અશોક ચવ્હાણને પક્ષમાં જોડાયાને બીજી દિવસે જ ભાજપે રાજ્યસભાની ટિકિટ આપી

બીજેપીએ મહારાષ્ટ્રથી અશોક ચવ્હાણ ઉપરાંત મેઘા કુલકર્ણી અને અજીત ગોપછડેને ઉમેદવાર બનાવ્યા નવી દિલ્હીભારતીય જનતા પાર્ટીએ મહારાષ્ટ્રમાં ઉમેદવારોની યાદી બહાર પાડી સૌને ચોંકાવી દીધા છે. કારણ કે તાજેતરમાં જ કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થનારા મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અશોક ચવ્હાણને ઉમેદવાર બનાવ્યા છે. ભાજપે ચવ્હાણને મહારાષ્ટ્રથી સંસદના ઉપલા ગૃહમાં મોકલવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત ભાજપે…

ભાજપની નવી યાદીમાં પાંચ નામ જાહેર, નવોદિતોને તક

કેન્દ્રીય મંત્રી એલ.મુરુગનને પાર્ટીએ મધ્ય પ્રદેશથી ઉમેદવાર બનાવ્યા, રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ ઓડિશાથી રાજ્યસભા જશે નવી દિલ્હી ભાજપે રાજ્યસભા ચૂંટણી માટે પોતાના ઉમેદવારોની વધુ એક યાદી જાહેર કરી દીધી છે. કેન્દ્રીય મંત્રી એલ.મુરુગનને પાર્ટીએ મધ્ય પ્રદેશથી ઉમેદવાર બનાવ્યા છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ ઓડિશાથી રાજ્યસભા જશે. ભાજપે આ નવી યાદીમાં કુલ 5 ઉમેદવારોના નામ જાહેર…

આંદોલનકારી ખેડૂતો જરૂરી વસ્તુઓનો છ માસ ચાલે એટલો જથ્થો લઈને આવ્યા

કેન્દ્ર સામે ચોવીસે કલાક લડત આપી શકાય તે માટે ખેડૂતો ટ્રેક્ટર ટ્રોલીમાં છ મહિના ચાલે તેટલા રાશન અને ડીઝલનો જથ્થો લઈને આવ્યા નવી દિલ્હી પંજાબ અને હરિયાણાના ખેડૂતોએ પોતાની વિવિધ માંગણીઓને લઈને ફરીથી આંદોલનની શરૂઆત કરી છે અને આ વખતે પણ લાંબા સમય સુધી ટકરાવ ચાલે તેવી શક્યતા છે. અગાઉ ત્રણ કૃષિ કાયદાના કારણે ખેડૂત…

કોંગ્રેસે રાજ્યસભા માટે ચાર ઉમેદવારના નામ જાહેર કર્યા

રાજસ્થાનથી સોનિયા ગાંધી, હિમાચલ પ્રદેશથી અભિષેક મનુ સિંઘવી, બિહારથી અખિલેશ પ્રસાદ સિંહ અને મહારાષ્ટ્રના ચંદ્રકાંત હંડોરેને ટિકિટ અપાઈ નવી દિલ્હી ભાજપ બાદ કોંગ્રેસે પણ રાજ્યસભાની ચૂંટણી માટે 4 ઉમેદવારોના નામનું એલાન કરી દીધું છે. રાજસ્થાનથી સોનિયા ગાંધી, હિમાચલ પ્રદેશથી અભિષેક મનુ સિંઘવીને ટિકિટ આપવામાં આવી હતી.  આ સાથે જ બિહારના અખિલેશ પ્રસાદ સિંહ અને મહારાષ્ટ્રના…

ગઠબંધન સરકાર બનશે તો એમએસપીનો કાનૂની અધિકાર અપાશેઃ કોંગ્રેસ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર જૂઠા વાયદા અને દેશવાસીઓની ભાવનાઓ સાથે ખિલવાડ કરીને રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો અંબિકાપુર ટેકાના ભાવ માટે કાયદો ઘડવા સહિતની પડતર માગણીઓને લઇને ખેડૂતો દ્વારા ફરી આંદોલન શરૂ કરાયું છે. ૨૫ હજારથી વધુ ખેડૂતો દિલ્હીની સરહદોની આસપાસ પહોંચી ગયા છે, જોકે આ દરમિયાન હરિયાણા સરહદે પોલીસ સાથે ખેડૂતોનું ભારે ઘર્ષણ થયું હતું….

