સેન્સેક્સમાં 351 અને નિફ્ટીમાં 93 પોઈન્ટનો ઊછાળો જોવા મળ્યો

શેર બજારમાં આજે બન્ને ઇન્ડેક્સ અપ રહેતા મીડકેપ શેરોમાં પણ ફાયદાના સોદા જોવા મળ્યા મુંબઈભારતીય શેર બજારમાં આજે તેજીનો માહોલ જોવા મળ્યો હતો. આજે માર્કેટમાં બીએસઇ સેન્સેક્સ અને એનએસઇ નિફ્ટ બન્ને ઇન્ડેક્સ અપ રહ્યાં હતા. બીએસઇ સેન્સેક્સ આજે 0.53 ટકાના ઉછાળા સાથે 351.49 પૉઇન્ટ ઉપર ચઢીને 66,707.20 એ બંધ રહ્યો હતો. જ્યારે એનએસઇ નિફ્ટી ઇન્ડેક્સ…

કટિહારમાં પ્રદર્શનકારીઓ પર પોલીસના ગોળીબારમાં એકનું મોત

વિરોધ કરી રહેલા લોકો અચાનક ઉગ્ર બની જતા પોલીસે ભીડને કાબૂમાં લેવા માટે લાઠીચાર્જ અને એરિયલ ફાયરિંગ કરતા ત્રણ જણાને ગોળી વાગી કટિહારબિહારના કટિહારમાં ગોળી વાગવાથી એક વ્યક્તિનું મોત થઈ ગયુ છે. જ્યારે બેની હાલત નાજુક છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે બારસોઈ પ્રખંડ કાર્યાલયમાં મોટી સંખ્યામાં લોકો પાવર કટનો વિરોધ કરી રહ્યા હતા. આ પ્રદર્શનમાં ગ્રામજનો…

આરબીઆઈ રેપો રેટમાં કોઈ જ ફેરફાર ન કરે તેવા સંકેત, ઈએમઆઈમાં રાહત નહીં મળે

જૂન મહિનામાં છુટક ફુગાવાના દરનો આંકડો 50 બેસિસ પોઈન્ટથી વધુ ઉછળીને 4.81 ટકા પર પહોંચતા મોંઘી ઈએમઆઈમાં રાહતની આશાઓ પર પાણી ફરી જશે નવી દિલ્હીઆરબીઆઈ મોનિટરી પોલિસી કમિટીની બેઠક આગામી 10મી ઓગસ્ટ-2023ના રોજ યોજનારા છે. આ બેઠક પૂર્ણ થયા બાદ લેવાયેલા નિર્ણયોની જાહેરાત કરવામાં આવશે. જોકે હાલ એવું મનાઈ આવી રહ્યું છે કે, આ બેઠકમાં…

મોદી સરકાર સામેની અવિશ્વાસની બે દરખાસ્તને લોકસભા સ્પિકરે મંજૂરી આપી

લોકસભા સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે તેઓ તમામ પક્ષો સાથે વાત કરશે, પછી જાહેરાત કરશે કે અવિશ્વાસ પ્રસ્તાવ પર ક્યારે ચર્ચા થશે નવી દિલ્લીકોંગ્રેસે તેલંગાણાની ભારત રાષ્ટ્ર સમિતિ (બીઆરએસ) સાથે મળીને લોકસભામાં પીએમ નરેન્દ્ર મોદીની સરકાર વિરુદ્ધ બે અલગ-અલગ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી છે. લોકસભા સ્પીકર ઓમ બિરલાએ અવિશ્વાસ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. તેમણે…

મણિપુરના આદિવાસીઓ પર હુમલાની તપાસ એનઆઈએ દ્વારા કરવા માગ

મણિપુરની જોમી કાઉન્સિલ સ્ટીયરિંગ કમિટીએ રાષ્ટ્રપતિ શાસન લાદવાની માંગ કરી નવી દિલ્હી દેશના પૂર્વી રાજ્ય મણિપુરમાં છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલા વંશીય સંઘર્ષને કારણે જોમી-કુકી સંગઠને પીએમ મોદીના હસ્તક્ષેપની માંગ કરતા પત્ર લખ્યો છે, જેમાં તેમણે કહ્યું હતું કે પૂર્વોત્તર રાજ્યના આદિવાસીઓ પર થયેલા હુમલાની તપાસ એનઆઈએ દ્વારા થવી જોઈએ તેવી માગ કરી છે. આ…

