અફઘાનિસ્તાનમાં 4.1ની તીવ્રતાના ભૂકંપથી ભયનો માહોલ

હજુ સુધી કોઈ જાનમાલને નુકશાન થયાના અહેવાલ નથી કાબુલઅફઘાનિસ્તાનમાં ફરી એક વખત મોડી રાત્રે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ આપેલી માહિતી પ્રમાણે અફઘાનિસ્તાનમાં 4.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જોરદાર ભૂકંપના આંચકાના કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. જોકે મળતી માહિતી અનુસાર હજુ સુધી કોઈ જાનમાલને નુકશાન થયાના અહેવાલ નથી.ઓક્ટોબરની શરૂઆતમાં…

ભારતે માનવહિતમાં યુદ્ધવિરામના વિચારને આવકાર્યું

યુએનમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ રાજદૂત રૂચિરા કંબોજે કહ્યું કે, માનવહિત માટેના તમામ પગલાંને ભારત આવકારે છે વોશિંગ્ટનઇઝરાયેલ-હમાસ વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા તણાવના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. જેના કારણે અનેક દેશો અને વૈશ્વિક અજેન્સી દ્વારા યુદ્ધવિરામની માંગ ઉઠી છે એવામાં ભારત દ્વારા માનવીયહિત માટે આ યુદ્ધવિરામના વિચારનું સ્વાગત કરવામાં આવ્યું છે.યુએનમાં ભારતના સ્થાયી…

ખાલિસ્તાની સમર્થકો લક્ષ્મીનારાયણ મંદિરમાં મુશ્કેલી ઊભી કરવા માગે છે

આ બધું વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાના નામે કરવામાં આવી રહ્યું હોવાનો ભારતીય મૂળના કેનેડિયન સાંસદ ચંદ્ર આર્યનો દાવો ટોરેન્ટોભારત અને કેનેડા વચ્ચે ખાલિસ્તાની સમર્થકોની પ્રવૃતિઓને લઈને સતત તણાવ વધી રહ્યો છે ત્યારે ભારતીય મૂળના કેનેડિયન સાંસદે એક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (અગાઉનું ટ્વિટર) પર એક વીડિયો શેર કર્યો હતો જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે…

એકતા કપૂર ડિરેક્ટોરેટ એવોર્ડ જીતનારી પ્રથમ ભારતીય મહિલા ફિલ્મ નિર્માતા

વીર દાસ ને આ પહેલા વર્ષ 2021માં તેના કોમેડી શો ‘ટુ ઈન્ડિયા’ માટે એમી ઈન્ટરનેશનલ એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવ્યો હતો ન્યૂયોર્કન્યૂયોર્કમાં પ્રખ્યાત ઇન્ટરનેશનલ એમી એવોર્ડ્સનું આયોજન કરવામાં આવ્યું હતું. ઇન્ટરનેશનલ એમી એવોર્ડ્સ સૌથી પ્રતિષ્ઠિત સન્માનોમાંથી એક છે. આ એવોર્ડ સમારોહમાં આર્ટ અને એન્ટરટેનમેંટ ઇન્ડસ્ટ્રીના સેલેબ્સને 14 જુદી-જુદી કેટેગરીમાં નોમિનેટ કરવામાં આવ્યા હતા. આ સન્માન…

ફાર્મા કંપનીના સીએમડી સામેની દુષ્કર્મની ફરિયાદ પોલીસ નોંધતી નથી

27 વર્ષીય બલ્ગેરિયન ફ્લાઈટ એટેન્ડન્ટે ગુજરાત હાઈકોર્ટમાં ફરિયાદ કરી, અગાઉ સમાધાન માટે પણ દબાણ કરાયાનો આરોપ અમદાવાદફ્લાઈટમાં ખોટી રીતે મહિલાની છેડતીનાં અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે. તેવામાં 27 વર્ષીય બલ્ગેરિયન ફ્લાઈટ એટેન્ડન્ટે ગુજરાત હાઈકોર્ટમાં ફરિયાદ કરી છે કે રાજ્ય પોલીસ સ્થાનિક ફાર્માસ્યુટિકલ કંપનીનાં સીએમડી સામે દુષ્કર્મ અને છેડતીનો આરોપ લગાવતી જે ફરિયાદ છે તે…

