જલગાંવમાં પોલીસ ટીમ પર પથ્થરમારો, લાઠીચાર્જ, કલમ 144 લાગુ કરાઈ

અમલનેરામાં દીવાલ પર એક સમુદાયના કેટલાક બાળકો પેશાબ કરી રહ્યા હતા, જેનો બીજા પક્ષના લોકોએ વિરોધ કરતા મામલો બિચક્યો જલગાંવમહારાષ્ટ્રના જલગાંવના અમલનેરામાં ગઈકાલે રાત્રે બે સમુદાયો વચ્ચે અથડામણ થઈ હતી. મારામારી અને પથ્થરમારાની ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી હતી પરંતુ ઉપદ્રવીઓ વધુ ઉગ્ર બની…

લવપ્રીત સિંહ નામના વિદ્યાર્થી સામેની કાર્યવાહીને આગામી આદેશ સુધી મોકૂફ

કેનેડિયન બોર્ડર સર્વિસ એજન્સીએ સિંહને 13 જૂન સુધીમાં કેનેડા છોડવાનો આદેશ આપ્યો હતો, ત્યારબાદ ટોરોન્ટોમાં વિદ્યાર્થીઓએ વિરોધ કરવાનું શરૂ કર્યું હતું નવી દિલ્હીકેનેડામાં દેશનિકાલ અથવા બળજબરીથી પરત મોકલવાનો વિરોધ કરી રહેલા ભારતીય વિદ્યાર્થીઓને રાહત મળી છે. એવા અહેવાલ છે કે, લવપ્રીત સિંહ નામના વિદ્યાર્થી વિરુદ્ધ શરૂ કરવામાં આવેલી કાર્યવાહીને આગામી આદેશ સુધી મોકૂફ રાખવામાં આવી…

શરદ પવારની પુત્રી સુપ્રિયા સુલે અને પ્રફુલ પટેલને એનસીપીના કાર્યકારી અધ્યક્ષ બનાવાયા

પાર્ટીના આ નિર્ણયને વરિષ્ઠ નેતા અજિત પવાર માટે આંચકો માનવામાં આવી રહ્યો છે, અજીત પોતે પાર્ટી અધ્યક્ષ પદના દાવેદાર હતા મુંબઈલોકસભાની ચૂંટણી પહેલા એનસીપીમાં માથી મોટા સમાચાર આવી રહ્યા છે. શરદ પવારની પુત્રી સુપ્રિયા સુલેને એનસીપીમાં મોટી જવાબદારી આપી છે અને તેણે કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે આ સાથે પ્રફુલ પટેલને પણ એનસીપીના કાર્યકારી અધ્યક્ષ…

શિક્ષણ બોર્ડમાં રિ-ટેસ્ટ અંગેની કોઇ જોગવાઇ ન હોવાથી વિદ્યાર્થીઓનું વર્ષ બગડશે, ધો. 9-11માં નાપાસ વિદ્યાર્થીઓ માટે રિટેસ્ટ લેવા વાલીઓની માગણી

રિ-ટેસ્ટને લઇને વિદ્યાર્થીઓ શાળાઓમાં તેમજ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી સમક્ષ રજૂઆત કરી અમદાવાદરાજયની શાળાઓમાં નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ થઇ ચુક્યો છે ત્યારે ધો-9 અને 11 માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની રિ-ટેસ્ટને લઇને ઉગ્ર માંગ ઊભી થઇ છે. રિ-ટેસ્ટને લઇને વિદ્યાર્થીઓ શાળાઓમાં તેમજ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી સમક્ષ રજૂઅત કરી રહ્યા હોવાનું જાણવા મળે છે. જો કે , શિક્ષણ…

બ્રિટનના પૂર્વ વડાપ્રધાન બોરિસ જોન્સનનું સંસદના સભ્યપદેથી રાજીનામું

તપાસમાં વડા પ્રધાન પદ સંભાળતી વખતે લોકડાઉન નિયમોનું ઉલ્લંઘન કરીને પાર્ટી કરવા માટે સંસદને ગેરમાર્ગે દોરવા બદલ તેમના પર પ્રતિબંધ મૂકવાની ભલામણ કરી છે લંડનબ્રિટનના પૂર્વ વડાપ્રધાન બોરિસ જોન્સને પાર્ટીગેટ કૌભાંડ અંગે સંસદીય સમિતિના તપાસ અહેવાલ બાદ સંસદના સભ્યપદેથી રાજીનામું આપતા પોતાના નિર્ણયથી આખા દેશને ચોંકાવી દીધા છે. સંસદીય સમિતિએ તેની તપાસમાં વડા પ્રધાન પદ…

