જમ્મુ-કાશ્મીરમાં ટૂંકમાં ચૂંટણી, આતંકની ઘટનામાં 45 ટકાનો ઘટાડો

સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકાર વતી હાજર થતાં સોલિસિટર જનરલે કહ્યું, ઘૂસણખોરીમાં પણ ઘટાડો થયો છે, સુરક્ષા દળોને થતા નુકસાનમાં 60 ટકાનો ઘટાડો થયો નવી દિલ્હીજમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવા વિરુદ્ધ દાખલ અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરૂ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકાર વતી હાજર થતાં સોલિસિટર જનરલે કહ્યું કે, જમ્મુ-કાશ્મીરમાં ટૂંક સમયમાં ચૂંટણી યોજાશે….

જી20 માટે મૂકાયેલા ફૂલનાં કુંડાની ચોરી, પોસ્ટર્સ ફાટ્યા

સીસીટીવી કેમેરામાં કાર પર આ ફૂલના કુંડાઓ મૂક્યાનું જોવામાં આવ્યું નવી દિલ્હીનવી દિલ્હીમાં જી20 સમિટ માટેની તૈયારીઓ ચાલી રહી છે. તમામ મુખ્ય રસ્તાઓ પર ડેકોરેશન માટે રાખવામાં આવેલા ફૂલ કુંડાની ચોરી થઈ રહી છે. રાત્રીના સમયમાં આ સણગારેલા કુંડાઓ ગાયબ થઈ રહ્યા છે. આ સિવાય સ્માર્ટ ટોયલેટ બ્લોકની બહાર સ્થાપિત જી20ના બેનરો-પોસ્ટરો પણ બ્લેડથી ફાડી…

બરેલીની મિશનરી શાળામાં વિદ્યાર્થીઓના હાથમાંથી રાખડી કાપી નખાઈ

મામલાની માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને સ્કૂલ મેનેજમેન્ટથી માફી મંગાવવામાં આવી બરેલીઉત્તર પ્રદેશના બરેલીની એક મિશનરી સ્કૂલમાં વિદ્યાર્થીઓના હાથમાંથી રાખડી કાપી નાખવાનો મામલો સામે આવ્યો છે. ઘટના બાદ વિદ્યાર્થીઓના વાલીઓ અને હિન્દુ સંગઠનોએ શાળાએ પહોંચીને હોબાળો મચાવ્યો હતો. હિંદુ સંગઠનોએ સ્કૂલ પર ધાર્મિક લાગણીઓને દુભાવવાનો આરોપ લગાવ્યો છે.મળેલા અહેવાલો અનુસાર મામલો બરેલીના અમલા…

કિરણ પટેલને આજીવન કેદ થાય એવી 467મી કલમ તપાસ એજન્સીએ દૂર કરી

ધારા 467 હેઠળના ગુનાને દૂર કર્યા બાદ આરોપી વ્યક્તિ દ્વારા કરવામાં આવેલા બાકીના ગુનામાં માત્ર 7 વર્ષની સુધીની સજાની જોગવાઈ છે શ્રીનગરશ્રીનગરના મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટની અદાલતે મહાઠગ કિરણ પટેલની જામીન આપતા નોંધ્યું હતું કે ચાર્જશીટના અવલોકનથી સ્પષ્ટ થાય છે કે આઈપીસી ધારા 467 હેઠળના ગુનો કે જેમાં આજીવન કેદની સજા છે તેને તપાસ એંજન્સી દ્વારા…

નોર્થ સેન્ટ્રલ રેલવે સ્ટેશન પર મોબાઈલના સુરક્ષિત ચાર્જ માટે ચાર્જ લાગશે

ઉત્તર મધ્ય રેલ્વે પ્રથમ તબક્કામાં 22 કિઓસ્ક મશીનો સ્થાપિત કરશે, મોબાઇલ ચાર્જ કરવા માટે 10 રૂપિયા ચૂકવવા પડશે નવી દિલ્હીઅત્યાર સુધી રેલવે સ્ટેશન પર મુસાફરો તેમના મોબાઈલ ફોન ફ્રીમાં ચાર્જ કરતા હતા. એક વીજ બોર્ડમાં ઘણી જગ્યાએ એકસાથે ડઝનેક મોબાઈલ ચાર્જ થાય છે. આ રેલવેની ફ્રી પેસેન્જર સુવિધાઓમાંથી એક છે. હવે રેલ્વે કિઓસ્ક મશીનો દ્વારા…

