો કાર્યકાળ 30 જૂને…

નાગૌર જિલ્લાના મેડતા સિટીમાં મિશન હમ ભારત કે બ્રાહ્મણ ક્ષત્રિય બેઠક યોજાઈ

18 જૂન, 2023 ના રોજ, નાગૌર જિલ્લાની વિધાનસભાની અનામત બેઠક મેડતા સિટીમાં મિશન હમ ભારત કે બ્રાહ્મણ ક્ષત્રિયની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જયપુરના કન્વીનરો શ્રી યોગેશ્વર નારાયણ શર્મા, ડૉ. શ્યામ સુંદર સેવડા, સંજય તિવારી, રમાકાંત શર્મા અને ઋષિરાજ રાઠોડે ભાગ લીધો હતો.અને મિશનની માંગણીઓ વિશે માહિતી આપી હતી.

બિરભૂમ જિલ્લામાં સતત બીજા દિવસે બોમ્બ મળી આવ્યા

બીરભૂમ સ્થિત શાંતિનિકેતનથી 28 ક્રૂડ બોમ્બ મળી આવ્યા, આ બોમ્બ બાલ્ટીઓમાં રાખવામાં આવ્યા હતા, પોલીસે તમામ બોમ્બ કબજે કરી તપાસ હાથ ધરી બીરભૂમપશ્ચિમ બંગાળમાં પંચાયત ચૂંટણી યોજાવા જઈ રહી છે. જેમાં દર વખતની જેમ આ વખતે પણ હિંસા જોવા મળી રહી છે. આ દરમિયાન પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લામાં સતત બીજા દિવસે બોમ્બ મળતા હડકંપ મચી…

ઈમ્ફાલમાં દળો-ટોળા વચ્ચે અથડામણમાં બે નાગરિક ઘાયલ થયા

બિષ્ણુપુર જિલ્લાના કવાક્તા અને ચુરાચંદપુર જિલ્લાના કંગવાઈમાં આખી રાત ફાયરિંગ થયું ઈમ્ફાલમણિપુરમાં હિંસાનો તબક્કો અટકવાનું નામ નથી લઈ રહ્યો એવામાં ઇમ્ફાલ શહેરમાં ફરી એકવખત ટોળા અને સુરક્ષા દળો વચ્ચે મોડી રાત સુધી અથડામણ થયાના સમાચાર મળી રહ્યા છે. જેમાં બે નાગરિકો ઘાયલ થયા છે. બિષ્ણુપુર જિલ્લાના કવાક્તા અને ચુરાચંદપુર જિલ્લાના કંગવાઈમાં આખી રાત ફાયરિંગ થયું…

કોંગ્રેસમાં જોડાવા કરતા કૂવામાં કૂદવાનું પસંદ કરીશઃ નીતિન ગડકરી

ભારતીય જનતા પાર્ટી સરકારે દેશમાં કોંગ્રેસના 60 વર્ષના શાસનની સરખામણીમાં છેલ્લા નવ વર્ષમાં દેશમાં બમણું કામ કર્યાનો નેતાનો દાવો નાગપુરકેન્દ્રીય મંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા નીતિન ગડકરીએ કોંગ્રેસ પર કટાક્ષ કર્યો છે. તેમણે જણાવ્યું કે, એક વખત કોંગ્રેસમાં સામેલ થવાની ઓફર કરી હતી. તેના પર તેમણે જવાબ આપ્યો હતો કે, ‘કોંગ્રેસમાં જોડાવા કરતા કૂવામાં કૂદવાનું…

ભરતપુર અને નાદબાઈમાં મિશન હમ ભારત કે બ્રાહ્મણોની બેઠકો યોજાઈ

જયપુર ભરતપુર જિલ્લાના ભરતપુર અને નાદબાઈમાં મિશન હમ ભારત કે બ્રાહ્મણોની બેઠકોનું 15 જૂન, 2023 ના રોજ, આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જયપુરથી કન્વીનર યોગેશ્વર નારાયણ શર્મા, ડો.શ્યામ સુંદર સેવડા, સંજય તિવારી અને રમાકાંત શર્મા હાજર રહ્યા હતા. ભરતપુરમાં ત્રણ વખત ધારાસભ્ય રહી ચૂકેલા શ્રી વિજય બંસલના જન્મદિવસે તેમની હોટેલમાં બ્રાહ્મણ સમાજ દ્વારા આશીર્વાદ આપવામાં…