કોંગ્રેસે ભારત જોડો ન્યાય યાત્રાનો બીજો તબક્કો રદ કર્યો

રાહુલ ગાંધી છત્તીસગઢના ગઢવા જિલ્લામાંથી ઝારખંડમાં પ્રવેશવાના હતા રાંચી કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રા હાલ ઝારખંડમાં છે. રાજ્યમાં યાત્રાનો બીજો તબક્કો આજે બુધવારે શરૂ થવાનો હતો, પરંતુ તે રદ કરવામાં આવ્યો છે. પાર્ટીના સૂત્રોએ જણાવ્યું કે રાહુલ ગાંધી સહીત કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ ખેડૂતોના આંદોલનમાં સામેલ થવા માટે દિલ્હી ગયા છે, જેના કારણે ઝારખંડનો કાર્યક્રમ રદ…

યુપીથી સપાને ત્રણ સાંસદોના રાજ્યસભામાં વિજયનો વિશ્વાસ

ઉત્તર પ્રદેશ વિધાનસભામાં સમાજવાદી પાર્ટી પાસે 108 વિધાનસભ્યો છે, ત્યારે કોંગ્રેસ પાસે માત્ર બે વિધાનસભ્યો છે લખનઉ સમાજવાદી પાર્ટી તરફથી રાજ્યસભા ચૂંટણી માટે જાહેર થયેલા ઉમેદવાર પૂર્વ સાંસદ રામજીલાલ સુમન, જયા બચ્ચન અને ભૂતપૂર્વ આઈએએસ અધિકારી આલોક રંજનને ઉમેદવારી પત્રક ભર્યું હતું. તેમણે ઉત્તરપ્રદેશ વિધાનસભા પહોંચી ઉમેદવારી નોંધાવી હતી. મંગળવારે બપોરે ત્રણેય સપા ઉમેદવારોએ વિધાનસભામાં…

આઇએપી કી બાત, સમુદાય કે સાથ, કાર્યક્રમ શરૂ કરાયો

આ પહેલ દ્વારા, આઇએપીનો હેતુ વિવિધ સંચાર ચેનલોનો ઉપયોગ કરીને વિશ્વસનીય બાળસંભાળ માહિતી ધરાવતા લાખો લોકો સુધી પહોંચવાનો છે મુંબઈઇન્ડિયન એકેડેમી ઓફ પેડિયાટ્રિક્સ (આઇએપી)એ સમુદાયો સાથે સક્રિયપણે જોડાવા અને બાળ સ્વાસ્થ્ય પર આવશ્યક માહિતી પ્રદાન કરવા માટે “આઇએપી કી બાત, સમુદાય કે સાથ” નામનો એક અગ્રણી કાર્યક્રમ શરૂ કર્યો છે. સૌ પ્રથમ આવરી લેવાનો વિષય…

સંવેદનશીલ માહિતી ચોરી અંગે ગૂગલ ક્રોમમાં સિક્યોરિટી એલર્ટ જાહેર કરાયું

એલર્ટ ભારત સરકારની કોમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ દ્વારા જારી કરાયું, ભારત સરકારની સાયબર સિક્યોરિટી એજન્સીનું માનવું છે કે ગૂગલ ક્રોમને રિમોટથી કંટ્રોલ કરી શકાય છે નવી દિલ્હીજો તમે ગૂગલ ક્રોમ યૂઝર્સ છો અને તમે પોતાના મોબાઈલ અથવા લોપટોપમાં ગૂગલ ક્રોમનો ઉપયોગ કરો છો તો અલર્ટ થઈ જજો. કારણ કે, ગૂગલ ક્રોમ ભારત માટો ખતરો બની…

કોંગ્રેસ એમએસપીને કાયદાકીય ગેરંટી આપશેઃ રાહુલ ગાંધી

કોંગ્રેસે સ્વામીનાથન કમિશન મુજબ દરેક ખેડૂતને પાક પર એમએસપીની કાયદેસર ગેરંટી આપવાનો નિર્ણય કર્યો નવી દિલ્હીપંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશના ખેડૂતોએ તેમની માંગણીઓ સાથે સેંકડો ખેડૂત સંગઠનોના સમર્થનમાં દેશવ્યાપી વિરોધ પ્રદર્શનની સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. ખેડૂતો પોતાની માંગણીઓ સાથે દબાણ કરવા રસ્તા પર ઉતરી આવ્યા છે. દરમિયાન રાહુલ ગાંધીએ આ ખેડૂતોને સમર્થન આપ્યું છે…

