અમદાવાદના નારોલ-ઈસનપુર રોડ પર કેમિકલ ગોડાઉનમાં ભીષણ આગ

બાલાજી સ્ટેટના ગોડાઉનમાં આગ લાગતા કાળા ધુમાડાના ગોટેગોટા, ફાયર વિભાગનું કૂલિંગ ઓપરેશન અમદાવાદ અમદાવાદના નારોલ-ઈસનપુર રોડ પર આવેલા બાલાજી સ્ટેટમાં શનિવારે બપોરે એક કેમિકલ ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળતાં વિસ્તારમાં ભારે દોડધામ મચી ગઈ હતી. ગોડાઉનમાંથી ઉઠેલા કાળા ધુમાડાના ગોટેગોટા દૂર સુધી દેખાતા આસપાસના ઔદ્યોગિક એકમોમાં કામ કરતા શ્રમિકોમાં ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો….

સોમનાથ રોડ વિવાદ મામલે હાઇકોર્ટની કડક ટકોર, ‘જાહેર રસ્તો બંધ કરવાનો અધિકાર કલેક્ટરને કોણે આપ્યો?’

100 વર્ષ જૂના માર્ગને બંધ કરવાના નિર્ણય સામે સ્થાનિકોની અરજી, હાઇકોર્ટે સરકાર પાસેથી માગ્યો સ્પષ્ટ જવાબ એસવીએન,અમદાવાદ  ગીર સોમનાથ જિલ્લામાં આવેલા વિશ્વપ્રસિદ્ધ સોમનાથ મંદિરથી સાગર દર્શન સુધી જતાં વર્ષો જૂના જાહેર માર્ગને બંધ કરવાના નિર્ણયને લઈને ગુજરાત હાઇકોર્ટે કડક વલણ અપનાવ્યું છે. સ્થાનિક રહેવાસીઓ દ્વારા દાખલ કરાયેલી અરજીની સુનાવણી દરમિયાન કોર્ટે જિલ્લા તંત્ર અને સરકાર…

ગુજરાત માટે રાહતના સમાચાર: નર્મદા ડેમમાંથી મુખ્ય કેનાલમાં 15 હજાર ક્યુસેક પાણી છોડાયું

ખેડૂતોની માંગણીને પગલે સરકારે નિર્ણય લીધો , કચ્છ સુધી નર્મદાનું પાણી પહોંચ્યું એસવીએન,ગાંધીનગર  ગુજરાતની જીવાદોરી ગણાતા સરદાર સરોવર નર્મદા ડેમમાંથી રાજ્યની પીવાના પાણી અને સિંચાઈની જરૂરિયાતોને પહોંચી વળવા માટે નર્મદા મુખ્ય કેનાલમાં 15 હજાર ક્યુસેક પાણી છોડવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં ચાલી રહેલી ગરમી અને પાણીની વધતી જરૂરિયાત વચ્ચે લેવાયેલા આ નિર્ણયથી ખેડૂતો…

પ્રગતિપથ યાત્રા અંતર્ગત સરદાર સરોવર ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત

રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલ સહિત મહાનુભાવોએ વિકાસ પ્રકલ્પોનું અવલોકન કર્યું, યુવાનોને વિકસિત ભારત@2047ના નિર્માણમાં સહભાગી બનવા આહ્વાન એસવીએન, એકતા નગર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે નર્મદા જિલ્લામાં ‘પ્રગતિપથ યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું હતું. વિકાસલક્ષી કાર્યો અને લોકભાગીદારી આધારિત વિકાસ મોડેલને નજીકથી સમજવાના હેતુથી આયોજિત આ યાત્રામાં રાજ્યમંત્રી તથા નર્મદા જિલ્લાના…

‘૧૨ વર્ષ વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના’ નિમિત્તે સુરતમાં ભવ્ય મહા આરતી

આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં કિરણ ચોક સ્વામિનારાયણ મંદિરમાં યોજાયો ભક્તિમય કાર્યક્રમ એસવીએન, સુરત વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વડાપ્રધાન તરીકેના સફળ ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ‘૧૨ વર્ષ વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના’ અભિયાન અંતર્ગત સુરતના કામરેજ વિધાનસભા વિસ્તારમાં આવેલા કિરણ ચોક સ્થિત સ્વામિનારાયણ મંદિરમાં ભવ્ય મહા આરતીનું…

