ઝારખંડમાં કાર ડિવાઈડર સાથે ટકરાતાં છ મિત્રોનાં મોત

આ ઘટના બિષ્ટુપુર પોલીસ સ્ટેશન વિસ્તારના સર્કિટ હાઉસ વિસ્તારમાં આવેલા ગોલ ચક્કર પાસે બની હતી રાંચીઝારખંડના જમશેદપુરથી નવા વર્ષના પહેલા જ દિવસે માઠા સમાચાર સામે આવ્યા છે. એક ભયાનક માર્ગ અકસ્માતમાં 6 મિત્રોના એક સાથે મોત થયા છે. આ ઘટના બિષ્ટુપુર પોલીસ સ્ટેશન વિસ્તારના સર્કિટ હાઉસ વિસ્તારમાં આવેલા ગોલ ચક્કર પાસે બની હતી.મળેલા અહેવાલો મુજબ…

યુએસ.-દ.કોરિયા ઉશ્કેરણી કરે તો તેમનો ખાત્મો બોલાવી દો

કિમ જોંગે આ દરમિયાન રાષ્ટ્રીય સુરક્ષાને પણ મજબૂત કરવા પર ભાર મૂક્યો પ્યોંગયાંગઉ.કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉને તેમના સૈન્યને આદેશ આપ્યો છે કે જો અમેરિકા અને દ.કોરિયા કોઈ ઉશ્કેરણીજનક કાર્યવાહી કરે તો તેમનો દુનિયાથી જ ખાત્મો બોલાવી દો. અહેવાલ અનુસાર કિમ જોંગે આ દરમિયાન રાષ્ટ્રીય સુરક્ષાને પણ મજબૂત કરવા પર ભાર મૂક્યો હતો.ઉત્તર કોરિયામાં સત્તાધારી…

નવા હિટ એન્ડ રનના કાયદાના વિરોધમાં દેશમાં અનેક સ્થળે ચક્કાજામ

ટ્રક ચાલક દ્વારા હડતાળ પાડીને અમદાવાદ, રાજકોટ, સુરત, ભરૂચ અને ગીર સોમનાથમાં ભારે વિરોધ નવી દિલ્હીકેન્દ્ર સરકારના નવા હિટ એન્ડ રનના કાયદાનો ટ્રક ચાલકો દ્વારા દેશભરમાં દેખાવ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આજે સવારથી જ ટ્રક ચાલક દ્વારા હડતાળ પાડીને અમદાવાદ, રાજકોટ, સુરત, ભરૂચ અને ગીર સોમનાથમાં ભારે વિરોધ કરી રહ્યા છે. ઠેર ઠેર ચક્કાજામ…

રામમંદિર સમારોહ માટે રામભક્તોને જ આમંત્રણ અપાયાઃ આચાર્ય

એ કહેવુ સંપૂર્ણપણે ખોટું છે કે ભાજપ ભગવાન રામના નામ પર લડી રહી છે નવી દિલ્હીઉદ્ધવ ઠાકરેના નિવેદન પર અયોધ્યા રામ મંદિરના મુખ્ય પૂજારીએ નારાજગી વ્યક્ત કરી છે. તેમનું કહેવુ છે કે સમારોહના આમંત્રણ માત્ર રામ ભક્તોને જ મોકલવામાં આવે છે. આ સિવાય તેમણે રાજ્યસભા સાંસદ સંજય રાઉત પર પણ નિશાન સાધ્યુ છે અને રામ…

છેલ્લા ચોવિસ કલાકમાં દેશમાં કોરોનાના 636 કેસ

સક્રિય દર્દીઓ વધીને હવે 4,394 થઇ ગયા, છેલ્લા 24 કલાકમાં 3 દર્દીઓના કોરોનાને લીધે મૃત્યુ થયા નવી દિલ્હીદેશમાં કોરોનાના કેસમાં સતત વધારો થતો જઇ રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાનુસાર આજે ફરી ભારતમાં 636 નવા કોરોનાના કેસ સામે આવતાં ચિંતા વધી ગઇ છે.ઉલ્લેખનીય છે કે ગત રોજ કોરોનાના 841 કેસ સામે આવ્યા હતા પણ એક્ટિવ કેસમાં…

સેન્સેક્સમાં 32 અને નફ્ટીમાં 10 પોઈન્ટનો ઊછાળો જોવા મળ્યો

સેન્સેક્સ અને નિફ્ટીએ પોતાની નવી ઓલ ટાઈમ હાઈ બનાવી હતી, જોકે, ટ્રેડિંગની છેલ્લી 30 મિનિટમાં બજાર ઊંચા સ્તરોથી સરકી ગયું મુંબઈસોમવારે ભારતીય શેરબજારોમાં વર્ષ 2024નું પ્રથમ ટ્રેડિંગ સત્ર મિશ્ર રહ્યું હતું અને અંતે નિફ્ટી સપાટ સ્તરે બંધ રહ્યો હતો, જ્યારે સેન્સેક્સ નજીવા વધારા સાથે બંધ થયો હતો.માર્કેટમાં છેલ્લો અડધો કલાક અસ્થિર રહ્યો હતો અને બીએસઈ…