ખેડૂતોની કૂચથી હરિયાણા-પંજાબની શંભુ બોર્ડર પર સ્થિતિ કાબૂ બહાર, પોલીસે ટીયર ગેસ છોડ્યા

દિલ્હીમાં ઘૂસવા પર મક્કમ ખેડૂતોનો ટ્રેક્ટર વડે સિમેન્ટ બેરિકેડ હટાવવાનો પ્રયાસ, દિલ્હ આસપાસની સરહદો સીલ, અનેક ખેડૂતોની અટકાયત નવી દિલ્હીટેકાના ભાવ માટે કાયદો ઘડવો તેમજ ખેડૂતોના દેવા માફ કરવા સહિતની 10થી વધુ માગણીઓ સાથે ખેડૂતો દ્વારા દિલ્હી તરફ કૂચ કરી છે. હરિયાણા અને પંજાબ વચ્ચે શંભુ બોર્ડરથી ખેડૂતો દિલ્હી તરફ આગળ વધી રહ્યા છે. આ…

દેશમાં મોટી મૂડીવાદી કંપનીઓએ એક રાજકીય પક્ષ બનાવી લીધોઃ રાકેશ ટિકૈત

સરકારે અમારી સાથે બેસીને વાતચીત કરવી જોઈએ અને ખેડૂતોને સન્માન આપવું જોઈએ, સરકારે આ મુદ્દે વિચારવું જોઈએ અને પ્રયાસ કરવો જોઈએઃ ખેડૂત નેતા નવી દિલ્હીદિલ્હીમાં ખેડૂતોનું ઉગ્ર આંદોલન ચાલી રહ્યું છે, ખેડૂતો દિલ્હી કૂચ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, પોલીસ પણ ટીયર ગેસના સેલ છોડી તેમને અટકાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, ત્યારે આ તમામ ઘટનાઓ…

બ્રેકઅપ બાદ પ્રેમિકાને માતા-પિતાની મરજીથી લગ્નની સલાહ ગુનો નથીઃ સુપ્રીમ

સાથી/મિત્રને માતા-પિતાની સલાહ પર લગ્ન કરવાની સલાહ આપવી એ આત્મહત્યા માટે ઉશ્કેરવાના ગુના સમાન નથીઃ સુપ્રીમ કોર્ટ નવી દિલ્હી સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે બ્રેકઅપ પછી પ્રેમીકાને તેના માતા-પિતાની ઈચ્છા મુજબ લગ્ન કરવાની સલાહ આપવી એ આત્મહત્યા માટે ઉશ્કેરવાનો ગુનો નથી. પોતાની પ્રેમીકાને આત્મહત્યા માટે ઉશ્કેરવાના આરોપમાંથી એક યુવકને નિર્દોષ જાહેર કરતી વખતે સુપ્રીમ કોર્ટે…

15 ફેબ્રુઆરી સુધી દેશના કેટલાક ભાગમાં વરસાદની સંભાવના

પશ્ચિમી વિક્ષેપને કારણે 17 અને 18 ફેબ્રુઆરીએ પશ્ચિમ હિમાલય ક્ષેત્રમાં છૂટાછવાયા વરસાદ અથવા હિમવર્ષાની શક્યતા નવી દિલ્હી ભારતીય હવામાન વિભાગ (આઈએમડી)એ દેશના કેટલાક ભાગોમાં વરસાદની આગાહી કરી છે જેમાં 13-15 ફેબ્રુઆરી દરમિયાન પૂર્વ મધ્ય પ્રદેશ, વિદર્ભ, છત્તીસગઢ, ઝારખંડ, બિહાર, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.  હવામાન વિભાગના જણાવ્યા…

ઈંદિરા ગાંધી બાદ યુએઈ જનારા મોદી પ્રથમ ભારતીય વડાપ્રધાન

છેલ્લા 8 મહિનાઓમાં વડાપ્રધાન ત્રીજી વખત મધ્ય પૂર્વના આ દેશમાં જઈ રહ્યા છે નવી દિલ્હી વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી(મંગળવાર) બે દિવસ સુધી યુએઈના પ્રવાસે રહેશે. 13 અને 14 ફેબ્રુઆરીએ જ્યારે વડાપ્રધાન યુએઈ જઈ રહ્યા છે તો એ નોંધાવું જોઈએ કે 2014માં વડાપ્રધાન બન્યા બાદ તેમની યુએઈની સાતમી મુલાકાત હશે. આ સિવાય છેલ્લા 8 મહિનાઓમાં વડાપ્રધાન…

