Admin

ઈન્ડિયનઓઈલે 35મા વર્લ્ડ એલપીજી એસોસિયેશન ફોરમ ખાતે વૈશ્વિક નેતૃત્વ દાખવ્યું

એલપીજીને સાતત્યપૂર્ણ ભાવિના ઈંધણ તરીકે પ્રમોટ કર્યું ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનના માર્કેટિંગ વિભાગના ડિરેક્ટર શ્રી. વી. સતિષ કુમારે રોમમાં એલપીજી સપ્તાહ દરમિયાન તાજેતરમાં સંપન્ન થયેલી 35મી વર્લ્ડ એલપીજી એસોસિયેશન (WLPGA) ફોરમમાં એલપીજી ક્ષેત્રમાં વૈશ્વિક નેતૃત્વ પ્રત્યે કોર્પોરેશનની અતૂટ પ્રતિબદ્ધતા દર્શાવી હતી.આ કાર્યક્રમે જોડાણ, જ્ઞાનનાં આદાન-પ્રદાન અને એલપીજી ક્ષેત્રમાં નવીનત્તમ પ્રવાહો અને પડકારોની શોધ માટે મહત્ત્વપૂર્ણ મંચ તરીકે કામ કર્યું હતું. ‘જસ્ટ એનર્જી’ થીમ…

2030 સુધીમાં ભારતમાં ક્લાઇમેટ ચેન્જનો સામનો કરવા માટે 543 બિલિયન ડોલર રિટેલ ઇન્વેસ્ટર્સની મૂડી એકત્ર કરી શકાશે

• ઊર્જા કાર્યક્ષમતા, સ્થિતિસ્થાપક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને રિન્યુએબલ ક્ષેત્રો સૌથી વધુ રોકાણ આકર્ષવા માટે તૈયાર • ભારતમાં 96% રોકાણકારો ક્લાઇમેટ ઇન્વેસ્ટિંગમાં રસ ધરાવે છે, જે સર્વે કરાયેલા બજારોમાં સૌથી વધુ છે • હકારાત્મક અસર અને વ્યક્તિગત મૂલ્યો એ રોકાણકારો માટે ટોચની પ્રેરણા છે સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડનો તાજેતરનો સસ્ટેનેબલ બેંકિંગ રિપોર્ટ 2023 જણાવે છે કે 2030 સુધીમાં રિટેલ રોકાણકારોની 543 અબજ યુએસ ડોલરની મૂડી ભારતમાં ક્લાઇમેટ ઇન્વેસ્ટમેન્ટ તરફ એકત્ર…

ડિએગો ગોડિન 2014 માં બાર્સા સામેના તેના લાલીગા-વિજેતા ગોલ પર પાછા ફર્યા

“જ્યારે તમારા શરીરને આવી ભાવનાઓ દ્વારા કબજે કરવામાં આવે ત્યારે તે કેવું લાગે છે તે શબ્દોમાં મૂકવું મુશ્કેલ છે” જ્યારે તમે એટલાટિકો ડી મેડ્રિડ ખાતે ડિએગો સિમોનના ઐતિહાસિક સમયના પ્રભારી વિશે વિચારો છો, ત્યારે સૌથી પહેલા મનમાં આવતી એક બાબત એ છે કે 2013-14 સીઝનના અંતિમ દિવસે સ્પોટાઇફ કેમ્પ નાઉ ખાતે એફસી બાર્સેલોના સામે તેની…

અદાણી અમદાવાદ મેરેથોનનું લેન્ડમાર્ક એડિશન શહેરની મેગા ઈવેન્ટ બની

20000થી વધુ લોકો રમણીય રિવરફ્રન્ટ સ્પોર્ટ્સ પાર્ક ખાતે દોડવા માટે ભાગ લીધો અમદાવાદ  અદાણી અમદાવાદ મેરેથોન 2023 શહેરમાં 26 નવેમ્બર,2023 (રવિવાર)ના રોજ યોજાનારી મેગા ઈવેન્ટ માટે તમામ સુવિધાઓ સાથે સજ્જ છે. અદાણી સ્પોર્ટ્સલાઇન અને તેના સ્ટેકહોલ્ડર્સ દ્વારા દરવર્ષે યોજાતી દોડ અદાણી અમદાવાદ મેરેથોને શુક્રવારે એક મીડિયા કોન્ફરન્સમાં તબીબી સુવિધાઓ અને રૂટ સહિતની તમામ વ્યવસ્થાઓ અંગે અમદાવાદ…