ગૂગલે ન્યૂઝ ઇકોસિસ્ટમ ડેવલપમેન્ટના ડિરેક્ટર માધવ ચિનપ્પાને હટાવી દીધા

હું અત્યારે ‘ગાર્ડનિંગ લીવ’ પર છું, આ સમય દરમિયાન મને મારા કામ, કારકિર્દી, જીવન વગેરે પર વિચાર કરવા માટે વધુ સમય મળશેઃ માઘવ વોશિંગ્ટન વિશ્વની સૌથી મોટી જાયન્ટ ટેક કંપની ગૂગલે તેના ન્યૂઝ ઇકોસિસ્ટમ ડેવલપમેન્ટના ડિરેક્ટર માધવ ચિનપ્પાને હટાવી દીધા છે. ભારતીય મૂળના માધવ ચિનપ્પા 13 વર્ષથી ગૂગલ સાથે જોડાયેલા હતા. સોશિયલ મીડિયા પર તેમણે…

વિશ્વની 50 ટકા વસતી પર ડેન્ગ્યુનું જોખમ તોળાય છે

લગભગ 4 અબજ લોકો એવી જગ્યાઓ પર રહે છે જ્યાં ડેન્ગ્યૂની બીમારી સરળતાથી ફેલાઈ શકે છે. દર વર્ષે 40 કરોડ લોકો તેનાથી સંક્રમિત થાય છે વોશિંગ્ટન દુનિયાની 50% વસતી પર ડેન્ગ્યૂનું જોખમ તોળાઈ રહ્યું છે એટલે કે લગભગ 4 અબજ લોકો એવી જગ્યાઓ પર રહે છે જ્યાં ડેન્ગ્યૂની બીમારી સરળતાથી ફેલાઈ શકે છે. દર વર્ષે…

રશિયામાં લિંગ પરિવર્તન સર્જરી પર પ્રતિબંધ લગાવી દેવાયો

આ કાયદો સત્તાવાર પોર્ટલ પર પ્રકાશિત કરવામાં આવ્યો છે અને કાયદો જાહેરનામું પ્રસિદ્ધ થતાં જ અમલમાં આવ્યો મોસ્કો રશિયામાં લિંગ પરિવર્તન સર્જરી પર પ્રતિબંધ લગાવી દેવાયો છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને દેશમાં લિંગ પરિવર્તન સર્જરી પર પ્રતિબંધ મૂકતા કાયદા પર હસ્તાક્ષર કર્યા છે. સ્થાનિક સમાચાર એજન્સી અનુસાર ગઈકાલે આ માહિતી આપી હતી અને જણાવ્યું હતું…

ફ્લોરિડાના મહાસાગરમાં હોટ ટબ જેટલું તાપમાન નોંધાયું

દક્ષિણ ફ્લોરિડાના છીછરા પાણીનું તાપમાન 100 ડિગ્રી ફેરેનહીટ સુધી પહોંચી ગયું ફ્લોરિડા સોમવારે દક્ષિણ ફ્લોરિડાના છીછરા પાણીનું તાપમાન એટલું વધુ ગયું હતું કે તેની તુલના બાથરૂમના હોટ ટબ સાથે કરવામાં આવી હતી. છીછરા પાણીના આ તાપમાને નવો વિશ્વ રેકોર્ડ બનાવ્યો હતો. દક્ષિણ ફ્લોરિડાના છીછરા પાણીનું તાપમાન 100 ડિગ્રી ફેરેનહીટ સુધી પહોંચી ગયું હતું. મિયામીના દક્ષિણપશ્ચિમમાં…

અબુ ધાબીમાં એમઈઆરએસ કોરોનાવાયરસનો એક નવો કેસ નોંધાયો

આ એક વાયરલ શ્વાસ સંબંધિત બીમારી છે જે માર્સ કોરોના વાયરસના કારણે થાય છે, જે સાર્સ વાયરસની જેમ જ છે અબુ ધાબી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબલ્યુએચઓ)એ કોરોનાવાયરસને લઈને એકવાર ફરીથી ચિંતા વ્યક્ત કરી છે. સંયુક્ત અરબ અમીરાતની રાજધાની અબુ ધાબીમાં એમઈઆરએસ કોરોનાવાયરસનો એક નવો કેસ નોંધાયો છે. 2012માં પહેલી વખત આ વાયરસની ઓળખ થયા બાદ…

