શિક્ષકને નિવૃત્તી બાદ પણ પગાર ન ચૂકવાતાં સ્મૃતિ ઈરાની ગુસ્સે થયા

સ્મૃતિ ઈરાનીએ જિલ્લા શાળા નિરીક્ષકને ફોન કર્યો હતો અને નિવૃત્ત શિક્ષકોના પગાર તાત્કાલિક ચૂકવવાનું કહ્યું અમેઠીકેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની તેમના લોકસભા ક્ષેત્ર અમેઠીના 3 દિવસના પ્રવાસે છે. એવામાં શુક્રવારે જ્યારે તે લોકોને મળી રહી હતી, ત્યારે એક નિવૃત્ત શાળાના શિક્ષકે ફરિયાદ કરી હતી કે નિવૃત્તિ પછી પણ, તેના પગાર ચૂકવવામાં આવ્યા નથી. જેના પર સ્મૃતિ…

ઈડીએ હેમંત સોરેનને પૂછપરછ માટે તેમની ઈચ્છાના સ્થળ, સમય જણાવવા કહ્યું

આ મામલે ઈડી ઝારખંડના મુક્યમંત્રીને અગાઉ 6 વખત સમન્સ પાઠવી ચૂકી છે નવી દિલ્હીજમીન કૌભાંડ મામલે ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનને પૂછપરછ માટે ઈડીએ છેલ્લી નોટિસ પાઠવી છે. આ સાથે કેન્દ્રીય એજન્સીએ સોરેનને તેમની ઈચ્છા પ્રમાણે સ્થળ અને સમય જણાવવા કહ્યું છે જેથી ઈડીના અધિકારીઓ જઈને તેમની પૂછપરછ કરી શકે.ઈડીએ હેમંત સોરેનને પાઠવેલા સમન્સમાં કહ્યું કે,…

દિલ્હીના મુખ્યપ્રધાન કેજરીવાલને ત્રીજી વખત ઈડીના સમન્સ

ઈડીના આ સમન્સ ગેરકાયદે અને રાજકીય રીતે પ્રેરિત છે, મેં મારું આખું જીવન ઈમાનદારી અને પારદર્શકતા સાથે વિતાવ્યું હોવાની કેજરીવાલની કેફિયત નવી દિલ્હીલોકસભાની ચૂંટણીની નજીક આવી રહી છે. તમામ પક્ષો પોતાની વ્યૂહનીતિ ઘડી રહ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટી (આપ) છેલ્લા ઘણાં સમયથી મુશ્કેલીમાં છે અને તેના મોટા નેતાઓ હાલ જેલમાં છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ…

ગણતરીની દિવસોમાં મંગળ પર પહોંચી શકાય એવું રોકેટ બનશે

ન્યૂક્લિયર રોકેથી ભવિષ્યમાં ચંદ્ર અને મંગળ ગ્રહના મિશનમાં એસ્ટ્રોનોટ્સને પાછા આવવામાં તકલીફ નહીં પડે, ઈંધણની પણ ચિંતા નહીં હોય નવી દિલ્હીઈસરો હવે પરમાણુ ઈંધણથી સંચાલિત થતાં રોકેટ પર કામ કરી રહ્યું છે. આ રોકેટની શરૂઆતની ડિજાઈન પણ તૈયાર થઇ ચૂકી છે. જો આગામી અમુક વર્ષોમાં આ ન્યૂક્લિયર એન્જિનથી ચાલતું રોકેટ તૈયાર થઇ જશે તો ભારત…

યુએસ જવા 40 લાખથી લઈને 1.25 કરોડ રૂપિયામાં ડીલ કર્યાનો ખુલાસો

અત્યાર સુધી સીઆઈડીને 6 એજન્ટ્સ વિશે પણ માહિતી મળી છે, તમામ યાત્રીઓની પુછપરછ બાદ સીઆઇડી આ એજન્ટો સામે સકંજો કસશે અમદાવાદરોમાનિયાની લેજન્ડ એરલાઈન્સ કંપનીના વિમાન એરબસ એ-340ને માનવ તસ્કરીની શંકામાં ફ્રાન્સના વેટ્રી એરપોર્ટ પર 4 દિવસ સુધી અટકાવી રખાયું હતું. આ વિમાનમાં કુલ 303 ભારતીય મુસાફરો સવાર હતા. તેમાંથી 276 મુસાફરો 26 ડિસેમ્બરે મુંબઈ એરપોર્ટ…

