યુપીમાં ગેરકાયદેસર રહેતા 74 રોહિંગ્યાની એટીએસે ધરપકડ કરી

ધરપકડ કરાયેલા રોહિંગ્યા લોકોમાં 16 મહિલાઓ અને છોકરીઓ અને 58 પુરુષો છે, આ તમામ લોકો સામે કેસ નોંધીને કાર્યવાહી કરવામાં આવી અમદાવાદગઈકાલે યુપી એટીએસએ રાજ્યવ્યાપી ઓપરેશન હાથ ધરીને રાજ્યમાં ગેરકાયદેસર રીતે રહેતા 74 રોહિંગ્યાઓની ધરપકડ કરી હતી. રાજ્યના વિશેષ પોલીસ મહાનિર્દેશક પ્રશાંત કુમારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે એટીએસને માહિતી મળી રહી હતી કે કેટલાક…

સરકાર 2000ની નોટો જમા કરાવવાની મુદત નહીં વધારે

સંસદમાં કેટલાક સભ્યોએ સરકારને પૂછ્યુ કે શું 2000 રૂપિયાની નોટને જમા કરાવવાની ડેડલાઈન લંબાવાશે તેના જવાબમાં નાણામંત્રાલયની સ્પષ્ટતા નવી દિલ્હીભારતીય રિઝર્વ બેન્કે 2000 રૂપિયાની નોટને જમા કરાવવા માટે 30 સપ્ટેમ્બર 2023ની ડેડલાઈન નક્કી કરી છે. જો તમારી પાસે હજુ પણ 2000 રૂપિયાની નોટ હોય તો આને ડેડલાઈન પહેલા બેન્કોમાં જમા કરાવી દેજો. કેમ કે 2000…

રેલ ટિકિટ બુકિંગના પૈસા કપાવા છતાં ટિકિટ બુક ન થઈ હોવાની ફરિયાદો

ઘણા લોકોની ટ્વિટથી રેલવે પાસે આ સમસ્યાના સમાધાનની માંગ, આઈઆરસીટીસી દ્વારા આ અંગે લોકોને જવાબ પણ આપવામાં આવી રહ્યો છે નવી દિલ્હીદેશમાં રેલવે ટ્રાન્સપોર્ટને સૌથી સુરક્ષિત અને સુવિધાજનક માનવામાં આવે છે. મોટા ભાગના લોકો પરિવહન માટે રેલવેનો ઉપયોગ કરે છે. જેમાં આજે કરોડો લોકોને મુશ્કેલી વેઠવી પડી કારણ કે આજે સવારથી જ આઈઆરસીટીસી સાઇટ અથવા…

ઈન્ડિયા નામ તો ઈન્ડિયન મુજાહિદ્દીન જેવા આતંકી સંગઠનોમાં પણ આવે છેઃમોદી

ઈસ્ટ ઈન્ડિયા કંપની અને પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયામાં પણ ઈન્ડિયાનો ઉલ્લેખ છેઃ વડાપ્રધાન નવી દિલ્હીભાજપની સંસદીય દળની બેઠકમાં પીએમ નરેન્દ્ર મોદીએ આજે વિપક્ષ પર ભારે પ્રહારો કર્યા હતા. છેલ્લા 4 દિવસથી ગૃહમાં સતત હોબાળા અંગે પીએમ મોદીએ કહ્યું કે, મેં આજ સુધી આવો દિશાવિહીન વિપક્ષ જોયો નથી. વિપક્ષ વિખેરાયેલો અને હતાશ લાગી રહ્યો છે.આટલું જ…

ઈન્ડિયા હેઠળના વિપક્ષોની સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવની યોજના

ઈન્ડિયા નામ તો ઈન્ડિયન મુજાહિદ્દીન જેવા આતંકી સંગઠનોના નામમાં પણ આવે છેઃ નરેન્દ્ર મોદી નવી દિલ્હીસંસદના બંને ગૃહોમાં આજે પણ હોબાળો યથાવત જોવા મળ્યો હતો. જેના કારણે લોકસભાને 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવ્યું છે. આ દરમિયાન એક મોટા સમાચાર મળી રહ્યા છે. સુત્રોના જણાવ્યા અનુસાર, વિપક્ષ મણિપુર મુદ્દે સરકારને ઘેરવાની તૈયારી કરી રહ્યું છે….

