નીચી સપાટીથી બજારમાં જોરદાર રિકવરી જોવા મળી

સેન્સેક્સમાં 33 અને નિફ્ટીમાં 20 પોઈન્ટનો ઊછાળો જોવા મળ્યો મુંબઈબુધવારે શેરબજારમાં ભારે વધઘટ વચ્ચે, બીએસઈ સેન્સેક્સ 33 પોઈન્ટના ઉછાળા સાથે 69,584ના સ્તરે બંધ થવામાં સફળ રહ્યો હતો. નિફ્ટી 50 ઈન્ડેક્સ લગભગ 20 પોઈન્ટના વધારા સાથે 20,926 ના સ્તર પર બંધ થયો હતો. એનટીપીસી, હીરો મોટો, અદાણી પોર્ટ્સ અને પાવર ગ્રીડના શેર શેરબજારના ટોપ ગેનર્સમાં હતા….

યુએનમાં સમર્થન અંગે પેલેસ્ટાઈને ભારતનો આભાર માન્યો

 પેલેસ્ટાઈન ઈઝરાયેલની આક્રમકતાને રોકવા માટે અને તેની સામે દુનિયાને એક થવા માટે માંગ કરી રહ્યુ છેઃ બાસેમ એફ હેલિસે નવી દિલ્હી ઈઝરાયેલ અને હમાસ વચ્ચે યુધ્ધ વિરામ માટે યુએનમાં ફરી જંગી બહુમતીથી પ્રસ્તાવ પસાર કરાયો છે. જેમાં ભારતે પણ યુધ્ધ વિરામના પ્રસ્તાવના સમર્થનમાં વોટિંગ કર્યુ છે. એ પછી પેલેસ્ટાઈન દ્વારા ભારતનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો…

લોકસભાની પ્રેક્ષક ગેલેરીમાંથી બે યુવક અચાનક કૂદીને વેલમાં ધસી આવ્યા

વેલમાં ઘસી જઈને તેમના દ્વારા કંઈક ફેંકવામાં આવ્યું હતું જેમાંથી ગેસ નીકળી રહ્યો હતો, આ બાદ સાંસદોએ તેમને પકડી લીધા નવી દિલ્હી સંસદના શિયાળુ સત્રનો આજે આઠમો દિવસ છે ત્યારે સંસદની સુરક્ષામાં મોટી ચૂક થવાનો મામલો સામે આવ્યો છે જેમાં લોકસભાની કાર્યવાહી દરમિયાન બે યુવકો અચાનક પ્રેક્ષક ગેલેરીમાંથી કુદ્યા હતા અને વેલમાં ઘસી ગયા હતા….

યુદ્ધ વિરામ માટે યુએનએ ગાઝામાં હમાસના કાર્યાલય પર ફોન કરવો જોઈએ

ઈઝરાયેલનો યુએનના દબાણ સામે ઝૂકવાનો ઈનકાર, રાજદૂત ગિલાદ એર્દાને કહ્યુ કે, યુધ્ધ વિરામ ત્યારે જ થશે જ્યારે પેલેસ્ટાઈનમાં હમાસ હથિયારો નાંખી દેશે ન્યૂયોર્ક યુએનની મહાસભામાં મંગળવારે ગાઝામાં યુધ્ધ વિરામની માંગ કરતો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો અને 153 દેશોએ તેનુ સમર્થન કર્યુ હતુ. જેમાં ભારતનો પણ સમાવેશ થતો હતો. જોકે આ પ્રસ્તાવ પરની ચર્ચા દરમિયાન…

ઈંગ્લેન્ડ માટે ટી20માં 100 વિકેટ લેનારો આદિલ રશિદ પ્રથમ બોલર

વેસ્ટ ઈન્ડિઝ સામે પ્રથમ ટી20આઈ મેચમાં આદિલ રશીદે 4 ઓવરમાં 25 રન આપીને 2 વિકેટ ઝડપી હતી લંડન ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમના સ્પિનર આદિલ રશીદે ટી20આઈમાં ઈતિહાસ રચી દીધો છે. વેસ્ટ ઇન્ડિઝ સામે પ્રથમ ટી20આઈમાં ઇંગ્લેન્ડને હારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ સ્પિનર આદિલ રશીદે એક મોટી સિદ્ધિ મેળવી હતી. આદિલ રશીદ ઇંગ્લેન્ડ તરફથી ટી20આઈમાં 100…