૧૨ વર્ષ સેવા, સુશાસન અને જનકલ્યાણના’ અભિયાન અંતર્ગત કામરેજમાં સ્વચ્છતા અભિયાન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૧૨ વર્ષના કાર્યકાળની ઉજવણી, આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં સામૂહિક શ્રમદાન એસવીએન, સુરત દેશના વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીના ૧૨ વર્ષના સફળ કાર્યકાળની ઉજવણી નિમિત્તે સમગ્ર દેશમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ‘૧૨ વર્ષ સેવા, સુશાસન અને જનકલ્યાણના’ અભિયાન અંતર્ગત સુરત જિલ્લાના કામરેજ વિધાનસભા વિસ્તારમાં વિશાળ સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ…

સંસદીય વાણિજ્ય સ્થાયી સમિતિના સભ્યોની એકતા નગરની મુલાકાત : સ્ટેચ્યુ ઓફ યુનિટી – સરદાર સરોવર ડેમનું નિરીક્ષણ

નર્મદા જિલ્લાના એકતા નગરમાં પ્રતિનિધિમંડળે સરદાર પટેલને અંજલિ આપી, વિશ્વપ્રસિદ્ધ પ્રોજેક્ટ્સની કામગીરી અને વિકાસ કાર્યોની જાણકારી મેળવી એકતાનગરગુજરાતના નર્મદા જિલ્લામાં આવેલ એકતા નગરમાં સંસદીય વાણિજ્ય સંબંધિત સ્થાયી સમિતિના સભ્યોએ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સરદાર સરોવર નર્મદા ડેમની મુલાકાત લીધી. આ મુલાકાત દરમિયાન પ્રતિનિધિમંડળે સરદાર વલ્લભભાઈ પટેલને અંજલિ અર્પી તેમજ આ વિસ્તારના…

અમદાવાદમાં આરોગ્ય વિભાગની મોટી કાર્યવાહી : શંકાસ્પદ ૪૫૨ લિટર ઘીનો જથ્થો જપ્ત, ફેક્ટરી સીલ

આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની ‘ઝીરો ટોલરન્સ’ નીતિ હેઠળ ખોરાક વિભાગની ફ્લાઈંગ સ્ક્વોડની કડક કાર્યવાહી ગાંધીનગરરાજ્યમાં ભેળસેળિયા તત્વો સામે ‘ઝીરો ટોલરન્સ’ નીતિ અંતર્ગત આરોગ્ય વિભાગે અમદાવાદમાં મોટી કાર્યવાહી હાથ ધરી છે. કઠવાડા વિસ્તારમાં ચાલતી એક ડેરી ફેક્ટરીમાંથી શંકાસ્પદ ૪૫૨ લિટર ઘીનો રૂ. ૨.૮૫ લાખનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે અને ફેક્ટરીને સીલ કરવામાં આવી છે. આરોગ્ય…

ગુજરાત સરકારે બાજરી, મકાઈ અને જુવારની ખરીદી મર્યાદા વધારી

કિસાન સંઘ સાથેની બેઠક બાદ નિર્ણય; ખેડૂતોને ટેકાના ભાવે વધુ ઉપજ વેચવાની તક મળશે એસવીએન,ગાંધીનગર ગુજરાત સરકારે ખેડૂતોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લેતાં બાજરી, મકાઈ અને જુવારની ટેકાના ભાવ (MSP) હેઠળ ખરીદીની મર્યાદામાં વધારો કર્યો છે. રાજ્યના કૃષિ વિભાગ અને કિસાન સંઘના પ્રતિનિધિઓ વચ્ચે યોજાયેલી બેઠક બાદ આ નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો. સરકારના આ પગલાથી…

મેડિકલ કુંડળી દ્વારા સિકલ સેલ નાબૂદીનું મહાઅભિયાન : પ્રફુલ પાનશેરીયા

ગાંધીનગરમાં “સિકલ સેલ એનિમિયા – દર્દી સંવાદ અને માર્ગદર્શન કાર્યક્રમ” યોજાયો ગાંધીનગર ગાંધીનગર સ્થિત સ્વર્ણિમ સંકુલ–૨ના દ્વારકા હોલ ખાતે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તેમજ રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશનના સંયુક્ત ઉપક્રમે “સિકલ સેલ એનિમિયા – દર્દી સંવાદ અને માર્ગદર્શન કાર્યક્રમ”નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની અધ્યક્ષતા આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા દ્વારા કરવામાં આવી હતી. આ…