ભારતે મેચ જીતવા 121 વર્ષ જૂના રન ચેઝના રેકોર્ડને આંબવો પડશે

1902માં લંડનના ઓવલ મેદાન પર ટેસ્ટ મેચમાં સૌથી મોટો ટાર્ગેટ 263 રનનો ચેઝ થયો હતો, ઈંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયાને 1 વિકેટે હરાવ્યું હતું સિડનીઆઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023ની ફાઈનલ મેચમાં ત્રીજા દિવસની રમતના અંત સુધીમાં ઓસ્ટ્રેલિયાએ ભારતીય ટીમ સામે કુલ 296 રનની લીડ બનાવી લીધી હતી. માર્નસ લાબુશેન 41 અને કેમેરન ગ્રીન 7 રન બનાવી અણનમ છે….

ટેસ્ટ ક્રિકેટમાં ડાબોડી સ્પિનર તરીકે સૌથી વધુ 267 વિકેટ સાથે બેદીનો રેકોર્ડ તોડ્યો

બિશન સિંહ બેદીએ ડાબા હાથના સ્પિનર તરીકે ભારત માટે ટેસ્ટમાં 266 વિકેટ લીધી હતી, હેરાથ 433 વિકેટ સાથે ટોચના ક્રમે સિડનીઓસ્ટ્રેલિયાની બીજી ઇનિંગ દરમિયાન રવિન્દ્ર જાડેજાએ અત્યાર સુધીમાં 2 વિકેટ ઝડપી છે. જાડેજાએ 2 વિકેટ લેતા જ ટેસ્ટ ક્રિકેટમાં ઈતિહાસ રચી દીધો છે. જાડેજા ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં સૌથી વધુ વિકેટ લેનારો પ્રથમ ડાબોડી ભારતીય સ્પિનર…

2022માં રાજ્યમાં 950 હત્યા, 42 કેસ ઉકેલાયા નથી

2021ની તુલનામાં 2022માં રાજ્યમાં ખુનની કોશિષના 82 બનાવો તેમજ સાઅપરાધ મુષ્ય વધના 14 બનાવો વધુ બન્યા અમદાવાદરાજ્યમાં 2022ના વર્ષમાં 950 લોકોની હત્યાના બનાવો બન્યા જેમાંથી 42 કેસ અનડીટેક્ટ રહ્યાની વિગતો બહાર આવી છે. 2022ના વર્ષમાં સઅપરાધ મનુષ્ય વધ અને ખૂનની કોશિષના બનાવોમાં ઉછાળો જોવા મળ્યો છે. 2022માં સાઅપરાધ મનુષ્ય વધના 14 બનાવો વધ્યા હતા. ખુનની…

હરિયાણાના આઠ વર્ષના ટેણિયાના નામે આઠ વર્લ્ડ રેકોર્ડ

8 વર્ષની ઉંમરે જ માર્ટિને 3 મિનિટમાં પંચિગ બેગ પર 1105 પંચ મારી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો સોનીપતમાર્ટિન મલિક નામના આ બાળકની ઉંમર 10 વર્ષ પણ નથી અને તેણે પોતાની ઉંમરના આંકડા જેટલા વર્લ્ડ રેકોર્ડને પોતાના નામે કરી લીધા છે.સોનીપતના સેક્ટર 23માં રહેતા માર્ટિનની ઉંમર 8 વર્ષ છે. માર્ટિને પોતાની ઉંમર જેટલા એટલે કે 8 વર્લ્ડ…

પ.બંગાળના મુર્શિદાબાદમાં કોંગ્રેસના કાર્યકર્તાની હત્યા કરાઈ

પંચાયત ચૂંટણીને ધ્યાનમાં રાખીને હત્યા કરાઈ હોવાનો કોંગ્રેસ સાંસદ અધીર રંજન ચૌધરીનો આક્ષેપ કોલકાતાપશ્ચિમ બંગાળમાં ચૂંટણીને લઈને હિંસા તેજ થઈ ગઈ છે. કોંગ્રેસ સાંસદ અધીર રંજન ચૌધરીએ પશ્ચિમ બંગાળના રાજ્યપાલને પત્ર લખીને ચૂંટણી માટે કોન્દ્રીય દળોની તૈનાતીની માંગ કરી છે. ગઈ કાલે પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં એક કોંગ્રેસ કાર્યકર્તાની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી….

