વ્હીલચેરના અભાવે 80 વર્ષના વૃધ્ધ દોઢ કિમી ચાલ્યાને મોત થયું

વૃદ્ધનું મુંબઈ એરપોર્ટ પર ઈમિગ્રેશન કાઉન્ટર ખાતે મોત થયું મુંબઈ  વ્હીલચેર ના મળવાના કારણે 80 વર્ષના વૃદ્ધનું મૃત્યુ થયું હોવાની ઘટના મુંબઈ એરપોર્ટ પર બની છે. 80 વર્ષીય વૃદ્ધ પોતાનાં પત્ની સાથે ન્યૂયોર્કથી મુંબઈ આવ્યા હતા. વયોવૃદ્ધ હોવાના લીધે તેમણે એરપોર્ટ પર વ્હીલચેરની ફેસિલિટી બુક કરાવી હતી. એર ઈન્ડિયાની ફ્લાઈટમાં તેઓ ન્યૂયોર્કથી મુંબઈ આવ્યા હતા….

મોદીની ડીગ્રી અંગે કેજરીવાલ-સંજયસિંહની અપીલ હાઈકોર્ટે ફગાવી

ગુજરાત યુનિવર્સિટીએ આપના નેતાઓ સામે બદનક્ષીનો કોસ દાખલ કર્યો હતો અમદાવાદ ગુજરાત યુનિવર્સિટીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી મામલે આપના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીના નેતા સંજયસિંહ વિરુદ્ધ બદનક્ષીનો કોસ દાખલ કર્યો હતો, જેમાં સેશન્સ કોર્ટે બન્નેની અરજીને નકારતા હાઈકોર્ટમાં સમન્સ રદ કરવા અને સ્ટે આપવા અરજી દાખલ કરી હતી,…

કોંગ્રેસ-યુથ કોંગ્રેસના તમામ એકાઉન્ટ ફ્રિઝ કરી દેવાયા

આપણા દેશમાં તાળાબંધી કરી દેવામાં આવી છે. લોકશાહીને પણ કબજે કરી લેવામાં આવી છેઃ અજય માકન નવી દિલ્હી કોંગ્રેસે કેન્દ્ર સરકાર સામે મોટો આરોપ મૂક્યો હતો. પાર્ટીએ કહ્યું કે કોંગ્રેસ અને યુથ કોંગ્રેસના તમામ એકાઉન્ટ ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે. અજય માકને એક પત્રકાર પરિષદને સંબોધતા આ જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે કોંગ્રેસના તમામ…

બિકાનેર નજીર કાર ટ્રક સાથે ટકરાતાં પરિવારનાં પાંચ સભ્યોનાં મોત

રાજસ્થાનમાં ભારતમાલા એક્સપ્રેસ વે પર એક કાર અને ટ્રક વચ્ચે ભીષણ અકસ્માતમાં ગુજરાતી પરિવાર કાળનો કોળિયો બન્યો બિકાનેર રાજસ્થાનના બિકાનેર નજીક ભયાનક માર્ગ અકસ્માતમાં ગુજરાતી પરિવારના પાંચેય સભ્યોના મોત નિપજ્યાના અહેવાલ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ટ્રક અને ટાવેરા કાર વચ્ચે જોરદાર ટક્કર થતાં ભયાનક અકસ્માતની ઘટના બની છે. હાલ સ્થાનિક પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચીને આગળની…

રાહુલની ભારત જોડો ન્યાય યાત્રામાં તેજસ્વી યાદવ જોડાયા

રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવ એક જ ગાડીમાં બેઠા હતા. જેમાં તેજસ્વી યાદવ ડ્રાઈવ કરી રહ્યા હતા અને રાહુલ ગાંધી બાજુની સીટ પર બેઠા હતા પટના ભારત જોડો ન્યાય યાત્રામાં બિહારના પૂર્વ ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવ પણ જોડાયા હતા. તેમણે શુક્રવારે સાસારામમાં કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીને જોઈન કર્યા હતા. આ દરમિયાન બંને વચ્ચેની મિત્રતા સ્પષ્ટ દેખાઈ…