ખેડૂતોને મોટી રાહત: નર્મદાની નહેરોમાં 11 જૂનથી સિંચાઈનું પાણી છોડાશે

ખરીફ પાકની તૈયારી વચ્ચે રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય; કમાન્ડ વિસ્તારના ખેડૂતોને સમયસર પાણી મળશે ગાંધીનગરગુજરાત સરકારે રાજ્યના ખેડૂતોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લેતાં આગામી 11 જૂનથી નર્મદા નહેર પ્રણાલીમાં સિંચાઈ માટે પાણી છોડવાની જાહેરાત કરી છે. સામાન્ય આયોજન કરતાં વહેલા પાણી છોડવાના આ નિર્ણયથી ખરીફ સિઝનની તૈયારી કરી રહેલા લાખો ખેડૂતોને સીધો લાભ મળશે. ખાસ કરીને…

અમદાવાદમાં સગીરને નગ્ન કરી રસ્તા પર દોડાવ્યો, જૂની અદાવતમાં પાંચ શખ્સો સામે ગુનો

બે મહિના અગાઉ થયેલા અપમાનનો બદલો લેવા હુમલો કર્યાનો આક્ષેપ; વાડજ પોલીસે બે આરોપીઓની અટકાયત કરી, અન્યની શોધખોળ શરૂ અમદાવાદઅમદાવાદના દુધેશ્વર-ઇન્કમટેક્સ વિસ્તાર નજીક કાયદો અને વ્યવસ્થાને પડકારતી એક ગંભીર ઘટના સામે આવી છે. બે મહિના અગાઉ થયેલી મારપીટ અને અપમાનજનક ઘટનાનો બદલો લેવા માટે કેટલાક યુવકોએ એક સગીર પર હુમલો કરીને તેને જાહેરમાં નગ્ન હાલતમાં…

પીરાણામાં યોજાયેલી યુવતી પ્રેરણા શિબિરનો ભવ્ય સમાપન, રિવાબા જાડેજાએ યુવતીઓને સશક્તિકરણનો સંદેશ આપ્યો

300થી વધુ યુવતીઓએ ત્રણ દિવસીય શિબિરમાં લીધો ભાગ; શિક્ષણ, સંસ્કાર અને આત્મવિશ્વાસથી સમાજ પરિવર્તનનો સંકલ્પ વ્યક્ત પીરાણાઅખિલ ભારતીય સનાતન સત્યપંથ મહિલા સંઘ અને સ્ત્રી ચેતના–ગુજરાત (ભારતીય સ્ત્રી શક્તિ સંલગ્ન)ના સંયુક્ત ઉપક્રમે નિષ્કલંકાણી પ્રેરણાપીઠ તીર્થધામ, પીરાણા ખાતે 4થી 6 જૂન દરમિયાન યોજાયેલી “યુવતી પ્રેરણા શિબિર”નો સમાપન કાર્યક્રમ ભવ્યતા અને ઉત્સાહ સાથે સંપન્ન થયો. યુવતીઓના સર્વાંગી વિકાસ,…

પુણા વિસ્તારમાં ખાડી ડ્રેનેજ બોક્ષ કામગીરીની આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાએ વિઝિટ કરી

મેયર માયા માવાણી સાથે પ્રિ-મોન્સૂન કામગીરીની સમીક્ષા; સમયસર કામ પૂર્ણ કરવા મનપા તંત્રને તાકીદ સુરત પ્રિ-મોન્સૂન કામગીરી અંતર્ગત સુરત મહાનગરપાલિકા દ્વારા પુણા વિસ્તારમાં ચાલી રહેલી ખાડી ડ્રેનેજ બોક્ષની કામગીરીની રાજ્યના આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાએ સ્થળ મુલાકાત લઈને સમીક્ષા કરી હતી. ચોમાસા પૂર્વે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા નિવારવા માટે ચાલી રહેલી કામગીરીનું તેમણે જાત નિરીક્ષણ…

સુરતમાં ખાડી સફાઈ અને પ્રિ-મોન્સૂન કામગીરીની આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાએ સમીક્ષા કરી

મેયર માયા માવાણી સાથે વિવિધ વિસ્તારોની મુલાકાત; ચોમાસા પૂર્વે તમામ કામગીરી સમયસર પૂર્ણ કરવા તંત્રને તાકીદ સુરત આગામી ચોમાસાની સિઝનને ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલી પ્રિ-મોન્સૂન કામગીરીની રાજ્યના આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાએ સમીક્ષા કરી હતી. સુરતના નીચાણવાળા વિસ્તારોમાં ખાડી પૂરના કારણે નાગરિકોને પડતી મુશ્કેલીઓનું કાયમી નિરાકરણ લાવવા માટે તેમણે વિવિધ વિસ્તારોમાં ગ્રાઉન્ડ…

