રુપાલા સામે સૌરાષ્ટ્રથી લઈને દાહોદ સુધી વિરોધનો વંટોળ

ધંધુકામાં પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરાવવા 7મી એપ્રિલ ક્ષત્રિય સમાજનું મહાસંમેલન યોજાશે રાજકોટ લોકસભા ચૂંટણી વચ્ચે રાજકોટથી ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનને લઈને ક્ષત્રિય સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. રૂપાલા દ્વારા માફી માગવા છતાં ક્ષત્રિય સમાજ માફ કરી રહ્યા નથી. સૌરાષ્ટ્ર સહિત અનેક શહેરો અને ગામડાઓમાં ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે….

10-11 એપ્રિલે ઉત્તર-દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના

આ આગાહિના કારણે રાજ્યમાં ખેડૂતોની ફરી ચિંતા વધી અમદાવાદ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ વચ્ચે હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર, 10મી અને 11મી એપ્રિલે  ઉત્તર ગુજરાત મધ્ય અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદ થવાની શક્યતા છે. જો કે, આ આગાહિના કારણે રાજ્યમાં ખેડૂતોની ફરી એક વખત ચિંતા વધી છે.  હવામાન વિભાગની આગાહી…

પરશોત્તમ રૂપાલાને ક્ષત્રિયો પર ટિપ્પણ મુદ્દે પંચની ક્લિનચિટ

પંચના નિર્ણયથી ક્ષત્રિયો કદાચ નારાજ થવાની ભીતિ ગાંધીનગર લોકસભા ચૂંટણી ટાણે ક્ષત્રિય સમાજ અંગે વિવાદિત ટિપ્પણી કરતાં પરશોત્તમ રૂપાલાએ ભાજપને મુશ્કેલીમાં મૂકી દીધો છે. તેમની આ ટિપ્પણીની અસર હવે ગુજરાતની મહત્ત્વપૂર્ણ બેઠકો સહિત અન્ય રાજ્યોમાં પણ દેખાઈ રહી છે. ત્યારે આ મામલે ચૂંટણીપંચે પણ કાર્યવાહી કરી હતી. જોકે ચૂંટણીપંચનો નિર્ણય કદાચ ક્ષત્રિય સમાજના લોકોને ન…

પદ્મીનીબા વાળાનો રૂપાલાના વિરોધમાં કર્યો અન્નનો ત્યાગ

રાજકોટના પેલેસ રોડ પરના આશાપુરા માતાજીના મંદિર ખાતે પદ્મીનીબા વાળા- ક્ષત્રિય મહિલાઓનો અન્ન ત્યાગ રાજકોટ લોકસભા 2024ની ચૂંટણી પહેલા રાજકોટના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે આપેલા નિવેદન બાદ ગુજરાતના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં ક્ષત્રિય સમાજ રોષે ભરાયો છે. આ નિવેદન બાદ પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની માફી પણ માંગી લીધી હતી….

ભાજપ અને ક્ષત્રિય સમાજ વચ્ચેની બેઠક નિષ્ફળ રહી

રૂપાલની ટિકિટ રદ્દ કરવાની માગ પર ક્ષત્રિય સમાજ અડગ,રૂપાલાને માફ કરવા ક્ષત્રિય સમાજ તૈયાર નથી ગાંધીનગર રાજકોટ બેઠક પરના લોકસભા ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ અંગેના નિવેદન બાદથી સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિયો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. વિવાદ વકરતા જ પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની બે વખત માફી માંગી હતી. જોકે, ક્ષત્રિય સમાજ ભાજપ પાસે રૂપાલાની બેઠક…

ભાજપમાંથી કરણી સેનાના પ્રમુખ રાજ શેખાવતનું રાજીનામું

રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ, ગોંડલના સંમેલનને ભાજપ પ્રેરિત ગણાવતા શેખાવત અમદાવાદ લોકસભાની ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય માહોલ ગરમ થઈ રહ્યો છે. એક તરફ ટિકિટને લઈને પક્ષોમાં ખેંચતાણ થઈ રહી છે તો બીજી તરફ ટિકિટ ન મળતા કેટલાક નેતાઓની નારાજગી પણ સામે આવી રહી છે. ભાજપમાં અસંતોષ વધી રહ્યો છે…