ઝારખંડમાં પ્રેમીને મળવા ગયેલી યુવતી 8-10 લોકોનો ગંગરેપ

પીડિતાની ફરિયાદ બાદ પોલીસે આ મામલે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી ઝારખંડભારતમાં રેપ, હત્યા સહિતના ગુનામાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે. યુવતીઓ, મહિલાઓ સાથે રેપ કે ગેંગરેપ થવાના કિસ્સાઓ પણ વધ્યા છે. ત્યારે આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. એક આદિવાસી યુવતી તેના પ્રેમીને મળવા માટે પહોંચી હતી. એ સમયે તેની…

નવ વર્ષમાં મની લોન્ડરિંગ કેસમાં 93 ટકાથી વધુ દોષિત

13 જુલાઈ સુધીમાં ફેડરલ એજન્સીમાં 25 ટકાથી વધુ જગ્યાઓ ખાલી હોવાનો ખુલાસો નવી દિલ્હીભારત સરકારે ગઈકાલે સંસદમાં જણાવ્યું હતું કે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ છેલ્લા નવ વર્ષમાં મની લોન્ડરિંગના કેસમાં 93 ટકાથી વધુને દોષિત ઠેરવ્યા છે. નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ લોકસભામાં એક લેખિત જવાબમાં જણાવ્યું હતું કે, 13 જુલાઈ સુધીમાં ફેડરલ એજન્સીમાં 25 ટકાથી વધુ જગ્યાઓ…

મિશન દોસ્તી હેઠળ ભાજપ મોટાપાયે વિપક્ષોને પક્ષમાં જોડશે

મુખ્ય વિપક્ષી પાર્ટીઓના નેતાઓને પોતાની ટીમમાં સામેલ કરવા મહાઅભિયાન શરૂ કરવાની તૈયારી નવી દિલ્હીછેલ્લા ઘણા દિવસથી ઉત્તર પ્રદેશને લઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા મોટી રણનીતિ બનાવાઈ રહી છે. આ રણનીતિ હેઠળ સૌથી મોટો મુદ્દો વિપક્ષી નેતાઓને પોતાની ટીમમાં સામેલ કરવાનો પણ છે. આ અભિયાનને સફળ બનાવવા કેન્દ્રથી લઈને ભાજપના દિગ્ગજ નેતાઓએ કામ પણ શરૂ કરી…

સેન્સેક્સમાં 29 અને નિફ્ટીમાં 8 પોઈન્ટનો સાધારણ ઘટાડો

આજે રોકાણકારોની સંપત્તિ 302.68 લાખ કરોડ થઈ છે, જે સોમવારના કારોબારી દિવસના અંતે રૂ. 301.93 લાખ કરોડ હતી મુંબઈસપ્તાહનો બીજો કારોબારી દિવસ ભારતીય શેરબજાર માટે સામાન્ય રહ્યો. આજે બજારમાં ઘટાડો અટક્યો અને સપાટ સ્તરે બંધ થયું. અગાઉના બે કારોબારી દિવસમાં શેરબજારમાં આશરે 1200 પોઈન્ટનો કડાકો બોલ્યો હતો. આજે રોકાણકારોની સંપત્તિ 302.68 લાખ કરોડ થઈ છે,…

અમે ઈન્ડિયન છીએ, મણિપુરને ઊભું કરવા કામ કરીશુઃ રાહુલ ગાંધી

મણિપુરને ઉભું કરવા અને ત્યાંની મહિલાઓ અને બાળકોના આંસુ લુછવા અમે કામ કરીશું, મણિપુરમાં ફરી ઇન્ડિયાની વિચાર ધારાને જીવંત કરાશેઃ કોંગ્રેસના નેતા નવી દિલ્હીકોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલા પ્રહારોનો જવાબ આપતા ટ્વીટ કર્યું છે. આજે પીએમ મોદીએ વિપક્ષના ગઠબંધન ઈન્ડિયાની તુલના ઈસ્ટ ઈન્ડિયા કંપની સાથે કરી કરી હતી જેના…

સાઉદી અરેબિયાના ક્લબ અલ હિલાલેએ એમ્બાપ્પેને 2725 કરોડ રૂપિયાની ઓફર આપી

પેટાઃ આ ડીલ થશે તો તે દુનિયામાં અત્યાર સુધીનું સૌથી મોટી ટ્રાન્સફર બની જશે પેરિસફ્રેન્ચ સ્ટાર ફૂટબોલર કિલિયન એમ્બાપ્પેનો તેની સ્થાનિક ક્લબ પેરિસ સેન્ટ જર્મન સાથેનો કરાર વર્ષ 2024માં સમાપ્ત થવાનો છે અને હવે આ યુવા સ્ટ્રાઈકર નવી ક્લબની શોધમાં છે. પીએસજીએ તેને નવી ટીમ શોધવાનો આદેશ પણ આપ્યો છે. એમ્બાપ્પેની જાપાન પ્રવાસ માટે પણ…

