વંદેભારત એક્સપ્રેસ પર ફરી વખત પથ્થરમારો થયો

મલ્હાર સ્ટેશન પરથી પસાર થતી વખતે જ ચેર કાર ક્લાસ કમ્પાર્ટમેન્ટ પર તોફાની તત્વએ પથ્થરમારાની ઘટનાને અંજામ આપ્યો ગોરખપુર ઉત્તરપ્રદેશમાં ગોરખપુરથી લખનઉ જતી વંદે ભારત એક્સપ્રેસ પર ફરી એકવાર પથ્થરમારો થયાની ઘટનાના અહેવાલ સામે આવી રહ્યા છે. માહિતી અનુસાર મલ્હાર સ્ટેશન પરથી પસાર થતી વખતે જ વંદે ભારત ટ્રેનના ચેર કાર ક્લાસ કમ્પાર્ટમેન્ટ પર અરાજકતા…

બારામુલ્લામાં સેના દ્વારા બે શકમંદોની ધરપકડ, પિસ્તોલ-હેન્ડ ગ્રેનેડ જપ્ત

ભારતીય સેના અને જમ્મુ અને કાશ્મીર પોલીસ દ્વારા આપવામાં આવેલી ગુપ્ત માહિતીના આધારે ઓપરેશન પાર પડાયું જમ્મુ છેલ્લા ત્રણ દિવસથી કાશ્મીરના અનંતનાગના કોકરનાગ વિસ્તારમાં સેના અને આંતકી જૂથ વચ્ચે અથડામણો ચાલી રહી છે. સેના દ્વારા સતત ચાલી રહેલા સર્ચ ઓપરેશનમાં વધુ એક જવાન શહીદ થયો હતો જ્યારે બે જવાન ઘાયલ થયા હતા જેને તાત્કાલિક હોસ્પિટલમાં…

નૂહ હિંસા મામલે કોંગ્રેસના ધારાસભ્ય મમ્મન ખાનની ધરપકડ

31 જુલાઈના રોજ નૂહમાં ફાટી નીકળેલી કોમી હિંસા મામલે નોંધાયેલી એફઆઈઆરમાંથી એકમાં તેમનું નામ આરોપી તરીકે છે નૂહ હરિયાણાના નૂહમાં થયેલી હિંસા મામલે ફિરોઝપુર ઝિરકાના કોંગ્રેસના ધારાસભ્ય મમ્મન ખાનની ધરપકડ કરવામાં આવી છે. 31 જુલાઈના રોજ નૂહમાં ફાટી નીકળેલી કોમી હિંસા મામલે નોંધાયેલી એફઆઈઆરમાંથી એકમાં તેમનું નામ આરોપી તરીકે છે. ગત અઠવાડિયે નૂહ પોલીસે મમ્મન…

ઈન્ડિયાના નેતાઓ દેસના 14 ટેલિવિઝન એન્કરના શૉમાં ભાગ નહીં લે

આ મામલે ન્યૂઝ બ્રોડકાસ્ટર્સ એન્ડ ડિજિટલ એસોસિએશનએ કહ્યું કે આ નિર્ણય ઘાતક મિસાઈલ સાબિત થશે. તે લોકતંત્રના મૂલ્યો વિરુદ્ધ છે મુંબઈ વિપક્ષી દળોનું ગઠબંધન ઈન્ડિયન નેશનલ ડેવલપમેન્ટ ઈન્ક્લૂઝિવ એલાયન્સ (ઈન્ડિયા)ના તમામ પક્ષોએ મોટો નિર્ણય લેતાં કહ્યું કે હવે તેમના પ્રતિનિધિઓ દેશમાં સંચાલિત 14 જેટલા ટેલિવિઝનના એન્કરના કાર્યક્રમોમાં ભાગ નહીં લે. જોકે આ મામલે ન્યૂઝ બ્રોડકાસ્ટર્સ…

અનંતનાગમાં વધુ એક જવાન શહીદ, બે જવાન ઘાયલ

બુધવારથી શરુ થયેલા સર્ચ ઓપરેશનમાં અત્યાર સુધીમાં ચાર જવાન શહીદ થયા જમ્મુ દક્ષિણ કાશ્મીરના અનંતનાગના કોકરનાગ વિસ્તારમાં સેના દ્વારા સતત ચાલી રહેલા સર્ચ ઓપરેશનમાં વધુ એક જવાન શહીદ થયો હતો જ્યારે બે જવાન ઘાયલ થયા હતા જેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બુધવારથી શરુ થયેલા સર્ચ ઓપરેશનમાં અત્યાર સુધીમાં ચાર જવાન શહીદ થયા છે.  …

