દિલ્હી તંત્રએ રેટ-હોલ માઈનર વકીલ હસનના ઘર પર બુલડોઝર ફેરવી નાખ્યું

એક વીડિયો મેસેજમાં હસને અધિકારીઓ પર કોઈપણ નોટિસ વિના તેમનું ઘર તોડી પાડવાનો આરોપ લગાવ્યો નવી દિલ્હી દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરિટી (ડીડીએ) દ્વારા ‘ડિમોલિશન’ અભિયાન દરમિયાન એ રેટ માઈનરના ઘર પર પણ બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું. આ એ રેટ માઈનર હીરો છે, જે ગત વર્ષે ઉત્તરાખંડમાં ઉત્તરકાશી જિલ્લામાં આવેલી સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા 41 શ્રમિકોના જીવ બચાવનારામાંના…

દેશમાં એક કરોડ ઘરોમાં 300 યુનિટ મફત વીજળીનો માર્ગ મોકળો થયો

પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના હેઠળ સરકાર 1 કરોડથી વધુ ઘરોમાં રૂફટોપ સોલાર પેનલ લગાવશે, ઉર્જા ક્ષેત્રમાં આત્મનિર્ભરતા લાવવા માટે સરકારે આ યોજના શરૂ કરી છે નવી દિલ્હી 22 જાન્યુઆરી, 2024ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પીએમ સૂર્યોદય યોજનાની જાહેરાત કરી હતી. આ યોજનાનું નામ પાછળથી બદલીને પીએમ સૂર્ય ઘર યોજના રાખવામાં આવ્યું. આ યોજના હેઠળ 1…

રાજસ્થાનમાં બેથી વધુ બાળકોવાળાને સરકારી નોકરી નહીં મળે

આ નીતિને લઈને સુપ્રીમ કોર્ટમાંથી પણ પરવાનગી મળી ગઈ, પૂર્વ સૈનિક દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલને ફગાવી દેવાયી નવી દિલ્હી રાજસ્થાનમાં અત્યાર સુધી પંચાયતની ચૂંટણી લડતા ઉમેદવારો પર બે બાળકની નીતિ લાગુ પડતી હતી. હવે આ નિયમ સરકારી નોકરીઓ માટે પણ લાગુ કરવામાં આવ્યો છે. એટલે કે જો કોઈને 2 થી વધુ બાળકો હશે તો…

બિલ ગેટ્સ ડોલી ચાયવાલાની ચાની મજા લેતા જોવા મળ્યા

સોશિયલ મીડિયા પર મીમ્સનું પૂર આવ્યું હતું, લોકો વિવિધ પ્રકારના મીમ્સ શેર કરી રહ્યા છે નાગપુર માઈક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સ જ્યારે પણ ભારત આવે છે ત્યારે તેઓ હંમેશા કોઈને કોઈ વીડિયો અને ફોટો શેર કરે છે જે ચર્ચાનો વિષય બની જાય છે. વિશ્વના સૌથી ધનિક વ્યક્તિઓમાંના એક બિલ ગેટ્સ હંમેશની જેમ ભારતને એક્સપ્લોર કરતા જોવા…

83 જાતીઓને ઓબીસીમાં સામેલ કરવાની ભલામણ એનસીબીસીએ ફગાવી

મમતા સરકારે જે 83 જાતિઓને કેન્દ્રીય ઓબીસી યાદીમાં સામેલ કરવાની ભલામણ કરી છે તેમાંથી 73 મુસ્લિમ સમુદાયની છે, હવે એનસીબીસીએ આનો સખત વિરોધ કર્યો કોલકાતા પશ્ચિમ બંગાળની મમતા બેનર્જી સરકાર સામે એક નવી મુશ્કેલી ઉભી થઈ ગઈ છે. અન્ય પછાત વર્ગો (ઓબીસી)માં અનેક ડઝન જાતિઓનો સમાવેશ કરવાની બંગાળ સરકારની ભલામણ સામે રાષ્ટ્રપતિને ફરિયાદ કરવાની તૈયારીઓ…