ભારતીય સેનામાં અગ્નિવીર યોજના હેઠળ નેપાળીઓની ભરતી નહીં કરાય

નેપાળ દ્વારા સંખ્યાબંધ વખત ભારતનો વિરોધ કરવાના કારણે તેમજ ચીન સાથે તેની વધી રહેલી નિકટતાના કારણે ભારતે આ નિર્ણય લીધો કાઠમંડુભારતે છેલ્લા કેટલાક વર્ષોથી નેપાળ સાથે ના સબંધોમાં આવેલા ઉતાર ચઢાવ વચ્ચે એક મોટો નિર્ણય લીધો છે.જે પ્રમાણે હવે નેપાળીઓની ભારતીય સેનામાં ભરતી કરવામાં નહીં આવે.નેપાળના ગુરખા સૈનિકો દાયકાઓથી ભારતીય સેનામાં ફરજ બજાવતા રહ્યા છે…

ચીનમાં જિમ્નેશિયમ સ્કૂલની છત ધરાશાયી થતાં 11નાં મોત

છત તુટી પડી ત્યારે તેમાં બાળકો સહિત 19 લોકો હતા, જેમાંથી આઠ લોકોના જીવ બચી ગયા હતા અને બીજા કેટલાકને ઈજા પણ થઈ બિજિંગચીનના ઉત્તર પૂર્વી વિસ્તારમાં આવેલા એક પ્રાંતમાં જિમ્નેશિયમ સ્કૂલની છત ધરાશાઈ થઈ જતા બાળકો સહિત 11 લોકોના મોત થયા છે. મરનારામાં બાળકોની મોટી સંખ્યા છે. જેઓ સ્કૂલની વોલીબોલ ટીમનો હિસ્સો હતા.સત્તાવાર રીતે…

તિસ્તા, શ્રીકુમાર બાદ સંજીવ ભટ્ટે પણ ડિસ્ચાર્જ આરજી ફાઈલ કરી

સેશન્સ કોર્ટ અગાઉ તિસ્તા સેતલવાડ અને આર.બી. શ્રીકુમારની પણ ડિસ્ચાર્જ અરજી ફગાવી ચૂકી છે અમદાવાદગુજરાતમાં 2002ના રમખાણો બાદ તત્કાલીન સીએમ મોદી અને રાજ્યને બદનામ કરવાના કેસમાં તિસ્તા સેતલવાડ,પૂર્વ ડીજીપી આર.બી. શ્રીકુમાર અને પૂર્વ આપીએસ ઓફિસર સંજીવ ભટ્ટ સામે સિટની તપાસ ચાલી રહી છે.ત્યારે પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટે ડિસ્ચાર્જ અરજી ફાઈલ કરી છે. સેશન્સ કોર્ટ અગાઉ…

અમેરિકામાં રેકોર્ડ બ્રેક ગરમી, હોસ્પિટલમાં બેડ ફૂલ, 18થી વધુ દર્દીનાં મોત

ગરમીમાં અત્યાર સુધી નવા દર્દીઓનો દર 2022થી વધુ થઈ ગયો છે, સૌથી વધુ વૃદ્ધો અને બાળકો આ ગરમીને લીધે તકલીફમાં છે જેમાંથી અનેક લોકો અસંતુલિત થઈને ઢળી પડ્યા હતા વોશિંગ્ટનઅમેરિકામાં લાંબા સમયથી ચાલી રહેલી ગરમીના દોરને કારણે ગંભીર રીતે દાઝી ગયેલા દર્દીઓની સંખ્યા દિવસે ને દિવસે વધતી જઈ રહી છે. આ લોકો ગરમ સપાટી કે…

અલ્હાબાદ હાઈકોર્ટે જ્ઞાવાપીના સર્વે સામેની મુસ્લિમ પક્ષની અરજી સ્વિકારી

હાઈકોર્ટ આ મામલે બુધવારે સુનાવણી કરશે જેમાં હિન્દુ અને મુસ્લિમ બંને પક્ષો હાજર રહેશે, હાઈકોર્ટ બુધવારે જ પોતાનો ચુકાદો આપશે અલ્હાબાદઅલ્હાબાદ હાઈકોર્ટે વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિરની બાજુમાં આવેલી જ્ઞાનવાપી મસ્જિદના એએસઆઈ સર્વે અંગે મુસ્લિમ પક્ષની અરજી સ્વીકારી લીધી છે. હવે બુધવારે એટલે કે આવતી કાલે હાઈકોર્ટ આ મામલે સુનાવણી કરશે. આ દરમિયાન હિન્દુ અને મુસ્લિમ…