નરેન્દ્ર મોદીએ જાડેજાને કહ્યું, બાપુ ઢીલા ન પડતાં

તમે બધાએ તમારું સર્વ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે, તમે લોકોએ 10 માંથી 10 ગેમ જીતી અહીં આવ્યા છો, આવું બધું રમતમાં થતું રહેઃમોદી અમદાવાદપીએમ મોદી કેપ્ટન રોહિત શર્મા, અનુભવી બેટ્સમેન વિરાટ કોહલી અને કોચ રાહુલ દ્રવિડ સહિત સમગ્ર ટીમને મળ્યા અને તેમને પ્રોત્સાહિત કર્યા. વડાપ્રધાને તમામ ખેલાડીઓને કહ્યું કે, તમે આખી ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું.વડાપ્રધાને…

લાઈફસ્ટાઈલમાં ફેરફારોએ અચાનક થનારા મૃત્યુની સંભાવનાને વધારી

વેક્સિનના કારણે અચાનક થનારા મૃત્યુ સાથે કોઈ સંબંધ નથી, જો કોઈએ વેક્સિનનો એક ડોઝ લીધો છે તો કોરોનાને કારણે મૃત્યુનું જોખમ ઓછું થઈ જાય છે નવી દિલ્હીકોવિડ-19 મહામારી બાદ સરકારે લોકોના જીવ બચાવવા માટે મોટા પાયે વેક્સિનેશન અભિયાન ચલાવ્યુ હતું. દેશમાં લોકોને વેક્સિનના 2 અરબથી વધુ ડોઝ આપવામાં આવ્યા હતા. પરંતુ છેલ્લા એકથી દોઢ વર્ષની…

મધુપુરાના ડીએમની કારની અડફેટે આવતા ત્રણનાં મોત

એક મજૂર, મહિલા અને તેની 7 વર્ષીય બાળકીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, ઘટના બાદ ડીએમ અને ડ્રાઈવર કાર છોડીને ફરાર થઈ ગયા મધુપુરાબિહારમાં મધુપુરાના ડીએમની કારની અડફેંટે આવતા ત્રણ લોકોનું મોત થયું હતું. જયારે 2 લોકો ગંભીરપણે ઘવાયા હતા. આ ઘટના ત્યારે બની હતી જયારે ડીએમની ગાડી મધેપુરા તરફ જઈ રહી હતી. આ દરમિયાન…

હમાસ ઈઝરાયેલ સાથે યુધ્ધ વિરામ કરારની નજીક

હમાસના નેતા ઈસ્માઈલ હનીયેહે સોશિયલ મીડિયા પોસ્ટ ટેલિગ્રામ પર આ નિવેદન જારી કર્યું ગાઝાહમાસના નેતા ઈસ્માઈલ હનીયેહે ગુરુવારે દાવો કર્યો હતો કે તેઓ ઈઝરાયેલ સાથે યુદ્ધવિરામ કરારની નજીક છે. હનીહેએ સોશિયલ મીડિયા પોસ્ટ ટેલિગ્રામ પર આ નિવેદન જારી કર્યું છે. તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને પણ સંકેત આપ્યા હતા કે…

ઈમરાને મારું લગ્નજીવન બરબાદ કરી નાખ્યુઃ માણેકા

બુશરા બીબી સાથે લગ્ન કરવા માટે ઈમરાન ખાને છૂટાછેડાની પ્રક્રિયા ઝડપી બનાવી હતી ઈસ્લામાબાદઈમરાન ખાનની પત્ની બુશરા બીબીના પૂર્વ પતિ ખાવર ફરીદ માણેકાએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. ખરેખર, ખાવર ફરીદ માણેકાએ ઈમરાન ખાન પર ગંભીર આરોપ લગાવ્યા છે અને પીટીઆઈ ચીફ પર તેમનું લગ્ન જીવન બરબાદ કરવાનો આરોપ લગાવ્યો છે. મેનકાએ એમ પણ કહ્યું હતું…

