ચમોલી વિષ્ણુ ભગવાનનું મંદિર માત્ર રક્ષાબંધન પર ખૂલે છે

ભક્ત આ ચમત્કારી મંદિરમાં ભગવાનના દર્શન કરી પૂજા-અર્ચના કરે છે દહેરાદૂનઆપણા દેશમાં ઘણા મંદિર એવા છે જેની સાથે ગાઢ માન્યતાઓ જોડાયેલી છે. આ મંદિરોની પાછળ ઘણી અનોખી અને રહસ્યમયી કહાનીઓ છુપાયેલી છે. ઉત્તરાખંડમાં એક આવુ જ મંદિર આવેલુ છે જે ઘણા રહસ્યોથી ભરાયેલુ છે. ભક્તો માટે આ મંદિરના કપાટ વર્ષમાં માત્ર એક વખત જ ખુલે…

નૂહમાં ગેરકાયદેસર ઘૂસણખોરો પર પોલીસે બૂલડોઝર ચલાવાયું

રોહિંગ્યાઓએ હરિયાણા અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીની જમીન પર ગેરકાયદે કબજો જમાવ્યો હતો, પ્રારંભિક તપાસમાં આ લોકો હિંસામાં સામેલ હોવાનું જણાયું નૂહહરિયાણાના મેવાત-નૂહમાં હિંસા બાદ હવે પોલીસે સફાળી જાગી છે અને ગેરકાયદેસર ઘૂસણખોરો વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ સાથે જ પોલીસે ગેરકાયદેસર કબજા અને ઘૂસણખોરો પર બુલડોઝર ચલાવ્યું છે. પ્રારંભિક તપાસમાં સામે આવ્યું આ…

યુપીના અમાનુલ્લાપુરનું નામ બદલીને જમુના નગર કરાશે

ઓડિશાના એક રેલવે સ્ટેશન અને રાજસ્થાનના ત્રણ ગામ સહિત કુલ ચાર ગામોના નામ બદલવાની કેન્દ્રની મંજૂરી નવી દિલ્હીકેન્દ્ર સરકારે ઓડિશાના એક રેલવે સ્ટેશન અને રાજસ્થાનના ત્રણ ગામ સહિત કુલ ચાર ગામોના નામ બદલવાની મંજૂરી આપી દીધી છે અને આ માટે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. અધિકારીઓએ આ માહિતી આપી હતી.ઉદયપુર જિલ્લાના કાનોડ તાલુકામાં ખિમવતોં…

ગૌરીકુંડમાં ભારે પૂર- ભૂસ્ખલનથી 19 લોકો ગુમ, બેનાં મોત

ભૂસ્ખલનને કારણે મંદાકિની નદીમાં ત્રણ દુકાનો તણાઈ ગઈ, આ અકસ્માતમાં 19 લોકોના મોતની આશંકા રૂદ્રપ્રયાગઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લામાં કેદારનાથ યાત્રાના માર્ગ પર ગૌરીકુંડમાં ભારે વરસાદને કારણે પૂર અને ભૂસ્ખલનને પગલે 19 લોકો ગુમ થયા છે. અત્યાર સુધીમાં બે મૃતદેહ મળી આવ્યા છે. આ બનાવ બાદ અન્ય લોકોની શોધ ચાલુ છે. કેદારનાથ યાત્રા માર્ગ પર ગૌરીકુંડ પાસે…

નાગરિકો વિશેની ડિજિટલ માહિતીના દુરોપયોગ બદલ 250 કરોડના દંડની જોગવાઈ

બિલમાં આંકડાની સારસંભાળ અને પ્રસંસ્કરણ કરતા એકમો માટે જવાબદેહી સાથે લોકોના અધિકારોને સ્પષ્ટ કરાયા નવી દિલ્હીકોઈ પણ એકમ હવે નાગરિકો વિશે ડિજિટલ રીતે સંગ્રહ કરાયેલી જાણકારી કે આંકડાનો દુરુપયોગ કરશે કે પછી તેનું સંગ્રહ કરવામાં નિષ્ફળ રહેશે તો તેના પર 250 કરોડ રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવી શકે છે. આ જોગવાઈ સંસદમાં રજૂ કરાયેલા ડિજિટલ…