ભાજપના 70-80 સાંસદોના પત્તા કપાઈ શકે છે

પાર્ટી એન્ટી ઈન્કમ્બન્સીના ડરથી તેમને ફરી તક આપવાથી ડરી રહી છે, પાર્ટી આ સાંસદોના કામની સમીક્ષા કરી રહી છે નવી દિલ્હી ભાજપની પ્રથમ ઉમેદવારોની યાદી ટૂંક સમયમાં જાહેર થવાની શક્યતા છે ત્યારે તેમાં કેટલાક મોટા ઉમેદવારોના નામો સિવાય મુશ્કેલ બેઠકો માટેના ઉમેદવારોના નામ પણ જાહેર કરવામાં આવી શકે છે. ચૂંટણીની જાહેરાત પહેલા ઉમેદવારો જાહેર કરવા…

માનવ અધિકારનો ખરાબ રેકોર્ડ ધરાવનારા પાક.ને ટિપ્પણીનો હક નથીઃ ભારત

પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદના મંચનો ફરીથી ખોટો ઉપયોગ કર્યો વોશિંગ્ટન યુએનમાં ભારત પર પ્રશ્ન ઉઠાવી રહેલા પાકિસ્તાનને એકવાર ફરી જડબાતોડ જવાબ મળ્યો છે. ભારતનું કહેવુ છે કે ખરાબ માનવાધિકાર રેકોર્ડ્સ વાળા પાકિસ્તાનને ભારત પર ટિપ્પણી કરવાનો કોઈ અધિકાર નથી. સાથે જ આરોપ લગાવ્યા છે કે પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદના મંચનો ફરીથી ખોટો ઉપયોગ…

મારા રાજીનામાની અફવા ભાજપે ફેલાવીઃ સુખવિંદર સિંહ સુક્ખુ

રાજ્યસભાની ચૂંટણીમાં ક્રોસ વોટિંગને કારણે અમારી સરકારને તોડી પાડવાનું ષડયંત્ર રચવામાં આવ્યું હોવાનો જયરામ રમેશનો દાવો સિમલા હિમાચલ પ્રદેશમાં ચાલી રહેલી રાજકીય ખેંચતાણ વચ્ચે મીડિયા સામે રજૂ થતાં મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુક્ખુએ કહ્યું કે હું એ સ્પષ્ટ કરી દેવા માગુ છું કે મેં રાજીનામું નથી આપ્યું. બજેટ દરમિયાન અમે બહુમતી સાબિત કરીશું. હિમાચલમાં પાર્ટીની સરકાર…

ભારત આવતા ત્રણ રશિયન ટેન્કર પર અમેરિકાનો પ્રતિબંધ

અમેરિકાએ બ્લેકલિસ્ટેડ ટેન્કરોને 45 દિવસ માટે તેલની નિકાસ કરવાની છૂટ આપી નવી દિલ્હી ફેબ્રુઆરી 2022માં શરૂ થયેલા રશિયા-યુક્રેન યુદ્ધ બાદથી ભારત રશિયા પાસેથી ડિસ્કાઉન્ટેડ ભાવે મોટી માત્રામાં તેલ ખરીદી રહ્યું છે. તેલથી ભરેલા રશિયન ટેન્કરો પણ આગામી થોડા અઠવાડિયામાં ભારત પહોંચશે. પરંતુ તે ત્રણ ટેન્કરની ચર્ચા થઈ રહી છે જેના પર અમેરિકા દ્વારા પ્રતિબંધ મુકવામાં…

કેરળમાં કોંગ્રેસ અને યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ વચ્ચે બેઠકોની વહેંચણી

કોંગ્રેસ કેરળમાં 20માંથી 16 બેઠકો પરથી લોકસભાની ચૂંટણી લડશે તિરુવનંતપુરમ લોકસભા ચૂંટણી 2024 માટે કેરળમાં કોંગ્રેસ અને યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (યુડીએફ) વચ્ચે બેઠકોની વહેંચણી કરવામાં આવી છે. કોંગ્રેસ આ વખતે દેશના લગભગ તમામ રાજ્યોમાં ગઠબંધન હેઠળ ચૂંટણી લડી રહી છે ત્યારે હવે કેરળમાં પણ બેઠકોની વહેંચણી પર સર્વસંમતિ સધાઈ છે. ટૂંક સમયમાં પાર્ટી તેના લોકસભા…