ટાઈકોન ગોલ્ફ ચેમ્પિયનશિપમાં મોનેશ મશરૂવાલા અને કૃષ્ણ બજાજનો વિજય માટે સંઘર્ષ

અમદાવાદ :  જેની ખૂબ આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી તે ટાઈકોન ગોલ્ફ ચેમ્પિયનશિપ અમદાવાદ 2023નો ગુરૂવારે ગ્લેડ વન,સાણંદ ખાતે  રોમાંચક પ્રારંભ થયો છે. TiE, અમદાવાદના ઉત્સાહી ખેલાડીઓ તેમાં સામેલ થયા છે. જુસ્સાભર્યા અને સ્પર્ધાત્મક વાતાવરણમાં કેલાડીઓએ પોતાનુ કૌશલ્ય પ્રદર્શિત કર્યુ હતું. ગોલ્ફર્સને બે કેટેગરીમાં વહેંચી દેવામાં આવ્યા હતા.0 થી 17 હેન્ડીકેપ કેટેગરીમાં મોનેશ મશરૂવાલા વિજેતા બન્યા હતા. પારસ…

સેન્સેક્સમાં 728 અને નિફ્ટીમાં 207 પોઈન્ટનો ઊછાળો આવ્યો

દિવસના ટ્રેડિંગ દરમિયાન ખરીદારોએ બજાર પર પ્રભુત્વ જાળવી રાખ્યું મુંબઈ બેન્કિંગ, આઈટી અને ઓટોમાં દોઢ ટકાનો વધારો જોવા મળ્યો હતો જ્યારે એફએમસીજી સેક્ટરમાં પણ 0.45 ટકાનો વધારો જોવા મળ્યો હતો. મેટલ સેક્ટર ફ્લેટ રહ્યું હતું. ઓઈલ અને ગેસ સેક્ટરમાં પણ એક ટકાની વૃદ્ધિ જોવા મળી હતી. મહત્વની વાત એ હતી કે ડે ટ્રેડિંગ દરમિયાન પણ…

PMGKAY યોજના હેઠળ વધુ 5 વર્ષ સુધી મફત રાશન મળશે

આગામી પાંચ વર્ષમાં આ યોજના પર આશરે રૂ. 11.8 લાખ કરોડનો ખર્ચ કરાશે, ખેતી માટે 2023 થી 2026માં 15000 મહિલાને ડ્રોન આપવા કેબિનેટનો નિર્ણય નવી દિલ્હી  કેન્દ્ર સરકાર દ્વારા ગરીબોને મફત અનાજના વિતરણ માટે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના ચલાવવામાં આવી રહી છે. આ યોજના ગરીબોની મદદ માટે કોરોના મહામારીના સમયે શરૂ કરવામાં આવી હતી….

રાહુલ દ્રવિડને ટીમ ઈન્ડિયાના હેડ કોચ તરીકે રિટેન કરાયા

હેડ કોચ અને સપોર્ટ સ્ટાફનો કાર્યકાળ કેટલા દિવસ માટે આગળ વધારવામાં આવ્યો છે તેના વિશે બીસીસીઆઈએ કોઈ માહિતી આપી નથી નવી દિલ્હી ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈ) દ્વારા રાહુલ દ્રવિડને ફરી એકવાર ભારતીય ટીમનો હેડ કોચ બનાવવામાં આવ્યો છે. વન-ડે વર્લ્ડકપ 2023ના સમાપન સાથે જ તેનું કાર્યકાળ પણ સમાપ્ત થઇ ગયું હતું. પરંતુ હવે બીસીસીઆઈએ રાહુલ…

યુદ્ધ નહીં શાંતિ જોઈએ, અમારા સંતાનોને યુક્રેનથી પરત બોલાવો

વિરોધ પ્રદર્શનના તમામ વીડિયો સામે આવ્યા, સૈનિકોની માતાઓ, બહેનો, પુત્રીઓ અને પત્નીઓએ ભાગ લઈને સૂત્રોચ્ચાર કર્યા મોસ્કો યુક્રેન પર રશિયાના હુમલાના એક વર્ષ અને નવ મહિના પસાર થઈ ચૂક્યા છે પરંતુ યુદ્ધનો હજુ સુધી કોઈ સમાધાન થયું. હજારો રશિયન સૈનિકો હજુ પણ યુક્રેનમાં યુદ્ધ લડી રહ્યા છે. બીજી તરફ તેમના પરિવારજનોનો ગુસ્સો રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર…