મહિલાએ સંતાનો પાસેથી ભીખ મંગાવીને છ સપ્તાહમાં અઢી લાખની કમાણી કરી

મહિલા એક પ્લોટ, બે માળનું મકાન, મોટરસાઈકલ, 20 હજાર રૂપિયાનો સ્માર્ટફોન અને રોકડની માલિક ઈન્દોર  એક પ્લોટ, બે માળનું મકાન, મોટરસાઈકલ, 20 હજાર રૂપિયાનો સ્માર્ટફોન અને ફક્ત છ અઠવાડિયામાં અઢી લાખ રૂપિયા કમાણી. આ કોઈ નોકરિયાત વર્ગની સંપત્તિ નથી પરંતુ એક ભીખારણની છે, જે તેણે પોતાના સંતાનો પાસે ભીખ મગાવીને ઊભી કરી છે. ઈન્દોર પોલીસે…

વધુ છ દેશોમાં ભારતીયો વિઝા ફ્રી ટ્રાવેલ કરી શકશે

15 દિવસથી લઈને 90 દિવસ સુધી વિદેશી ટૂર કરવી હોય તો આ છૂટછાટ ઉપયોગી બની શકે છે નવી દિલ્હી ભારતીય પ્રવાસીઓની ફોરેન ટ્રાવેલની ભૂખ ઉઘડી ગઈ છે. તેથી વધુને વધુ બિઝનેસ મેળવવા માટે મલેશિયા, થાઈલેન્ડ સહિત કેટલાક દેશો ભારતીય ટુરિસ્ટને અમુક સમય માટે વિઝા ફ્રી ટ્રાવેલની ઓફર કરે છે. 15 દિવસથી લઈને 90 દિવસ સુધી…

ભારતનેટ હેઠળ જોડાયેલી ગ્રામ પંચાયતોની સંખ્યા 10 વર્ષમાં 58થી વધીને 2.10 લાખ

તમામ વસવાટ ધરાવતાં ગામડાંને ભારતનેટ પ્રોગ્રામમાં જોડવા માટે રૂ. 1.88 લાખ કરોડના ખર્ચની જોગવાઈ ભારતનેટ હેઠળ જોડાયેલી ગ્રામ પંચાયતોની સંખ્યા મે 2014માં 58 હતી, જે વધીને ડિસેમ્બર 2023 સુધીમાં 2.10 લાખ થઈ ગઈ છે. તાજેતરમાં, સરકારે 1.88 લાખ કરોડ રૂપિયાના ખર્ચે તમામ વસવાટ ધરાવતા ગામોને આવરી લેવા માટે ભારતનેટ પ્રોગ્રામમાં સુધારો કર્યો છે. કેન્દ્રીય સંચાર…

દેશનું તંત્ર માત્ર 3-4 લોકો માટે ચલાવવામાં આવી રહ્યું છેઃ રાહુલ ગાંધી

જનતા પર મોંઘવારીનું ભારણ છે, આ જ આર્થિક અન્યાય હોવાનો કોંગ્રેસના નેતાનો આક્ષેપ કોરબાકોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ‘ભારત જોડો ન્યાય યાત્રા’ છત્તીસગઢ પહોંચી છે. તેમની યાત્રાની શરૂઆત મણિપુરથી થઈ હતી જે મુંબઈમાં સમાપ્ત થશે. આ યાત્રા બિહાર, ઝારખંડ, ઓડિશા થઈને છત્તીસગઢ પહોંચી છે. ત્યારે છત્તીસગઢમાં રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, આ…

ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અશોક ચવ્હાણનું કોંગ્રેસમાંથી રાજીનામું

અશોક ચવ્હાણ ભાજપમાં જોડાઈ જશે તો તેમને ભાજપ દ્વારા રાજ્યસભામાં મોકલવામાં આવી શકે છે મુંબઈમહારાષ્ટ્રમાં કોંગ્રેસની મુસીબત ઘટવાનું નામ નથી લઈ રહી. હવે વધુ એક મોટા નેતાએ રાજીનામું આપ્યાના સમાચાર મળી રહ્યાં છે. માહિતી અનુસાર કોંગ્રેસ વતી રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી રહી ચૂકેલા દિગ્ગજ નેતા અશોક ચવ્હાણે રાજીનામું આપી દીધું છે. તેમણે વિધાનસભા સ્પીકરને રાજીનામું સોંપી…