ભારતીય મૂળના ક્રિકેટર તનવીર સંઘા ઓસ્ટ્રેલિયાની વર્લ્ડ કપની ટીમમાં સામેલ

તનવીરે તેની ડેબ્યુ મેચમાં દક્ષિણ આફ્રિકા સામેની ટી20માં ચાર ઓવરમાં માત્ર 31 રન આપીને 4 વિકેટ ઝડપી હતી ડરબનવર્લ્ડ કપ 2023 માટે તમામ ટીમોએ પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભારત-પાકિસ્તાનની ટીમો એશિયા કપ જેવી મોટી ટુર્નામેન્ટ રમી રહી છે. તે જ સમયે દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 3 મેચની ટી20 સિરીઝ રમાઈ રહી છે….

18થી 22 સપ્ટેમ્બરે સંસદનું વિશેષ સત્ર યોજાશે, આમાં 5 બેઠકો થશે

આ 17મી લોકસભાનું 13મું સત્ર અને રાજ્યસભાનું 261મું સત્ર હશે નવી દિલ્હીએક ચોંકાવનારા નિર્ણયમાં કેન્દ્ર સરકારે સંસદનું વિશેષ સત્ર બોલાવ્યું છે. આ સત્ર 18 થી 22 સપ્ટેમ્બર સુધી ચાલશે. કહેવામાં આવી રહ્યું છે કે આમાં 5 બેઠકો થશે. આ 17મી લોકસભાનું 13મું સત્ર અને રાજ્યસભાનું 261મું સત્ર હશે. મંત્રી પ્રહલાદ જોશીએ આ વિશેષ સત્રની જાણકારી…

ઈસરોએ ચંદ્રના આંગણામાં રમી રહેલા પ્રજ્ઞાન રોવરનો ક્યૂટ વીડિયો શેર કર્યો

વીડિચો વિક્રમ લેન્ડર દ્વારા કેમેરામાં કેદ કરવામાં આવ્યો, ચંદ્રની સપાટી પર પ્રજ્ઞાન રોવર ચક્કર લગાવતું જોવા મળે છે શ્રીહરીકોટા‘પ્રજ્ઞાન રોવર’ દિવસેને દિવસે તેના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યું છે… તો તેની સાથે વિક્રમ લેન્ડર પણ સાથે સાથે જોવા મળી રહ્યું છે… ત્યારે ભારતીય અવકાશ સંશોધન સંસ્થા – ઈસરોએ વધુ એક અપડેટ લોકો સમક્ષ રજુ કર્યું…

જી-20 સમિટમાં વિવિધ દેશના દિગ્ગજ નેતાઓ ભાગ લેશે

એક માત્ર રશિયાના રાષ્ટ્રપતિ પુતિન આ બેઠકમાં સામેલ નહીં થાય નવી દિલ્હીજી-20 શિખર સમિટના આયોજન માટે ભારતની રાજધાની નવી દિલ્હીમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે.ભારતના ઈતિહાસમાં કદાચ પહેલી વખત દુનિયાના દિગ્ગજ નેતાઓનો સૌથી મોટો મેળાવડો આ સમિટ દરમિયાન જોવા મળશે.જી-20 ગ્રુપમાં સામેલ મોટાભાગના દેશોના ટોચના નેતાઓ સમિટ માટે ભારતની મુલાકાત લેવાના છે.આ નેતાઓના નામ નીચે…

મલ્લિકાર્જુન ખડગેને ઈન્ડિયાના કન્વિનર બનાવાય એવી શક્યતા

અન્ય મુખ્ય પક્ષોના 11 નેતાઓને સહ-સંયોજકોની જવાબદારી મળી શકે છે નવી દિલ્હીશરૂઆતથી જ એવી અટકળો હતી કે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને ઈન્ડિયા ગઠબંધનના કન્વીનર બનાવવામાં આવશે, પરંતુ હવે તેને આ વાત પર મોટો ઝટકો લાગી શકે છે. સુત્રો પરથી મળતી જાણકારી અનુસાર, હવે નીતિશ કુમારની બદલે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને કન્વીનર બનાવવામાં આવી શકે છે….