અયોધ્યાને ગ્લોબલ સિટી બનાવવા હજારો કરોડનો પ્રોજેક્ટ

અયોધ્યાના વિકાસ માટે માસ્ટર પ્લાન તૈયાર કરતા પહેલા જેરુસલેમ અને વેટિકન સિટી જેવા તીર્થધામોની સુવિધાઓ અને વ્યવસ્થાનો અભ્યાસ કરવામાં આવ્યો અયોધ્યા એક તરફ અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે અને બીજી તરફ શહેરને ગ્લોબલ સિટી બનાવવા માટે હજારો કરોડ રૂપિયાના પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું છે. અયોધ્યાના વિકાસ માટે માસ્ટર પ્લાન તૈયાર કરતા…

ભારત-પાક. મેચ 15ને બદલે 14 ઓક્ટોબરે યોજાવાની શક્યતા

એજન્સીઓએ બીસીસીઆઈને સુરક્ષાની ચિંતાઓને કારણે મેચને કોઈ અન્ય તારીખે શિફ્ટ કરવાની સલાહ આપતા નવરાત્રીની પહેલા મેચ યોજાઈ શકે છે નવી દિલ્હી ભારતીય ક્રિકેટ ટીમે આ વર્ષના અંતમાં યોજાનાર વનડે વર્લ્ડ કપ 2023માં પાકિસ્તાનનો સામનો કરવાનો છે. બંને ટીમો વચ્ચે 15 ઓક્ટોબરના રોજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટક્કર થશે. આઈસીસીએ પહેલાથી જ શિડ્યૂલને અંતિમ રૂપ આપી…

ટામેટામાંથી કમાઈને કરોડપતિ થયેલા ખેડૂતનું સન્માન કરાયું

તેલંગાણાના મેડક જિલ્લાના મહિપાલ રેડ્ડીએ છેલ્લા 40 દિવસમાં લગભગ 2 કરોડ રૂપિયાની કમાણી કરતા મુખ્યપ્રધાને સન્માન કર્યું હૈદ્રાબાદ દેશમાં ટામેટાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. ઘણા શહેરોમાં તેની કિંમત 200 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગઈ છે. એક તરફ જ્યાં લોકો મોંઘવારીથી પરેશાન છે તો બીજી તરફ ટામેટાના વધેલા ભાવે તેલંગાણાના એક ખેડૂતને કરોડપતિ…

કારગિલ દિવસ પર મોદી સહિત નેતાઓની શહીદોને અંજલિ

કારગિલ વિજય દિવસ ભારતના એ અદભૂત બહાદુરોની શૌર્ય ગાથાને સામે લાવે છે, જે હંમેશા દેશવાસીઓ માટે પ્રેરણા બની રહેશેઃ મોદી નવી દિલ્હી આજે 26મી જુલાઈના રોજ સમગ્ર દેશ કારગીલ વિજય દિવસની ઉજવણી કરી રહ્યો છે. 24 વર્ષ પહેલા વર્ષ 1999માં આજના દિવસે ભારતીય સેનાએ કારગીલ શિખરો પર ઘૂસી ગયેલા દુશ્મનોને હરાવીને વિજયનું એલાન કર્યું હતું….

ઈમ્ફાલના મોલમાં મહિલાની છેડતી કરનારો બીએસએફનો જવાન સસ્પેન્ડ

પજવણી કરનાર બીએસએફ જવાન સામે ઇમ્ફાલમાં છેડતીનો કેસ પણ નોંધવામાં આવ્યો ઈમ્ફાલ સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયો હતો જેમાં બોર્ડર સિક્યોરિટી ફોર્સ (બીએસએફ)નો જવાન એક છોકરીની પજવણી કરતો જોવા મળે છે. આ ઘટના મણીપુરના ઇમ્ફાલમાં આવેલા એક ડીપાર્ટમેન્ટલ સ્ટોરમાં બની હતી. આ ઘટના અંગે પગલા ભરતા બીએસએફએ છેડતીખોર હેડ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દીધો…