22 જાન્યુઆરીએ દેશવાસીઓને ઘરમાં શ્રી રામના દીવા પ્રગટાવવા મોદીની અપીલ

મોદીએ નવનિર્મિત અયોધ્યા ધામ રેલવે જંકશન, મહર્ષિ વાલ્મિકી ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું, અમૃત ભારત અને વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી અયોધ્યારામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રામનગરી અયોધ્યા પહોંચ્યા હતા, જ્યા તેમણે ભવ્ય રોડ શો કર્યા બાદ નવનિર્મિત અયોધ્યા ધામ રેલવે જંકશનનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પછી અમૃત ભારત અને…

ભારતમાં છેલ્લા ચોવિસ કલાકમાં કોરોનાના 743 નવા કેસ

શુક્રવારે કોરોનાથી દેશમાં સાત લોકોનાં મોત, જેમાં કેરળમાં 3, કર્ણાટકમાં 2 અને તમિલનાડુ તથા છત્તીસગઠમાં 1-1 મોત થયું નવી દિલ્હીસમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસે ફરી એક વખત ઉથલો માર્યો છે. છેલ્લા 24 કલાકમાં 743 નવા કેસ નોંધાતા એક્ટિવ કેસોની સંખ્યા વધીને 3,997 થઈ ગઈ છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે શુક્રવારે કોરોનાના કારણે 7 લોકોના…

હયાત નથી તે મહિલાનો નકલી કરારથી બાંગ્લાદેશીઓએ પાસપોર્ટ બનાવી લીધો

આ કેસમાં અત્યાર સુધીમાં 20 બાંગ્લાદેશી ઘૂસણખોરો અને તેમના 2 ભારતીય મદદગારોની ધરપકડ કરવામાં આવી પૂણેઆ રમત પાછળ એક મોટું રેકેટ કામ કરી રહ્યું હોય તેવું લાગે છે. આ રેકેટ બાંગ્લાદેશી ઘૂસણખોરોને ભારતમાં લાવે છે અને તેમને ભારતીય ઓળખ આપીને આરબ દેશોમાં જવા માટે મદદ કરે છે. બદલામાં, ઘૂસણખોરો પાસેથી 7 લાખ રૂપિયા સુધીની રકમ…

કર્ણાટકના એક મકાનમાંથી પરિવારના પાંચ લોકોના કંકાલ મળ્યા

પરિવાર સંપૂર્ણપણે એકાંત જીવન જીવતો હતો અને તમામ લોકો છેલ્લે જુલાઈ 2019ની આસપાસ જોવા મળ્યા હતા બેંગલુરૂકર્ણાટકના ચિત્રદૂર્ગ જિલ્લામાં એક જર્જરિત મકાનમાંથી એક જ પરિવારના 5 લોકોના માનવ કંકાલ મળી આવ્યા હતા, પોલીસના જણાવ્યા અનુસાર પરિવારના લોકો ગંભીર બીમારીથી પીડાતા હતા. તમામ છેલ્લે 2019માં જોવા મળ્યા હતા.આ અંગે સંબંધીઓએ પોલીસને આપેલા નિવેદન મુજબ પરિવાર સંપૂર્ણપણે…

ધુમ્મસને લીધે ઉ.ભારતમાં ટ્રેન અને વિમાન સેવાને અસર

હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ગાઢ ધુમ્મસની આગાહી કરી છે નવી દિલ્હીદિલ્હી, પંજાબ, હરિયાણા, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશ સહિત સમગ્ર ઉત્તર ભારતમાં તીવ્ર ઠંડી સાથે ગાઢ ધુમ્મસનો કેર હજુ પણ યથાવત છે જેના પગલે આજે પણ ઘણી ટ્રેન મોડી દોડી રહી છે તેમજ અનેક ફ્લાઈટ્સમાં ડાયવર્ટ કરવામાં આવી છે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ગાઢ…