આઈઆઈએમ માટેના નવા બિલથી સંસ્થાની સ્વાયત્તા પર ચિંતા

બિલ મુજબ રાષ્ટ્રપતિ આઈઆઈએમના વિઝિટર હશે અને તેમને તેમના કામનું ઓડિટ કરવાનો અધિકાર હશે નવી દિલ્હીમણિપુર મુદ્દે થયેલા હોબાળા વચ્ચે કેન્દ્ર સરકારે 28 જુલાઈના રોજ લોકસભામાં ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (આઈઆઈએમ) એમેન્ડમેન્ટ બિલ રજૂ કર્યું હતું. આ બિલ મુજબ રાષ્ટ્રપતિ આઈઆઈએમના વિઝિટર હશે અને તેમને તેમના કામનું ઓડિટ કરવાનો અધિકાર હશે. આ સિવાય આ બિલમાં…

અનેક વખત પદ છોડવાનું વિચારું છું, સીએમ પદ મને છોડતું નથીઃ ગેહલોત

રાજસ્થાનના મુખ્યપ્રધાનના મજાકમાં કરાયેલા નિવેદનથી તેમનું નિસાન કોના તરફ હતું એ રાજકારણમાં હસ્તક્ષેપ કરનારા સમજી ગયા જયપુરરાજસ્થાનમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી છે. મુખ્યમંત્રી અશોક ગેહલોત ચૂંટણીની તૈયારીમાં વ્યસ્ત છે. આવી સ્થિતિમાં તેમણે મુખ્યમંત્રી પદને લઈને એવી વાત કહી કે જેનાથી બધા ચોંકી ગયા. અશોક ગેહલોતે કહ્યું કે તેઓ ઘણી વખત વિચારે છે કે મુખ્યમંત્રી પદ…

વિમાનનું એન્જિન બગડતાં ઈમરજન્સી લેન્ડિંગઃ 180 મુસાફરના જીવ તાળવે ચોંટ્યા

દિલ્હી જતી ઈન્ડિગોની ફ્લાઈટ 6ઈ-2433એ ઉડાન ભર્યાના 3 જ મિનિટ બાદ એન્જિનમાં ખામી સર્જાઈ પટણાપટણાથી દિલ્હી જતી ઈન્ડિગોની ફ્લાઈટનું એન્જિન બગડ્યું હોવાના અહેવાલ મળી રહ્યા છે. પટણા એરપોર્ટથી ઉડાન ભર્યાની માત્ર ત્રણ જ મિનિટ બાદ આ ખામી સામે આવી હતી જેના પગલે વિમાનને ઈમરજન્સી લેન્ડિંગ કરાવાયું. પાઈલટે આ દરમિયાન સમજદારીપૂર્વકની કામગીરી કરી હતી.પટણા એરપોર્ટના ડિરેક્ટરે…

સેન્સેક્સમાં 481 અને નિફ્ટીમાં 135 પોઈન્ટનો વધારો જોવા મળ્યો

આઈટી શેર વધ્યા જ્યારે ઓટો શેર ઘટ્યા હતા, રોકાણકારોની સંપત્તિ વધીને 304.04 લાખ કરોડ થઈ મુંબઈસપ્તાહના અંતિમ કારોબારી દિવસે શેરબજારમાં મંદી પર બ્રેક લાગી હતી. છેલ્લા બે દિવસમાં 1300થી વધુ પોઈન્ટના બોલેલા કડાકા બાદ આજે શેરબજાર સુધારા સાથે બંધ રહ્યું હતું. આજના કારોબારમાં આઈટી શેર વધ્યા હતા, જ્યારે ઓટો શેર ઘટ્યા હતા. આજના કારોબારી દિવસના…

મોદી સરનેમ કેસમાં રાહુલ ગાંધીની સજા પર સુપ્રીમનો સ્ટે

માનહાનિ મામલે રાહુલ ગાંધીએ આ વર્ષે માર્ચમાં સુરતની એક કોર્ટે બે વર્ષની કેદની સજા સંભળાવી હતી અને ગુજરાત હાઈકોર્ટે 7 જુલાઈએ તેમની સજા પર રોક લગાવવાનો ઈન્કાર કરી દીધો હતો નવી દિલ્હીમોદી સરનેમ કેસમાં સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને મોટી રાહત આપી છે. આ કેસમાં પોતાનો ચુકાદો આપતાં સુપ્રીમ કોર્ટે રાહુલની સજા પર રોક લગાવી દીધી…