આઈઆઈએમ બેંગલુરૂમાં 27 વર્ષના છાત્રનું કાર્ડિયાક અરેસ્ટથી મોત

મૃતકની ઓળખ 27 વર્ષીય આયુષ ગુપ્તા તરીકે થઈ છે, તે પોસ્ટ ગ્રેજ્યુએશન પ્રોગ્રામ હેઠળ બીજા વર્ષમાં અભ્યાસ કરી રહ્યો હતો બેંગલુરૂ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (આઈઆઈએમ) બેંગ્લુરુથી એક આંચકાજનક અહેવાલ સામે આવ્યા છે. અહીં એક 27 વર્ષીય વિદ્યાર્થીનું કાર્ડિયાક અરેસ્ટને લીધે મોત નીપજ્યું છે. આ મામલે ખુદ આઈઆઈએમ બેંગ્લુરુ દ્વારા ટ્વિટર પર માહિતી શેર કરવામાં…

એન્ડ્રોઇડ 4.4 કિટકેટ માટે એન્ડ્રોઈડ સપોર્ટ બંધ કરવાનો ગૂગલનો નિર્ણય

કિટકેટ એન્ડ્રોઇડ વર્ઝન વર્ષ 2013માં લોન્ચ કરવામાં આવ્યું હતું નવી દિલ્હી જી હા, અત્યારે જીવવા માટે જરૂરી થઈ ગયેલા એન્ડ્રોઈડ સ્માર્ટ ફોનને લઈને એક મહત્વના સમાચાર જાણવા મળી રહ્યા છે. જો તમે પણ એન્ડ્રોઇડ સ્માર્ટફોનનો ઉપયોગ કરો છો, તો પહેલાં એક વખત આ સમાચાર ચોક્ક્સ વાંચી લો, કારણ કે છે સર્ચ એન્જિન ગણાતા ગૂગલે કેટલાક…

બરૌની-નવી દિલ્હી સ્પેશિયલ ટ્રેન ત્રણ કિમી ખોટી દીશામાં દોડી

મુઝફ્ફરપુરથી નર્કટિયાગંજ ડાઈવર્ટ કરેલી ટ્રેનને હાજીપુર રેલ લાઈનમાં સિગ્નલ અપાયું, જોકે લૉકો પાઇલટ અને ગાર્ડને જાણ થતા ઇમરજન્સી બ્રેક મારીને ટ્રેનને મુઝફ્ફરપુર પાછી લવાઈ પટણા રેલવેમાં રોજ બનતા અવનવા અકસ્માત પૈકી તાજેતરમાં બિહારના બરૌનીથી નવી દિલ્હી રવાના થયેલી સ્પેશિયલ ટ્રેન ત્રણેક કિલોમીટર સુધી ખોટી દિશામાં જવાને કારણે રેલવે(ઈસીઆર) તંત્રમાં દોડાદોડી થઈ ગઈ હતી. લોકો પાઇલટને…

રસ્તાની બાજુમાં ઊભેલી કારને કન્ટેનરે ટક્કર મારતા ચારનાં મોત

આ તમામ પુષ્કર, અજમેર અને ખાટુ શ્યામની મુલાકાત લઈને મેરઠ પરત ફરી રહ્યા હતા, એક મહિલા અને એક પુરુષ ગંભીર રીતે ઘાયલ બહાદુરગઢ હરિયાણાના બહાદુરગઢમાં મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 4 લોકોના મોત થઈ ગયા હતા અને બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ અકસ્માત બહાદુરગઢમાં કુંડલી માનેસર પલવલ એક્સપ્રેસવે પર…

રાજસ્થાનમાં પુત્રીના લવ મેરેજથી નારાજ માતા-પિતાની આત્મહત્યા

પેટાઃ સુસાઈડ નોટમાં લખ્યું, અમારી દીકરીએ લવ મેરેજ કર્યા છે, જેથી અમે પરેશાન છીએ અને આત્મહત્યા કરીએ છીએ, પોલીસે અમારા પુત્રને હેરાન ન કરવો બાડમેર રાજસ્થાનમાં એક દંપતીએ આત્મહત્યા કરી લીધી કારણ કે તેમની પુત્રીએ તેના પ્રેમી સાથે લગ્ન કર્યા હતા. દંપતી આત્મહત્યા બાદ એક સુસાઈડ નોટ પણ મળી આવી છે. આ સુસાઈડ નોટમાં લખ્યું…