ભારતને કેનેડામાં રોકવા નિજ્જરની હત્યાનો વિશ્વસનીય આરોપ લગાવ્યોઃ ટ્રૂડો

ટ્રુડોએ ફરી ભારત સામે ઝેર ઓકીનો પોતાનો કક્કો ખરો કરવાનો પ્રયાસ કર્યો ઓટાવા કેનેડામાં ખાલિસ્તાની આતંકી હરદીપસિંહ નિજ્જરની હત્યામાં ભારતનો હાથ હોવાનો આરોપ લગાવ્યા બાદ કોઈ પૂરાવા હજી સુધી રજૂ નહીં કરી શકેલા કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો હવે ખાલિસ્તાની આતંકીઓના સમર્થક તરીકે કુખ્યાત બની ગયા છે.  ટ્રુડોએ ફરી ભારત સામે ઝેર ઓકીનો પોતાનો કક્કો ખરો…

છત્તીસગઢના નારાયણપુર જિલ્લામાં નક્શલીઓના આઈઈડી બ્લાસ્ટમાં જવાન શહીદ

અન્ય એક જવાન ઘાયલ, નક્સલીઓએ આ હુમલો નારાયણપુરની આમદાઈ ખાણમાં કર્યો રાયપુર આજે છત્તીસગઢમાં સીએમના શપથ પહેલા નક્સલી દ્વારા  આઈઈડી બ્લાસ્ટ કરવામાં આવ્યો છે જેમાં એક જવાન શહીદ થયો છે જ્યારે અન્ય એક જવાન ઘાયલ થયો છે. ઉલ્લેખનીય છે કે આજે વિષ્ણુદેવ સાંઈ રાજધાનીમાં આયોજિત સમારોહમાં મુખ્યમંત્રી તરીકે શપથ લેવાના હતા. આજે છત્તીસગઢના મુખ્યમંત્રીનો શપથ…

ભૂપત ભાયાણી બાદ આપના વધુ બે ધારાસભ્યોના રાજીનામાની શક્યતા

ભૂપત ભાયાણીએ આપ સાથે છેડો ફાડ્યો છે અને હવે તે ભાજપમાં જોડાય શકે તેવી ચર્ચા છે ત્યારે આમ આદમીને વધુ બે ઝટકા લાગી શકે છે ગાંધીનગર ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને પક્ષને મોટો ઝટકો આપ્યો છે ત્યારે હવે સુત્રોમાંથી મળતી માહિતી મુજબ રાજ્યમાં આપના વધુ બે…

મરાઠીના લોકપ્રિય કોમેડિયન સંતોષ ચોરડિયાનું નિધન

તેમના નિધનથી મરાઠી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજું ફરી વળ્યું, સંતોષ ચોરડિયા અભિનયની સાથે-સાથે સમાજસેવા પણ કરતા હતા નવી દિલ્હી મરાઠી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી વધુ એક દુ:ખદ સમાચાર સામે આવી રહ્યા છે. મરાઠીના લોકપ્રિય અભિનેતા અને કોમેડિયન સંતોષ ચોરડિયાનું નિધન થઈ ગયુ છે. તેમના નિધનથી મરાઠી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે. અભિનેતાનું નિધન હાર્ટ એટેકના…

ફુસા તત્સુમીનું 116 વર્ષની ઉંમરમાં કાશિવારાના આરોગ્ય કેન્દ્રમાં નિધન

12 ડિસેમ્બરના રોજ પોતાનો મનપસંદ ખોરાક બીન પેસ્ટ જેલી ખાધા બાદ તેમનું નિધન થઈ ગયું નવી દિલ્હી વિશ્વના બીજા અને જાપનના પ્રથમ સૌથી વૃદ્ધ મહિલા ફુસા તત્સુમીનું 116 વર્ષની ઉંમરમાં કાશિવારાના આરોગ્ય કેન્દ્રમાં નિધન થઈ ગયુ છે. ગઈ કાલે 12 ડિસેમ્બરના રોજ પોતાનો મનપસંદ ખોરાક બીન પેસ્ટ જેલી ખાધા બાદ તેમનું નિધન થઈ ગયુ હતું….