અયોધ્યાની 14 કોસી પરિક્રમામાં શ્રદ્ધાનું પૂર ઉમટ્યું

ભક્તોએ પરિક્રમાના પ્રારંભિક બિંદુ, નાકા મુઝફ્ફર ખાતે સ્થિત હનુમાનગઢી મંદિરની માટી તેમના કપાળ પર લગાવીને પરિક્રમાનો પ્રારંભ કર્યો અયોધ્યારાજા રામની નગરીમાં 14 કોસી પરિક્રમાની શરૂઆત બપોરે 2:09 વાગ્યે જય શ્રી રામના નારા સાથે થઈ હતી. ભક્તોએ પરિક્રમાના પ્રારંભિક બિંદુ, નાકા મુઝફ્ફર ખાતે સ્થિત હનુમાનગઢી મંદિરની માટી તેમના કપાળ પર લગાવીને પરિક્રમાનો પ્રારંભ કર્યો હતો. માથે…

હૂતી વિદ્રોહીઓએ પહેલા જહાજના ડ્રાઈવરને બંધક બનાવ્યો

હુતી વિદ્રોહીઓ સમુદ્રની મધ્યમાં ચાલતા કાર્ગો જહાજ ‘ગેલેક્સી લીડર’ પર હેલિકોપ્ટર દ્વારા ઉતર્યા હતા નવી દિલ્હીયમનના હૂતી વિદ્રોહીઓએ રેડ સીમાં એક માલવાહક જહાજને હાઈજૈક કરી લીધું છે. આ જહાજના ક્રૂને બંધક બનાવવામાં આવ્યા છે. આ સમગ્ર બનાવ દરિયાની વચ્ચે બનેલો છે. યમને એક વીડિયો જાહેર કર્યો છે. જેમાં એવું દેખાઈ રહ્યું છે કે, જહાજની ઉપર…

ઉત્તરકાશીની ટનલમાં ફસાયેલા 41 મજૂરો સલામત

આ ટનલની અંદરનો પહેલો વીડિયો સામે આવ્યો જેમાં તમામ કામદારો સુરક્ષિત દેખાઈ રહ્યા છે નવી દિલ્હીઉત્તરકાશીમાં યમુનોત્રી નેશનલ હાઈવે પર નિર્માણાધીન સિલ્ક્યારા ટનલનો એક ભાગ તૂટી પડવાને કારણે 41 મજૂરો છેલ્લા 10થી ફસાયેલા છે. અકસ્માતના 9 દિવસ બાદ એટલે કે ગઈકાલે સાંજે 6 ઈંચની નવી પાઈપલાઈન દ્વારા સુરંગની અંદર ફસાયેલા કામદારો માટે ખીચડી, દાળ અને…

સુનકે કોરોના કાળમાં કહ્યું હતું, લૉકડાઉન કરતાં અમુક લોકોને મરવા દેવાં સારા

પૂર્વ ચીફ સાઈન્ટિફિક એડવાઈઝર પૈટ્રિક વાલેંસે પોતાની ડાયરીમાં સુનકની આ નિવેદનની નોંધ કરી છે, વાલેંસે ડોમિનિક કમિન્સને ટાંકીને આ વાત કહી છે લંડનબ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકના સીનિયર એડવાઈઝર ડોમિનિક કમિન્સે પીએમ સામે ગંભીર આક્ષેપ કરી મોટો દાવો કર્યો હોવાનો રિપોર્ટ સામે આવ્યો છે. ઋષિ સુનકનું ‘કોરોના કાળમાં લોકોને મરવા દેવા’ અંગેનું નિવેદન સામે આવ્યા બાદ…

હારને જીવનભર સાથે ન રખાય, ખેલાડીએ આગળ વધવું પડેઃ કપિલ દેવ

જે થયું તે બદલી શકાતું નથી, સખત મહેનત કરતા રહો, એક ખેલાડી હોવાનો આ જ અર્થ છેઃ વર્લ્ડકપ વિજેતા ભારતીય ટીમના પૂર્વ સુકાની નવી દિલ્હીભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી વન-ડે વર્લ્ડકપ2023ની ફાઈનલ મેચમાં ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર બાદ ભારતીય ટીમની સાથે સાથે તેમના ફેન્સ પણ ખુબ નિરાશ થયા હતા. નિરાશ…