ભારતની FIFA એસ્પોર્ટ્સ સંવેદનાઓનું અનાવરણ: એશિયન ગેમ્સ 2022 માં પીચથી પોડિયમ પર સંક્રમણ કરવાનું લક્ષ્ય

ફૂટબોલ પ્રત્યેના અમર્યાદ જુસ્સા સાથે મોટી વસ્તીનું ઘર હોવાને કારણે, ભારત આખા દેશમાં ફેલાયેલી રમતના વર્ચ્યુઅલ ગેમિંગ ટાઇટલ માટે સમાન વિશાળ ખેલાડીઓનો આધાર ધરાવે છે. આ ઊર્જાસભર સમુદાયના સમર્થનથી ઉત્તેજિત, રાષ્ટ્ર વર્ચ્યુઅલ પિચથી પોડિયમ પર સંક્રમણ કરવાનું લક્ષ્ય રાખશે કારણ કે તેના કુશળ એથ્લેટ્સ ચરણજોત સિંહ અને કરમન ટિક્કા 19મી એશિયન ગેમ્સમાં એસ્પોર્ટ્સની સત્તાવાર મેડલ…

રિયલ બેટિસ એકેડમીના આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટ્સ એક વર્ષમાં 140% વધે છે: “તે નવા બજારોમાં પ્રવેશવા માટેનું મુખ્ય સાધન છે”

આ પ્રોજેક્ટ એ બિંદુ સુધી વિકસ્યો છે જ્યાં હવે 3,000 ખેલાડીઓ અને 100 થી વધુ કોચ સમગ્ર વિશ્વમાં ફેલાયેલા છે. આંતરરાષ્ટ્રીય વિસ્તરણ ક્લબ માટે ખૂબ નફાકારક સાબિત થઈ રહ્યું છે અને વ્યૂહાત્મક બજારોમાં પ્રવેશવાનો એક માર્ગ બની ગયો છે. દરેક પસાર થતા વર્ષ સાથે, વિશ્વભરમાં છોકરાઓ અને છોકરીઓની વધતી જતી સંખ્યા Real Betis ના લીલા…

આરઆઇએલની ભારતના ડેટા સેન્ટર બિઝનેસ માટે બ્રૂકફિલ્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ડિજિટલ રિયલ્ટી સાથે ભાગીદારી

ડિજિટલ રિયલ્ટી વૈશ્વિક સ્તરે ક્લાઉડ એન્ડ કેરિયર-ન્યુટ્રલ ડેટા સેન્ટર, કોલોકેશન અને ઇન્ટરકનેક્શન સોલ્યુશન્સ પૂરા પાડનારી સૌથી મોટી કંપની છે બ્રુકફિલ્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વૈશ્વિક સ્તરે સૌથી મોટા ઈન્ફ્રાસ્ટ્રક્ચર રોકાણકારોમાં સ્થાન ધરાવે છે આ સંયુક્ત સાહસ ભારતમાં વિવિધ સ્થળોએ વિશ્વ કક્ષાના ડેટા સેન્ટરો વિકસાવી રહ્યું છે મુંબઈ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (“આરઆઇએલ”)એ આજે​​ભારતમાં ડેટા સેન્ટરો વિકસાવવા માટે સ્થાપવામાં આવેલા ભારતીય…