મણિપુરમાં સ્થિતિ વણસતાં સેના તહેનાત, આસામ રાયફલ્સની ચાર ટૂકડી ગોઠવાઈ

200 લોકોએ અધિકારીના ઘરે હુમલો કરી તેમનું અપહરણ કર્યું, મણિપુર પોલીસ કમાન્ડોએ પણ અપહરણ મામલે વિરોધ નોંધાવ્યો ઈમ્ફાલ મણિપુરમાં મેઈતેઈ સંગઠન અરમબાઈ તેંગગોલના કાર્યકર્તાઓએ વરિષ્ઠ પોલીસ અધિકારીનું કથિત અહરણ કર્યું હોવાના અહેવાલો સામે આવ્યા બાદ ફરી સેના તહેનાત કરવામાં આવી છે. ત્યાં ઈમ્ફાલમાં આસામ રાઈફલ્સની ચાર ટુકડીઓને તહેનાત કરી દેવાઈ છે. જોકે પોલીસ અને સુરક્ષા…

વીરભદ્રના પુત્ર વિક્રમાદિત્ય સિંહનું કોંગ્રેસમાંથી રાજીનામું

હિમાચલ પ્રદેશની વિધાનસભામાં ભારે હોબાળાની સ્થિતિને પગલે સ્પીકરે વિપક્ષના નેતા જયરામ ઠાકુર સહિત ભાજપના 14 ધારાસભ્યોને સસ્પેન્ડ સિમલા હિમાચલ પ્રદેશમાં રાજ્યસભા ચૂંટણીના પરિણામો આવ્યા બાદથી રાજકીય ઉઠાપટકનો દોર શરૂ થઇ ગયો છે. આ સૌની વચ્ચે વીરભદ્ર સિંહના દીકરા વિક્રમાદિત્ય સિંહે સીએમ સુખ્ખુના નેતૃત્વ હેઠળની કોંગ્રેસ સરકારમાંથી રાજીનામું આપી દીધું છે. તેમણે કહ્યું કે મેં પ્રિયંકા…

ગુજરાતના ગિફ્ટસિટીમાં જાતિ આધારિત ભેદભાવ થયાની ફરિયાદ

ગુજરાતની ગિફ્ટ સિટીમાં મેં એક ફ્લેટ ખરીદવાનો પ્રયાસ કર્યો હતો જ્યાં મને મારી જાતિના કારણે ઘર ફાળવવાની ના પાડી દેવામાં આવી નવી દિલ્હી જેપી મોર્ગનના વાઈસ પ્રેસીડેન્ટ અનિરુદ્ધ કેજરીવાલે એક સનસનાટી મચાવતો દાવો કર્યો છે. તેમણે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર ગુજરાતમાં જાતિ આધારિત ભેદભાવ થયાની ફરિયાદ કરીને સૌને ચોંકાવી દીધા હતા. તેમણે કહ્યું કે ગુજરાતની…

વિશાખાપટ્ટનમમાં ફ્લોટિંગ બ્રિજ ઉદ્ઘાટનના 24 કલાકમાં પાણીમાં તણાઈ ગયો

આ પૂલ સમુદ્રમાં ઉતરવા માટે અથવા પુલ ઉપર ઉભા રહી સમુદ્રનું અદ્ભુત દર્શન કરવા માટે રચવામાં આવ્યો હતો વિશાખાપટ્ટનમ આંધ્ર પ્રદેશની એક આશ્ચર્યજનક ખબર આવી છે. વિશાખાપટ્ટનમ્માં એક ફ્લોટિંગ બ્રિજનું ઉદ્ધાટન શાસક પક્ષ વાય.એસ.આર.સી.પી.ના સાંસદ વાય-વી.સુબ્બા રેડ્ડીએ કર્યું હતું, તે બ્રિજ 24 કલાકમાં જ પાણીમાં તણાઈ ગયો. આ બ્રીજ બનાવવામાં 1.6 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા…

રાજીવ ગાંધીના હત્યારા સંથાનનું ચેન્નાઈની રાજીવ ગાંધી હોસ્પિટલમાં મોત

કાર્ડિયાક અરેસ્ટ પછી, શરૂઆતમાં એવું લાગતું હતું કે તે સ્વસ્થ થઈ જશે, પરંતુ તેને બચાવી શકાયો નહીં ચેન્નાઈ પૂર્વ વડાપ્રધાન દિવંગત રાજીવ ગાંધીનો હત્યારો સંથાન મૃત્યુ પામી ગયો છે. બીમારીની સારવાર દરમિયાન તે મૃત્યુ પામ્યો હતો. જોકે રસપ્રદ વાત એ છે કે સંથાનનું મોત પૂર્વ દિવંગત વડાપ્રધાન રાજીવ ગાંધીના નામે જ નિર્માણ પામેલી ચેન્નઈની સરકારી…