દિલ્હીને સંપૂર્ણ રાજ્યનું ભાજપનું વચન, ઢંઢેરામાં ખોટું બોલ્યા કે સંસદમાઃ સુપ્રિયા સુલે

અરવિંદ કેજરીવાલનું સમર્થન કરીને સુપ્રિયા સુલેએ સરકારને ચાર પ્રશ્નો કર્યા જે દરમિયાન તેઓના આંખમાં પાણી આવી ગયા નવી દિલ્હીનેશનલ કેપિટલ ટેરિટરી ઑફ દિલ્હી બિલ 2023 લોકસભામાં પસાર થઈ ગયું છે. બંને પક્ષોના કુલ 26 સાંસદોએ ચર્ચામાં ભાગ લીધો હતો. આ બિલ પર ચર્ચા દરમિયાન રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) સાંસદ સુપ્રિયા સુલે ખૂબ જ આક્રમક રીતે…

સુપ્રીમના ચુકાદાથી રાહુલના સંસદના દ્વાર ખુલ્યા, 2024ની ચૂંટણી પણ લડી શકશે

જો રાહુલનું સંસદ સભ્યપદ છીનવાઈ ગયા બાદ વાયનાડ સીટ પર પેટાચૂંટણી યોજાઈ ગઈ હોત તો તેમનું સભ્યપદ બહાલ ન થયું હોત નવી દિલ્હીકોંગ્રેસ અને રાહુલ ગાંધી બંનેને શુક્રવારનો દિવસ ફળી ગયો. મોદી સરનેમ કેસમાં સુપ્રીમકોર્ટે રાહુલ ગાંધીને દોષિત ઠેરવવા અને તેમને સંભળાવાયેલી બે વર્ષની સજા સામે રોક લગાવી દીધી છે. મોદી સરનેમ માનહાનિ કેસમાં સુરતની…

દસમા ક્રમે બેટિંગમાં જતા દ્રવિડ-પંડ્યાએ ચહલને અટકાવ્યો

કોચ-કેપ્ટન મુકેશ કુમારને બેટિંગમાં મોકલવા માગતા હતા પરંતુ ચહલ મેદાનમાં પહોંચી ગયો અને હાર્દિકે તેને પાછો બોલાવ્યો પણ ક્રિસ પર પહોંચી ગયો હોઈ અમ્પાયરે તેમ ન થવા દીધું ત્રિનિદાદભારતમાં આ વર્ષે ઓકટોબર-નવેમ્બરમા આઈસીસી વનડે વર્લ્ડ કપ રમાનાર છે ત્યારે તેને ધ્યાનમાં રાખીને ગઈકાલે ભારતે વેસ્ટ ઈન્ડિઝ સામે ટી20 સિરીઝની શરુઆત કરી હતી. ભારતીય ટીમે વેસ્ટ…

વિપક્ષના હોબાળાથી નારાજ સંરક્ષણ પ્રધાને પાછળની ખુરશી પર જઈને નિવેદન આપ્યું

રાજનાથ સિંહે આંતર-સેવા સંગઠન બિલ, 2023 રજૂ કર્યું હતું અને તે લોકસભામાં પસાર થઈ ગયું, આ બિલ સૈન્ય સુધારાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું છે નવી દિલ્હીશુક્રવારે લોકસભાની કાર્યવાહી ભારે હોબાળા સાથે શરૂ થઇ હતી. જેના પરિણામે બિલ રજૂ કરવા પહોંચેલા સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ નારાજ થઈ ગયા હતા. તેમણે આગળની ખુરશી છોડી પાછળ જવાનો નિર્ણય…

આઈપીએલ સા.આફ્રિકા-યુએઈમાં નહીં ભારતમાં જ રમાશે

2019માં ભારતમાં લોકસભાનું ઈલેક્શન હતું, પરંતુ તે વખતે પણ ભારતમાં આઈપીએલ યોજાઈ હતી અને તે અલ્ટરનેટ મેદાનમાં થઈ હતી નવી દિલ્હીઆઈપીએલની લોકપ્રિયતા કેટલી બધી છે કે તમે એ વાત દ્વારા જાણી શકો છો કે આ મેચને શરુ થવામાં હજુ 8 થી 9 મહિનાનો સમય બાકી છે, છતાં પણ સોશિયલ મીડિયા પર ફેન્સ સર્ચ કરી રહ્યા…