ભારત મિડલ ઈસ્ટમાં શાંતિદૂતની ભૂમિકા ભજવી શકે છેઃ સાઉદી અરબ

નવી દિલ્હીની પેલેસ્ટાઈન એમ્બેસીમાં પેલેસ્ટાઈનના સમર્થન માટે યોજાયેલા એક કાર્યક્રમમાં સંખ્યાબંધ મુસ્લિમ દેશોના રાજદૂતોએ ભાગ લીધો નવી દિલ્હી ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના જંગથી સમગ્ર મિડલ ઈસ્ટ પર તણાવના વાદળો ઘેરાયેલા છે. આ પ્રકારની સ્થિતિમાં નવી દિલ્હીની પેલેસ્ટાઈન એમ્બેસીમાં પેલેસ્ટાઈનના સમર્થન માટે યોજાયેલા એક કાર્યક્રમમાં સંખ્યાબંધ મુસ્લિમ દેશોના રાજદૂતોએ ભાગ લીધો હતો. જેમાં પેલેસ્ટાઈનના રાજદૂત અદનાન…

ટીમ ઈન્ડિયાનો પેસ બોલર મુકેશ કુમાર લગ્ન બંધનમાં બંધાયો

મુકેશે ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી ટી20આઈ મેચથી લગ્ન માટે રજા લીધી હતી નવી દિલ્હી ભારતીય ટીમના ફાસ્ટ બોલર મુકેશ કુમાર લગ્નના બંધનમાં બંધાઈ ગયો છે. મુકેશે ગઈકાલે ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી ટી20આઈ મેચથી લગ્ન માટે રજા લીધી હતી. મુકેશ કુમારના લગ્નની તસવીરો પણ સોશ્યલ મીડિયા પર આવી ચુકી છે. આઈપીએલ ફ્રેન્ચાઈઝી દિલ્હી કેપિટલ્સે મુકેશ કુમારને અભિનંદન આપતા…

ભારત ગૌરવ ટ્રેનમાં 80થી વધુ લોકો ફૂડપોઈઝનિંગનો શિકાર બન્યા

આ ટ્રેન એક ખાનગી પ્રસંગ માટે બુક કરવામાં આવી હતી, જે કાર્યક્રમ ગુજરાતના પાલિતાણા યાત્રાધામ સંબંધિતનો પ્રવાસ હતો પૂણે ભારત ગૌરવ સ્પેશીયલ ટ્રેનમાં લગભગ 80થી વધુ લોકો  ફૂડ પોઈઝનિંગનો શિકાર બન્યા છે. આ અંગે પુણે સ્ટેશન પર રેલવે અધિકારીઓને ઘટનાની જાણકારી મળી હતી. આ ટ્રેન એક ખાનગી પ્રસંગ માટે બુક કરવામાં આવી હતી. જે કાર્યક્રમ…

ભારત સીરિયન વિસ્તાર ગોલન પર ઈઝરાયલના કબજાના વિરોધમાં

પ્રસ્તાવની તરફેણમાં ભારત સહિત 91 દેશોએ મતદાન કર્યું વોશિંગ્ટન ઈઝરાયલ અને હમાસ વચ્ચે છેલ્લા એક મહિના કરતાં પણ વધુ સમયથી યુદ્ધની સ્થિતિ જોવા મળી રહી છે. આ દરમિયાન જ સંયુક્ત રાષ્ટ્ર સંઘ (યુએનજીએ)માં સીરિયાઈ ગોલન પરથી ઈઝરાયલ દ્વારા કબજો ન હટાવવા સામે ગાઢ ચિંતા વ્યક્ત કરતો મહત્ત્વપૂર્ણ પ્રસ્તાવ રજૂ કરાયો હતો. આ પ્રસ્તાવ અંગે ભારતનું…

દેશમાં જ લગ્નો યોજવા વડાપ્રધાનની લોકોને અપીલ

અલગ અલગ શહેરોમાં લગ્નના આંકડાઓ મુજબ થોડા જ દિવસોમાં 38 લાખ લગ્ન થશે, જેમાં ઓછામાં ઓછો 4.74 લાખ કરોડ રૂપિયાની ખર્ચ થશે નવી દિલ્હી પીએમ મોદીએ રવિવારે મન કી બાત કાર્યક્રમમાં ફરી એક વાર લોકલ પ્રોડ્કટસના વપરાશની વાત કરી છે. તેમને 107માં એપિસોડમાં ફરી એકવાર ‘વોકલ ફોર લોકલ’ની વાત કરતા કહ્યું હતું કે, આ સમય…

41 મજૂરોને બચાવવા સુરેન્દ્ર રાજપૂતે પુલી ટ્રોલી તૈયારી કરી

આ એજ વ્યક્તિ છે જેણે 2006 માં હરિયાણામાં બોરવેલમાં પડી ગયેલા બાળક પ્રિન્સનો જીવ બચાવ્યો હતો સિલ્કયારા ઉત્તરાખંડમાં ચારધામ યાત્રાના પ્રોજેક્ટના ભાગરૂપે બાંધકામ હેઠળની સિલ્ક્યારા-દાંડલગાંવ ટનલ 12 નવેમ્બરે વહેલી સવારે તૂટી પડતાં ફસાયેલા 41 મજૂરોને અંતે એનડીઆરએફ, એસડીઆરએફ, ભારતીય સૈન્ય, વિદેશી ટનલ નિષ્ણાતો સહિત અનેક એજન્સીઓની મદદથી 17 દિવસના અંતે બચાવી લેવાયા છે. આ જ…