ઈસરોએ બનાવેલું નવું નવઆઈસી સોફ્ટવેર દરેક મોબાઈલમાં મળશે

કંપનીઓ મોબાઈલ ફોનમાં નવઆઈસી સંચાલિત ચિપ્સનો ઉપયોગ કરી શકે છે અથવા તેઓ નવઆઈસી ચિપસેટ આપી શકે છે નવી દિલ્હી ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી રાજ્યમંત્રી રાજીવ ચંદ્રશેખરે કહ્યું કે 2025ના અંત સુધીમાં તમામ સ્માર્ટફોન મેન્યુફેક્ચરિંગ કંપનીઓએ મોબાઈલમાં નવઆઈસી ની સુવિધા આપવી પડશે. તેમણે કહ્યું કે કાં તો કંપનીઓ મોબાઈલ ફોનમાં નવઆઈસી સંચાલિત ચિપ્સનો ઉપયોગ કરી શકે…

ગ્રેટર નોઈડામાં નિર્માણાધિન મકાનની લિફ્ટ તૂટતાં ચારનાં મોત

મૃતકોમાં ત્યાં કામ કરતા મજૂરોનો પણ સમાવેશ થાય છે નોઈડા ગ્રેટર નોઈડામાં એક ભયંકર અકસ્માત થયાના સમાચાર સામે આવી રહ્યા છે. ગ્રેટર નોઈડાના બિસરખ કોતવાલી વિસ્તારમાં એક હાઉસિંગ સોસાયટીમાં લિફ્ટ તૂટી પડવાને કારણે આ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા હોવાનું સામે આવી રહ્યું છે. મૃતકોમાં ત્યાં કામ કરતા મજૂરોનો પણ સમાવેશ…

કેરળમાં નિપાહગ્રસ્ત વિસ્તારોમાં બિનજરૂરી મુસાફરી ટાળવા લોકોને સલાહ

કેરળના સરહદી જિલ્લાઓ- કોડાગુ, દક્ષિણ કન્નડ, ચામરાજનગરા અને મૈસૂર અને કેરળથી કર્ણાટક સુધીના પ્રવેશ સ્થળો પર દેખરેખ વધારવામાં આવી તિરુવનંતપુરમ કેરળમાં નિપાહ વાયરસના વધતા જતા કેસોને ધ્યાનમાં લેતા કર્ણાટક સરકારે એક પરિપત્ર જાહેર કરીને લોકોને કેરળના અસરગ્રસ્ત વિસ્તારોમાં બિનજરૂરી મુસાફરી ટાળવાની સલાહ આપી છે. કર્ણાટક સરકારના આરોગ્ય વિભાગે જણાવ્યું છે કે કેરળના સરહદી જિલ્લાઓ (કોડાગુ,…

રોડવેઝની બસ ડિવાઈડર તોડીને ખાડામાં પડકતાં 21 લોકો ઘાયલ

રસ્તા પરથી પસાર થતા રાહદારીઓએ જાણ કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચી બસમાં ફસાયેલા તમામ મુસાફરોને બહાર કાઢ્યા મેરઠ ઉત્તર પ્રદેશમાં દિલ્હીના ગાઝિયાબાદ પોલીસ સ્ટેશન મસૂરી વિસ્તારના મેરઠ એક્સપ્રેસ વે પર રોડવેઝની બસ ડિવાઈડર તોડીને ખાઇમાં પડી ગઈ હતી. આ દુર્ઘટનામાં 21 લોકો ઘાયલ થયા હોવાના સમાચાર જાણવા મળ્યા હતા. તમામ ઘાયલોને જિલ્લા હોસ્પિટલ સંજય નગર…

નૂહમાં કોંગ્રેસના ધારાસભ્યની ધરપકડ બાદ કલમ 144 લગાવાઈ

મુસ્લિમ સમુદાયને જુમ્માની નમાઝ ઘરોમાં જ અદા કરવા અપીલ નૂહ નૂહમાં કોંગ્રેસના ધારાસભ્યની ધરપકડ બાદ કલમ 144 લગાવી દેવામાં આવી છે તેમજ મુસ્લિમ સમુદાયને જુમ્માની નમાઝ ઘરોમાં જ અદા કરવાની અપીલ કરી છે. આ અંગે ડેપ્યુટી કમિશનરે એક આદેશ જાહેર કર્યો છે. હરિયાણાના નૂહમાં ફિરોઝપુર ઝિરકાના ધારાસભ્ય મમ્મન ખાનની ધરપકડ કરાતા ફરી એકવાર ટેંશન વધી…