ટ્વીટર ક્રિએટર્સને તેમના રિપ્લાયમાં બતાવવામાં આવતી જાહેરાતો માટે ચૂકવણી કરશે

સર્જકોને પ્રથમ બ્લોકમાં કુલ 5 મિલિયન ડોલર ચૂકવવામાં આવશે, હવે કંપની તેની સબ્સ્ક્રિપ્શન સેવાને વેરિફાઇડ કન્ટેન્ટ ક્રિએટર્સ દ્વારા પ્રમોટ કરવા માગે છે વોશિંગ્ટનએલોન મસ્કે તેના માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વિટરને લઈને એક મોટી જાહેરાત કરી છે. એલોન મસ્કએ કહ્યું છે કે, એક્સ/ટ્વીટર થોડા અઠવાડિયામાં ક્રિએટર્સ તેમના રિપ્લાયમાં બતાવવામાં આવતી જાહેરાતો માટે ચૂકવણી કરવાનું શરૂ કરશે. મસ્કે વધુમાં…

એકનાથ શિંદેના પુત્ર-સાંસદ શ્રીકાંત શિંદેની રાજીનામું આપવા ચીમકી

ડોમ્બિવલીના કેટલાક નેતાઓ તેમના સ્વાર્થી રાજકારણ માટે બીજેપી-શિંદે જૂથ માટે અવરોધો બનાવવાનો પ્રયાસ કરી રહ્યા હોવાનો આક્ષેપ મુંબઈમહારાષ્ટ્રના રાજકારણમાં હંમેશા ઉથલપાથલ થતી રહે છે ત્યારે હવે રાજ્યના મુખ્યમંત્રી એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેના અને બીજેપી વચ્ચે ખટરાગ થવાના સંકેત દેખાઈ રહ્યા છે. સીએમ એકનાથ શિંદેના પુત્ર અને સાંસદ શ્રીકાંત શિંદેએ તો પોતાના પદ પરથી રાજીનામું…

ભારતીય નૌસેનાએ 35થી વધુ વિમાન-બે યુદ્ધજહાજ સાથે યુદ્ધાભ્યાસ કર્યો

ભારતીય નેવીએ દરિયાઈ વિસ્તારમાં નિરંતર હવાઈ સંચાલન સુનિશ્ચિત કરવા અને ભારતના રાષ્ટ્રીય હિતોની સુરક્ષા માટે પ્રતિબદ્ધતાને રેખાંકિત કરવા માટે તેની ક્ષમતાનું પ્રદર્શન કર્યું નવી દિલ્હીભારતીય નેવી રાષ્ટ્રીય દરિયાઈ હિતોની સુરક્ષા માટે સંકલ્પ અને દ્રઢતા સાથે સતત વિકસિત થઈ છે. તે લાંબા ગાળાની સંભવિત યોજનાઓને ધ્યાનમાં રાખી અને મિશનના વિસ્તારની મર્યાદારને પૂરી કરવાની દિશામાં સતત તેની…

ઈસ્લામિક અલ-શબાબ આતંકવાદીના હુમલામાં નવનાં મોત, 20 ઘાયલ

સુરક્ષા દળોએ હોટલ પર કલાકો સુધી ચાલેલા ઉગ્રવાદી હુમલાને ખતમ કરી દીધોમોગાદિશુસોમાલિયાની રાજધાની મોગાદિશુમાં બીચસાઈડ રેસ્ટોરન્ટ પર ઈસ્લામિક અલ-શબાબ આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા હુમલામાં નવ લોકો માર્યા ગયા છે અને 20 ઘાયલ થયા છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે સુરક્ષા દળોએ હોટલ પર કલાકો સુધી ચાલેલા ઉગ્રવાદી હુમલાને ખતમ કરી દીધો છે.પોલીસે એક નિવેદનમાં જણાવ્યું કે, લોકપ્રિય…

દુર્ઘટના થઈ તે બહનગા સ્ટેશન પર કોઈ ટ્રેન નહીં ઊભી રહે

સીબીઆઈ તપાસ પૂરી ન થાય ત્યાં સુધી બાહનગા બજાર રેલવે સ્ટેશન પર કોઈપણ ટ્રેનના સ્ટોપેજ પર પ્રતિબંધ મુકવામાં આવ્યોબાલાસોરબાહનગા ટ્રેન દુર્ઘટનાના ઘા હજુ પણ મટ્યા નથી. બાહનગા સ્ટેશન પર ટ્રેન દુર્ઘટનામાં 288 લોકોએ જીવ ગુમાવ્યા હતા. હવે, એવું નક્કી કરવામાં આવ્યું છે કે, હાલના તબક્કે અહીં કોઈ ટ્રેન ઉભી નહીં રહે. દક્ષિણ-પૂર્વ રેલ્વેના મુખ્ય જનસંપર્ક…