નીરવ મોદી કૌભાંડમાં ખુલાસા કરનારા નીના સિંહ સીઆઈએસએફના નવા ડીજી

સીઆઈએસએફના ડાયરેક્ટર જનરલ તરીકે નિયુક્ત થનારા નીના સિંહ પ્રથમ આઈપીએસ મહિલા અધિકારી બન્યાં નવી દિલ્હીપહેલીવાર સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ (સીઆઈએસએફ)ની કમાન એક દમદાર મહિલા અધિકારીને સોંપવામાં આવી છે. પોલીસ વિભાગ સહિત અનેક તપાસ એજન્સીઓમાં મહત્વના પદો પર રહી ચૂકેલા નીના સિંહને હવે સીઆઈએસએફના નવા ડાયરેક્ટર જનરલ (ડીજી) બનાવવામાં આવ્યા છે. રાજસ્થાન કેડરના 1989 બેચના આઈપીએસ…

અંબાતી રાયડૂ જગમોહનના વાયએસઆરમાં જોડાઈ ગયો

37 વર્ષીય પૂર્વ ક્રિકેટરે ક્રિકેટની તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ બાદ આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રીની પાર્ટી વાયએસઆરમાં વિધિવત રીતે પ્રવેશ કર્યો અમરાવતીભારતીય ટીમની પૂર્વ ક્રિકેટર અંબાતી રાયડુ રાજકારણની પીચ પર એન્ટ્રી કરતા આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીની પાર્ટી વાયએસઆરમાં જોડાઈ ગયા છે.37 વર્ષીય પૂર્વ ક્રિકેટરે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધા બાદ આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીની…

કેન્દ્રએ ભંગાર વેચીને 1163 કરોડની કમાણી કરી લીધી

કેન્દ્ર સરકારે ભંગાર ફાઈલો, ખવાઈ ગયેલા ઓફિસના સાધનો અને જૂના વાહનો વેચીને ચંદ્રયાન-3 જેવા બે મિશનની કિંમત જેટલી રકમ એકત્ર કરી લીધી નવી દિલ્હીભારતનું ત્રીજું ચંદ્રયાન મિશન ચંદ્રયાન-3 ચંદ્રની સપાટી પર સફળતાપૂર્વક લેન્ડ થતા સફળ થયું હતું. ચંદ્રયાન-3નું લેન્ડર દક્ષિણ ધ્રુવ પર ઉતર્યું હતું અને તે સાથે જ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરાણ કરવામાં ભારત…

દેશમાં 225 દિવસ બાદ ચોવિસ કલાકમાં કોરોનાના સૌથી વધુ 797 કેસ

કોરોનાગ્રસ્ત પાંચ દર્દીનાં મોત થયા, જેમાંથી કેરળમાં 2 અને મહારાષ્ટ્ર, પુડુચેરી, તમિલનાડુમાં 1-1નું મોત નિપજ્યું નવી દિલ્હીદેશમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર 28 ડિસેમ્બર સુધીમાં નવા વેરિયન્ટ જેએન.1ના કુલ 145 કેસો સામે આવી ચુક્યા છે. બીજીતરફ કોરોના કેસો વધતા આરોગ્ય મંત્રાલય પણ સતર્ક થઈ ગયું છે અને લોકોને ભીડથી દૂર…

પશ્ચિમ બંગાળમાં તૃણમુલ કોંગ્રેસ એકલા હાથે ચૂંટણી લડશે

મમતા બેનર્જીએ ઉત્તર 24 પરગણા જિલ્લાના ચકલામાં કાર્યકરોના સંમેલન તથા એક રેલીને સંબોધતાં લોકસભા માટે ચૂંટણી અભિયાનનો આરંભ કર્યો નવી દિલ્હીલોકસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકારણ ગરમાઈ રહ્યું છે. પીએમ મોદીને હરાવવા માટે 28 દળો દ્વારા રચાયેલા ઈન્ડિયા ગઠબંધનમાં અત્યાર સુધી સીટ વહેંચણી મુદ્દે કોઈપણ પ્રકારની સમજૂતી થતી દેખાઈ નથી….