સંસદના વિશેષ સત્રના પ્રથમ દિવસે 75 વર્ષમાં સંસદની યાત્રા પર ચર્ચા થશે

સરકાર ‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ અને દેશનું નામ ઈન્ડિયાથી બદલીને ભારત કરવાનો પ્રસ્તાવની અટકળોનો અંત નવી દિલ્હીકેન્દ્ર સરકારે 18 થી 22 સપ્ટેમ્બર સુધી સંસદના વિશેષ સત્રનો પ્રસ્તાવિત એજન્ડા જાહેર કરી દીધો છે. આ અંગે માહિતી શેર કરતાં સરકારે જણાવ્યું કે સત્રના પ્રથમ દિવસે લોકસભા અને રાજ્યસભામાં 75 વર્ષમાં સંસદની યાત્રા પર ચર્ચા થશે. આ દરમિયાન…

હિમાચલમાં વરસાદને લીધે અત્યાર સુધી 428 લોકોનાં મોત

11 હજારથી વધુ ઘરો ક્ષતિગ્રસ્ત થયા છે તેમજ 2611 ઘરો ધરાશાયી થયા સિમલાહિમાચાલ પ્રદેશમાં ફરી એકવાર ચોમાસું સક્રિય થશે, રાજ્યમાં છેલ્લા બે અઠવાડિયાથી ચોમાસાએ વિરામ લીધો હતો ત્યારે હવે ફરી એકવાર પહાડી ક્ષેત્રો અને મેદાની વિસ્તારોમાં લોકોને ભારે ગરમીથી રાહત મળશે. હવામાન વિભાગે આગામી 17મી સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વિવિધ ભાગોમાં ભારે પવન અને ગાજવીજ સાથે…

કેરળમાં નિપાહ વાયરસને રોકવા કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયા

આશરે 700 લોકોની યાદી બનાવાઈ હતી જેઓ દર્દીના સંપર્કમાં આવ્યા હતા તિરુવનંતપુરમકેરળમાં નિપાહ વાયરસથી પીડિત દર્દીઓની સંખ્યામાં ઝડપથી વધારો થતો જઈ રહ્યો છે. વધુ એક દર્દી વધી જતાં સ્વાસ્થ્ય વિભાગની ચિંતા વધી ગઈ છે. રાજ્યમાં હવે દર્દીઓની સંખ્યા વધીને 5 થઈ ગઈ છે. રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી વિણા જ્યોર્જે જણાવ્યું કે ઈન્ફેક્શન ફેલાતો રોકવા રાજ્ય સરકારે…

અનંતનાગમાં સેના-પોલીસનું સંયુક્ત ઓપરેશન સર્ચ જારી

રાજૌરી જિલ્લાના એક અંતરિયાળ ગામમાં શરુ કરાયેલા સર્ચ ઓપરેશન દરમિયાન થયેલી અથડામણમાં બે આતંકી ઠાર કરવામાં આવ્યા જમ્મુગઈકાલે જમ્મુ અને કાશ્મીરના અનંતનાગના કોકરનાગ વિસ્તારમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં આર્મીના કર્નલ, મેજર અને ડીએસપી શહીદ થયા હતા ત્યારે આજે આ જ વિસ્તારમાં ભારતીય સેનાએ જમ્મુ કાશ્મીર પોલીસ સાથે મળીને ફરી એકવાર ઓપરેશન શરુ કર્યું છે.જમ્મુ કાશ્મીરમાં છેલ્લા…

80 હજાર પેન્ડિંગ કેસના ડેટા એનજેડીજી પર અપલોડ કરાશે

આ નિર્ણય પારદર્શકતા અને જવાબદેહી લાવવા માટે છે, એનજેડીજી પોર્ટલ પર કેસનો દર મહિનાનો અને વર્ષ અનુસાર વિગતવાર ડેટા હશે નવી દિલ્હીસુપ્રીમકોર્ટે ઐતિહાસિક પહેલ કરતાં તમામ લંબિત કેસના ડેટાને નેશનલ જ્યુડિશિયલ ડેટા ગ્રિડ (એનજેડીજી) પર અપલોડ કરવાનો નિર્ણય કર્યો છે. ઉલ્લેખનીય છે કે સુપ્રીમકોર્ટ અત્યાર સુધી એનજેડીજી ના દાયરાથી બહાર હતી. સીજેઆઈ ડી.વાય.ચંદ્રચૂડે તેની શરૂઆત…