અયોધ્યા રામમંદિરને બોમ્બથી ઊડાડી દેવાની ધમકીથી એલર્ટ

લખનઉના બક્ષીના તળાવને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી, સીતાપુર રોડની બાજુમાં આવેલા પાલ રેસ્ટોરન્ટમાં એક ધમકીભર્યો પત્ર મળ્યો અયોધ્યા ઉત્તર પ્રદેશના અયોધ્યામાં આવેલા રામ મંદિરમાં રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના એક દિવસ બાદ મંદિરને સામાન્ય નાગરિકો માટે ખુલ્લુ મુકવામાં આવ્યું હતું, ત્યારથી અત્યાર સુધીમાં લાખો શ્રદ્ધાળુઓએ પ્રભુ રામના દર્શન કર્યા છે. દેશભરમાંથી દરરોજ લાખો…

મુઝફ્ફરનગરના ખાલાપરમાંથી ચાર ટાઈમ બોમ્બ સાથે યુવકની ધરપકડ

એસટીએફની ટીમ આરોપી જાવેદ શેખની પૂછપરછ કરી રહી છે, જેમાં એક મહિલાનું નામ સામે આવ્યું છે લખનઉ ઉત્તર પ્રદેશની સ્પેશિયલ ટાસ્ક ફોર્સે (એસટીએફ) મુઝફ્ફરનગરના ખાલાપરમાંથી ચાર ટાઈમ બોમ્બ સાથે એક યુવકની ધરપકડ કરી છે. ઝડપાયેલો આરોપીનું નામ જાવેદ શેખ છે. તેની પાસેથી ચાર બોટલ ટાઈમ બોમ્બ મળી આવ્યા છે. હાલ એટીએસ અને એસટીએફની ટીમ આરોપીઓની…

આઈટી ટ્રીબ્યુનલે કોઈ જ રાહત આપ્યાના કોંગ્રેસનો ઈનકાર

આઈટી ટ્રિબ્યુનલ દ્વારા કોંગ્રેસ સામે તેના એકાઉન્ટમાં 115 કરોડ રૂપિયા રાખવાની શરત મૂકી દેવામાં આવી છે નવી દિલ્હી કોંગ્રેસ અને યુથ કોંગ્રેસના એકાઉન્ટ સીઝ થવાના અહેવાલ જ્યારથી આવ્યા છે ત્યારથી રાજકારણ ગરમાઈ ગયું છે. સૌથી પહેલા એવા અહેવાલ આવ્યા કે કોંગ્રેસ અને યુથ કોંગ્રેસના તમામ એકાઉન્ટ ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે. આવકવેરા વિભાગે 210 કરોડ…

29,000 કરોડની કિંમતના સર્વેલન્સ એરક્રાફ્ટ ખરીદવા કેન્દ્રની મંજૂરી

આ નિર્ણયથી માત્ર ભારતની સમુદ્રી તાકાત જ નહીં, પરંતુ આનાથી આત્મનિર્ભર ભારતને પ્રોત્સાહન પણ મળશે નવી દિલ્હી દેશની દરિયાઈ સુરક્ષામાં વધારો કરવા સંરક્ષણ મંત્રાલયે મોટો નિર્ણય લીધો છે. મળતા અહેવાલો મુજબ મંત્રાલયે ભારતીય નૌકાદળ માટે 9 મેરીટાઇમ સર્વેલન્સ એરક્રાફ્ટ અને ભારતીય કોસ્ટ ગાર્ડ માટે 6 મેરીટાઇમ પેટ્રોલિંગ એરક્રાફ્ટ ખરીદવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. આ…

આરોગ્ય અને ઉંમરને ધ્યાને રાખી મેં લોકસભા ચૂંટણી ન લડવાનો નિર્ણય કર્યોઃ સોનિયા

મારો પરિવાર દિલ્હીમાં અધૂરો છે, તેથી રાયબરેલીમાં આવી, આપ સૌને મળ્યા બાદ મારો પરિવાર પૂરો થાય છેઃ કોંગ્રેસનાં નેતા નવી દિલ્હીકોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ ઉત્તરપ્રદેશના રાયબરેલીના લોકોને ગુરુવારે એક પત્ર લખ્યો છે. તેમણે જિલ્લાની જનતાએ આપેલા સમર્થન બદલ આભાર વ્યક્ત કર્યો છે. આ ઉપરાંત તેમણે રાબરેલીની લોકસભા ચૂંટણી ન લડવાનું કારણ પણ જણાવ્યું છે….

