ઘાઘરા નદીમાં સેલ્ફી લેતા સમયે નૌકા પલટતાં 12 જણાં ડૂબી ગયા

ગ્રામજનોના પ્રયાસોથી 9ને બચાવી લેવાયા,ત્રણ છોકરીઓનો હજુ પત્તો નથી લાગ્યો જહાંગીરગંજહાલના સમયમાં લોકોમાં સેલ્ફીનો ક્રેઝ ખૂબ જ જોવા મળે છે. પરંતુ ક્યારેક તેના પરિણામ ખૂબ જ ભયંકર આવતા હોય છે. ત્યારે ઘાઘરા નદીમાં નૌકા પર સવારી કરતી વખતે સેલ્ફી લેતી વખતે સંતુલન ગુમાવતા નૌકામાં સવાર બાળકો સહિત 12 લોકો નદીમાં ડૂબી ગયા હતા. ગ્રામજનોના પ્રયાસોથી…

ગુજરાત યુનિવર્સિટીએ મોદીની ડીગ્રી બાબતે કેજરીવાલ સામે કેસ કર્યો

અમદાવાદની મેટ્રો પોલિટન કોર્ટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને રાજ્યસભા સાંસદ સંજય સિંહને સમન્સ પાઠવ્યા નવી દિલ્હીગુજરાત યુનિવર્સિટીએ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ સામે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી મેળવવા બાબતે બદનક્ષીનો કેસ દાખલ કર્યો છે. જેમાં અરવિંદ કેજરીવાલના કારણે ગુજરાત યુનિવર્સિટીની છબી ખરડાઈ હોવાના આક્ષેપ સાથે આ કેસ દાખલ કરવામાં આવ્યો છે. અમદાવાદ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં…

કોલ્હાપુરમાં હિન્દુવાદી સંગઠનોની વિરોધ માર્ચ પર લાઠીચાર્જ

અમુક દેખાવકારોની પોલીસે ધરપકડ કરી લીધી છે, બે સમુદાય વચ્ચે તણાવની સ્થિતિને જોતા તંત્ર વચ્ચે કલમ 144 લાગુ કરવામાં આવી કોલ્હાપુરમહારાષ્ટ્રના કોલ્હાપુરમાં હિન્દુવાદી સંગઠનો તરફથી આયોજિત વિરોધ માર્ચના સમયે પોલીસ તરફથી સ્થિતિને કાબૂમાં લેવા લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. આ માર્ચ કેટલાક મુસ્લિમ યુવકો તરફથી સોશિયલ મીડિયા પર ઔરંગઝૈબ સંબંધિત સ્ટેટસ મૂકવાના વિરોધમાં યોજવામાં આવી હતી….

પાયલટના ભાવિ પગલાં કોંગ્રેસ હાઈકમાન્ડના નિર્ણય પર નિર્ભર

મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી સાથે બેઠક યોજી હતી, પરંતુ રાજસ્થાનના બંને કદાવર નેતાઓ વચ્ચે મુખ્ય મુદ્દાઓ નો કોઈ ઉકેલ આવ્યો ન હતો જયપુરકોંગ્રેસ નેતા સચિન પાયલટના આગામી પગલા અંગે અટકળોએ જોર પકડ્યું છે. દરમિયાન તેમની નજીકના સૂત્રોએ જણાવ્યું કે તેઓ તેમની માંગણીઓ પર અડગ છે અને પાર્ટી હાઈકમાન્ડના નિર્ણયની રાહ જોઈ રહ્યા છે. જોકે,…

જબલપુર રેલ વિભાગમાં બે માલગાડી પાટા પરથી ખડી પડી

દુર્ઘટના બાદ અધિકારીઓ તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે દોડી આવ્યા, બંને ઘટનાઓમાં કોઈ જાનહાનિ થઈ નથી જબલપુરઓડિશાના બાલાસોરમાં ટ્રેન દુર્ઘટના સર્જાયા બાદ હવે મધ્યપ્રદેશના જબલપુર રેલવે વિભાગમાં વધુ બે ટ્રેન દુર્ઘટનાઓ સર્જાઈ હતી. 6 જૂનની રાતે લગભગ 7 વાગ્યે 30 મિનિટ પર રેલવે યાર્ડમાં એક માલગાડીના બે ડબા પાટા પરથી ખડી પડ્યા હતા.આ ઘટનાના ઠીક ચાર કલાક…