વૈજ્ઞાનિકો દક્ષિણ ધ્રુવનું મહત્તમ અંતર કાપવાનો પ્રયાસ કરી રહ્યા છે

23 ઓગસ્ટના રોજ ચંદ્રયાન 3 દ્વારા ચંદ્રની સપાટી પર પહોંચેલા રોવર પ્રજ્ઞાન અને લેન્ડર વિક્રમ પાસે માત્ર થોડા જ દિવસો બાકી નવી દિલ્હીચંદ્ર પરનો એક દિવસ પૃથ્વી પરના 14 દિવસ બરાબર છે. આ સંદર્ભમાં, 23 ઓગસ્ટના રોજ ચંદ્રયાન 3 દ્વારા ચંદ્રની સપાટી પર પહોંચેલા રોવર પ્રજ્ઞાન અને લેન્ડર વિક્રમ પાસે માત્ર થોડા જ દિવસો બાકી…

ભારતના પ્રજ્ઞાન અને ચીનની યુટુ-2 રોવરના સામનાની શક્યતા નહિવત

બંને રોવરની વચ્ચેનું અંતર લગભગ 1948 કિમી જેટલું, એવું પહેલી વખત બન્યું છે કે પૃથ્વીના બે રોવર ચંદ્ર પર સાથે છે નવી દિલ્હીચંદ્રયાન-3ના વિક્રમ લેન્ડરમાંથી બહાર નિકળ્યા બાદ પ્રજ્ઞાન રોવરે ચંદ્રની સપાટી પર કામગીરી આરંભી દીધી છે. ત્યારે ખાસ બાબત એ છે કે ચીનનું યુટુ 2 રોવર પણ ચંદ્ર પર કાર્યરત છે. ત્યારે એવા પ્રશ્નો…

પુલવામા આતંકી હુમલાને લીધે કાશ્મીરમાંથી કલમ 370 હટાવવી પડી

નેશનલ કોન્ફરન્સ અને પીડીપીના આરોપોનો પણ જવાબ આપતા સોલિસિટર જનરલે 370મી કલમની નાબૂદી બાદ રાજ્યમાં શાતિ સ્થપાઈ હોવાન દાવો કર્યો નવી દિલ્હીફેબ્રુઆરી 2019માં પુલવામામાં થયેલા આતંકવાદી હુમલાને કારણે કેન્દ્ર સરકારને જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાની ફરજ પડી હતી. સૉલિસિટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટમાં કલમ 370 હટાવવા વિરુદ્ધ દાખલ અરજીઓની સુનાવણી દરમિયાન આ માહિતી આપી હતી….

રાજ્યસભાના અધ્યક્ષે આઠ વિભાગ સબંધિત સંસદીય સ્થાયી સમિતિઓ બદલી

આમાં કોંગ્રેસના રાજ્યસભાના વરિષ્ઠ સાંસદ પી ચિદમ્બરમની 31 સભ્યોની ગૃહ પેનલમાં નિમણૂકનો સમાવેશ થાય છે નવી દિલ્હીસંસદની સ્થાયી સમિતિઓનું પુનર્ગઠન કરવામાં આવ્યું છે. રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખરે આઠ વિભાગ સંબંધિત સંસદીય સ્થાયી સમિતિઓ બદલી છે. આમાં કોંગ્રેસના રાજ્યસભાના વરિષ્ઠ સાંસદ પી ચિદમ્બરમની 31 સભ્યોની ગૃહ પેનલમાં નિમણૂકનો સમાવેશ થાય છે.રાજ્યસભાના અધ્યક્ષે લોકસભાના અધ્યક્ષની સલાહથી આઠ…

