પીએમ પદે મોદી 63 ટકાની અને રાહુલ 20 ટકાની પસંદ

તાજા સરવે મુજબ આપના નેતા અરવિંદ કેજરીવાલ દેશના વડાપ્રધાન તરીકે છ ટકા લોકોની જ પસંદ છે નવી દિલ્હીચાલુ વર્ષે નવેમ્બર-ડિસેમ્બરમાં અનેક રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. આ રાજ્યોની ચૂંટણીને આગામી વર્ષે યોજાનાર લોકસભા ચૂંટણીની સેમિફાઈનલ મનાઈ રહી છે. રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં મુખ્ય મુકાબલો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ છે. એવામાં આમ આદમી પાર્ટી(આપ)ના સૌથી…

સુપ્રીમના ચુકાદા વિરુદ્ધ આદેશ પસાર કરવો એ બંધારણની વિચારધારા વિરુદ્ધ

સુપ્રીમકોર્ટે એક દુષ્કર્મ પીડિતાની ગર્ભપાતની માગ કરતી અરજી પર સુનાવણી કરતી વખતે આ કડક ટિપ્પણી કરી નવી દિલ્હીગુજરાત હાઈકોર્ટ સામે રોષ ઠાલવતાં સુપ્રીમકોર્ટે કહ્યું હતું કે કોઈપણ કોર્ટ દ્વારા સર્વોચ્ચ અદાલતના ચુકાદા વિરુદ્ધ આદેશ પસાર કરવો એ બંધારણની વિચારધારા વિરુદ્ધ છે. સુપ્રીમકોર્ટે એક દુષ્કર્મ પીડિતાની ગર્ભપાતની માગ કરતી અરજી પર સુનાવણી કરતી વખતે આ કડક…

શરદ પવાર પોતાના જોરે ક્યારેય સરકાર બનાવી શક્યા નથીઃ દિલીપ પાટીલ

એનસીપી જ અમારી પાર્ટી છે અને પાર્ટીના ચૂંટણી ચિહ્ન અંગે ચૂંટણી પંચ જ્યારે નિર્ણય કરશે ત્યારે રાજકારણમાં ભૂકંપ આવી જશેઃ પાટીલ મુંબઈક્યારેક શરદ પવારના નજીકના રહેવા દિલીપ વલસે પાટિલે તેમના એક નિવેદનમાં કંઈક એવું કહ્યું કે જેનાથી શરદ પવારના સમર્થકો નારાજ થઈ શકે છે. ખરેખર દિલીપ વલસે પાટિલે શરદ પવારના રાજકીય કદ સામે સવાલો ઊઠાવ્યા…

ચંદ્રયાન-2ના ઓર્બિટરે ચન્દ્રયાન-3નું સ્વાગત કર્યું, બંને વચ્ચે દ્વિ-માર્ગી સંચાર થયો

લેન્ડિંગનો સમય 23 ઓગસ્ટે સાંજે 6.04 વાગ્યાનો રાખવામાં આવ્યો, આ સમયે, વાહનને ચંદ્રની સપાટી પર સુરક્ષિત અને સોફ્ટ લેન્ડીંગ માટે પ્રયાસ કરવામાં આવશે નવી દિલ્હીભારતનું ચન્દ્રયાન મિશન ચન્દ્ર તરફ સતત આગળ વધી રહ્યું છે. હવે ઈસરોએ ચંદ્રયાન-3ને લઈને એક મોટું અપડેટ આપ્યું છે. ઈસરોએ માહિતી આપી હતી કે, ચંદ્રયાન-3 અને ચંદ્રયાન-2 ઓર્બિટર વચ્ચેનો સંચાર સફળતાપૂર્વક…

રાહુલ ગાંધી બાઇક દ્વારા પેંગોંગ લેકની મુલાકાત લીધી

રાહુલ ગાંધીએ ઈન્સ્ટાગ્રામ પર લખ્યું, પૈંગોંગ લેકના આ માર્ગ વિષે મારા પિતા કહેતા હતા કે, તે વિશ્વની સૌથી સુંદર જગ્યાઓમાંથી એક છે લદાખલદ્દાખની મુલાકાતે ગયેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે બાઇક દ્વારા પેંગોંગ લેકની મુલાકાત લીધી હતી. કોંગ્રેસે ટ્વિટર હેન્ડલ પર બાઇક સવાર રાહુલ ગાંધીની તસવીરો શેર કરી હતી. રાહુલ ગાંધીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર…