વડોદરામાં ડૉ. હેમાંગ જોશી સામે પણ પક્ષમાં જ વિરોધ

રંજન ભટ્ટના સ્થાને ટિકિટ મેળવનારા જોશી સામે યુવા મોરચાના કાર્યાલય મંત્રી પ્રિતેશ શાહે રોષ ઠાલવ્યો વડોદરા લોકસભાની વડોદરા બેઠક પર ભાજપના ઉમેદવારની પસંદગીની પ્રક્રિયામાં પક્ષના આંતરિક જૂથબંધીનો અંત આવી રહ્યો નથી. ભાજપે સાંસદ રંજનબેન ભટ્ટને બદલીને ડૉ. હેમાંગ જોશીને ટિકિટ આપી હતી. પરંતુ તેમની સામે પણ વોર્ડ નંબર પાંચના યુવા મોરચાના કાર્યાલય મંત્રી પ્રિતેશ શાહે…

બનાસકાંઠા બેઠક પર ફરી ઉમેદવાર બદલવાની શક્યતા

મુખ્યમંત્રીના નિવાસ સ્થાને નેતાઓની ત્રણ કલાક બેઠક ગાંધીનગર લોકસભા ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરાઈ રહી છે. ત્યારે ભાજપ ગુજરાતમાં તમામ 26 બેઠકો પર નામ જાહેર કરી ચૂકી છે. જેમાં ગુજરાતની બે બેઠકો પર ભાજપે ઉમેદવારો બદલ્યા છે. વડોદરા બેઠક પર રંજનબેન ભટ્ટને બદલીને હેમાંગ જોશી અને સાબરકાંઠા બેઠક પર ભીખાજી…

રાજ્યમાં ગરમાવો, કોંગ્રેસ-ભાજપમાં ટિકિટની ખેંચતાણ

ભાજપ માટે રાજકોટ, સાબરકાંઠાની બેઠક માથાનો દુખાવો, કોંગ્રેસમાં વણથંભ્યા રાજીનામાના દોરથી ચિંતા ગાંધીનગર લોકસભા 2024ની ચૂંટણીના પહેલા તબક્કાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ગુજરાતમાં રાજકીય વિવાદથી ગરમાવો આવી ગયો છે. ભાજપ અને કોંગ્રેસમાં ટિકિટને લઈને આંતરિક ડખા ચાલી રહ્યા છે. ભાજપમાં તો બે બેઠક પર ઉમેદવારોને બદલ્યા છતાં સ્થિતિ ઠેરના ઠેર જ છે….

રાજપૂત આગેવાન ડી.ડી. રાજપૂતનું કોંગ્રેસમાંથી રાજીનામું

ડી.ડી. રાજપૂતના કોંગ્રેસ છોડતાં બનાસકાંઠા બેઠકથી ઉમેદવાર ગેનીબેન ઠાકોરને મોટો ઝટકો મનાય છે ગાંધીનગર લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાંથી અનેક નેતાઓએ રાજીનામાં આપીને પક્ષને રામ-રામ કર્યા છે. હવે પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી અને રાજપૂત સમાજના પીઢ આગેવાન ડી.ડી. રાજપૂતે રાજીનામું આપ્યું છે. ડી.ડી. રાજપૂતના કોંગ્રેસ છોડતાં બનાસકાંઠા બેઠકથી ઉમેદવાર ગેનીબેન ઠાકોરને મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે….