કાશ્મીરની તમામ પાંચ બેઠક પર ફારુક અબ્દુલ્લાનો પક્ષ ચૂંટણી લડશે

નેશનલ કોન્ફરન્સ ચૂંટણી પહેલા કોઈપણ ગઠબંધનમાં જોડાશે નહીં અને સ્વતંત્ર રીતે ચૂંટણી લડશેઃ ફારૂક શ્રીનગરદિલ્હી, પંજાબ અને ઉત્તર પ્રદેશ બાદ હવે જમ્મુ અને કાશ્મીરમાં વિપક્ષી ગઠબંધન ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ ફારૂક અબ્દુલ્લા એ જમ્મુ અને કાશ્મીરની તમામ 5 લોકસભા બેઠકો પર એકલા હાથે ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. તેમના અચાનક નિર્ણયથી…

ટીયરગેસથી બચવા ખેડૂતો શણની થેલીઓ, પતંગો- મુલતાની માટીના સહારે

પંજાબ અને હરિયાણાની સરહદો પર પોલીસના ડ્રોનનો જવાબ ખેડૂતો પતંગ ઉડાવીને આપી રહ્યા છે નવી દિલ્હી ટેકાના ભાવ માટે કાયદો ઘડવા સહિતની પડતર માગણીઓને લઇને ખેડૂતો દ્વારા ફરી આંદોલન શરૂ કરાયું છે. ખેડૂતો દિલ્હી કૂચ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે અને બીજી તરફ પોલીસે તેમને રોકવા માટે ટીયર ગેસનો ઉપયોગ કરવો પડી રહ્યો છે. જો…

ચૂંટણી બોન્ડ પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી દીધી

મોટી રકમના ડોનેશનને છુપાવવા એ ગેરબંધારણીય છે, સરકારને પૈસા ક્યાંથી મળે છે એ પણ સૌને જાણવાનો અધિકાર છે નવી દિલ્હી સુપ્રીમકોર્ટે ચૂંટણી બોન્ડ મામલે મહત્ત્વપૂર્ણ ચુકાદો આપતાં કહ્યું હતું કે મોટી રકમના ડોનેશનને છુપાવવા એ ગેરબંધારણીય છે. સરકારને પૈસા ક્યાંથી મળે છે એ પણ સૌને જાણવાનો અધિકાર છે. ચૂંટણી બોન્ડ પર અમે રોક લગાવી રહ્યા…

અશોક ચવ્હાણને શિંદે સરકારમાં નાયબ મુખ્યમંત્રી બનવું હતું

ભાજપે તેમને રાજ્યસભાની ટિકિટ આપીને પ્રદેશના રાજકારણમાંથી બહાર મોકલી દીધા નવી દિલ્હી કોંગ્રેસ નેતા પૃથ્વીરાજ ચવ્હાણે બુધવારે દાવો કર્યો કે તાજેતરમાં જ પાર્ટી છોડીને ભાજપમાં સામેલ થયેલા અશોક ચવ્હાણ, મહારાષ્ટ્રની એકનાથ શિંદેના નેતૃત્વવાળી સરકારમાં નાયબ મુખ્યમંત્રીનું પદ ઈચ્છતા હતા પરંતુ ભાજપે તેમને રાજ્યસભાની ટિકિટ આપીને પ્રદેશના રાજકારણમાંથી બહાર મોકલી દીધા.  પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યુ કે ભાજપના…

નોંધાયેલા પક્ષોને દાન આપનારા 5000 લોકોને ઈડીની નોટિસ

એવા રાજકીય પક્ષો કે જેઓ માત્ર પંચમાં નોંધાયેલા છે પરંતુ માન્યતા નથી, તેઓ દાન એકત્રિત કરીને મની લોન્ડરિંગ અને કરચોરીની રમતમાં સામેલ હોય છે નવી દિલ્હી જો તમે પણ રાજકીય પક્ષોને દાન આપતા હોય અને આ ભૂલ કરી રહ્યા છે તો ચેતી જજો, કારણકે આવકવેરા વિભાગે એવા 5 હજાર લોકોને નોટિસ પાઠવી છે જેમણે ચૂંટણી…