મંદિરોના રિનોવેશન ફંડને અટકાવવાનો નિર્ણય કર્ણાટકે પાછો ખેંચ્યો

જો કોઇ મંદિરમાં રિનોવેશનનું કામ શરૂ ન થયું હોય કે પછી 50 ટકા સુધી પૂરું ન થયું હોય તેવા મંદિરોની ફન્ડિંગને અટકાવી દેવાનો નિર્ણય લેવાયો હતો બેંગલુરૂભાજપ સહિત ચારેકોરથી ટીકાઓનો સામનો કર્યા બાદ કર્ણાટક સરકારે શુક્રવારે મુઝરાઈ ડિપાર્ટમેન્ટના આદેશને પાછો ખેંચી લીધો છે. આ આ દેશમાં મંદિરોને જારી કરવામાં આવતા રિનોવેશનને ફંડને અટકાવી દેવાનો નિર્ણય…

રાજસ્થાનની તમામ બેઠક પર ચૂંટણી લડવા આપની જાહેરાત

દેશમાં આગામી વર્ષે યોજાનાર લોકસભાની ચૂંટણી પહેલા પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી ગઠબંધન માટે લિટમસ ટેસ્ટ સાબિત થશે નવી દિલ્હીદેશમાં આગામી વર્ષે લોકસભાની ચૂંટણી યોજાનાર છે ત્યારે આ ચૂંટણી માટે વિપક્ષ ગઠબંધન ઈન્ડિયા એક થઈ ગયું છે જેમાં આમ આદમી પાર્ટીએ પણ હાથ મિલાવ્યા છે. જો કે આ વચ્ચે ગઠબંધનમાં તકરાર સામે આવી રહી છે. દિલ્હી…

પી-7 હેવી ડ્રોપથી સાત ટનના સાધનોને યુદ્ધના મેદાનમાં પેરાશૂટથી મોકલી શકાશે

ભારતીય વાયુસેનાએ ડીઆરડીઓની પેટાકંપની એડીઆરડીઈ દ્વારા ડિઝાઇન અને વિકસિત હેવી ડ્રોપ સિસ્ટમનું સફળતાપૂર્વક ફ્લાઇટ પરીક્ષણ કર્યું નવી દિલ્હીદેશે મેક ઇન ઇન્ડિયા હેઠળ સંરક્ષણ ઉત્પાદનમાં મોટી સફળતા હાંસલ કરી છે. ડીઆરડીઓ દ્વારા વિકસિત પી-7 હેવી ડ્રોપ સિસ્ટમની મદદથી, સાત ટન જેટલા વજનના સાધનોને હવે યુદ્ધના મેદાનમાં સરળતાથી પેરાશૂટ દ્વારા મોકલી શકાશે. ભારતીય વાયુસેનાએ તાજેતરમાં ડીઆરડીઓની પેટાકંપની…

કેએસઆર રેલવે સ્ટેશન પર ઉદ્યાન એક્સપ્રેસ ટ્રેનમાં આગ

આગ લાગવાની આ ઘટના યાત્રીઓ ટ્રેનમાંથી ઉતર્યાના 2 કલાક બાદ બની હતી, આ દુર્ઘટનામાં કોઈ ઘાયલ નથી થયું બેંગલુરુબેંગલુરુના ક્રાંતિવીરા સંગોલ્લી રાયન્ના (કેએસઆર) રેલવે સ્ટેશન પર આજે સવારે ઉદ્યાન એક્સપ્રેસ ટ્રેનમાં આગ લાગી ગઈ હતી. ફાયર બ્રિગેડની ગાડીઓને તાત્કાલિક ઘટના સ્થળ પર મોકલવામાં આવી હતી અને આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન હાથ ધરાયો હતો. આ…

દરેક સંસ્થાનમાં આરએસએસ તેના માણસોને રાખી રહ્યું છેઃ રાહુલ

કેન્દ્ર સરકારના કોઈપણ મંત્રીને પૂછશો તો તમને જણાવશે કે અસલમાં તે તેમના મંત્રાલય નથી ચલાવી રહ્યા પણ આરએસએસ દ્વારા નિમાયેલા ઓએસડી ચલાવી રહ્યા છે લદાખકોંગ્રેસ નેતા રાહુલ ગાંધી કેન્દ્રશાસિત પ્રદેશ લેહ-લદાખની મુલાકાતે છે. તેઓ અહીં પાર્ટીના નેતાઓની સાથે લદાખની જુદી જુદી જગ્યાઓ પર યુવાઓ સાથે વાતચીત કરશે. તેઓ એલએસીની પણ મુલાકાત લેવાના છે. લદાખમાં રાહુલ…