ભીના આઉટફિલ્ડને લીધે કોચ રાહુલ દ્રવિડ નારાજ

ભીના બોલ સથે બોલિંગ કરવી મુશ્કેલ હોવાનો સુર્યકુમાર યાદવનો બચાવ પોર્ટ ઓફ એલિઝાબેથ ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાયેલી બીજી ટી20આઈ મેચમાં ભારતીય ટીમને 5 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરતા 19.3 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 180 બનાવ્યા હતા. વરસાદના કારણે મેચ બાધિત થઇ હતી. વરસાદ રોકાયા બાદ સાઉથ આફ્રિકાની…

અમેરિકાએ વિઝા ફીનો વધારો હાલ પૂરતો સ્થગિત રાખ્યો

અમેરિકા એચ-1બી સહિત અનેક પ્રકારના વિઝાની ફી વધારવા વિચારી રહ્યું હતું પરંતુ તે એપ્રિલ મહિના સુધી સ્થગિત રાખવામાં આવ્યો વોશિંગ્ટન ભારતમાંથી દિવસેને દિવસે અમેરિકા જનારા લોકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે યુએસ કોન્સ્યુલેટ પાસે વિઝાની અરજીઓનો ઢગલો થઈ રહ્યો છે ત્યારે અમેરિકા તેના વિઝાની ફીમાં તોતિંગ વધારો કરશે તેવા સમચાર વહેતા થયા હતા જેના…

દિગ્ગજ મરાઠી અભિનેતા રવિન્દ્ર બર્ડેનું 78 વર્ષની વયે નિધન

તેઓ છેલ્લા કેટલાક સમયથી ગળાના કેન્સરથી પીડિત હતા નવી દિલ્હી મરાઠી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી એક દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. દિગ્ગજ મરાઠી અભિનેતા રવિન્દ્ર બેર્ડેનું નિધન થઈ ગયુ છે. 78 વર્ષની ઉંમરમાં તેમણે અંતિમ શ્વાસ લીધા છે. રવિન્દ્ર બેર્ડેએ પોતાના અભિનયથી મરાઠી સિનેમામાં પોતાની અલગ ઓળખ બનાવી છે. તેઓ છેલ્લા કેટલાક સમયથી ગળાના કેન્સરથી પીડિત હતા….

પાટણના સાંતલપુર નજીક કારને અકસ્માતમાં ચારનાં મોત

સ્વિફ્ટ કાર અચાનક જ જંગલી પશુ વચ્ચે આવી જતાં કારચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર પાણીના ખાડામાં પડતા દુર્ઘટના બની પાટણ રાજ્યમાં દિવસેને દિવસે માર્ગ અકસ્માતની ઘટના વધી રહી છે ત્યારે આજે ફરી એકવાર પાટણ જિલ્લામાં ભયાનક માર્ગ અકસ્માતની ઘટના બની હતી જેમાં એક જ પરિવારના 4 લોકોના મોત થયા છે જ્યારે 3 લોકો ગંભીર…

સા.આફ્રિકાની ભૂમિ પર ફિફ્ટી ફટકારનારો સુર્યકુમાર બીજો ભારતીય સુકાની

સાઉથ આફિકાની ધરતી પર ટી20આઈ  ક્રિકેટમાં સૌથી મોટી ઇનિંગ રમવાનો રેકોર્ડ ભારતના પૂર્વ દિગ્ગજ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીના નામે હતો પોર્ટ એલિઝાબેથ ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ગઈકાલે પોર્ટ એલિઝાબેથમાં ટી20આઈ સિરીઝની બીજી મેચ રમાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમની કપ્તાની કરી રહેલા સૂર્યકુમાર યાદવે ફરી એકવાર શાનદાર બેટિંગ કરતા ફિફ્ટી ફટકારી હતી. જો કે આ…