પરશોત્તમ રૂપલાની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો

નેતાના રાજકોટના ઘર-કાર્યાલય પર પોલીસનો બંદોબસ્ત, ખાનગી બાઉન્સર- સુરક્ષાકર્મીઓ પણ ગોઠવવામાં આવ્યા ગાંધીનગર લોકસભાની રાજકોટ બઠક પર ભાજપના ઉમેદવાર જાહેર થયેલા કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાના વિવાદાસ્પદ નિવેદનના કારણે રાજ્યભરમાં ક્ષત્રિય સમાજમાં રોષ ફેલાયો છે. પરશોત્તમ રૂપાલાનો ક્ષત્રિય સમાજમાં દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. જેને ધ્યાનમાં રાખીને પરશોત્તમ રૂપાલાની સુરક્ષામાં પણ વધારો કરાયો છે. રાજકોટમાં…

બે કોર્પોરેટરે રાજીનામા આપતાં ગાંધીનગર કોર્પો. કોંગ્રેસ મુક્ત

ગત કોર્પોરેશનની ચૂંટણીમાં ચૂંટાયેલા બે કાર્પોરેટર અંકિત બારોટ અને ગજેન્દ્રસિંહ વાઘેલાના કોંગ્રેસમાંથી રાજીનામા ગાંધીનગર એક સમયે સમગ્ર ગાંધીનગર જિલ્લો કોંગ્રેસનો ગઢ ગણાતો હતો પરંતુ હવે ધીરે ધીરે કોંગ્રેસનો સફાયો થઈ રહ્યો છે ત્યારે ગાંધીનગર મહાનગરપાલિકામાં પણ ચૂંટાયેલા બે કોપોરેટરે રાજીનામું આપી દીધું છે.  આ સાથે જ ગાંધીનગરની કોર્પોરેશન કોંગ્રેસ મુક્ત બની ગઈ છે. લોકસભાની ચૂંટણી…

આર્થિક તંગીથી કંટાળી બે સગાભાઈએ ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું

સુરતના અમરોલી વિસ્તારમાં રહેતા અને રત્નકલાકાર તરીકે કામ કરતા બે સગા ભાઈઓએ અનાજમાં નાખવાની  દવા પીને મોતને વહાલું કરી લીધું સુરત ગુજરાતમાં આર્થિક તંગીને કારણે આપઘાતના કિસ્સાઓ વધી રહ્યા છે ત્યારે સુરતમા વધુ એક આપઘાતની ઘટના બની છે જેમાં બે સગા ભાઈઓએ ઝેરી દવા પી આપઘાત કર્યો છે. આ ઘટના અંગે પોલીસ વધુ તપાસ હાથ…

સુરતના રાંદેરમાં નકલી ઘી બનાવવાનું કારખાનું ઝડપાયું

રાંદેર ઝોનના ગોગા ચોક વિસ્તારમાંથી ડાલ્ડા ઘીમાં સોયાબીનનું તેલ હળદર કેમિકલ નાખી ઘી બનાવાતું હતું, આવા શંકાસ્પદ 225 કિલો ઘીનો જથ્થો જપ્ત કરાયો સુરત સુરતમાં ગઈકાલે બનાવટી પનીર પકડાયાના બીજા દિવસે સુરત પાલિકાના રાંદેર ઝોનમાંથી નકલી ઘી બનાવવાનું કારખાનું ઝડપાયું છે. પાલિકાના રાંદેર ઝોનના ગોગા ચોક વિસ્તારમાંથી ડાલ્ડા ઘીમાં સોયાબીનનું તેલ હળદર કેમિકલ નાખી ઘી…

પક્ષ ચૂંટણી લડાવશે તો જ ભાજપમાં જોડાઈશઃ કનુ કલસરિયા

ચાહકવર્ગના લોકો કહ્યા કરે છે કે તમે કોઈ સત્તા પર હોય તેવી પાર્ટીમાં હોવ તો લોકોના ઘણા કલ્યાણના કામો થાય અમદાવાદ લોકસભાની ચૂંટણી પહેલા પક્ષપલટાની સીઝન ચાલી રહી છે. ભાજપનો ભરતી મેળો ચાલી રહ્યો છે, ત્યારે ભાવનગરના મહુવાના પૂર્વ ધારાસભ્ય કનુ કલસરિયાને જોડવાના ભરપૂર પ્રયાસ કરાઈ રહ્યા છે. એક સમયના જાયન્ટ કિલર નેતા તરીકેની છાપ…