પીસીબીએ ઉમર ગુલને ફાસ્ટ બોલિંગ કોચ, સઈદ અજમલને સ્પિન બોલિંગ કોચ બનાવ્યો

બાબર આઝમની કેપ્ટનશીપ હેઠળ પાકિસ્તાની ટીમ વન-ડે વર્લ્ડકપ2023ની 9માંથી 5 મેચ હારી હતી, મોહમ્મદ હફીઝને ડાયરેક્ટર અને વહાબ રિયાઝનેને ચીફ સિલેક્ટર બનાવાયા કરાંચીપાકિસ્તાન ટીમના વન-ડે વર્લ્ડકપ2023માં શરમજનક પ્રદર્શન બાદ પાકિસ્તાન ટીમમાં ઘણાં મોટા ફેરફારો થયા છે. વન-ડે વર્લ્ડકપ2023માંથી બહાર થવા બાદ જયારે પાકિસ્તાની ટીમ પોતાના વતન પરત ફરી હતી ત્યારે જ ટીમના કેપ્ટન બાબર આઝમે…

ઈઝરાયેલે મુંબઈ પર આતંકી હુમલા માટે જવાબદાર લશ્કર-એ-તૈયબાને આતંકી સંગઠન જાહેર કર્યું

આ માહિતી ભારતમાં ઈઝરાયેલી દૂતાવાસે આપી હતી, ભારત સરકારની કોઈપણ ઔપચારિક વિનંતી વિના સ્વતંત્ર રીતે નિર્ણય લેવામાં આવ્યો નવી દિલ્હીઈઝરાયેલે હમાસ સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે મુંબઈ આંતકી હુમલાને અંજામ આપનાર લશ્કર-એ-તૈયબા (એલઈટી)ને સત્તાવાર રીતે આતંકવાદી સંગઠન જાહેર કર્યું છે. ઈઝરાયેલે આ પગલું એવા સમયે ઉઠાવ્યું છે જ્યારે મુંબઈ હુમલાને લગભગ 5 દિવસમાં 15 વર્ષ…

ભારતની હારથી વ્યથિત ઓડિશાના એક યુવકે આત્મહત્યા કરી લીધી

રાહુલ એક કપડાની દુકાનમાં કામ કરતો હતો અને ફાઈનલ મેચ જોવા માટે તેણે રવિવારે રજા લીધી હતી, રાહુલે પોતાના રૂમમાં ફાંસી લગાવી લીધી નવી દિલ્હીગત રવિવારે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલ આઈસીસી વર્લ્ડ કપ 2023ના ફાઈનલ મુકાબલામાં ટીમ ઈન્ડિયાએ હારનો સામનો કરવો પડ્યો હતો. આ હારથી ક્રિકેટ ચાહકોમાં નિરાશા જોવા મળી રહી છે. ત્યારે આ…

પરાળી સળગાવનારા પાસેથી સરકારે અનાજ ન ખરીદવું જોઈએઃ સુપ્રીમ

પરાળી સળગાવનારાઓ વિરુદ્ધ કાર્યવાહી લગભગ 100 એફઆરઆઈ નોંધાઈ છે અને 2 કરોડ રૂપિયાનો દંડ પણ વસૂલ્યો હોવાની પંજાબ સરકારના વકીલની રજૂઆત નવી દિલ્હીઆજે સુપ્રીમ કોર્ટમાં દિલ્હી-એનસીઆરમાં પ્રદૂષણ મામલે સુનાવણી થઈ હતી જેમાં કોર્ટે કહ્યું કે કેટલાક ખેડૂતો લોકોની પરવા કર્યા વિના જ પરાળી સળગાવી રહ્યા છે તો સરકાર શા માટે તેના પર કડક પગલાં લઈ…

સેન્સેક્સમાં 266 અને નિફ્ટીમાં 88 પોઈન્ટનો ઊછાળો જોવા મળ્યો

એસબીઆઈ લાઈફ, એચડીએફસી લાઈફ, અદાણી એન્ટરપ્રાઈઝ અને જેએસડબલ્યુ સ્ટીલના શેરમાં વધારો, કોલ ઈન્ડિયા લિમિટેડ, ઓએનજીસી, બીપીસીએલ અને એલટીઆઈ માઇન્ડ ટ્રીના શેરમાં ઘટાડો નવી દિલ્હીશેરબજારનો કારોબાર મંગળવારે ઊછાળા સાથે બંધ થયો. બીએસઈ સેન્સેક્સ 266 પોઈન્ટ વધીને 65921 પોઈન્ટ પર બંધ થયો હતો જ્યારે નિફ્ટી 88 પોઈન્ટ વધીને 19782 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. મંગળવારે, નિફ્ટી મિડકેપ…