ઈઝરાયેલ-હમાસ યુદ્ધ વિરામની તરફેણમાં યુએનની બેઠકમાં 153 દેશોનું મતદાન

10 દેશોએ પ્રસ્તાવનો વિરોધ કર્યો હતો અને 23 સભ્ય દેશોએ મતદાનમાં ભાગ લીધો ન હતો, ભારતે પણ પ્રસ્તાવને સમર્થન આપ્યું વોશિંગ્ટન ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના ચાલી રહેલા યુદ્ધ વચ્ચે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ બેઠક બોલાવી હતી જેમાં તાત્કાલિક યુદ્ધવિરામ અને તમામ બંધકોની બિનશરતી મુક્તિની માંગનો ઠરાવ રજૂ કરવામાં આવ્યો હતો જે પસાર થયો હતો. આ પ્રસ્તાવમાં…

ભારત-પાક. કાશ્મીર મુદ્દનો વાતચીતથી ઉકેલ લાવેઃ ચીન

ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા માઓ નિંગે કહ્યું કે કાશ્મીર મુદ્દે ચીનની સ્થિતિ સ્પષ્ટ અને અસ્પષ્ટ છે બેઈજિંગ સુપ્રીમ કોર્ટના અનુચ્છેદ 370ના નિર્ણય પર પ્રતિક્રિયા આપતા ચીને કાશ્મીર મુદ્દે પોતાનો મત વ્યક્ત કર્યો છે. ચીનનું માનવું છે કે ભારત અને પાકિસ્તાને વાતચીત અને પરામર્શ દ્વારા કાશ્મીર સમસ્યાનો ઉકેલ લાવવો જોઈએ.  દેશના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડની આગેવાની…

રિન્કુસિંહએ સિક્સ ફકારતાં મીડિયા બોક્સનાં કાંચ તૂટી ગયા

રિંકુ સિંહે 30 બોલમાં પોતાની પ્રથમ ટી20આઈ ફિફ્ટી ફટકારી પોર્ટ એલિઝાબેથ ભારતીય ક્રિકેટ ટીમ હાલ સાઉથ આફ્રિકાના પ્રવાસે છે. ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે 3 મેચની ટી20આઈ સિરીઝ રમાઈ રહી છે. સિરીઝની પ્રથમ મેચ વરસાદના કારણે ધોવાઇ ગઈ હતી. બીજી ટી20આઈ ગઈકાલે પોર્ટ એલિઝાબેથમાં રમાઈ હતી. આ મેચમાં રિંકુ સિંહે તાબડતોડ બેટિંગ કરી હતી. રિંકુ…

સંસદ પર હુમલાની 22મી વર્ષીએ મોદીની શહીદોને અંજલિ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શહીદ સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી અને તેમના સર્વોચ્ચ બલિદાનને યાદ કર્યા નવી દિલ્હી ભારતીય લોકશાહીના મંદિર સંસદ ભવન પર 13 ડિસેમ્બર, 2001ના દિવસે પાંચ આતંકવાદીઓએ સંસદ ભવન પર હુમલો કર્યો હતો. આ હુમલામાં નવ જવાનો શહીદ થયા હતા, જ્યારે હુમલો કરનાર પાંચેય આતંકીઓ પણ માર્યા ગયા હતા. આજે આ હુમલાની 22મી વરસી…

આપના ધારાસભ્ય ભૂપત ભાયાણી રાજીનામાનાં મૂડમાં

વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડે તેવી શક્યતા, ભાજપમાં જોડાવાની શક્યતા ગાંધીનગર દેશમાં આગામી વર્ષે લોકસભાની ચૂંટણી યોજાનાર છે ત્યારે ગુજરાતમાં આમ આદમી પાર્ટીને લોકસભાની ચૂંટણી પહેલા મોટો ઝટકો લાગી શકે છે. વિસાવદરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપવાના મૂડમાં છે. તેઓ ઘણા સમયથી ભાજપ સાથે સંપર્કમાં…