સી.આર. પાટીલ સાથેની મુલાકાત બાદ કેતન ઈનામદારે રાજીનામું પાછું ખેંચ્યું

જૂના કાર્યકરના માન સન્માનની વાત હતી, દરેકની કામ કરવાની પદ્ધતિ અલગ હોય છે, મારી કામ કરવાની પદ્ધતિ અલગ છે, વ્યક્તિગત કોઈનો વિરોધ નથીઃ કેતન વડોદરા ભાજપમાં ચાલી રહેલા ભરતી મેળાથી નારાજ થઈને આજે (19 માર્ચ) અચાનક સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે રાજીનામું ઈમેઈલથી વિધાનસભા અધ્યક્ષને મોકલ્યું હતું. ત્યારબાદથી કેતન ઈનામદારને સમજાવવાના પ્રયત્નો શરૂ થઈ ગયા હતા….

પક્ષના જ નેતાઓ દ્વારા હેરાનગતિ છતાં પક્ષ સાથે છુઃ રોહન ગુપ્તા

મારા પિતાનું આરોગ્ય મારા માટે વધુ મહત્ત્વનું છે, પિતાના આરોગ્યનો સવાલ હતો એટલે જ ચૂંટણી લડતો નથીઃ કોંગ્રેસના નેતા અમદાવાદ લોકસભા ચૂંટણીની તારીખ જાહેરાત થઈ ચૂકી છે. તમામ પક્ષોએ પુરજોશમાં તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ દરમિયાન અમદાવાદ પૂર્વ બેઠકમાંથી કોંગ્રેસના ઉમેદવાર રોહન ગુપ્તાએ મોડી રાત્રે અચાનક જ ઉમેદવારી પરત ખેંચી લેતા રાજકીય ખડભડાટ મચી…

ગુજરાતની ખાલી પડેલી છ વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણી યોજાશે

4 કોંગ્રેસ, 1 આપ અને 1 અપક્ષના નેતાએ પાર્ટી અને ધારાસભ્ય પદેથી રાજીનામા આપતાં બેઠકો ખાલી પડી ગાંધીનગર આવતીકાલે (16 માર્ચ 2024) લોકસભા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થશે. જેમાં મતદાન તારીખથી લઈને મતગણતરી સહિતની તમામ વિગતો જાહેર કરાશે. ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો પર ચૂંટણી થશે. આ સાથે રાજ્યની ખાલી પડેલી છ વિધાનસભા બેઠકો પર પેટા-ચૂંટણી યોજાશે….

બોટાદના કુંભારા ગામ નજીક પીકઅપ વાન પલટી જતાં બેનાં મોત

25થી વધારે લોકો ઈજાગ્રસ્ત થતા તેમને તાત્કાલિક ધોરણે 108 મારફતે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા બોટાદ છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં હાઈવે પર અકસ્માતની ઘટના વધુ બની રહી છે. ત્યારે અકસ્માતનો સિલસિલો યથાવત રહેતા વધુ એક ઘટના બોટાદના કુંભારા ગામ નજીક બની હતી, જેમાં બે લોકોના મોત થયા છે જ્યારે 25થી વધારે લોકો ઈજાગ્રસ્ત થતા તેમને તાત્કાલિક…

વડોદરામાં ભાજપનાં નેતા જ્યોતિ પંડ્યા છ વર્ષ માટે સસ્પેન્ડ

વડોદરાના પૂર્વ મેયરે ફરી ટિકિટ મેળવનારા રંજન ભટ્ટ સામે ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યો વડોદરા વડોદરા લોકસભા બેઠક… આ બેઠક પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભા ચૂંટણી લડ્યા હતા. ત્યારે હવે આ બેઠક પર ભાજપમાં ભડકો થયો છે. વડોદરા બેઠક પર રંજનબેન ભટ્ટનું પત્તુ કપાશે તેવી ચર્ચા હતી પરંતુ ભારે વિવાદો બાદ પણ ભાજપે રંજન ભટ્ટને ત્રીજીવાર ટિકિટ…