સિક્કીમમાં ભૂસ્ખલન, 2000થી વધુ સ્થાનિક-વિદેશી ફસાઈ ગચા

ઉત્તર સિક્કિમ જિલ્લા હેડક્વાર્ટર મંગનથી ચુંગાથાંગ તરફ જતો રોડ ધોવાઈ જતાં વાહનવ્યહાર ઠપ, ફસાયેલા પ્રવાસીઓને બચાવવા કામગારી હાથ ધરાઈ ગંગટોકઉત્તર સિક્કિમમાં ગુરુવારે અચાનક આવેલા પૂર બાદ ભૂસ્ખલનને કારણે 2000થી વધુ ઘરેલુ અને વિદેશી પર્યટકો ફસાઈ ગયા હતા. આ મામલે માહિતી આપતાં અધિકારીઓએ જણાવ્યું કે ઉત્તર સિક્કિમ જિલ્લા હેડક્વાર્ટર મંગનથી ચુંગાથાંગ તરફ જતો રોડ ધોવાઈ જતાં…

યુએસમાં 22 જૂનની સાંજે વડાપ્રધાન મોદીના સન્માનમાં સ્ટેટ ડિનરનું આયોજન

મોદી 21 જૂને ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનું નેતૃત્વ કરશે નવી દિલ્હીવડાપ્રધાન નરેન્દ્ર મોદી 20 થી 25 જૂન સુધી અમેરિકા અને ઇજિપ્તની મુલાકાત લેશે. વિદેશ મંત્રાલયે આ માહિતી આપી છે. પીએમ મોદી અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડેન અને ફર્સ્ટ લેડી ઝિલ બાઈડેનના આમંત્રણ પર 21 થી 24 જૂન સુધી અમેરિકાના પ્રવાસે જઈ રહ્યા…

રાજસ્થાનમાં મહિલાઓને મોબાઈલ માટે સરકાર નિર્ધારિત રકમ આપશે

સરકાર ઓગસ્ટમાં રક્ષાબંધન નિમિત્તે આ યોજના શરૂ કરશે, સ્માર્ટફોનની સાથે 3 વર્ષ સુધી ફ્રી ઈન્ટરનેટ મળશે જયપુરરાજસ્થાનમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી થવાની છે. તે પહેલા પ્રદેશની ગેહલોત સરકાર જનતાને લોભાવવાનો પ્રયત્ન કરી રહી છે. આ દરમિયાન મુખ્યમંત્રી અશોક ગેહલોતે મહિલાઓ માટે ખાસ યોજના બનાવી છે. આ યોજના મોબાઈલ અંગે છે, જેના હેઠળ મહિલાઓ પોતાની પસંદનો…

પંડિત નેહરુનું નિવાસસ્થાન હવે પ્રાઇમ મિનિસ્ટર્સ મ્યુઝિયમ એન્ડ સોસાયટીના નામે ઓળખાશે

પાછલાં વર્ષે જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ જગ્યાએ વડા પ્રધાન સંગ્રહાલયનું ઉદઘાટન કર્યું હતું, ત્યાર બાદ માત્ર એક જ વર્ષમાં આ નિર્ણય લેવામાં આવ્યો નવી દિલ્હીવિરોધી પક્ષ દ્વારા છેલ્લાં કેટલાંક વર્ષોથી વારંવાર ઇતિહાસ બદલવો, નામ બદલીને કોંગ્રેસનું નામોનિશાન મટાવવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. ત્યારે હવે પંડિત જવાહરલાલ નહેરુ જ્યાં છેલ્લે સુધી રહેતાં હતાં…

આધારમાં વિગતો મફતમાં સુધારવાની મુદત વધારીને 14 સપ્ટેમ્બર કરાઈ

મફતમાં માહિતી અપડેટ https://myaadhaar.uidai.gov.in પર ઓનલાઇન થવું પડશે અને સીએસસી પરના અપડેટ્સ પર હંમેશની જેમ 25 રૂપિયા લેવામાં આવશે નવી દિલ્હીઆધાર કાર્ડમાં નામ, સરનામું, જન્મ તારીખ જેવી માહિતી અપડેટ કરનારા યુઝર્સ માટે એક સારા સમાચાર આવી રહ્યા છે. યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા આધાર ડિટેલ્સ ફ્રીમાં અપડેટ કરવાની તારીખ 14મી જૂનથી વધારીને 14મી સપ્ટેમ્બર…

યુપીમાં અંધવિશ્વાસમાં માતાએ નવજાતની આંગળી ઉકળતા તેલમાં નાખી દીધી

બાળક રડી રહ્યો નહોતો અને દૂધ પણ પી રહ્યો નહોતો તેથી માતા લાગી રહ્યુ હતુ કે તેમના બાળક પર કોઈ જાદુટોણો થઈ ગયો છે લખનૌયુપીના બારાબંકીમાં એક નિર્દયી માતાનો સનસનીખેજ કિસ્સો સામે આવ્યો છે. ત્યાં એક માતાએ પોતાના પાંચ જ દિવસના નવજાત બાળકના હાથની આંગળીઓ અંધવિશ્વાસના કારણે ઉકળતા તેલમાં દઝાડી દીધી, કેમ કે તે રડી…