ઠાણેની કોલેજમાં એનસીસીના વિદ્યાર્થીને ક્રૂરતા પૂર્વક માર મારવામાં આવ્યો

વીડિયો સામે આવ્યા લોકો કોલેજના આચાર્ય સામે કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે, , ઘટનામાં એક વિદ્યાર્થીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો થાણેમહારાષ્ટ્રમાં એનસીસી કેડેટ્સ સાથે બનેલી ગંભીર ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે ઠાણેમાં આવેલી એક કોલેજમાં એનસીસી વિદ્યાર્થીની ક્રુરતાપૂર્વક માર મારતો હોવાનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો જોયા…

રાજકોટથી પકડાયેલા ત્રણમાંથી એક આતંકી પાંચ વર્ષ જેતપુરમાં રહ્યો છે

સૈફ નવાઝ નામનો આતંકી સોનીબજારમાં બંગાળી કારીગર તરીકે કામ કરતો હતો, હવે આ તપાસના તાર જેતપુર સુધી પહોંચે તેવી શક્યતા રાજકોટતાજેતરમાં જ ગુજરાત એટીએસ દ્વારા રાજકોટમાંથી આતંકી સંગઠન સાથે સંકળાયેલા અલકાયદાના ત્રણ આતંકીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ ત્રણેય આતંકીઓની રિમાન્ડ દરમિયાન પુછપરછમાં સામે આવ્યું હતું કે,ત્રણ આતંકી પૈકી એક સૈફ નવાઝ નામનો આતંકી અગાઉ…

જ્ઞાનવાપીમાં એએસઆઈ સર્વે માટે સુપ્રીમ કોર્ટની મંજૂરી

અમે એ સુનિશ્ચિત કરવા માંગીએ છીએ કે વિવાદિત માળખાને સ્પર્શ ન થાય અને ત્યાં કોઈ ખોદકામ ન થાય, અમે તમામ પક્ષકારોને સાંભળ્યા છેઃ સુપ્રીમ નવી દિલ્હીજ્ઞાનવાપી કેમ્પસના સર્વેની મંજૂરી આપવાના અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણય સામે મુસ્લિમ પક્ષ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુપ્રીમ કોર્ટ આજે સુનાવણી થઇ હતી. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની બેન્ચ…

ગમે તે થાય, મારું કર્તવ્ય એ જ રહેશે, ભારતના વિચારની રક્ષા કરવાનોઃ રાહુલ

સુપ્રીમકોર્ટે રાહુલની સજા અને દોષિત જાહેર કરવાના નીચલી કોર્ટના ચુકાદા પર રોક ન લગાવી હોત તો તે 2024ની લોકસભા ચૂંટણી ન લડી શક્યા હોત નવી દિલ્હીસુપ્રીમ કોર્ટે આજે મોદી સરનેમ કેસમાં મહત્વનો આદેશ આપી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની સજા પર રોક લગાવી દીધી છે. કોર્ટે કહ્યું કે, નીચલી કોર્ટના ન્યાયાધીશ દ્વારા વધુમાં વધુ સજા આપવાનું…

વિશ્વના 52 ટકા મિસમેનેજ પ્લાસ્ટિક વેસ્ટ માટે જવાબદાર દેશોમાં ભારત સહિત 12 દેશ સામેલ

સૌથી વધુ વેસ્ટ મિસમેનેજમેન્ટ કરનારા દેશોમાં મોઝામ્બિક (99.8%), નાઈજિરિયા (99.44%) અને કેન્યા (98.9%) આફ્રિકી દેશો ટોચ પર સ્વિત્ઝરલેન્ડસ્વિસ આધારિત રિસર્ચ કન્સલ્ટન્સી અર્થ એક્શન (ઈએ)દ્વારા તાજેતરમાં જ પ્લાસ્ટિકના મેનેજમેન્ટ અંગે વિશ્વ સ્તરે એક રિસર્ચ હાથ ધરવામાં આવી હતી. તેના પરિણામો ચોંકાવનારા રહ્યા હતા. માહિતી અનુસાર વેસ્ટ મેનેજમેન્ટ ક્ષમતાને કારણે આ વર્ષે લગભગ 6,86,42,999 ટન વધારાનો પ્લાસ્ટિક…