છેતરપિંડી કેસમાં મૃત્યુના બે દિવસ બાદ શખ્સને જામીન મળ્યા

સુરેશ પવાર નામના શખ્સનું 9 મેના રોજ તેમની જામીન અરજી પર સુનાવણી પૂરી થયાના કલાકો બાદ અવસાન થયું હતું મુંબઈભારતની નાણાકીય રાજધાની મુંબઈથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. મુંબઈની એક અદાલતે છેતરપિંડીના કેસમાં ધરપકડ કરાયેલા 62 વર્ષીય વ્યક્તિને “તબીબી અને માનવતાના આધારે” મૃત્યુના બે દિવસ બાદ કામચલાઉ જામીન આપ્યા હતા. આ વ્યક્તિનું નામ સુરેશ…

વળતરની લાલચે નકલી પરિવારજનો પહોંચ્યા, રેલવે ડીએનએ ટેસ્ટના સહારે

પરિવારના વાસ્તવિક સભ્યોની ઓળખ કરવા માટે લોહીના 33 નમૂના ડીએનએ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા બાલાસોરઓડિશાના બાલાસોર ટ્રેન દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના મૃતદેહોને લઈને મૂંઝવણ વધતી જઈ રહી છે. બીએમસી કમિશનર વિજય અમૃતા કુલાંગેએ જણાવ્યું હતું કે પરિવારના વાસ્તવિક સભ્યોની ઓળખ કરવા માટે લોહીના 33 નમૂના ડીએનએ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા છે. ઓડિશામાં ડીએનએ ટેસ્ટિંગ સિસ્ટમ…

મણિપુરમાં ભીડે એમ્બ્યુલન્સ અકાવી આગ ચાંપતા માતા-પુત્ર સહિત ત્રણનાં મોત

ગોળીબારની ઘટના દરમિયાન બાળકને માથામાં વાગ્યું હતું અને તેની માતા અને એક સંબંધી તેને ઈમ્ફાલની હોસ્પિટલમાં લઈ જઈ રહ્યા હતા ત્યારે ઘટના બની ઈમ્ફાલમણિપુરમાં હજુ સ્થિતિ સામાન્ય થઈ નથી. પશ્ચિમ ઇમ્ફાલ જિલ્લામાં લોકોની ભીડે રસ્તામાં એમ્બ્યુલન્સ અટકાવીને તેને આગ ચાંપી દીધી હતી. જેમાં એક આઠ વર્ષનો છોકરો, તેની માતા અને તેમાં સવાર અન્ય એક સંબંધીનું…

બીએસએનએલ માટે 89,000 કરોડ રૂપિયાના રિવાઇવલ પેકેજને મંજૂરી

કેન્દ્રીય કેબિનેટની મંજૂરીથી પેકેજનો ઉપયોગ બીએસએનએલની 4જી અને 5જી સેવાઓને વધારવા માટે કરવામાં આવશે નવી દિલ્હીકેન્દ્રીય કેબિનેટે આજે ભારત સંચાર નિગમ લિમિટેડ (બીએસએનએલ) માટે 89,000 કરોડ રૂપિયાના રિવાઇવલ પેકેજને મંજૂરી આપી છે. પેકેજનો ઉપયોગ બીએસએનએલની 4જી અને 5જી સેવાઓને વધારવા માટે કરવામાં આવશે. સુત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્ર સરકાર માને છે કે ટેલિકોમમાં સરકારી પીએસયુ તેના…

અમેરિકી કોંગ્રેસની સંયુક્ત બેઠકમાં સંબોધન કરનારા મોદી ભારતના પ્રથમ વડાપ્રધાન બનશે

રાષ્ટ્રપતિ જો બાયડેન 22 જૂને વડાપ્રધાન મોદીની અમેરિકીની સત્તાવાર રાજકીય યાત્રાની મેજબાની કરશે, ત્યારબાદ તેઓ રાજકીય રાત્રિભોજનમાં સામેલ થશે નવી દિલ્હીવડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મહિનાના અંતે અમેરિકાના પ્રવાસે જવાના છે. આ દરમિયાન તેઓ અમેરિકન સંસદમાં સંબોધન કરવાના છે. આ આમંત્રણ બદલ પીએમ મોદીએ અમેરિકી પ્રતિનિધિ સભાના અધ્યક્ષ કૈવિન મૈક્કાર્થી, સીનેટમાં બહુમતીના નેતા ચક શૂમર, સીનેટ…

સ્વદેશી બનાવટના ભારે વજનના ટોર્પિડોનું કોચીમાં સફળ પરીક્ષણ

ડીઆરડીઓ દ્વારા વિકસિત ટોર્પિડો સમુદ્રની અંદર દુશ્મનના જહાજ-સબમરીનનો વિનાશ કરશે, સમુદ્રમાં ભારતની તાકાતમાં વધારો થશે કોચી ભારતમાં બનેલા ભારે વજનના ટોર્પિડોનું કોચીમાં સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. પાણીની અંદર જતી વખતે ટોર્પિડો સીધો લક્ષ્ય પર અથડાયો હતો. ડીઆરડીઓદ્વારા વિકસિત ટોર્પિડો સમુદ્રની અંદર દુશ્મનના જહાજ-સબમરીનનો વિનાશ કરશે. સમુદ્રમાં ભારતની તાકાતમાં વધારો થશે. દેશમાં જ અત્યાધુનિક શસ્ત્રો…

ગાઝિયાબાદમાં ઓનલાઈન ગેમથી ધર્મપરિવર્તનમાં પાકિસ્તાનનું કનેક્શન

પીડિતોની ફરિયાદ બાદ પોલીસને જાણકારી મળી છે કે, સગીરો 5 વખતની નમાજ અદા કરવા માટે ગુમ રહેતા હતા ગાઝિયાબાદ ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં તાજેતરમાં જ ઓનલાઈન ગેમ દ્વારા ધર્મ પરિવર્તનનો મામલો સામે આવ્યો હતો. આ કેસમાં ઓનલાઈન કર્નવઝેશન દ્વારા ત્રણ કિશોરો સહિત 4 લોકોનું ધર્મ પરિવર્તન કરવાનો મામલો સામે આવ્યા બાદ ગાઝિયાબાદ પોલીસે તપાસ શરૂ કરી…

મણિપુરમાં આતંકીઓ સાથેની અથડામણમાં બીએસએફનો જવાન શહીદ

કાકચિંગ જિલ્લાના સેરૌમાં ગત રાત્રે તપાસ અભિયાન દરમિયાન શંકાસ્પદ આતંકવાદીઓ અને સુરક્ષા દળના જવાનો વચ્ચે ફાયરિંગ, અસમ રાઈફલ્સના બે જવાનો ઈજાગ્રસ્ત ઈમ્ફાલ મણિપુરમાં છેલ્લા એક મહિનાથી હિંસાની સ્થિતિ યથાવત્ છે. અહીં શંકાસ્પદ ઉગ્રવાદીઓ સાથે થયેલી અથડામણમાં સીમા સુરક્ષા દળ (બીએસએફ)નો એક જવાન અને અસમ રાઈફલ્સના બે જવાનો ઈજાગ્રસ્ત થયા છે. કાકચિંગ જિલ્લાના સેરૌમાં ગત રાત્રે…

આતંકવાદી સંગઠન ખાલિસ્તાન ટાઈગર ફોર્સ વિરુદ્ધ કડક કાર્યવાહી, ફંડ એકત્રિત કરવા સંદર્ભે એનઆઈએના પંજાબ-હરિયાણામાં દરોડા

એનઆઈએએ દારૂગોળો અને વિસ્ફોટકોની દાણચોરીના ગુનાહિત કાવતરાના સંબંધમાં પંજાબમાં 9 અને હરિયાણામાં 1 સ્થળે છાપે મારી કરી અમૃતસર પ્રતિબંધિત આતંકવાદી સંગઠન ખાલિસ્તાન ટાઈગર ફોર્સ વિરુદ્ધ કડક કાર્યવાહી કરતા નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ ફંડ એકઠું કરવાના દરોડા પાડ્યા છે. એનઆઈએની ટીમે દારૂગોળો અને વિસ્ફોટકોની દાણચોરીના ગુનાહિત કાવતરાના સંબંધમાં પંજાબમાં 9 અને હરિયાણામાં 1 સ્થળે છાપે મારી કરી…

એસઆઈટીએ બ્રિજભૂષણના ઘરે હાજર 12 જણાના નિવેદન નોંધ્યા

દિલ્હી પોલીસે પુરાવા તરીકે બ્રિજ ભૂષણના ઘર અને તેની સાથે કામ કરતા લોકોના નામ અને સરનામા અને ઓળખ કાર્ડ એકત્ર કર્યા નવી દિલ્હી રેસલિંગ એસોસિએશનના પ્રમુખ અને બીજેપી સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ જાતીય સતામણીના કેસમાં દિલ્હી પોલીસે કાર્યવાહી ઝડપી કરી છે. દિલ્હી પોલીસની એક ટીમ ગઈકાલે રાત્રે લખનઉ અને ગોંડામાં બ્રિજભૂષણ સિંહના ઘરે પહોંચી…

રાજ્યના આપના કેટલાક નેતા કાર્યકરો સાથે કેસરિયો ધારણ કરશે

ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પહેલા આપને વધુ એક વખત મોટો ઝટકો લાગી શકે છે અમદાવાદ દેશમાં આગમી વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે. ગુજરતમાં લોકસભાની ચૂંટણી પહેલા જ આપમાં ભંગાણ થવાના સમાચાર સુત્રોમાંથી મળી રહ્યા છે. ગુજરાત આપના કેટલાક આગેવાનો કાર્યકરો સાથે કેસરિયો ધારણ કરશે. જો કે હજુ નામોની સત્તાવાર જાહેરાત થઈ નથી. ગુજરાતમાં આપમાંથી મોટા સમાચાર…

મણિપુરમાં આતંકીઓના ગોળીબારમાં જવાન શહીદ, અન્ય બે ઘાયલ

ઘાયલ જવાનોને એરલિફ્ટ કરીને મંત્રીપુખારી લઈ જવામાં આવ્યા ઈમ્ફાલ મણિપુરમાં ચાલી રહેલી હિંસા વચ્ચે આતંકવાદીઓના ગોળીબારમાં બીએસએફનો એક જવાન શહીદ થયો છે. આ ઉપરાંત અન્ય બે જવાન પણ ઘાયલ થયા હતા. ઘાયલ જવાનોને એરલિફ્ટ કરીને મંત્રીપુખારી લઈ જવામાં આવ્યા છે. આજે મોડી રાત્રે સેરૌ વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓના જૂથ વચ્ચેની ગોળીબારમાં બીએસએફનો એક જવાન…

ઓડિશાના બાલાસોરમાં ટ્રેન અકસ્માત તૃણમૂલ કોંગ્રેસનું કાવતરુઃ અધિકારી

સીબીઆઈની તપાસમાં પણ આ હકીકત બહાર આવવી જોઈએ અને જો તે નહીં આવે તો તેઓ તેની સામે કોર્ટમાં જશે એવી ચેતવણી કોલકાતા પશ્ચિમ બંગાળ વિધાનસભામાં વિપક્ષના નેતા અને ભારતીય જનતા પાર્ટીના નેતા સુવેન્દુ અધિકારીએ ગંભીર આક્ષેપો કર્યા છે. સુવેન્દુ અધિકારીએ કહ્યું છે કે, ઓડિશાના બાલાસોરમાં ટ્રેન અકસ્માત તૃણમૂલ કોંગ્રેસનું કાવતરું છે. સુવેન્દુ અધિકારીનું કહેવું છે…

એનસીબીએ સૌથી મોટું પાર્ટી ડ્રગ કન્સાઈનમેન્ટ જપ્ત કર્યું

દરોડામાં એનસીબીએ હજારો કરોડની કિંમતની નસીલી દવા લિસેર્જિક એસિડ ડાયથાઇલામાઇડનો જથ્થો પકડ્યો નવી દિલ્હી એનસીબીને મોટી સફળતા મળી છે. એનસીબીટીમે ડ્રગ સ્મગલરોના મોટા નેટવર્કનો પર્દાફાશ કરતી વખતે અત્યાર સુધીની સૌથી મોટી પાર્ટી ડ્રગ કન્સાઈનમેન્ટ જપ્ત કરી છે. ડ્રગ સ્મગલર્સનું આ નેટવર્ક ઘણું મોટું છે અને સમગ્ર દેશમાં ફેલાયેલું છે. આ દરોડામાં એનસીબીએ હજારો કરોડની કિંમતની…

ચેન્નાઈ એગમોર એક્સપ્રેસના કોટમાં તિરાડ જોવા મળી

રેલ્વે કર્મચારીઓએ તરત જ તે કોચને ટ્રેનથી અલગ કરી નવો કોચ જોડ્યો અને તેને આગળ રવાના કરતા મોટી દુર્ઘટના ટળી સેંગોટ્ટાઈતમિલનાડુના સેંગોટ્ટાઈ રેલ્વે સ્ટેશન પર મોટી દુર્ઘટના ટળી હતી જ્યારે સેંગોટાઈ સ્ટેશન પર આવી રહેલી ચેન્નાઈ એગમોર એક્સપ્રેસના કોચમાં તિરાડ જોવા મળી હતી. ત્યારબાદ રેલ્વે કર્મચારીઓએ તરત જ તે કોચને ટ્રેનથી અલગ કરી નવો કોચ…