પુણા તળાવ પાસે રૂ. 7.78 કરોડના ખર્ચે નવનિર્મિત સુમન હાઈસ્કૂલનું લોકાર્પણ

આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાના હસ્તે ઉદ્ઘાટન; 2,400 વિદ્યાર્થીઓને મળશે આધુનિક શિક્ષણની સુવિધા સુરત સુરત મહાનગરપાલિકા દ્વારા પૂર્વ (વરાછા) ઝોન-A વિસ્તારમાં પુણા તળાવ પાસે રૂ. 7.78 કરોડના ખર્ચે નિર્માણ પામેલી સુમન હાઈસ્કૂલનું લોકાર્પણ રાજ્યના આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાના હસ્તે કરવામાં આવ્યું હતું. 2734 ચોરસ મીટર વિસ્તારમાં નિર્મિત ગ્રાઉન્ડ ફ્લોર તથા ત્રણ માળની આ શાળામાં ધોરણ 9થી…

પુણા ખાતે રૂ. 6.44 કરોડના ખર્ચે નવનિર્મિત સુમન હાઈસ્કૂલનું લોકાર્પણ

આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાના હસ્તે લોકાર્પણ; 600 વિદ્યાર્થીઓને મળશે આધુનિક શિક્ષણની સુવિધા સુરત સુરત મહાનગરપાલિકા દ્વારા પૂર્વ (વરાછા) ઝોન-એ વિસ્તારના યોગી ચોક નજીક પુણા ખાતે રૂ. 6.44 કરોડના ખર્ચે નિર્માણ પામેલી સુમન હાઈસ્કૂલનું લોકાર્પણ રાજ્યના આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાના હસ્તે કરવામાં આવ્યું હતું. અદ્યતન સુવિધાઓથી સજ્જ આ શાળામાં ધોરણ 9થી 12 સુધીના 600 વિદ્યાર્થીઓ શિક્ષણ…

માહિતી અને પ્રસારણ મંત્રાલયના સચિવ ચંચલ કુમારની એકતાનગર મુલાકાત

સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિત વિશ્વસ્તરીય સુવિધાઓના કર્યા વખાણ; રાષ્ટ્રીય કાર્યક્રમો માટે ઉત્તમ સ્થળ તરીકે ઓળખ એકતા નગર ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના સચિવશ્રી ચંચલ કુમારે નર્મદા જિલ્લાના એકતાનગરની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલિ અર્પણ કરી અને સમગ્ર વિસ્તારની વિશ્વસ્તરીય સુવિધાઓ, પ્રવાસન આકર્ષણો તથા રાષ્ટ્રીય…

ચમારડી સબ-સેન્ટર મામલે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની કડક કાર્યવાહી

બાંધકામમાં બેદરકારી અને ગુણવત્તા સાથે ચેડાં સામે ‘ઝીરો ટોલરન્સ’નો સંદેશ; જવાબદાર એન્જિનિયરને શો-કોઝ નોટિસ ગાંધીનગર રાજ્ય સરકારના વિકાસકાર્યોમાં ગુણવત્તા અને પારદર્શિતાને લઈને આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ કડક વલણ અપનાવ્યું છે. અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ચમારડી ગામે નિર્માણાધીન આરોગ્ય સબ-સેન્ટરના બાંધકામમાં નબળી ગુણવત્તા અને બેદરકારીની ફરિયાદને ગંભીરતાથી લઈ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક તપાસ…

જામનગરના રિસોર્ટમાં કરુણ અકસ્માત: સ્વિમિંગ પૂલમાં ડૂબી જતાં 9 વર્ષના બાળકનું મોત

વેકેશન માણવા આવેલા ગાંધીનગરના પરિવાર પર આભ તૂટી પડ્યું ; હોસ્પિટલ પહોંચતા પહેલા જ બાળકનું નિધન જામનગર જામનગર-રાજકોટ હાઈવે પર જાંબુડા પાટીયા નજીક આવેલા એક રિસોર્ટમાં વેકેશન માણવા આવેલા ગાંધીનગરના નવ વર્ષના બાળકનું સ્વિમિંગ પૂલમાં ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યું હતું. આ દુર્ઘટનાથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો, જ્યારે સમગ્ર વિસ્તારમાં પણ શોકની…