સીબીઆઈએ રેલવેના અધિકારીના ઘરેથી 2.61 કરોડની રોકડ રિકવર કરી

અધિકારી જેમ વેબસાઈટ પરથી કોન્ટ્રાક્ટરની ફર્મનું રજિસ્ટ્રેશન રદ કરવાની અને તેનો કોન્ટ્રાક્ટ સમાપ્ત કરવાની ધમકી આપીને 7 લાખ રૂપિયાની લાંચ માંગી રહ્યો હતો ગોરખપુરકેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઇએ ભ્રષ્ટાચારના આરોપમાં ધરપકડ કરાયેલા ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લાના એક વરિષ્ઠ રેલવે અધિકારીના ઘરેથી 2.61 કરોડ રૂપિયાની રોકડ રિકવર કરી છે.મળતી માહિતી મુજબ ઉત્તર પૂર્વ રેલવે, ગોરખપુરના અધિકારી કે.સી….

ફોજદારી કેસોમાં મીડિયા બ્રીફિંગ અંગે બે માસમાં માર્ગદર્શિકાનો સુપ્રીમનો નિર્દેશ

કેટલીકવાર મીડિયા રિપોર્ટ્સ પીડિતની પ્રાઈવસીનું પણ ઉલ્લંઘન કરતી હોવાનું સુપ્રીમ કોર્ટની બેન્ચનું અવલોકન નવી દિલ્હીસુપ્રીમ કોર્ટે કેન્દ્રીય ગૃહ મંત્રાલયને 2 મહિનાની અંદર ફોજદારી કેસોમાં મીડિયા બ્રીફિંગ અંગે માર્ગદર્શિકા તૈયાર કરવાનો નિર્દેશ આપ્યો છે. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની બેન્ચે કહ્યું હતું કે પક્ષપાતી રિપોર્ટિંગને કારણે લોકો માની બેસે છે કે આરોપીએ ગુનો કર્યો છે.બેન્ચે…

જુનૈદ-નાસિરને સળગાવવાનો પ્લાન આઠ દિવસ પહેલા બનાવ્યાની મોનુની કબૂલાત

સુરક્ષાના કારણોસર તેને ભરતપુરના મથુરા ગેટ પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યો હતો, જ્યાં ડીગ પોલીસ સ્ટેશનના આધિકારીઓ મોનુ માનેસરની પૂછપરછ કરી ભરતપુરગૌરક્ષક મોનુ માનેસરની મંગળવારે હરિયાણાથી ધરપકડ કરવામાં આવી હતી, ત્યારબાદ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને રાજસ્થાન પોલીસને સોંપવામાં આવ્યો હતો. જુનૈદ-નાસિર હત્યા કેસ સંદર્ભે રાજસ્થાન પોલીસ મોનુને માનેસરની કસ્ટડી લીધી હતી. સુરક્ષાના કારણોસર…

ટેક્નિકલ ખામી સર્જાતા એર ઈન્ડિયાની ફ્લાઈટ પાકિસ્તાનના એરસ્પેસમાં પહોંચી ગઈ

આ પ્લેન પાકિસ્તાન હવાઈ ક્ષેત્રમાં 32 હજાર ફુટની ઉંચાઈએ ઉડી રહ્યું હતું, જો કે ફ્લાઈટ બાદમાં સલામત રીતે દિલ્હી પહોંચી ગઈ હતી નવી દિલ્હીદેશની રાજધાની દિલ્હીથી લંડન માટે ઉડાન ભરેલી એયર ઈન્ડિયાની ફ્લાઈટ થોડા સમયમાં જ અચાનક આઈજીઆઈ એરપોર્ટ પર રિટર્ન થઈ હતી. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ આ ફ્લાઈટે ઉડાન ભરી ત્યારે પ્લેનમાં થોડીક ખામી…

ઈન્ડિયાનો એજન્ડા સનાતનને ખતમ કરવાનો છેઃ મોદીના વિપક્ષ પર પ્રહાર

કેટલાક દળો એવા છે જે સમાજને વિભાજિત કરવા માટે એક થયા છે, ગાંધી લક્ષમીબાઈએ સનાતનથી પ્રેરણા લીધી હતી જ્યારે ઘમંડી ગઠબંધનના લોકો સનાતનને ખતમ કરવા માંગે છેઃ મોદી બીનાપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મધ્યપ્રદેશના પ્રવાસે ગયા હતા, જ્યા તેમણે અનેક યોજનાનો શિલાન્યાસ કર્યો હતો. આ સિવાય મોદીએ એક જનસભાને સંબોધિત કરી હતી જેમાં તેણે વિપક્ષી ગઠબંધન…