તમામ પાર્ટીના ચૂંટણી બોન્ડની વિગતો જણાવવા એસબીઆઈને નિર્દેશ

એસબીઆઈએ ચૂંટણી બોન્ડના માધ્યમથી રાજકીય પક્ષોને પ્રાપ્ત ડોનેશનની વિગતો ત્રણ સપ્તાહમાં ચૂંટણીપંચને આપવાની રહેશે નવી દિલ્હી સુપ્રીમકોર્ટે ગુરુવારે ચૂંટણી બોન્ડ યોજનાને ગેરબંધારણીય ગણાવતાં તેની કાયદેસરતાને રદ કરી દીધી. ટોચની કોર્ટે તેના ચુકાદામાં સ્વીકાર્યું કે ચૂંટણી બોન્ડની ગોપનીયતા કલમ 19(1)(એ) હેઠળ માહિતી મેળવવાના અધિકારનું ઉલ્લંઘન કરે છે.  ભારતીય સુપ્રીમકોર્ટના મુખ્ય ન્યાયાધીશ ડી.વાય.ચંદ્રચૂડે કહ્યું કે ચૂંટણી બોન્ડ…

ઈન્ડિયન ઓઈલ દ્વારા નઈ દિશા-સ્માઇલ ફોર જુવેનાઇલના ચોથા તબક્કાનો પ્રારંભ

પરિવર્તન-પ્રિઝન ટુ પ્રાઇડના સાતમા તબક્કાનો પ્રારંભ કરવામાં આવ્યો અમદાવાદઇન્ડિયન ઓઇલના ચેરમેન શ્રીકાંત માધવ વૈદ્યે ઈન્ડિયન ઓઈલના ટોચના આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ અને જેલ અધિકારીઓની હાજરીમાં ‘પરિવર્તન-પ્રિઝન ટુ પ્રાઇડ’ ના સાતમાં અને ‘નઈ દિશા-સ્માઇલ ફોર જુવેનાઇલ’ ના ચોથા તબક્કાનો શુભારંભ કર્યો હતો. પરિવર્તનનો સાતમો તબક્કો અને નઈ દિશાનો ચોથો તબક્કો 11 જેલો અને 12 જુવેનાઇલ હોમ્સને આવરી લેશે,…

કોંગ્રેસે કર્માટકથી અજય માકન, તેલંગણાથી રેણુકા ચૌધરીને ટિકિટ આપી

મધ્યપ્રદેશથી અશોક સિંહ ને ઉમેદવાર બનાવ્યા, કર્ણાટકથી ડૉ. સૈયદ નસીર હુસૈન , જી.સી.ચંદ્રશેખરને રાજ્યસભાની ટિકિટ નવી દિલ્હીદેશના 15 રાજ્યોની 56 રાજ્યસભા બેઠકો ખાલી થવાની હોવાથી કોંગ્રેસ, ભાજપ સહિતના પક્ષોએ ઉમેદવારોના નામની જાહેરાતો કરવાની ધડાધડ શરૂઆત કરી દીધી છે, ત્યારે કોંગ્રેસે આજે કર્ણાટક, મધ્યપ્રદેશ અને તેલંગાણામાંથી રાજ્યસભાના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. પાર્ટીએ કર્ણાટકમાંથી અજય માકન,…

જેપી નડ્ડા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ, ગોવિંદ ધોળકીયા હીરાના વેપારી

મયંક નાયક મેરી માટી મેરા દેશ અભિયાનના ઈન્ચાર્જ હતા, જશવંતસિંહ પરમાર ગોધરા શહેરના જાણીતા ડોક્ટર છે નવી દિલ્હીવડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકાર એક પછી એક સરપ્રાઈઝ આપી રહી છે. ગુજરાત રાજ્યની રાજ્યસભાની ચાર બેઠકો માટે તેણે ચોંકાવનારા ઉમેદવારોના નામ જાહેર કર્યા. જેમાં જેમાં જે.પી.નડ્ડા, મયંક નાયક, ગોવિંદ ધોળકિયા અને ડૉ. જશવંતસિંહ પરમારનો સમાવેશ…

કેન્દ્ર સરકાર ખેડૂતો સાથે વાતચીત માટે તૈયારઃ પ્રસ્તાવનો ઈંતેજાર

દિલ્હીની તમામ સરહદો સીલ કરી દેવામાં આવી, ખેડૂતોને રાજધાનીમાં પ્રવેશતા અટકાવવા માટે મલ્ટિ-લેયર બેરિકેડ અને કાંટાળા તાર લગાવવામાં આવ્યા નવી દિલ્હીટેકાના ભાવ માટે કાયદો ઘડવા તેમજ ખેડૂતોના દેવા માફ કરવા સહિતની 10થી વધુ માગણીઓ સાથે 25 હજારથી વધુ ખેડૂતોએ આંદોલન શરુ કર્યું છે ત્યારે આજે આંદોલનના બીજા દિવસે પણ ઉગ્ર સ્થિતિ જોવા મળી હતી અને…