ટેલિકોમ સેવાઓની ગુણવત્તાના હાલના ધોરણોની સમીક્ષા કરવાની જરૂર

દેશમાં 4જી નેટવર્કની વ્યાપક જમાવટ અને 5જી સેવાઓની રજૂઆત છતાં, કોલ ડિસ્કનેક્શન, અવાજમાં પ્રોબ્લેમ અને ધીમી ઇન્ટરનેટ સ્પીડ જેવી ફરિયાદો વધી નવી દિલ્હીટેલિકોમ રેગ્યુલેટર ટ્રાઈએ ગઈકાલે જણાવ્યું હતું કે, કોલ ડિસ્કનેક્શન સંબંધિત ફરિયાદોમાં વધારો થવાને કારણે ટેલિકોમ સેવાઓની ગુણવત્તાના હાલના ધોરણોની સમીક્ષા કરવાની જરૂર છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ જણાવ્યું હતું કે, જિલ્લા સ્તરે…

નોઈડામાં દોડતી કારમાં સનરૂફ ખોલી સ્ટંટ કરનારને 26000નો દંડ

વીડિયોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ કારના સનરૂફમાંથી બહાર આવ્યો છે અને તે સંપૂર્ણપણે ઝૂમી રહ્યો હતો નોઈડાહાલ કારમાં સનરૂફનો ટ્રેન્ડ ઝડપથી વધી રહ્યો છે, તેની સાથે જ લોકો કારનું સનરૂફ ખોલીને રસ્તાની વચ્ચે ઝૂમતા પણ જોવા મળે છે. પરંતુ તાજેતરના એક કિસ્સામાં એક વ્યક્તિને કારનું સનરૂફ ખોલીને સ્ટંટ બતાવવુ ભારે પડ્યું હતું. હાલમાં…

પત્રકાર વિમલ યાદવ હત્યાકાંડમાં ચારની ધરપકડ

આ મર્ડર કેસમાં મૃતકના પિતાની ફરિયાદ પર 8 આરોપીઓ વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી હતી અરરીયાબિહારના અરરીયામાં પત્રકાર વિમલ કુમાર યાદવ હત્યાકાંડ મામલે પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. આ મર્ડર કેસમાં મૃતકના પિતાની ફરિયાદ પર 8 આરોપીઓ વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી હતી. જેમાંથી 4 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે જે…

દિલ્હીમાં એક જ રાતમાં ત્રણ જણા પર ચપ્પુથી હુમલો, એકનું મોત

બે લોકોએ કોઈ રીતે છુપાઈને કે અંધારાનો લાભ લઈ પોતાનો જીવ બચાવ્યો નવી દિલ્હીઉત્તરપૂર્વ દિલ્હીમાં એક જ રાતમાં ત્રણ કુખ્યાત બદમાશોએ લૂંટના ઈરાદે એક પછી એક ત્રણ અલગ અલગ જગ્યા પર હુમલા કર્યા હતા. આટલું જ બદમાશોએ ત્રણ લોકો પર ચપ્પું હુલાવ્યું હતું. તેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું. જોકે બે લોકોએ કોઈ રીતે છુપાઈને કે…

ઉદયપુર-ખજુરાહ એક્સપ્રેસના એન્જિનમાં આગથી મુસાફરોની નાસભાગ

ગ્વાલિયરના સિથોલી સ્ટેશન પાસે ટ્રેનના એન્જિનમાં આગ લાગી, પાયલોટે ટ્રેન રોકી અને કંટ્રોલ રૂમને જાણ કરતા ફાયર સ્ટાફે તત્કાળ સ્થળે જઈને આગ પર નિયંત્રણ મેળવ્યું ઉદયપુરઉદયપુરથી ખજુરાહો જઈ રહેલી ઉદયપુર-ખજુરાહો એક્સપ્રેસમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. ગ્વાલિયરના સિથોલી સ્ટેશન પાસે ટ્રેનના એન્જિનમાં આગ લાગી હતી, જે બાદ મુસાફરોમાં હોબાળો મચી ગયો હતો. આગની જાણ…

