એચસીજી આસ્થા કેન્સર સેન્ટરે 2,800થી વધુ રોબોટિક કેન્સર સર્જરી પૂર્ણ કરી

Spread the love

1,600થી વધુ યુરો-ઓન્કોલોજી અને 1,000થી વધુ પ્રોસ્ટેટ કેન્સરની રોબોટિક સર્જરી સાથે નોંધપાત્ર સિદ્ધિ

અમદાવાદ

એચસીજી આસ્થા કેન્સર સેન્ટર, અમદાવાદે રોબોટિક કેન્સર સારવાર ક્ષેત્રે મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરતાં 2,800થી વધુ રોબોટિક સહાયિત કેન્સર સર્જરી સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. આ સાથે કેન્દ્રે પશ્ચિમ ભારતમાં રોબોટિક ઓન્કોલોજીકલ સર્જરીના અગ્રણી કેન્દ્ર તરીકે પોતાની ઓળખ વધુ મજબૂત બનાવી છે.

રોબોટિક કેન્સર સર્જરી માટેના સેન્ટર ઓફ એક્સલન્સ તરીકે ઓળખાતું આ કેન્દ્ર મિનિમલી ઇન્વેસિવ ટેક્નોલોજી દ્વારા વધુ ચોકસાઈ, ઓછો દુખાવો, ઝડપી સ્વસ્થતા અને વધુ સારા ક્લિનિકલ પરિણામો પ્રદાન કરી રહ્યું છે. અત્યાર સુધીમાં કેન્દ્રે 1,600થી વધુ યુરો-ઓન્કોલોજી સર્જરી અને 1,000થી વધુ રોબોટિક પ્રોસ્ટેટ કેન્સર સર્જરી પૂર્ણ કરી છે.

કેન્દ્રમાં બે અત્યાધુનિક રોબોટિક સર્જિકલ સિસ્ટમ્સ કાર્યરત છે. જાન્યુઆરી 2026માં બીજી સિસ્ટમના ઉમેરા બાદ સર્જિકલ ક્ષમતામાં નોંધપાત્ર વધારો થયો છે. ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશ સહિતના વિસ્તારોમાંથી દર્દીઓ અહીં સારવાર માટે આવી રહ્યા છે.

કેન્દ્રનો રોબોટિક ઓન્કોલોજી કાર્યક્રમ યુરો-ઓન્કોલોજી, ગેસ્ટ્રોઇન્ટેસ્ટિનલ, થોરેસિક, ગાયનેકોલોજિકલ તેમજ હેડ એન્ડ નેક કેન્સરની જટિલ સર્જરીઓ કરે છે. રોબોટિક ટેક્નોલોજી સર્જનોને વધુ ચોકસાઈ, ઉત્તમ નિયંત્રણ અને ત્રિ-આયામી દૃશ્યતા પ્રદાન કરે છે, જેના કારણે ઓછું રક્તસ્રાવ, ઓછો દુખાવો અને ઝડપી પુનઃપ્રાપ્તિ શક્ય બને છે.

ડૉ. જગદીશ કોઠારીએ જણાવ્યું હતું કે રોબોટિક ટેક્નોલોજી ખાસ કરીને જટિલ GI અને HPB કેન્સર સર્જરીમાં વધુ સારા ઓન્કોલોજીકલ પરિણામો પ્રાપ્ત કરવામાં મદદરૂપ બની રહી છે. જ્યારે ડૉ. હેમાંગ બક્ષીના જણાવ્યા મુજબ, યુરોલોજિકલ કેન્સરની સારવારમાં રોબોટિક સર્જરીએ વધુ સલામતી અને દર્દીઓની જીવન ગુણવત્તામાં સુધારો લાવ્યો છે.

એચસીજીના રિજનલ બિઝનેસ હેડ ડૉ. ભરત ગઢવીએ જણાવ્યું હતું કે અદ્યતન રોબોટિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા વધુ દર્દીઓ સુધી ઉચ્ચ ગુણવત્તાની કેન્સર સારવાર પહોંચાડવાનો સંકલ્પ કેન્દ્ર સતત આગળ ધપાવી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *