બેંક સાથે 40 કરોડની છેતરપિંડીના કેસમાં જસવંતસિંહ ગજ્જનની અટકાયત

અગાઉ ઈડીએ સપ્ટેમ્બર મહિનામાં જસવંત સિંહ ગજ્જન માજરાના નિવાસસ્થાને દરોડો પાડ્યો હતો, ઈડીના અધિકારીઓએ લગભગ 14 કલાક સુધી દરોડાની કાર્યવાહી કરી જાલંધરપંજાબમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય જસવંત સિંહ ગજ્જન માજરા સામે મોટી કાર્યવાહી કરવાની ઘટના સામે આવી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ગજ્જનની અટકાયત કરી છે. ઈડીએ બેંક સાથે કરોડોની છેતરપિંડીના જૂના કેસમાં આ કાર્યવાહી કરી છે….

ક્લાઉડ સીડીંગ દ્વારા પ્રદૂષણ પર નિયંત્રણ માટે દિલ્હી પ્રયાસ કરશે

દિલ્હી પર્યાવરણ મંત્રી સમક્ષ ક્લાઉડ સીડીંગના પ્લાનને મૂકાયો જેમાં આઈઆઈટી કાનપુરે કૃત્રિમ વરસાદ કેવી રીતે કરી શકાય તે અંગે પ્રેઝન્ટેશન આપ્યું નવી દિલ્હી દેશમાં વાયુ પ્રદૂષણના કારણે લોકોની ચિંતા વધી છે. દિલ્લી-એનસીઆરમાં પ્રદૂષણ એટલું વધી ગયું છે કે લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી છે. આ શહેરનો એક્યુઆઈ 500 પાર થઇ ગયો છે અત્યાર…

હીરાલાલ સામરિયા દેશના પ્રથમ દલિત ચીફ ઇન્ફોર્મેશન કમિશનર બન્યા

હીરાલાલ સામરિયા હાલમાં માહિતી કમિશનર તરીકે ફરજ બજાવે છે, તેમણે શ્રમ અને રોજગાર મંત્રાલયમાં સચિવ તરીકે પણ કાર્ય કરેલું છે નવી દિલ્હી રાજસ્થાનના હીરાલાલ સામરિયા દેશના પ્રથમ દલિત ચીફ ઇન્ફોર્મેશન કમિશનર બન્યા છે. દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવનમાં હીરાલાલ સામરિયાને ચીફ ઇન્ફોર્મેશન કમિશનર તરીકેના શપથ લેવડાવ્યા. આ માહિતી રાષ્ટ્રપતિ ભવન દ્વારા આપવામાં આવી છે. હીરાલાલ સામરિયા…

કેદારનાથમાં રાહુલ ગાંદી લોકોને ચા વહેચતા જોવા મળ્યા

આ ઘટનાને કોંગ્રેસ પાર્ટીએ ચા સેવા નામ આપ્યું, રાહુલની મુલાકાતને પક્ષે ધાર્મિક યાત્રા ગણાવી કેદારનાથ 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં મતદાન પહેલાં કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ઉત્તરાખંડની મુલાકાત લીધી હતી. કેદારનાથ ધામમાં પૂજા અર્ચના કર્યા બાદ તેમણે લોકો સાથે સમય પસાર કર્યો હતો અને ચાની ચુસ્કી લીધી હતી. આ દરમિયાન તેઓ લોકોને ચા વહેંચતા પણ જોવા મળ્યા…

વિશ્વના સૌથી વધુ પ્રદૂષિત શહેરમાં દિલ્હી પ્રથમ, લાહોર બીજા સ્થાને

ટોપના 5 સૌથી વધુ પ્રદૂષિત શહેરોમાં ભારતના ત્રણ શહેરોનો સમાવેશ થાય છે નવી દિલ્હી ભારત સહિત દુનિયાના ઘણાબધા દેશો પ્રદૂષણનો સામનો કરી રહ્યા છે. આ વાયુ પ્રદૂષણ દિવસેને દિવસે એટલું વધી રહ્યું છે કે લોકોને શ્વાસ લેવામાં પણ મુશ્કેલી પડી રહી છે. દિલ્લી-એનસીઆર સહિત દેશના અનેક શહેરોમાં હવા ઝેરી બની છે. વિશ્વના ટોપના 10 પ્રદૂષિત…

બીએસએફએ સરહદે મધપૂડા લગાવવાનું શરૂ કર્યું

આ પ્રકારની પ્રથમ યોજના નાદિયા જિલ્લાના સરહદી વિસ્તારમાં શરૂ કરાઈ નવી દિલ્હી ભારત-બાંગ્લાદેશ સરહદે દાણચોરી સહિત અન્ય ગુનાખોરીને રોકવા માટે એક નવી રીત અપનાવવાની તૈયારી કરવામાં આવી રહી છે. બોર્ડર સિક્યોરિટી ફોર્સ (બીએસએફ) ના જવાનોએ સરહદે મધમાખીઓના મધપુડા લગાવવાનું શરૂ કરી દીધું છે.  વરિષ્ઠ અધિકારીઓએ આપેલી માહિતી અનુસાર આ પ્રકારની પ્રથમ યોજના નાદિયા જિલ્લાના સરહદી…

સૈન્યના રોકેટ ફોર્સને મજબૂત કરવા મધ્યમ રેન્જના બેલેસ્ટિક મિસાઈલ્સ તૈનાત કરવાની તૈયારી

ભારતીય સૈન્ય રોકેટ ફોર્સના ભાગ રૂપે લગભગ 1,500 કિલોમીટરની રેન્જ સાથે ટૂંકા અંતરની બેલેસ્ટિક મિસાઇલો તૈનાત કરવાની યોજના બનાવી રહી છે નવી દિલ્હી ભારતના પૂર્વ ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ) જનરલ બિપિન રાવતની યોજનાને આગળ વધારતા ભારતીય સૈન્યની રોકેટ ફોર્સને વધુ મજબૂત બનાવવા પર કામ શરૂ થઈ ગયું છે. તેના માટે મધ્યમ રેન્જની બેલેસ્ટિક મિસાઈલોને…

મહાદેવ એપ કૌભાંડમાં મારે કોઈ લેવા દેવા નથીઃ બધેલ

ભાજપ વડાપ્રધાન અને ગૃહમંત્રી સાથે પણ છત્તીસગઢમાં કોંગ્રેસનો મુકાબલો કરી શકે તેમ નથીઃ કોંગ્રેસનો પડકાર રાયપુર છતીસગઢમાં થોડા દિવસોમાં વિધાનસભા ચૂંટણી યોજવાની છે એવામાં હાલ રાજનીતિએ જોર પકડ્યું છે. ભાજપે રાજ્યના સીએમ પર 508 કરોડના કૌભાંડના આરોપ લગાવ્યા હતા.  ભાજપે આરોપ કર્યો કે મની લોન્ડરિંગના મામલે મહાદેવ એપના પ્રમોટરે ભૂપેશ બઘેલને 508 કરોડ રૂપિયા લાંચ…

રશિયાએ ભારતીય શિપયાર્ડમાંથી 24 માલવાહક જહાજોનો ઓર્ડર આપતા યુએસની ચિંતા વધી

ગોવા શિપયાર્ડ લિમિટેડ અને રશિયન નિકાસ કેન્દ્ર વચ્ચે સહકારની જાહેરાત કરવામાં આવી નવી દિલ્હી રશિયા અને ભારત વચ્ચે કાચા તેલની ડીલ ભારતીય રૂપિયામાં થાય છે. રશિયાએ ભારતને કરોડો બૈરલ કાચું તેલ વેચ્યું છે માટે એવો અંદાજો લગાવી શકાય છે કે રશિયા પાસે ભારતીય રૂપિયાનો અઢળક સંગ્રહ હોય શકે છે. આ ભારતીય રૂપિયાના ખજાનાને ખર્ચવા માટે…

હિમાલય વિસ્તારમાં ગમે તે સમયે મોટા ભૂકંપની વૈજ્ઞાનિકોની આગાહી

હિમાલય પર દબાણથી અનેક ભૂકંપની શક્યતા સર્જાઈ રહી છે, આગામી ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર આઠથી વધુ હોવાની સંભાવના નવી દિલ્હી નેપાળમાં ગઈકાલે રાતે 6.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો જેમાં 132 લોકોએ જીવ ગુમાવ્યા હતા અને 100થી વધુ લોકો ઘાયલ થયા હતા. ભૂકંપની અસર દિલ્હી-એનસીઆર સહિત અનેક રાજ્યોમાં જોવા મળી હતી, ત્યારે હવે વૈજ્ઞાનિકોએ ટુંક…

પીએમ અને તેમની પાર્ટીએ ઈડી અને સીબીઆઈનો દુરુપયોગ શરૂ કર્યોઃ કોંગ્રસ

કોંગ્રેસ નેતા જયરામ રમેશ, કેસી વેણુગોપાલ અને અભિષેક મનુ સિંઘવીએ કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી નવી દિલ્હી કોંગ્રેસ નેતા જયરામ રમેશ, કેસી વેણુગોપાલ અને અભિષેક મનુ સિંઘવીએ છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ પર લાગેલા આરોપો પર સરકારની ઝાટકણી કાઢી છે. છત્તીસગઢમાં ચૂંટણી ટાણે મહાદેવ બેટિંગ એપ કેસમાં ઈડીએ છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ પર ગંભીર આરોપો લગાવ્યા હતા….

મુકેશ અંબાણીને ધમકી આપનારા 19 વર્ષના યુવકની તેલંગણાથી ધરપકડ

આરોપીની ઓળખ ગણેશ રમેશ વનપારધી તરીકે થઈ, 8 નવેમ્બર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો મુંબઈ બિઝનેસમેન મુકેશ અંબાણીને ધમકીભર્યા ઈમેલ મોકલવાના આરોપમાં મુંબઈની ગામદેવી પોલીસે આજે તેલંગાણાના એક 19 વર્ષીય યુવકની ધરપકડ કરી છે. આરોપીની ઓળખ ગણેશ રમેશ વનપારધી તરીકે થઈ છે. પોલીસે જણાવ્યું કે, આરોપીની આજે ધરપકડ કરી તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો…

કેનેડાએ જ ભારત સાથે સબંધ ખરાબ કર્યા, તેનેજ વધુ નુકશાનઃ પીયુષ ગોયેલ

કેનેડા સાથે અમે કોઈ વાતચીત નથી રોકી, તેમણે રોકી છે, ત્યાં કેટલોક ભ્રમ છે લોકો પર અને તેમના નેતાઓમાં નવી દિલ્હી ભારત અને કેનેડા વચ્ચે કેટલાય મહિનાથી તણાવની સ્થિતિ યથાવત છે. ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડો દ્વારા લગાવવામાં આવેલા આરોપો બાદ બંને દેશોના સબંધો ખરાબ થયા છે. ભારત સરકારે…

ઊતાવળના ચક્કરમાં ચંદ્રયાન-2 નિષ્ફળ રહ્યુઃ ડૉ. સોમનાથ

ઈસરોના પ્રમુખ ડૉ. એસ.સોમનાથએ પૂર્વ ઈસરો પ્રમુખ કે.સિવાન પર એક આરોપ મૂક્યો છે કે સિવાને તેમના ઈસરો પ્રમુખ બનવામાં અવરોધ પેદા કર્યો હતો નવી દિલ્હી ઈસરો અંગે એક ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા છે. આ અહેવાલ દક્ષિણ ભારતના મીડિયામાં ભારે ચર્ચામાં રહ્યા. જેમાં દાવો કરાયો છે કે ઈસરોના પ્રમુખ ડૉ. એસ.સોમનાથએ પૂર્વ ઈસરો પ્રમુખ કે.સિવાન પર…

કોચ્ચિમાં ભારતીય નેવીના ચેતક હેલિકોપ્ટરને દુર્ઘટના, અધિકારીનું મોત

નેવીના હેડક્વાર્ટર આઈએનએસ ગરુડના રન-વે પરની ઘટના, હેલિકોપ્ટરમાં બે જણા સવાર હતા થિરૂવનંતપુરમ કેરળથી એક મોટા અહેવાલ સામે આવ્યા છે. નિયમિત ટ્રેનિંગ દરમિયાન શનિવારે કોચ્ચિમાં ભારતીય નેવીના હેડક્વાર્ટર આઈએનએસ ગરુડના રન-વે પર એક ચેતક હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયું.  માહિતી અનુસાર આ દુઘર્ટનામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. જોકે હજુ સુધી નેવી તરફથી કોઈ સત્તાવાર જાણકારી…

મુસ્લિમ હોવાના લીધે મારા પર રાહુલ આરોપ લગાવે છેઃ ઓવૈસી

રાહુલ ગાંધીએ એઆઈએમએઆઈ પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી પર ભાજપ માટે કામ કરવાનો આરોપ લગાવ્યો હતો હૈદ્રાબાદ તેલંગાણામાં 119 વિધાનસભાની બેઠકો માટે 30મી નવેમ્બરે મતદાન થનાર છે ત્યારે તમામ રાજકીય પક્ષો ચૂંટણી પ્રચારમાં પોતાની તાકાત લગાવી રહ્યા છે તેવામાં પ્રચારમાં એકબીજા પર આરોપ-પ્રત્યારોપનો તેમજ નિવેદબાજી ચાલુ છે. રાહુલ ગાંધીએ ઓવૈસી પર ભાજપ પાસેથી પૈસા લેઈને પોતાના ઉમેદવારો…

રાજ્યપાલને સમન્સ પાઠવનારા એસડીએમ અને ડીએમના પેશકાર નિલંબિત

તહેસીલના એસ.ડી.એમ.એ. જ્યુડીશ્યલ કોર્ટના પણ કાનૂની રાજકીય-નિયમોની પણ પરવાહ કર્યા સિવાય રાજ્યપાલનાં નામે, સમન્સ મોકલ્યો હતો લખનૌ   ઉત્તર પ્રદેશના બદાયું જિલ્લાના સીનીયર ડીસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ રાજ્યપાલને સમન્સ મોકલી તેઓની સમક્ષ હાજર થવાં ‘હુકમ’ કર્યો હતો. આ સમન્સ મળતાં રાજભવનમાં ધમાલ મચી ગઈ. પરંતુ તે સમન્સનો તુર્ત જ જવાબ પાઠવતાં ‘સ્પેશ્યલ-સેક્રેટરી-ટુ-ધ-ગવર્નર’ દ્વારા ડીસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ (કલેકટર)ની ઓફીસને…

દિલ્હીમાં જીઆરએપીના સ્ટેજ III ને લાગુ કરવા સૂચના

બિનજરૂરી નિર્માણકાર્યો પર બેન મૂકી દેવામાં આવ્યો નવી દિલ્હી મંગળવારની શરૂઆતથી દિલ્હી-એનસીઆરમાં સ્મોગવાળું વાતાવરણ જોવા મળી રહ્યું છે. હવામાન એવું હતું કે લોકોને આંખોમાં બળતરાં થવા લાગ્યા હતા. તેને જોતાં જ વહીવટીતંત્ર એલર્ટ થઇ ગયું હતું. કમિશન ફોર એર ક્વોલિટી એન્ડ મેનેજમેન્ટ (સીએક્યુએમ) એ ગુરુવારે ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (જીઆરએપી) ના સ્ટેજ III ને લાગુ…

એથિક્સ કમિટિ સમક્ષ વસ્ત્રાહરણ થયાનો મહુઆ મોઈત્રાનો આક્ષેપ

સાંસદ મહુઆ મોઇત્રાએ ફરી  લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને પત્ર લખ્યો નવી દિલ્હી પ્રશ્નો પૂછવાના બદલામાં પૈસા લેવાના આરોપને લઈને વિવાદ શમી રહ્યો નથી. તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) સાંસદ મહુઆ મોઇત્રાએ ફરી  લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને પત્ર લખ્યો હતો. પત્રમાં તેમણે આરોપ લગાવ્યો હતો કે એથિક્સ કમિટી સમક્ષ જ્યારે તેઓ હાજર થયા ત્યારે તેમનું વસ્ત્રહરણ કરાયું.  તેમણે…

આસામ રાઈફલ્સના સેંકડો જવાનોને એરલિફ્ટ કરી મોરેહ લવાયા

સુરક્ષાદળો ઉગ્રવાદીઓ સામે કડક કાર્યવાહી કરી રહ્યા છે, ખાસ કરીને મ્યાનમારથી આવેલા ઘૂસણખોરોને નિશાન બનાવાઈ રહ્યા છે ઈમ્ફાલ વરિષ્ઠ પોલીસ અધિકારીની હત્યા બાદ મણિપુરમાં સુરક્ષાદળો એક્શનમાં આવી ગયા છે. અહેવાલ છે કે આસામ રાઈફલ્સના સેંકડો જવાનોને એરલિફ્ટ કરી મોરેહ લવાયા છે. અહીં સુરક્ષાદળો ઉગ્રવાદીઓ સામે કડક કાર્યવાહી કરી રહ્યા છે. ખાસ કરીને મ્યાનમારથી આવેલા ઘૂસણખોરોને…