શ્રીનગરના લાલચોકમાં નવા વર્ષને આવકારવા લોકો ઉમટી પડ્યા

શ્રીનગરના ક્લોક ટાવર ક્ષેત્રમાં આ ખાસ અવસર પર એક મ્યૂઝિક પ્રોગ્રામનું પણ આયોજન કરવામાં આવ્યું જમ્મુસમગ્ર વિશ્વએ નવા વર્ષનું સ્વાગત કર્યું છે. ભારતના દરેક રાજ્યોમાં લોકોએ ઠેક-ઠકાણે આ ખાસ દિવસની ઉજવણી કરી. પરંતુ સૌથી વધુ ચર્ચા જમ્મુ-કાશ્મીરની થઈ રહી છે. પહેલી વખત શ્રીનગરના લાલ ચોક પર નવા વર્ષનું સ્વાગત કરવા માટે લોકો રવિવારે મોડી રાતે…

ઈંદિરા ગાંધીએ મારી આંખનું ઓપરેશન કરાવવા ઓફર કરી હતીઃ રામભદ્રાચાર્ય

સંસાર હવે જોવા લાયક નથી રહ્યો જો કઈ જોવા લાયક છે તો તે નીલ-કમળ-શ્યામ-ભગવાન રામ જ છે, એમ કહીનેઓફર ફગાવી હતી અયોધ્યાઅયોધ્યા રામ મંદિરના અભિષેકની તારીખ ખૂબ નજીક છે. આવી સ્થિતિમાં રામ મંદિર મુદ્દે શ્રી તુલસી પીઠાધીશ્વર જગદગુરુ રામભદ્રાચાર્ય મહારાજે જણાવ્યું હતું કે 1974માં કેવી રીતે ઈન્દિરા ગાંધીએ તેમને તેમની આંખોના ઓપરેશનનો પ્રસ્તાવ મૂક્યો હતો,…

જાપાનમાં ફસાયેલા ભારતીયો માટે ઈમરજન્સી નંબર જાહેર કરાયા

જાપાનમાં લોકોને સુરક્ષિત સ્થાને ખસી જવા એલર્ટ, જાપાનમાં ફસાયેલા ભારતીયો મદદ માટે આ ઈમરજન્સી નંબરો અને ઈમેઈલ આઈડી પર સંપર્ક કરી શકાશે નવી દિલ્હી2024ની શરૂઆત સાથે જ જાપાનમાં મોટો ભૂકંપ આવ્યો છે. જાપાનની ધરતી ફરી એક વખત ભીષણ ભૂકંપથી ધણધણી ઉઠી છે. 7.4ની તીવ્રતાના ભૂકંપના જોરદાર આંચકા બાદ સુનામીનું એલર્ટ જાહેર કરાયું છે. દરિયામાં 15…

પ્રિયંકા ગાંધીએ નવા વર્ષની શુભકામના સાથે ગાઝામાં માર્યા ગયેલાઓનો ઉલ્લેખ કર્યો

આપણા બાળકો નવા વર્ષની ઉજવણી કરી રહ્યા છે ત્યારે બીજી તરફ ગાઝામાં  બાળકોની ક્રૂરતા પૂર્વક હત્યા કરવામાં આવી રહી છેઃ પ્રિયંકા નવી દિલ્હી 2023ના અંતિમ દિવસે દેશભરમાં લોકોએ જશ્ન મનાવીને નવા વર્ષ 2024નું સ્વાગત કર્યું. આ અવસર પર એક બીજાને શુભકામના મેસેજ પણ આપવામાં આવી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ દેશવાસીઓને…

બકરીએ ગાયના વાછરડા જેવા દેખાતા બચ્ચાને જન્મ આપ્યો

આ ઘટના એવી છે કે જીવવિજ્ઞાન પર સંશોધન કરનારાઓ પણ આશ્ચર્યચકિત ઔરંગાબાદ બિહારના ઔરંગાબાદમાં એક એવી ઘટના બની કે સવારથી જ એક ઘરને જોવા લોકોની કતારો લાગી છે. આખરે આ ઘરમાં એવું તો શું બન્યું કે લોકો તેને જોવા કતારો લગાવી રહ્યા છે. ઔરંગાબાદના બરુણ બ્લોકના બિલાસપુર ગામમાં કુદરતનો એક વિચિત્ર કહી શકાય તેવો ચમત્કાર…

ઉત્તરાખંડમાં બહારના લોકો હવે જમીન નહીં ખરીદી શકે

બહારના લોકોને જિલ્લા મેજિસ્ટ્રેટની મંજૂરીથી મળતી કૃષિ અને બાગાયતની જમીન ખરીદવા માટે આપવામાં આવેલી છૂટ પર રોક લગાવાઈ દેહરાદૂન ઉત્તરાખંડમાં હવે રાજ્યની બહારના લોકો ખેતી અથવા બાગાયતના નામ પર જમીન નહીં ખરીદી શકશે. ઉત્તરાખંડમાં જમીન પર અતિક્રમણની વધતી ઘટનાઓ પર રોક લગાવવા માટે ધામી સરકારે રવિવારે મોટો નિર્ણય લીધો છે. સરકારે લેન્ડ લો ડ્રાફ્ટિંગ કમિટીના…