370મી કલમ સંદર્ભે કોઈ ઉલ્લંઘન જણાશે તો કોર્ટ હસ્તક્ષેપ કરશેઃ સુપ્રીમ

બંધારણીય બેન્ચે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવા વિરુદ્ધ દાખલ અરજીઓ પર 7મા દિવસે દલીલો દરમિયાન સવાલો કર્યા નવી દિલ્હીજમ્મુ-કાશ્મીર મામલે સુનાવણીના 7મા દિવસે સુપ્રીમકોર્ટે અરજદારોને કહ્યું કે શું તમે કલમ 370 ખતમ કરવાની કેન્દ્રની મંશાનું આકલન કરવા ન્યાયિક સમીક્ષા ઈચ્છો છો? કોર્ટે કહ્યું કે ન્યાયિક સમીક્ષા દરમિયાન જો તેમાં કોઈ ઉલ્લંઘન જણાશે તો કોર્ટ હસ્તક્ષેપ પણ…

કચરાનો ઉપયોગ કરી વાર્ષિક 65000 મેગાવોટ વીજળી પેદા કરી શકાય

દેશમાં દર વર્ષે 6.5 કરોડ ટન કચરો પેદા થાય છે અને તેના 2030 સુધી વધીને 16.5 કરોડ ટન તથા 2050 સુધીમાં 43.6 કરોડ ટન થવાનું અનુમાન નવી દિલ્હીદેશભરમાં કચરાનો ઉપયોગ કરી વાર્ષિક 65000 મેગાવોટ વીજળી પેદા કરી શકાય છે. જે 2030 સુધીમાં 1.65 લાખ મેગાવોટ અન 2050 સુધીમાં 4.36 લાખ મેગાવોટ સુધી પહોંચી શકે છે….

ભાજપે ગત વિધાનસભા ચૂંટણીમાં 209 કરોડથી વધુનો ખર્ચ કર્યો

પાર્ટીએ ચૂંટણી પંચને સોંપેલી વિગતોમાં આપી છે. ચૂંટણી સંસ્થા દ્વારા ખર્ચનો અહેવાલ જાહેર કરવામાં આવ્યો અમદાવાદગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી છેલ્લા 25 વર્ષ કરતા પણ વધુ સમયથી સત્તામાં છે અને પાર્ટીએ છેલ્લી વિધાનસભામાં રેકોર્ડ બ્રેક સીટો મેળવીને જીત નોંધાવી હતી, ત્યારે પાર્ટીએ વિધાનસભા 2022ની ચૂંટણીમાં રુપિયા 209 કરોડથી વધુનો ખર્ચ કર્યો હતો. આ માહિતી પાર્ટીએ ચૂંટણી…

કરોડનું મકાન ધરાશાયી થવા છતાં પોલીસ કોન્સ્ટેબલ ફરજ પર હાજર

54 વર્ષીય અશોક ગુલેરિયા ભારતીય સૈન્યમાં લાન્સ નાયક પદેથી નિવૃત્ત થયા હતા અને તેઓ શિમલામાં હેડ કોન્સ્ટેબલ તરીકે તહેનાત થયા હતા શિમલાહિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ સહિત પંજાબમાં પણ મોનસૂનના સ્વરૂપમાં કહેર વરસી રહ્યો છે. જ્યારે હિમાચલમાં તો પૂર, ભૂસ્ખલન અને આભ ફાટવાની વારંવાર બનતી ઘટનાઓએ બધુ જ વેરવિખેર કરી નાખ્યું છે. રાજ્યને થનારું નુકસાન હજારો કરોડોમાં…

રાહુલ ગાંધી અમેઠીથી જ ચૂંટણી લડશેઃ અજય રાય

પ્રિયંકા ગાંધી જ્યાં પણ કહેશે અમે તેમને સંપૂર્ણ સમર્થન આપીશું, તેમના વિજય માટે દરેક કાર્યકર મહેનત કરશે વારાણસીઅજય રાય ઉત્તર પ્રદેશ કોંગ્રેસ કમિટીના નવનિયુક્ત અધ્યક્ષ તરીકે નિયુક્ત થયા બાદ પ્રથમ વખત તેમના ગૃહ જિલ્લા વારાણસીમાં લાલ બહાદુર શાસ્ત્રી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પહોંચ્યા હતા. એરપોર્ટ પર પહોંચતાની સાથે જ હજારો કાર્યકર્તાઓએ ઢોલ, માળા અને અંગ વસ્ત્રો સાથે…