સમગ્ર મામલો ઉકેલાયા બાદ જ એશિયન ગેમ્સમાં રમીશુઃ સાક્ષી મલિકની ચીમકી

રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના આઉટગોઇંગ પ્રેસિડેન્ટ બ્રિજ ભૂષણ સિંહની યૌન ઉત્પીડનના આરોપોને લઈને કુસ્તીબાજોની ધરપકડ કરવાની માગ કરી રહ્યા છેસોનિપતકુસ્તીબાજોના સમર્થનમાં શનિવારે હરિયાણાના સોનિપતમાં મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન કુસ્તીબાજ સાક્ષી મલિકે કહ્યું કે, અમે એશિયન ગેમ્સ ત્યારે જ રમીશું જ્યારે આ સમગ્ર મામલો ઉકેલાઈ જશે. રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના આઉટગોઇંગ પ્રેસિડેન્ટ બ્રિજ…

અંબાજીમાં વાહન ચાલક સરખું પાર્કિંગ નહીં કરે તો વાહન ટો કરાશે

અંબાજી 51 શક્તિપીઠ સર્કલથી લઈને જૂના નાકા સુધીનો હાઇવે માર્ગ ‘નો વ્હીકલ ઝોન’ જાહેર કરવામાં આવ્યોઅમદાવાદગુજરાતમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર સામે પોલીસ દંડનીય કાર્યવાહી કરે છે. ત્યારે યાત્રાધામ અંબાજીમાં પણ ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે જિલ્લા કલેક્ટર દ્વારા ટોઈંગ ક્રેનની ફાળવણી કરવામાં આવી છે. જો કોઈ વાહન ચાલક પોતાના વાહનને સરખી રીતે પાર્ક નહીં કરે અથવા…

પ્લેન ક્રેસના 40 દિવસ પછી જંગલોમાંથી ચાર બાળક જીવતા મળ્યા

મૂળ રૂપથી યૂટોટો સ્વદેશી સમૂહના બાળકો કે જેમની ઉંમર 13, 9, 4 અને એક વર્ષ છે, જેઓ પહેલી મેથી જંગલમાં એકલા હતા અને ભટકી રહ્યા હતા બોગોટાકોલંબિયાના એમેઝોન રેઈન ફોરેસ્ટમાં નાનું પ્લેન ક્રેશ થયા બાદ લગભગ એક મહિનાથી ચાર સ્વદેશી બાળકો ગુમ હતા. જેઓ એક મહિના બાદ જીવિત મળી આવ્યા છે, પ્રેસિડન્ટ ગુસ્તાવો પેટ્રોએ શુક્રવારે…

એટીએસે આઈએસઆઈએસના મોડ્યુલનો પર્દાફાશ કર્યો, પોરબંદરથી મહિલા સહિત ચારની ધરપકડ

આતંકી સંગઠન ઈસ્લામિક સ્ટેટ ઓફ ખોરાસાન પ્રોવિન્સ સાથે સંકળાયેલા 4 આતંકીમાં 3 કાશ્મીરી અને એક સુરતની મહિલા સુમૈરા બાનોનો સમાવેશ, સુરતના રહેવાસી ઝુબેરની શોધ જારીઅમદાવાદપોરબંદરમાં ગુજરાત એટીએસની ટીમે મોટું ઓપરેશન પાર પાડ્યું છે. એટીએસએ આઈએસઆઈએસ મોડ્યુલનો પર્દાફાશ કર્યો અને એક મહિલા સહિત 4 લોકોની ધરપકડ કરી. બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે. ગુજરાતના પોરબંદરમાં…

BAI એ બેડમિન્ટન એશિયા જુનિયર ચેમ્પિયનશિપ માટે ટીમની જાહેરાત કરી

નવી દિલ્હી ભારતીય બેડમિન્ટન એસોસિએશન (BAI) એ અત્યંત અપેક્ષિત બેડમિન્ટન એશિયા જુનિયર ચેમ્પિયનશિપ્સ 2023 માટે ભારતીય જુનિયર ટીમની જાહેરાત કરી. કોન્ટિનેંટલ ચેમ્પિયનશિપ 7-16 જુલાઈ, 2023 દરમિયાન યોગકાર્તા, ઈન્ડોનેશિયામાં યોજાશે. પ્રતિભાશાળી રોસ્ટરમાં, ખેલાડીઓ તારા શાહ અને આયુષ શેટ્ટી ટીમમાં મુખ્ય સહભાગીઓ તરીકે અલગ પડે છે. તારા શાહે ગર્લ્સ સિંગલ વિભાગમાં અસાધારણ કૌશલ્યનું પ્રદર્શન કર્યું છે, તેના…