ગુજરાતમાં છેલ્લાં ત્રણ વર્ષમાં PMAY(U) અંતર્ગત 4,93,36 પાકા ઘર બાંધવામાં આવ્યા

આવાસ અને શહેરી કાર્ય રાજ્યમંત્રીનો રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીને પ્રત્યુત્તર પ્રધાનમંત્રી આવાસ યોજના – શહેરી (PMAYU) ‘હાઉસિંગ ફોર ઓલ મિશન’ અંતર્ગત ગુજરાતમાં છેલ્લાં ત્રણ વર્ષમાં કુલ 4,93,136 પાકા ઘરો બાંધવામાં આવ્યા છે. આવાસ અને શહેરી કાર્ય મંત્રાલય દ્વારા આ યોજના હેઠળ યોગ્યતા ધરાવતા લાભાર્થીઓને પાકા ઘરો પૂરા પાડવા માટે આ યોજના જૂન 25, 2015થી અમલમાં આવી ત્યારથી આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે. ગુજરાતમાં છેલ્લાં ત્રણ વર્ષમાં પાકા ઘરો બાંધવા માટે રૂ. 2398.44 કરોડની કેન્દ્રિય સહાયનો ઉપયોગ કરવામાં આવ્યો છે. રાષ્ટ્રીય સ્તરે, દેશના 28 રાજ્યો અને 08 કેન્દ્રશાસિત પ્રદેશોમાં કુલ રૂ. 47,332 ની કેન્દ્રિય સહાયના ઉપયોગ સાથે ના.વ.2020-21થી કુલ 39,63,232 પાકા ઘરો બાંધવામાં આવ્યા છે. કેન્દ્રિય આવાસ અને શહેરી કાર્ય રાજ્યમંત્રી કૌશલ કિશોરે આ  માહિતી જુલાઈ 24, 2023ના રોજ રાજ્યસભામાં સાંસદ પરિમલ નથવાણીએ પૂછેલા પ્રશ્નના ઉત્તરમાં રજૂ કરી હતી. મંત્રીના નિવેદન અનુસાર, આ યોજનામાં ત્રણ કેન્દ્ર પ્રાયોજિત ઘટક (CSS) રહેલા છે જેમકે, લાભાર્થી આધારિત વ્યક્તિગત ઘર નિર્માણ અથવા વધારો (BLC), ભાગીદારીમાં કિફાયતી આવાસ (AHP) અને સ્વ-સ્થળ ઝૂંપડપટ્ટી પુનર્વિકાસ યોજના (ISSR), અને એક કેન્દ્ર ક્ષેત્ર ઘટક (CS) ક્રેડિટ લિંક્ડ સબસિડી યોજના. આ યોજનાના કેન્દ્ર પ્રાયોજિત ઘટક (CSS)માં વાર્ષિક રૂ.3 લાખ સુધીની આવકમર્યાદા ધરાવતા આર્થિક રીતે પછાત (EWS)ના લાભાર્થીઓ, જ્યારે કેન્દ્ર ક્ષેત્ર ઘટક (CS)માં વાર્ષિક રૂ. 18 લાખની આવક ધરાવતા લાભાર્થીઓને આવરી લેવામાં આવ્યા છે, નિવેદન અનુસાર. નથવાણી પ્રધાનમંત્રી આવાસ યોજના – શહેરી (PMAYU) યોજના હેઠળ છેલ્લાં ત્રણ વર્ષમાં બાંધવામાં આવેલા પાકા ઘરોની સંખ્યા તથા રાજ્ય સરકારોએ આ યોજના હેઠળ આપવામાં આવેલી કેટલી કેન્દ્રિય સહાયનો ઉપયોગ કર્યો છે તે અંગે જાણવા માંગતા હતા. નિવેદન અનુસાર, PMAY-U હેઠળ, આશરે રૂ.2 લાખ કરોડની કેન્દ્રિય સહાસ સાથે 118.90 લાખ ઘરોને મંજૂરી આપવામાં આવી છે. જેમાંથી 112.22 લાખ ઘરોનું નિર્માણ કાર્ય શરૂ થઈ ચૂક્યું છે, જેમાંથી 10.07.2023ની સ્થિતિએ 75.31 લાખ ઘરોનું નિર્માણ કાર્ય પૂરુ થઈ ગયું છે અથવા તો સોંપી દેવામાં આવ્યા છે. આ યોજના અંતર્ગત આજની તારીખ સુધીમાં કુલ રૂ. 1.47 લાખ કરોડની કેન્દ્રિય સહાયની ચૂકવણી કરી દેવામાં આવી છે, નિવેદન અનુસાર. મંત્રીના નિવેદન અનુસાર, CLSSને બાદ કરતાં, PMAYUનો અમલીકરણ ગાળો અગાઉ 31.03.2022 સુધી નિર્ધારીત કરવામાં આવ્યો હતો, જે હવે ફંડિંગની પેટર્ન કે અમલીકરણની પદ્ધતિમાં બદલાવ વગર 31.12.2024 સુધી લંબાવવામાં આવ્યો છે, જેમાં આ યોજનાના સમયગાળા અર્થાત્ 31.03.2022 સુધીમાં મંજૂરી પામેલા તમામ ઘરોનું નિર્માણ પૂર્ણ કરવામાં આવશે.