તરનજિત સાથે ગેરવર્તણૂક કરનારા સામે પગલાંની માગ

તોફાનીઓ સામે કઠોર પગલાં લેવા માટે ઉક્ત ગુરુદ્વારાના વહીવટકારોને અમેરિકા સ્થિત શિખ સંસ્થાએ અનુરોધ કર્યો વોશિંગ્ટન   અમેરિકા સ્થિત શિખ સંસ્થાએ ગયા વીક એન્ડમાં ન્યૂયોર્કના ગુરુદ્વારામાં ભારતના રાજદૂત તરનજિત સિંઘ સંધુ સાથે કેટલાક શિખોએ કરેલી ગેરવર્તણુંકની ઉગ્ર ટીકા કરી હતી. સાથે તે તોફાનીઓ સામે કઠોર પગલાં લેવા માટે ઉક્ત ગુરુદ્વારાના વહીવટકારોને અનુરોધ કર્યો હતો. સોમવારે…

સાત વર્ષની પુત્રી પર દુષ્કર્મમાં મદદ કરનારી મહિલાના 40 વર્ષની કેદ

પોક્સો કાયદા હેઠળ મહિલાને આ સજા કરવામાં આવી,બળાત્કારી પુરુષે અગાઉ જ આત્મહત્યા કરી લીધી તિરુવનંતપુરમ   કેરળમાં એક માતાને પોતાની જ પુત્રીના બળાત્કારના કેસમાં ૪૦ વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે. મહિલાએ પોતાના પ્રેમીને પોતાની જ પુત્રી પર બળાત્કાર કરવાની છૂટ આપી હતી. જેથી બળાત્કારમાં મદદ કરવા બદલ પોક્સો કાયદા હેઠળ મહિલાને આ સજા કરવામાં…

રેલવે નિવૃત્તીના 3 દિવસ પહેલાં કર્મીની બદલી કરી

રેલવેના એક એન્જિનિયરની છત્તીસગઢનાં બિલાસપુરથી સીધી દિલ્હીમાં બદલી કરવાનો હુકમ જારી કરાયો નવી દિલ્હી   રેલવે મેનેજમેન્ટનો એક અજીબો ગરીબ હુકમ જાણવા મળ્યો છે. જેમાં દક્ષિણ પૂર્વ મધ્ય રેલવેના એક એન્જિનિયરની નિવૃત્તિના ૩ દિવસ પૂર્વે છત્તીસગઢનાં બિલાસપુરથી સીધી દિલ્હીમાં બદલી કરવાનો હુકમ જારી કરાયો હોવાનું જાણવા મળ્યું છે. વાસ્તવમાં તે એન્જિનિયર નિવૃત્ત થવાના છે, તે…

ઈઝરાયેલ-હમાસ યુધ્ધ વિરામ લંબાવવામાં આવ્યું

યુદ્ધવિરામના પાંચમા દિવસે ઈઝરાયેલે 30 પેલેસ્ટિનીઓને મુક્ત કર્યા, જેના બદલામાં હમાસે 12 બંધકોને મુક્ત કર્યા જેરૂસલેમ ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામના પાંચમા દિવસે હમાસ દ્વારા 12 બંધકોને મુક્ત કરવામાં આવ્યા હતા. ઇઝરાયેલના સંરક્ષણ દળોએ રેડ ક્રોસ સમક્ષ બંધકોને મુક્ત કરવાની પુષ્ટિ કરી હતી. બંધકોની મુક્તિ માટે ઈઝરાયેલ અને હમાસ વચ્ચે સમજૂતી થઈ છે. કરાર હેઠળ…

સાઉદીમાં 24 વર્ષથી ઓછી વયના વિદેશીને ઘરકામ માટે નહીં રાખી શકાય

આ નિયમો સ્થાનિક શ્રમ બજારને નિયંત્રિત કરવા માટે લાગુ કરવામાં આવ્યા સાઉદી સાઉદી અરબે વર્કિંગ વિઝાને લઈને મોટો ફેરફાર કર્યો છે. આગામી વર્ષ 2024થી અહીં કામ કરતા વિદેશી નાગરિકો માટે નવો નિયમ તૈયાર કરાયો છે. સાઉદી સરકારના માનવ સંસાધન અને સામાજિક વિકાસ મંત્રાલયે માહિતી આપી છે કે 2024 થી 24 વર્ષથી ઓછી ઉંમરનો નાગરિક કોઈપણ…