હિમાચલમાં ટોસના આધારે ભાજપના મહાજનનો વિજય,. લોકપ્રતિનિધિત્વ કાયદા, 1951ની કલમ 102 હેઠળ ડ્રો થયો

કોંગ્રેસ અને ભાજપ એમ બંનેના ઉમેદવારોને 34-34 મત મળ્યા હતા પરંતુ જીત કે હારનો નિર્ણય ટોસ દ્વારા લેવામાં આવ્યો સિમલા હિમાચલ પ્રદેશમાં રાજ્યસભાની બેઠક પર ભાજપના હર્ષ મહાજન ચૂંટણી જીતી ગયા, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર અભિષેક મનુ સિંઘવી હારી ગયા. અહીં રાજ્યમાં કોંગ્રેસની સરકાર હોવા છતાં તેના ઉમેદવારનો પરાજય કોંગ્રેસ માટે મોટો ઝટકો મનાઈ રહ્યો છે….

સપાના ધારાસભ્યએ ચીફ વ્હીપપદેથી રાજીનામું આપી દીધું

રાજીનામું રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવને મોકલી આપ્યું, એવું માનવામાં આવી રહ્યું છે કે મનોજ ભારતીય જનતા પાર્ટીને વોટ આપી શકે છે નવી દિલ્હી રાજ્યસભાની ચૂંટણી વચ્ચે સમાજવાદી પાર્ટીને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. પાર્ટીના ધારાસભ્ય મનોજ પાંડેએ ચીફ વ્હીપના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે પોતાનું રાજીનામું રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવને મોકલી આપ્યું…

સિતારમણ અને જયશંકરને લોકસભાની ચૂંટણીમાં ઊતારવા ભાજપની યોજના

સીતારમણ હાલ કર્ણાટકથી જ રાજ્યસભાના સભ્ય છે, એસ. જયશંકર ગુજરાતથી રાજ્યસભામાં આવ્યા હતા નવી દિલ્હી કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ અને વિદેશ મંત્રી એસ. જયશંકરને લઈને ભાજપે મોટી જાહેરાત કરી છે. ભાજપે બંને કેન્દ્રીય મંત્રીઓને આ વખતે લોકસભા ચૂંટણીમાં ઉતારવાનો નિર્ણય લીધો છે. જો કે એ નથી જણાવ્યું કે તેઓ કઈ બેઠક પરથી ચૂંટણીમાં ઝંપલાવશે. જણાવી…

શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદનું 10 માર્ચે 10 મિનિટ ભારત બંધનું એલાન

બંધ દરમિયાન લોકો ઘરની બહાર નીકળીને માતા ગાયના નામ પર 10 મિનિટ સુધી ભજન કરશે વારાણસી ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવા માટે શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે કાશીમાં મોટું એલાન કર્યું છે. તેમણે કહ્યું કે છેલ્લા 75 વર્ષમાં અમે ઘણી બધી સરકારો જોઈ છે પરંતુ આજ સુધી ગૌ હત્યા પર પ્રતિબંધ લાદવામાં નથી આવ્યો. દુર્ભાગ્યપૂર્ણ છે કે જે દેશમાં…

કાશી વિશ્વનાથ મંદિર ગુરૂકૂળમાં બાળકોને મફત શિક્ષણ અપાશે

શિક્ષકો દ્વારા વેદ ઉપરાંત નવી શિક્ષણ નિતિ હેઠળ આધુનિક વિષયોનો પણ અભ્યાસ કરાવાશે, શિષ્યો શાસ્ત્રીથી લઈને આચાર્ય સુધીની ડિગ્રી મેળવી શકશે વારાણસી કોઈપણ બાળક નિઃશુલ્ક શિક્ષણ મેળવી શકે તે માટે શ્રી કાશી વિશ્વનાથ મંદિર દ્વારા આધુનિક ગુરુકુળની સ્થાપના કરવા પ્રસ્તાવ લવાયો છે. આ ઉપરાંત કાશી વિશ્વનાથ મંદિર ન્યાસ ગુરુકુળમાં આયુર્વેદિક આધારીત હોસ્પિટલ અને ગૌશાળા પણ…