રામમંદિરના ઉદ્ઘાટન કાર્યક્રમમાં ખડગે, સોનિયા, રાહુલની હાજરી પર કોંગ્રેસે નિર્ણય નથી લીધો

કોંગ્રેસ મહાસચિવ કેસી વેણુગોપાલે અયોધ્યા જવાના પ્રશ્ન પર ટ્રસ્ટના આમંત્રણ માટે આભાર વ્યક્ત કર્યો અને કહ્યું કે, તે 22 જાન્યુઆરીએ ખબર પડી જશે અયોધ્યાઅયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાની તારીખ જેમ નજીક આવી રહી છે તેમ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 22 જાન્યુઆરીએ યોજાનારા કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજર રહેશે. સાથે ત્રણ હજાર વીવીઆઈપીને…

રામમંદિર-અબુધાબી મંદુરના ઉદ્ઘાટન બાદ ચૂંટણી થશેઃ શશી થરૂર

કોંગ્રેસના સાંસદ શશી થરૂરે રામ મંદિરને લઈને ભાજપ અને નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા નવી દિલ્હીઅયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ થયા બાદ હવે 2024ની 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે જેને લઈને રાજકારણ ગરમાયું છે અને સત્તાધારી પક્ષ અને વિરોધ પક્ષ આ મુદે એકબીજાને ઘેરી રહ્યા છે ત્યારે હવે કોંગ્રેસના સાંસદ શશી થરૂરે…

તિરુનેલવેલીમાં મંદિરની 11 એકર જમીન ખાલી કરવા ખ્રિસ્તી સંસ્થાને આદેશ

મદ્રાસ હાઈકોર્ટે મંદિરની જમીનમાંથી ખાલી કરાવવાની નોટિસ સામે અમલી કોન્વેન્ટની અરજી ફગાવી દીધી ચેન્નાઈ5મી ડિસેમ્બરના રોજ, મદ્રાસ હાઈકોર્ટની મદુરાઈ બેન્ચે અમાલી ગર્લ્સ હાયર સેકન્ડરી સ્કૂલ અને અમાલી કોન્વેન્ટના મધર સુપિરિયર દ્વારા દાખલ કરાયેલી ત્રણ રિટ અરજીઓને ફગાવી દીધી હતી. તેના આદેશમાં, કોર્ટે તિરુનેલવેલી જિલ્લાના અરુલમિગુ પાપનાસસ્વામી મંદિર હેઠળ આવતા પિલ્લયન અર્થસામ કટ્ટલાઈની મિલકત પર અમાલી…

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં સીતારામ યેચૂરી હાજર નહીં રહે

માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટી પોલિટ બ્યુરોએ એક નિવેદન જારી કરીને જાહેરાત કરી નવી દિલ્હીરામમંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે ત્યારે ભાજપ ભારે ઉત્સાહમાં છે તો વિપક્ષી દળો આ મામલે તેના પર રાજકીય ખાટવાનો આરોપ મૂકી રહ્યા છે. દરમિયાન એવા અનેક વિપક્ષી નેતાઓ છે જેઓ આ સમારોહથી દૂર રહી શકે છે. જેમાં વધુ એક…

ડમ્પરે બસને ટક્કર મારતા આગથી 13 મુસાફર જીવતા ભૂંજાયા

આ અકસ્માત એટલો ગંભીર હતો કે ઘણાની હાલત હજુ ગંભીર જણાવાઈ રહી છે, ભયંકર રીતે મૃતદેહો દાઝી જતાં મુસાફરોની ઓળખ કરવી પણ મુશ્કેલ ગુનાગુનાથી આરોન જતી સિકરવાર બસમાં બુધવારે રાતે આશરે 08:30 વાગ્યે એક ડમ્પરે જોરદાર ટક્કર મારી દીધી હતી. જેના બાદ ડીઝલ ટેન્ક ફાટી જતાં બસ આગનો ગોળો બની ગઈ હતી જેમાં 13 મુસાફરો…