વરૂણ ગાંધીને કોંગ્રેસમાં લેવાનો નિર્ણય પક્ષનું નેતૃત્વ કરશે

એક સમયે ભાજપના સ્ટાર પ્રચારક રહેલા વરુણ ગાંધી હવે મોટા નેતાઓ સાથે સ્ટેજ પર પણ નજર નથી આવતા નવી દિલ્હીલોકસભા ચૂંટણી 2024ને લઈને કોંગ્રેસ પાર્ટીએ ફરી એક વખત યુપીમાં અજય રાય પર દાવ લગાવ્યો છે. અજય રાયે યુપી પ્રદેશ અધ્યક્ષનું પદ સંભાળ્યા બાદથી પાર્ટી એક્શન મોડમાં છે અને કોંગ્રેસની વોટ બેંકને મજબૂત કરવા માટે સખત…

પાલઘર નજીર ટ્રકમાં આગથી હાઈવે પર ટ્રાફિક જામ

માલસામાન ભરેલી ટ્રક મુંબઇ તરફ જઇ રહી હતી તે વેળા મહારાષ્ટ્રના પાલઘર નજીકમા મેળવી હાઇવે પર અચાનક ટ્રકમાં આગ લાગી મુંબઈમહારાષ્ટ્રના પાલઘર નજીકના મેળવી હાઇવે પર આજે મંગળવારે મુંબઇ તરફ જઇ રહેલી ટ્રકમાં આગ સળગી ઉઠતા ભારે દોડધામ મચી ગઇ હતી. ઘટના બાદ લાશ્કરોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. જો કે હાઇવે…

ભાજપનું મહાકૌશલની બેઠકો પર ખાસ ધ્યાન

મહાકૌશલમાં 2018ની ચૂંટણીમાં કોંગ્રેસે નોંધપાત્ર લીડ સાથે 15 વર્ષ બાદ 15 મહિના સુધી સત્તા મેળવી હોઈ આ વખતે ભાજપ મહાકૌશલ પર ખાસ ધ્યાન આપી રહ્યું છે ભોપાલમધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીને લઈને દરેક પક્ષો એડી ચોટીનું જોર લગાવી રહી છે ત્યારે સત્તાપક્ષ ભાજપ પણ મહત્વની બેઠકો પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે, જેમાં મહાકૌશલ વિસ્તારની બેઠકોનો…

તમામ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 200 રૂપિયાનો ઘટાડો કરાયો

75 લાખ બહેનોને ઉજ્જવલા ગેસ યોજના હેઠળ મફત ગેસ કનેક્શન મળશે, એક પણ રૂપિયો ચૂકવવો પડશે નહીં. પાઇપ, સ્ટવ અને સિલિન્ડર વિનામૂલ્યે મળશે નવી દિલ્હીઓનમ અને રક્ષાબંધનના અવસર પર મોદી સરકારે મોટી ભેટ આપી છે. મંગળવારે કેબિનેટની બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું કે તમામ ગ્રાહકો માટે ગેસ સિલિન્ડરની કિંમતમાં 200 રૂપિયાનો ઘટાડો કરવામાં…

સુર્યના અભ્યાસ માટે બે સપ્ટેમ્બરે આદિત્ય એલ-1 મિસન લોન્ચ થશે

ઈસરોએ વ્યુ ગેલેરીમાં બેસીને લોન્ચ જોવા માટે તેની વેબસાઈટ પર રજીસ્ટ્રેશન લિંક પણ બહાર પાડી નવી દિલ્હીચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગ બાદ ઈતિહાસ રચનાર ઈસરોએ હવે એક નવા સીમાચિહ્ન તરફ કદમ માંડવાની તૈયારી શરુ કરી દીધી છે. ઈસરો એ જાહેરાત કરી છે કે, તે 2 સપ્ટેમ્બરે આદિત્ય-એલ1 મિશન લોન્ચ કરશે. તેને શ્રીહરિકોટાથી સવારે 11.50 કલાકે લોન્ચ કરવામાં…